Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019
ગોંડલના એડવોકેટ નિલેશ ચોવટિયાના દાદીમાંનું અવસાન

ગોંડલઃ ગોંડલના જાણીતા એડવોકેટ નિલેશભાઈ ચોવટિયા અને રાજકોટના બાગાયત અધિકારી વિરલભાઈ ચોવટિયાના દાદીમા તથા મનસુખભાઈ પુનાભાઈ ચોવટિયાના માતુશ્રી મણીબેન પુનાભાઇ ચોવટીયાનું આજે તા. ૨૬ને શનિવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પટેલવાડી,  ભગવતપરા ગોંડલ ખાતે  રાખેલ છે.

અવસાન નોંધ

કોડીનાર શિયા ઈસના અસરી જમાતના ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ શેખનું અવસાન

કોડીનારઃ શિયા ઈસના અસરી જમાત કોડીનારના ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ નિઝામુદ્દીનભાઈ શેખનું ટૂંકી માંદગીથી અવસાન થયેલ છે. મર્હુમનું બેસણુ બુખારી મોહલ્લામાં રાખવામાં આવેલ છે. તેમજ મર્હુમની જીયારતની મજલીશ તા. ૨૭ને રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે બુખારી મોહલ્લા મસ્જીદમાં રાખવામાં આવેલ છે.

જગદીશભાઇ ઓઝા

રાજકોટઃ મુળ ભગતનાં ગામ (સાયલા) હાલ રાજકોટ નિવાસી જગદીશભાઇ બાલાશંકર ઓઝા (ઉ.વ.૭પ) તે સ્વ.બાલશંકર મગનલાલ ઓઝાનાં પુત્ર, સ્વ.મધુબેન ભુપતભાઇ ત્રિવેદીનાં નાના ભાઇ, સ્વ.હસુબેન ભરતભાઇ દવેનાં મોટાભાઇ, અનસુયાબેન જગદીશભાઇ ઓઝાનાં પતિશ્રી તેમજ અમીતભાઇ, જીતેન્દ્રભાઇ અને રૂપાબેન રવિકુમાર વોરાનાં પિતાશ્રી તેમજ ચિરાગ, જય, ક્રિષ્નાનાં દાદાશ્રી તેમજ શિવનાં નાનાશ્રીનું તા.રપના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૬ને શનિવારે યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડી, પ્રજાપતિ વાડીની સામે, લાખનાં બંગલા પાસે, ગાંધીગ્રામ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રફુલચંદ્ર દવે

સુરેન્દ્રનગરઃ મુળ નવા સાદુળકા હાલ સુરેન્દ્રનગર ચા. મ. મોઢ બ્રાહ્મણ પ્રફુલચંદ્ર મુળશંકર દવે તે કનૈયાલાલભાઇ, સ્વ.વાસુદેવભાઇ, સ્વ.ધીરજલાલભાઇ, ભરતભાઇ તથા ચંદ્રિકાબેનનાં ભાઇ તેમજ બિપીન, પ્રમોદ, ઉમેશ, ભાવના અને વર્ષાનાં પિતાશ્રી તેમજ સ્વ.નવલશંકર શંભુરામ ત્રિવેદીનાં જમાઇનું તા.ર૪ને ગુરૂવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું અને શ્વસુર પક્ષનું બેસણું તા.ર૬ શનિવારે સવારે ૯ થી ૧૧, બ્રહ્મ સોસાયટી પાસે, જવાહર સોસાયટી સામે, ક્રિષ્ના મેમોરીયલ હોલ, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

કુમુદબેન મહેતા

રાજકોટઃ જામનગર નિવાસી સ્વ.ચંદુલાલ મહેતાનાં ધર્મપત્ની કુમુદબેન મહેતા (હાલ રાજકોટ) (ઉ.વ.૭૩) તે સ્વ.ભગવાનજી ઠાકરશી મોદીનાં પુત્રી, સ્વ.શીવલાલ હેમચંદ મહેતાનાં પુત્રવધૂ, તૃપ્તિબેન જતીનભાઇ શાહ તથા મનીષાબેન હીરેનભાઇ મીઠાણીનાં માતુશ્રી તા.રપના અરીહંત શરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતાપસિંહ ગોહેલ

રાજકોટ : કારડીયા રાજપૂત પ્રતાપસિંહ હિરજીભાઇ ગોહેલ (ઉ.વ.૭૬) (નિવૃત જીઇબી-કર્મચારી) તે સ્વ. મગનભાઇ હિરજીભાઇ ગોહેલના નાના ભાઇ તથા બટુભાઇ હિરજીભાઇ ગોહેલ તથા કિશોરભાઇ ગોહેલના મોટા ભાઇ તથા દિપક પ્રતાપસિંહ ગોહેલના પિતાશ્રીનું તા. રપ ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૬ ને શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યે  સ્થળ : કર્મચારી સોસાયટી નં. ર, રામાપીરનું મંદિર, પુનિતનગર મેઇન રોડ, ગોંડલ રોડ  રાજકોટ.

