-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
સાથી હાથ બઢાના
મંજુલાબેન રાવલને પગના સાંધાના ઓપરેશન માટે રૂ.૩,૭૫૦૦૦ની જરૂર
રાજકોટ તા. ૧૨ : પતિના અવસાન બાદ અસ્થિર દિમાગી હાલત ધરાવતા ભાઇ ભેગુ વૈધવ્ય જીવન ગુજરાત રાજકોટના બ્રાહ્મણ મંજુલાબેન મણીશંકર રાવલ (ઉ.વ.૫૩) ને છેલ્લા દસેક વર્ષથી પગના દુઃખાવાની સમસ્યા છે. હવે પીડા અસહ્ય બનતા વોકહાર્ટ હોસ્પિટલમાં ડો. રૂપેશ મહેતા પાસે સારવાર શરૂ કરાવી છે. ઢાંકણી ઘસાઇ ગઇ હોય બન્ને પગમાં નવી પ્લેટ બેસાડવાનું ઓપરેશન કરવુ પડે તેમ છે. આ માટે રૂ.૩,૭૫,૦૦૦ (પોણા ચાર લાખ) નો ખર્ચ થાય તેમ હોવાનો અભિપ્રાય તબીબ દ્વારા અપાયો છે. મંજુલાબેન મા અમૃતમ કાર્ડ ધરાવે છે. પરંતુ આ દર્દની સારવાર તેમા સામેલ થતી ન હોય લાચાર છે. આટલો મોટો ખર્ચ કરી શકવા તેઓ સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓ પાસે આર્થીક મદદની ઝોળી ફેલાવી છે. તેઓ રાજકોટ નાગરીક સહકારી બેન્ક, સોરઠીયાવાડી બ્રાંચમાં મંજુલાબેન મણીશંકર રાવલ નામથી ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં.૦૧૭૦૦૩૧ ૦૦૦૦૯૫૦૩ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન ન્યુ સાગર સોસાયટી શેરી નં.૬ બંધ શેરી, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મોટાભાઇ ખીમશંકરભાઇ મણીશંકર રાવલ (મો.૯૯૦૯૫ ૧૩૫૭૨) નો સંપર્ક કરી શકાય છે.