Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

વિજયભાઇએ શાસનચંદ્રીકા પૂ. હિરાબાઇ મ.ની તબિયતની ખબર પુછી

વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ પહોંચી

 રાજકોટઃ ગુજરાતના રાજયના સંવેદન શીલ જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી   વિજયભાઇ રૂપાણી તથા શ્રીમતી અંજલીબેન રૂપાણી ગોંડલ સંપ્રદાયના શાસનચંદ્રિકા પૂ. હીરાબાઇ મ.સ.ની તબિયતના ખબર અંતર અને શાતા પુછવા વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં રાત્રે ૧૦/૩૦ કલાકે પહોંચ્યા હતા. પૂ. મહાસતીજીની  સારવારમાં કચાશ  ન રહે અને રાજય સરકાર તરફથી કોઇપણ પ્રકાર સવલત માટેની સુચના પણ આપેલ.

પૂ. મહાસતીજીની સેવામાં હાજર રહેલ તેમના સંયમી લધુ ભગીની તત્વચિંતક પૂ. જયોતિબાઇ મ.પૂ. સ્મિતાબાઇ મ. તથા સાધ્વીજી મનસ્વીજી ને મળી સમર્થ ગુરૂણી મૈયા પૂ. હિરાબાઇ મ. પુનઃ સ્વાસ્થય પ્રાપ્ત કરી શાસનની જબરદસ્ત પ્રભાવના કરે તેવી પ્રાર્થના કરેલ

આ તકે ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ તથા જૈન અગ્રણીઓ ડોલરભાઇ  કોઠારી, ચંદ્રકાન્તભાઇ શેઠ, હરેશભાઇ વોરા, મેહુલ દામાણી, મનોજભાઇ ડેલીવાળા, કેતનભાઇ શેઠ, ઉપસ્થિત રહયા હતા. પ્રવચન પ્રભાવક પૂ. સ્મિતાબાઇ મ.સ. મુખ્યમંત્રીશ્રીને માંગલીક ફરમાવેલ.

 અંત્રે ઉલ્લેખનીય છે કે જૈન અગ્રણી  ડોલરભાઇ કોઠારી શ્રીમતી અજંલીબેન રૂપાણીને મહાસતીજીની તબિયત અંગે વાકેફ કરતા, વ્યસ્તા વચ્ચે પણ મુખ્યમંત્રીશ્રી હોસ્પીટલ દોડી જતા જૈન સમાજના ભાવ વિભોર થઇ ગયેલ તેમ ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે. (૪૦.૬)

(3:40 pm IST)