શબ્બીરભાઇ

રાજકોટઃ શેખ શબ્બીરભાઇ શેખ ઇબ્રાહીમભાઇ રતલામવાલા (ઉ.વ.૭૭) તે મુર્તઝભાઇ તથા હુઝેફાભાઇના બાવાજી તેમજ શેખ મુસ્તનશીરભાઇ રાજકોટવાલાના વેવાઇ તા.ર૪ના વફાત થયેલ છે, તેમના જયારતના સીપારા તા.રપને શુક્રવારે મગરીબ, ઇશાની નમાઝ બાદ કુત્બી મસ્જીદમાં રાખેલ છે.

ચંદ્રીકાબેન ધ્રાંગધરીયા

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ.શાન્તિભાઈ નારણભાઈ ધ્રાંગધરીયાનાં ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.૭૨) તે મીનાબેન અશ્વિકુમાર ધોરેચાનાં માતુશ્રી તે સ્વ.રમણીકભાઈ, દિનેશભાઈ, સ્વ.મહેશભાઈ, સ્વ.મુકેશભાઈ અને જશુબેન કરશનદાસ વાળંભીયાનાં ભાઈનાં પત્નિ તે ચંદ્રેશભાઈ (ગજજર મીકેનીક વર્કસ)નાં કાકી તેમજ જામનગરવાળા સ્વ.નારણભાઈ પરસોતમભાઈ વઘાડીયાનાં દિકરીનું તા.૨૫ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

મુકુંદરાય વસંત

રાજકોટ : શ્રી મુકુંદરાય ગીરધરલાલ વસંત (ઉ.વ.૮૨, આટકોટવાળા)  તે સ્વ.ચંદ્રકાંત વસંતના નાનાભાઈ તે જેન્તીલાલ વસંત મુંબઈવાળાના મોટાભાઇ તે સંગીતાબેન મસરાણી (નાસીકવાળા) તે લોહાણા યુવક પ્રગતિ મંડળ સમૂહલગ્નના કન્વીનર સંજયભાઈ વસંતના પિતા તે રાજેશકુમાર મસરાણી (નાસીકવાળા)ના સસરા તે પૂર્વ, સાહીલના દાદા, આજરોજ તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણુ આજરોજ તા.૨૬ શનિવાર સાંજે ૫ કલાકે ભીમનાથ મહાદેવ મંદિર ગાયત્રીનગર શેરી નં.૨ ભકિતનગર સર્કલ નજીક ખાતે રાખેલ છે.

તારાબેન ચૌહાણનું દુઃખદ અવસાન : સોમવારે બેસણું

રાજકોટ : દેવગામ નિવાસી (હાલ રાજકોટ) સ્વ. કરશનભાઇ શીવાભાઇ ચૌહાણના ધર્મપત્ની તારાબેન ચૌહાણ તે ગોવિંદભાઇ અને સ્વ. બાબુભાઇ તથા જેન્તીભાઇના ભાઇના ધર્મપત્નિ તેમજ મનોજભાઇના માતુશ્રી તેમજ મહેશભાઇ અને જગદીશભાઇ પરમારના મોટાબહેન તેમજ સ્વ. બકુલભાઇ ભટ્ટી તથા રાજેકશુમાર તથા મહેશકુમારના સાસુનું તા. ૨૬ ના શનિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૮ ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ગુજરાત હાઉસીંગ બોર્ડ, ફલેટ રંગોલી પાર્ક, એલ.આઇ.જી. ફલેટ નં. ૧૮૦૬, કાલાવડ રોડ, કટારીયા શોરૂમની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઠા. ભોગિભાઇ બોરિયા

ગોંડલ  : ઠા ભોગીભાઇ લાલજીભાઇ બોરિયા (ઉ.વ.૮૨) તે, જયસુખભાઇ તથા હસુભાઇના મોટાભાઇ તે સ્વ. મુકેશભાઇ, સંજયભાઇ, તથા નિલેશભાઇ તથા અલ્પાબેન પરેશકુમાર કારિયાના પિતાશ્રી તથા મહેક તથા જયના દાદાનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાદડી તા. ૨૬ ને શનિવારે સાંજે પ કલાકે લોહાણા મહાજન વાડી, ૬ મહાદેવ વાડી ગોંડલ ખાતે રાખેલ છે.

ચંદુભાઇ ઢોલ

ગોંડલ : ચંદુભાઇ માધવજીભાઇ ઢોલ,(ઉ.વ.૮૦) તે સંજયભાઇ તથા કેતનભાઇ (મારૂીત સિમેન્ટ પ્રોડકટ) ના પિતાશ્રીનું તા. ૨૫/૧૦/૧૯ ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું તા. ૨૬ ને શનિવારે બપોરે ૩ થી પ, દિપક હોલ, આશાપુરા રોડ, રિવર સાઇડ પેલેસ પાસે ગોંડલ મુકામે રાખેલ છે.