Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૫-૧-ર૦ર૩ બુધવાર
મહાસુદ-૪
વિનાયક ચતુર્થી
ગણેશ જયંતિ - વરદ ચર્તુથી
પંચક
રવિયોગ ર૦-૦૬ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કુંભ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯
સૂર્યાસ્‍ત-૬-૨૮,
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧૪-૩૦ થી મીન (દ.ય.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વા ભાદ્રપદ
રાહુ કાળ ૧ર-પ૯થી ૧૪-રરસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૨૯ લાભ-અમૃત ૧૦-૧૪ સુધી
૧૧-૩૭ થી શુભ ૧ર-પ૯ સુધી
૧પ-૪૪ થી ચલ-લાભ ૧૮-૨૯ સુધી
૨૦-૦૭ થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૯ સુધી
શુભ હોરા
૭-૨૯ થી ૯-૧૯ સુધી,
૧૦-૧૪ થી ૧૧-૦૯ સુધી,
૧ર-પ૯ થી ૧પ-૪૪ સુધી
૧૬-૩૯ થી ૧૭-૩૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જમીન - મકાન બાબત કયારે ખરીદી કરવી તે ખુબ જ મહત્‍વનું છે. અહીં જન્‍મના ગ્રહોમાં કેન્‍દ્ર સ્‍થાનમાં રહેલા ગ્રહોમાં જો શુક્ર - ચંદ્ર કે ગુરૂ બળવાન હોય તો આ સમય લાભદાયક રહે છે. ઘણી વખત પરિવારના સભ્‍યોની મહત્‍વકાંક્ષાને લઇને મિલકત ખરીદી બાબત પરિવારના વડીલોને દબાણ કરવામાં આવે છે અને પછી કોઇ મીલકત ખરીદીને પાછળથી પસ્‍તાવાનો સમય આવે છે અહીં નાણાકીય રીતે નુકશાન થાય છે તો કયારેક માનસિક તનાવમાં આવી જવાય છે. ખાસ કરીને ઘરમાં નિર્ણયો બાબત એકતા ન હોય તો પણ ઘરમાં અશાંતિ રહે છે. જેથી પરિવારમાં એકતા અંગે સમજદારી કેળવવી જોઇએ.