Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019
જસદણ ભરવાડ સમાજના મોભી સુરાભાઇ મેવાડાનું નિધન

જસદણ : ભરવાડ સુરાભાઇ હામાભાઇ મેવાડા (ઉ.વ.૮૦) તે સ્વ. રાણાભાઇ, સ્વ. રૂપાભાઇ, સ્વ. હીરાભાઇ, સ્વ. આલાભાઇ, તથા કરશનભાઇના ભાઇ, સવાભાઇ, ભવાનભાઇ, વિરમભાઇ, ભગાભાઇ, જીલાભાઇ, રાજુભાઇ, નારણભાઇના પિતા તા. ર૯ના રોજ જસદણ મુકામે શ્રીરામ ચરણ પામેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ૯ સપ્ટેમ્બર, સોમવારે નિવાસસ્થાન વાજસુરપરા શેરી નંબર-૧ર, જસદણ ખાતે રાખેલ છે.

ગોંડલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરના કાકી દેવબાઇબેનનું અવસાન

રાજકોટ : મૂળ સુલતાનપૂર નિવાસી કુંભાભાઇ કાનાભાઇ ડાંગર અને લખુભાઇ કાનાભાઇ ડાંગરના નાનાભાઇ સ્વ. વિભાભાઇ ડાંગરના ધર્મપત્નિ દેવબાઇબેન (ઉ.વ.૬૬) તે રાજુભાઇ ડાંગર (ગોંડલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ), ભાવેશભાઇ ડાંગર, વિક્રમભાઇ ડાંગર (માધવ ફાઇનાન્સ) ના કાકીનું તા. ૩૦ ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમની ઉત્તર ક્રિયા (પાણી ઢોળ-કારજ) તા. ૭ ના શનિવારે તેમના નિવાસસ્થાન ગામ સુલતાનપુર તા. ગોંડલ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

રૂરલ પોલીસના એ.એસ.આઈ. સુખદેવ શર્માનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ નિવાસી સુખદેવ શર્મા (ઉ.વ.૫૮) (રૂરલ પોલીસ એએસઆઈ) તે ધનંજય શર્માના પિતાશ્રી, ઈન્દુબેનના પતિ, પી.સી.શર્મા (રેલ્વે રિર્જવેશન)ના મોટા પુત્ર, તે હરિઓમ શર્મા (એર.ઈન્ડિયા)ના મોટાભાઈ, તે શર્મા સિસ્ટર (રેલ્વે હોસ્પિટલ) બિન્દુબેન, મીનાબેનના ભાઈનું તા.૩૦/૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૯ સોમવારે સાંજે ૫ થી ૬ ફળેશ્વર મહાદેવ મંદિર, ભોમેશ્વર પ્લોટ, બજરંગ વાડી પાસે રાખેલ છે.

આટકોટનાં કુંદનબેન સોમૈયાનું અવસાનઃ સાંજે ઉઠમણું સાદડી

આટકોટઃ સ્વ.હીરાલાલ ટપુભાઇ સોમૈયાના ધર્મપત્ની કુંદનબેન હીરાલાલ સોમૈયા (ઉ.વ.૭૯) તે દિપકભાઇ (ભીખાભાઇ) હિતેષભાઇ (ભોલાભાઇ)ના માતુશ્રી તથા સ્વ. શાંતિલાલ શામજીભાઇ ખખ્ખર (ભાવનગરવાળા)ના બહેન તા.૩૦ના શ્રીજીચરણ પામેલ છે.

તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૩ ને શનીવારના રોજ વિરબાઇમાં મંદિર, આટકોટ ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

રસિકભાઈ કુબાવત

રાજકોટઃ મોટામૌવા નિવાસી શ્રી રામાનંદી વૈષ્ણવ સાધુ રસિકભાઈ છબીલદાસ કુબાવત (ઉ.વ.૮૦) તે જનકભાઈ કુબાવતનાં મોટાભાઈ તેમજ રાજીવભાઈ, અમિતાબુેન, જલ્પાબેન તથા કુંજલબેનનાં પિતાશ્રી તા.૩૧ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ને સોમવારનાં રોજ તેમના નિવાસ સ્થાન પાસે પટેલ સમાજ, મોટા મૌવા સાંજે ૪ થી ૫ રાખેલ છે.

