Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020
સાધુ ગનુબેન મોહનદાસજી દુધરેજીયાનું ૮૦ વર્ષની વયે નિધન

રાજકોટઃ સ્વ.સાધુશ્રી મોહનદાસજી શામદાસજી દુધરેજીયાના ધર્મપત્ની ગનુબેન મોહનદાસજી દુધરેજીયા (ઉ.વ.૮૦) તેઓ ભીખુદાસજી તથા છબીલદાસજીના માતુશ્રી તેમના નિવાસસ્થાન ગામ રામપરા બેટી ખાતે તા.૨૯ બુધવારના રોજ રામચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. મો.૯૦૩૩૪ ૫૯૧૧૧

અવસાન નોંધ

નંદુબેન માણાવદરીયા

રાજકોટઃ માણાવદર નિવાસી સ્વ. નંદુબેન ઉકાભાઇ માણાવદરીયા (ઉ.વ.૬૭) નું તા.૨૯ બુધવારના રામચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણું તથા લૌકીક ક્રિયા બંંધ રાખેલ છે.

શાંતાબેન ચાવડા

મોરબીઃ શાંતાબેન પુંજાભાઇ ચાવડા (ઉ.વ. ૬૮) તે સ્વ. પુંજાભાઇ હીરાભાઇ ચાવડાના ધર્મપત્ની તથા ખીમજીભાઇ હીરાભાઇ ચાવડાના ભાભી અને નરેશભાઇ, પ્રવીણભાઇ, કિશોરભાઇ, દયાબેન કિશોરકુમાર સાગઠિયા (સુરેન્દ્રનગર-વઢવાણ)ના માતા તેમજ સુરેશભાઇ, નરેન્દ્રભાઇના કાકી તથા જીતેન્દ્રભાઇ, મયુરભાઇના ભાભુ અને સુનિલ, મનોજ, મુકેશના દાદીમાનું તા. ર૯ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને સદગતનું બેસણું, લૌકિકવાર, ઉત્તરક્રિયા (દાડો) બંધ રાખેલ છે. ટેલીફોનિક શોકસંદેશ પાઠવવા માટે મો. ૯૯૧૩૧ ૪૯૭૩૧, ૭૮૭૪૭ ૮૭પર૪

કિશોરભાઈ સંઘાણી

રાજકોટઃ મનસુખલાલ ભાયચંદ્ર સંઘાણીના પુત્ર તથા સંઘાણી સંઘના ટ્રસ્ટી તથા પશુપાલન નિયામક કચેરીના વહીવટી અધિકારી અને સ્વ.રંજનબેન કિશોરભાઈ સંઘાણીના પતિ તથા કવિતાબેન, અંકિતાબેન નિખિલભાઈના પિતાશ્રી કિશોરભાઈ મનસુખલાલ સંઘાણી (ઉ.વ.૭૮) તા.૨૮ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિના કારણે ઉઠમણુ તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અરવિંદભાઇ વાળા

રાજકોટઃ અરવિંદભાઇ ગણેશભાઇ વાળા (ઉ.વ.૭૫) તે સ્વ. ઉર્મિલાબેનના પતિ, સ્વ. અલ્પેશભાઇ, સ્વ. સુનિલભાઇ, નયનાબેન વિપુલભાઇ મકવાણા, દક્ષાબેન વિજયભાઇ પરમારના પિતા તેમજ રીનાબેનના સસરા, ધારવી અને નિશ્ચયના દાદા તા.૨૯ને બુધવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકીકક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. શોક સંદેશ ટેલીફોનીક પાઠવવા મો.૯૭૨૬૯ ૪૭૪૫૭

સુધાબેન કાપડી

રાજકોટઃ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકઃ ચાવંડ નિવાસી હાલ વસઇ મધુકાંત ચીમનલાલ કાપડીના ધર્મપત્નિ અ.સૌ. સુધાબેન (ઉ.વ.૭૪) તે કૌશિક, જયના શરદકુમાર દાની, જલ્પા વિજયકુમાર કોઠારીના માતુશ્રી તેમજ ઉર્વીના સાસુ તથા સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. બિપીનભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. મુકેશભાઇ તથા કલ્પનાબેન જીતેન્દ્રકુમાર બાટવીયા, પ્રતિભાબેન મનસુખલાલ વોરાના ભાભી, પિયર પક્ષે સ્વ. શિવલાલ ઠાકરશી દોશીના સુપુત્રી તથા સ્વ. ભોગીભાઇ, સ્વ.  ચંદનબેન, સ્વ. રમાબેન, સ્વ. ભાસ્કરભાઇ તથા હર્ષદભાઇના બહેન તા.૨૬ના વસઇ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ  રાખેલ છે.

હિરજીભાઇ પરમાર

રાજકોટઃ અ.નિ. હિરજીભાઇ ટપુભાઇ પરમાર (વરૂ) મુળગામ પડાણા, હાલ રાજકોટ જેઓ શ્રી વિજયભાઇ તથા વિકાસભાઇ તથા  સુનિતાબેનના પિતાશ્રી તથા બાબુભાઇ, ખીમજીભાઇ, જયંતિભાઇ, મોહનભાઇ ટપુભાઇ પરમારના ભાઇ તા.૨૮ મંગળવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. પાણીઢોળ તા.૮ના રોજ રાખેલ છે.  (મો.૭૮૭૪૩  ૨૮૨૯૭)

ચિતરંજનકુમાર રાજપુરા

ગોંડલ : સ્વ. ત્રિભોવનદાસ ચકુભાઇ લાઠીગરાના જમાઇ ચિતરંજનકુમાર રતિલાલ રાજપુરા (ઉ.વ.૬૧) સાવર કુંડલાવાળા હાલ અમદાવાદ તે વિજયભાના બનેવીનું અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનિક સાદડી તા.૩૦ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૫૫ ૩૮૯૩૫ છે.

