Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૪-પ-ર૦ર૦,રવિવાર
જેઠ સુદ-ર,ચંદ્રદર્શન,
રાજયોગ અહોરાત્ર
સૂય-વૃષભ
ચંદ્ર-વૃષભ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્ત-૭-૨ર
જૈન નવકારશી-૬-૫૩
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
૧૭-૩૪ થી મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪પ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૪ સુધી, ૧૪-ર૪ થી શુભ-૧૬-૦૩ સુધી, ૧૯-ર૩ થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૩ સુધી,
શુભ હોરા
૭-૧રથી ૧૦-૩૧ સુધી,૧૧-૩૭થી ૧ર-૪૪ સુધી, ૧૪-પ૭થી ૧૮-૧૬ સુધી, ૧૯-ર૩ થી ર૦-૧૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા માટે જેઓની વાણી સારી હોય ખરાબ શબ્દો તોછડા શબ્દો ન બોલતા હોય તેઓ સારા સંસ્કારી હોય છે. કોઇ પણ પરિસ્થિતિમાં હંમેશા સારી ભાષા એટલે કે કોઇની સાથે વાતો કરવામાં ખૂબજ સમજદારી કેળવે છે. અહીં મારે દરેક વાંચકોને કહેવાનું કે હથીયાર કરતા પણ વાણીના બોલ ખૂબજ ખરાબ હોય છે. ઘણા લોકો ખૂબજ ખરાબ ભાષા એટલે કે કોઇની સાથે પણ ખરાબ શબ્દોથી બોલતા હોય છે. આવી વ્યકિતઓ દરેક જગ્યાએ નુકશાન કરે છે પોતે જે જગ્યાએ કામ ધંધો કરતા હોય કે જીવન સાથી કે પછી સગા સબંધી બધાને નુકશાન કરતા રહે છે તેની ભાષાથી પરિવારમાં પણ કલેશ ઉભો થાય છે. આવી વ્યકિતનો સૂર્ય અને રાહુ અથવા તો બીજુ સ્થાન પાપ ગ્રહોથી ઘેરાયેલુ હોય છે. આવી વ્યકિતઓએ હંમેશા સારૂ બોલવાની ટેવ પાડવી.