જયસુખભાઈ દવે

રાજકોટઃ મુળ વઢવાણ નિવાસી હાલ વડોદરા સ્વ.જયસુખભાઈ પિતાંબરભાઈ દવે (નિવૃત્ત ડેપ્યુટી કલેકટર)નું દુઃખદ અવસાન તા.૩૦ શુક્રવારના રોજ થયેલ છે. જેમનું બેસણું વડોદરા મુકામે રાખેલ છે.

રેખાબેન રામાવત

રાજકોટઃ મુ.બેલા (રંગપર) હાલ રાજકોટ દલપતરામ ચતુર્ભુજ રામાવતના પુત્ર હસમુખભાઈ રામાવતના ધર્મપત્ની તેમજ ધર્મેશભાઈના માતુશ્રી રેખાબેન (ઉ.વ.૫૧)નું તા.૩૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ના સોમવારે સાંજે ૪ થી ૬ કોઠારીયા રોડ, ન્યુકેદાર સોસાયટી શેરીનં.૭, રાજકોટ ખાતે રાખેલ છે.

કુમારભાઇ સોનેજી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય કુમારભાઇ (ઉ.વ.૩૬) તે વૈકુંઠભાઇ રતિલાલ સોનેજીના પુત્ર તથા મુકેશભાઇના નાનાભાઇ અને નિમેષભાઇના મોટા ભાઇનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા.૨ના સોમવારે સાંજે ૪ થી ૫ સ્વાતિ સોસાયટી કોમન પ્લોટ શેરી નં.૩, સત્ય સાઇ હોસ્પિટલ રોડ આત્મિય કોલેજ પાછળ રાખેલ છે.

જયદીપભાઇ ઘઘડા

રાજકોટઃ ઉપલેટાવાળા હાલ રાજકોટ જયદીપભાઇ લક્ષ્મીદાસભાઇ ઘઘડા (ઉ.વ.૫૦) તે મહેન્દ્રભાઇ ઘઘડા સરોજબેન ધાનકના નાનાભાઇ હિતેશભાઇ ઘઘડાના મોટા ભાઇ રેખાબેનના પતિ જીજ્ઞેશ ઘઘડાના પિતા તે તા.૨૧ના બુધવારે શારજાહ મુકામે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૩૧ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬ ભગવાન ભુવન વાડી રાજકોટ ખાતે રાખેલ છે.

ધીરજલાલ પરમાર

રાજકોટઃ ધીરજલાલ નરશીભાઇ પરમાર (ઉ.વ.૭૬) તે સ્વ. નરશીભાઇ ખોડાભાઇ પરમારના સૌથી મોટા પુત્ર તે નિલેશભાઇ ધીરજલાલ પરમાર પીનેકશ ટેકનોક્રેટસ, રાજકોટના પિતાશ્રી તથા ગં.સ્વ. રમીલાબેનના પતિશ્રી, અંજનાબેન ભરતભાઇ મિસ્ત્રી (સુરત), કિરણબેન અનિલભાઇ મિસ્ત્રી (વડોદરા) તથા અર્ચનાબેન રિકુંજભાઇ પરમાર (યુ.એસ.એ)ના પિતાશ્રી હેમાલીબેન નિલેશભાઇ પરમારના સસરા, જેનીલ તથા ક્રિષના દાદા, નિરંજનભાઇ, રમણીકભાઇ, નરેન્દ્રભાઇના મોટાભાઇનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. જેનુ બેસણું તા.૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ જાગનાથ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મીનાબેન ભટ્ટ

રાજકોટઃ સ્વ. મીનાબેન હરેન્દ્રકુમાર ભટ્ટનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન મોરબી રોડ, શાળા નં.૭૭ રાજકોટ મુકામે રાખવામાં આવેલ છે. (મો.૯૯૦૯૨૫૭૧૯૯)

હસમુખરાય રાજદેવ

રાજકોટઃ વિરપુર (જલારામ) વાળા હસમુખરાય મનહરલાલ રાજદેવ (જય જલારામ સાહિત્ય ભંડાર-વિરપુર) (ઉ.વ.૭૫) તે હેતલબેન રાજદેવ (એડવોકેટ) જલ્પેશભાઇના પિતાશ્રી જલ્પાબેન રાજદેવના સસરા તથા આકાંક્ષા રાજદેવના નાના તથા કેસરના દાદા તેમજ મોરબીવાળા  સ્વ. ચત્રભુજભાઇ જગજીવનભાઇ કાનાબારના જમાઇ તથા દિલીપભાઇ - કિરણભાઇ અનીલભાઇ તથા પ્રકાશભાઇના બનેવી તા.૩૦ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિની વાડી ''સહયોગ'' ઢેબર રોડ ધર્મજીવન સોસાયટી મેઇન રોડ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સામે રાજકોટ મુકામે રાખેલ છે.