શાંતાબેન રાયમગીયા

વાંકાનેરઃ ગ.સ્વ. શાંતાબેન દામજીભાઇ રાયમગીયા (ઉ.વ. ૯૮) તે સ્વ. દામજીભાઇ ગોળવાળાના પત્ની તથા વસંતભાઇ રાયમગીયાના માતુશ્રી તેમજ જીજ્ઞેશભાઇ તથા મેહુલભાઇ (મોબાઇલવારા) તથા અલ્પાબેન ડી. મજીઠીયાના દાદીમાનું તા. ર૯-૪-ર૦ર૦ના અવસાન થયેલ છે. વર્તમાન લોકડાઉનના સંજોગોને કારણે બેસણું તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

જમનાદાસ હિંગુ

ગોંડલઃ જમનાદાસ નાથાલાલ હિંગુ (ઉ.વ. ૭પ) તે કાંતિભાઇ નટુભાઇ, ચીમનભાઇના ભાઇ તથા પ્રીતિબેન મનીષભાઇ ગોહેલ ગોંડલના પિતાનું તા. ર૯ના રોજ અવસાન થયું છે. બેસણું તથા લૌકિક ક્રિયા કોરોના મહામારીને લીધે બંધ રાખેલ છે.

કાંતાગૌરી દવે

મોરબીઃ કાંતાગૌરી દવે તે વાસુદેવ કૃષ્ણાલાલ દવેના પત્ની તેમજ કપિલભાઇ જનકભાઇ દવેના મામીનું તા. ર૮ના રોજ અવસાન થયું છે સગા સબંધીઓ ટેલીફોનીક દિલસોજી પાઠવી શકે છે.

રાધાબેન કારીયા

ઉપલેટાઃ મુળ ગડુ (શેરબાગ) હાલ જુનાગઢ નિવાસી સ્વ. ગોકળદાસ ગોવિંદજી કારીયાના પત્ની રાધાબેન ઉ.વ. ૧૦૩ તે જગજીવનભાઇ, કિશોરભાઇ તથા પ્રવિણભાઇના માતૃશ્રી અને સ્વ. જીવનલાલ સોમજીભાઇ ધનેશા (જુથળવાળા) ના બહેનનું તા. ર૯ને બુધવારે અવસાન થયેલ છે. હાલના પરિસ્થિતિને કારણે લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

પાર્વતીબેન વિડજા

મોરબીઃ મુળ જુના ઘાંટીલા હાલ મોરબી નિવાસી સવજીભાઇ ત્રિભોવનભાઇ વિડજાના ધર્મપત્ની પાર્વતીબેન (ઉ.વ.૭૩) તે કાંતિભાઇ અને ચંદુભાઇના ભાભી તેમજ નરેશભાઇ અને રાજેશભાઇના માતુશ્રી તા.ર૯ના રોજ અવસાન પામેલ છે. વર્તમાન સ્થિતીને અનુલક્ષીને બેસણું-લૌકિક વ્યવહાર મોકુફ રાખેલ છે.

પ્રફુલાબેન શેઠ

વાંકાનેરઃ ગીરધરલાલ ગોકલદાસ શેઠના પુત્ર ફતેચંદભાઇના પત્ની પ્રફુલાબેન (ઉ.વ.૬ર) તે વિપુલભાઇ તથા કલ્પેશભાઇના માતુશ્રીનું તા.ર૯ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને લઇને લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

હેમલતાબેન જાની

રાજકોટ : જામદુધઈ નિવાસી ચંદ્રકાંત લક્ષ્મીશંકર જાનીના ધર્મપત્નિ હેમલતાબેન ચંદ્રકાંત જાની (ઉ.વ.૭૦) હાલ નવસારી તે મનોજ, જયેશ, અરૂણાબેનના માતુશ્રી તેમજ સુરત નર્મદાશંકર જાનીના ભાભી તેમજ ધ્રોલ, હરીપ્રસાદભાઈ (મો.૯૩૨૭૬ ૨૧૨૧૯, દિપકભાઈ - મો.૯૩૭૪૫૯ ૬૦૧૮૨, બ્રિજેશ વિજયભાઈ - મો. ૯૮૭૯૪ ૩૩૮૦૬, સ્વ.વિજયભાઈ, દિપકભાઈના મોટા બહેનનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું પિયર પક્ષનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

મનસુખલાલ પંડયા

રાજકોટઃ મનસુખલાલ છગનલાલ પંડયા (ઉ.વ.૮૩) (બાલોટવાળા) હાલ રાજકોટ નિવાસી તે અશ્વિનભાઇ તથા વિજયભાઇ તથા પ્રવિણાબેન હરેશભાઇ વ્યાસ (વેરાવળ સોમનાથ) તથા પ્રતિભાબેન હિતેષકુમાર ઠાકરના પિતાશ્રી તેમજ નિરવ અને મૌલીકના દાદાનું તા.૨૯ના રોજ રાજકોટ મધ્ય અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું ૧મેના રોજ સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. (મો.૯૪૨૮૪ ૩૮૫૧૦, ૬૩૫૨૮ ૧૩૮૩૮, ૯૮૨૪૭ ૫૬૩૬૨)

કુરજીભાઇ રૂપાપરા

રાજકોટઃ કુરજીભાઇ દેવશીભાઇ રૂપાપરા (મુળ કાંગસીયાણી હાલ રાજકોટ) તા.૨૯ બુધવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુકુળ તેમની લૌકીક ક્રિયા તેમજ બેસણું બંધ રાખેલ છે. મો.૯૩૨૭૬ ૯૬૬૭૧, ૯૯૧૩૦ ૫૫૪૫૩