પાયલ લાઠીયા

રાજકોટઃ શ્રી વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિના શ્રી વિનોદભાઇ નટુભાઇ લાઠીયા (રીટાયર્ડ સુપ્રિ. સીવીલ કોર્ટ-ઉના) ની પુત્રી કુ. પાયલ વિનોદભાઇ લાઠીયા (ઉ.વ.૨૦) તે મહેશભાઇ એન લાઠીયા (મ.શિ. વી.સી) ટેકનીકલ હાઇસ્કુલ-મોરબી) તથા સરોજબેન મહેશભાઇ લાઠીયા (સરોજ એસ મારડીઆ) કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ હાઇ રાજકોટની ભત્રીજીનું તા.૨૯ના રોજ જુનાગઢ ખાતે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાક સુધી વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ જ્ઞાતિની વાડી -યુનીટ નં.૨, લક્ષ્મીનગર મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ખેલશંકરભાઇ

રાજકોટઃ મુળ ગામ અડબાલકા નિવાસી બરાસરા (વ્યાસ) સુખદેવભાઇ ચકુભાઇ (ઉ.વ.૭૦) જે સ્વ. ડાયાભાઇ મનજીભાઇ તથા દેવજીભાઇ દહીંસરાવાળાક તેમજ ખેલશંકરભાઇ તથા ધીરૂભાઇ અને અરવિંદભાઇના પિતરાઇ વડીલ બંધુનું અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું અડબાલકા મુકામે તા.૨ને સોમવારના બપોરે ૨ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. (ખેલશંકરભાઇ મો.૯૯૨૫૧ ૬૫૧૫૩)

ધીરજલાલ પરમાર

રાજકોટઃ ધીરજલાલ નરશીભાઇ પરમાર (ઉ.વ.૭૬) તે સ્વ. નરશીભાઇ ખોડાભાઇ પરમારના સૌથી મોટા પુત્ર તે નિલેશભાઇ ધીરજલાલ પરમાર પીનેકલ ટેકનોક્રેટસ, રાજકોટના પિતાશ્રી તથા ગં.સ્વ. રમીલાબેનના પતિશ્રી, અંજનાબેન ભરતભાઇ મિસ્ત્રી (સુરત), કિરણબેન અનિલભાઇ મિસ્ત્રી (વડોદરા) તથા અર્ચનાબેન રિકુંજભાઇ પરમાર (યુ.એસ.એ)ના પિતાશ્રી હેમાલીબેન નિલેશભાઇ પરમારના સસરા, જેનીલ તથા ક્રિષના દાદા, નિરંજનભાઇ, રમણીકભાઇ, નરેન્દ્રભાઇના મોટાભાઇનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. જેનુ બેસણું તા.૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાષ્ટ્રીયશાળા રાજકોટ ખાતે રાખેલ છે.

ઓતમબેન રામાણી

રાજકોટઃ માખાવડ (તાલુકો લોધીકા) નિવાસી ઓતમબેન બેચરભાઇ રામાણી (ઉ.વ.૯પ) તે ગોરધનભાઇ રામાણી તેમજ અમૃતભાઇ રામાણીના માતૃશ્રી તથા માવજીભાઇ, જયંતીભાઇ, બાબુભાઇ, ચંદુભાઇ તથા ભરતભાઇ રામાણીના મોટાબા તેમજ સુજીતભાઇ, મનોજભાઇ, શશીભાઇ સમીરભાઇ અને સુમિતાબેનના દાદીમાં તા. ૩૦ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા. ર ને સોમવારે સાંજે ૩ થી પ તેમના નિવાસસ્થાન, માખાવડ ગામે રાખેલ છે.

રેખાબેન ત્રિવેદી

રાજકોટઃ જુનાગઢ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રેખાબેન શશીકાંત ત્રિવેદી (ઉ.વ.૬૩) તે શશીકાંત કાંતિલાલ ત્રિવેદીના ધર્મપત્ની તથા ધવલ શશીકાંત ત્રિવેદી તથા જાનકીબેનના માતુશ્રીનું તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ને સોમવાર ૪ થી ૬ વાગ્યે શ્રી ઓમકારેશ્વર મંદિર, દીપાંજલિ, ૨- ટીંબાવાડી, જુનાગઢ મુકામે રાખેલ છે.

મુળચંદભાઇ વાઘેલા

રાજકોટઃ મુળ ઉના નિવાસી હાલ રાજકોટ સ્થિત મુળચંદભાઇ છગનભાઇ વાઘેલા (ઉ.વ.૭૯) તે જયપ્રકાશ વાઘેલા તથા દિપક વાઘેલાના પિતાશ્રીનું તા.૩૦-૮-ર૦૧૯નાં રોજ અવસાન થયું છે.સ્વ.નું બેસણું તા.ર-૯ને સોમવારે સાંજે ૪ થી ૬ આશાપુરા માતાજીનું મંદિર, આશાપુરા રોડ ગાંધીગ્રામ ખાતે રાખેેલ છે.

કમળાબેન ગુજરાતી

રાજકોટઃખાંડ રાજપુત કમળાબેન લાધાભાઇ ગુજરાતી તે સ્વ. મુકેશભાઇ તથા કરશનભાઇ ગુજરાતીના ધર્મપત્ની તેમજ હરેશભાઇ, કિશનભાઇ,મુકેશભાઇ તથા જીતુભાઇના માતૃશ્રી તેમજ મહેશભાઇ , વિજયભાઇ શિવજીભાઇ,હિમાંશુનાં દાદીમાંનું તા.૩૦ અવસાન થયેલ છે. તો તેમનું બેસણુ તા.૨ને સોમવારે સાંજનાં ૪થી૬ હિરેન હોલ, શ્રીનાથનજી-સોસાયટી શેરી નં-૫ મંદિરની સામે રાખેલ છે. તેમની ઉતરક્રિયા(પાણીઠોર) તા.૯ ને સોમવારે રાખેલ છે.

ઓતમબેન રામાણી

જેતલસરઃ ઓતમબેન બેચરભાઇ રામાણી (ઉંમર વર્ષ-૯પ) માખાવડ ગામ તા. લોધિકા તેઓ ગોરધનભાઇ રામાણી તથા અમૃતભાઇ રામાણીના માતુશ્રી તથા માવજીભાઇ રામાણી, બાબુભાઇ રામાણી, ચંદુભાઇ રામાણી, ભરતભાઇ રામાણી ના મોટાબા તેમજ સુજીતભાઇ, મનોજભાઇ, શશીભાઇ, સમીરભાઇ તથા સુમીતાબેનના દાદીમાનું અવસાન તારીખ ૩૦ના રોજ રામચરણ પામેલ છે. બેસણું માખાવડ નિવાસસ્થાને તા. ર ને સોમવારના રોજ સાંજે ૩ થી પ રાખેલ છે.

ધીરૂભાઇ ગંગદાસભાઇ

જેતલસરઃ હાલ રૂપાવટી (સગર) ધીરૂભાઇ ગંગદાસભાઇ ગોંઢા (ઉ.વ.૬ર) તે અજયભાઇ તથા સગુણાબેનના પિતાશ્રીનું તા. ૩૦ના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા. ર ને સોમવારના રોજ નિવાસસ્થાને રૂપાવટી રાખેલ છે.

ચત્રભુજભાઇ દેવાણી

કેશોદઃ ચત્રભુજભાઇ ગોરધનદાસ દેવાણી (ઉ.વ. ૭ર) તે શૈલેષભાઇ, સંજયભાઇ, સમીરભાઇ (વંદના એકાઉન્ટન્સીવાળા) વંદનાબેન હિરેનભાઇ પાંધી (પોરબંદર) ના પિતાશ્રી તેમજ પ્રવિણભાઇ, પ્રદિપભાઇ (વેરાવળ) ના મોટાભાઇ તા. ૩૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા સાસરા પક્ષ સ્વ. વલ્લભદાસ નથુભાઇ ધનેશા (જુથળવાળા) ની સાદડી તા. રના સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે લોહાણા મહાજન વાડી કેશોદ રાખેલ છે.