Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018
અવસાન નોંધ

આશીકાબેન બારોટ

વેરાવળઃ પોરબંદર નિવાસી રાજબારોટ પ્રતાપભાઈ બાબુભાઈ બારોટની પુત્રી કુ. આશીકા (ઉ.વ. ૪૭) તે કુમારભાઈ, રણજીતભાઈ (ભવાની ટ્રાન્સપોર્ટવાળા)ના મોટા બહેન તથા રમેશભાઈ, રસીકભાઈ, બકુલભાઈ, રાજુભાઈની ભત્રીજીનું તા. ૨૯ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૩૦ સોમવારે સાંજે ૪ કલાકે ચંદ્રમોલેશ્વર મંદિર ૮૦ ફુટ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ દેસાઇ

અમરેલી : પાણીયાવાળા બાબુભાઇ મોહનભાઇ દેસાઇનાં પુત્ર જીતેન્દ્રભાઇ (ઉ.૭૪) નું અમેરિકામાં તા. રપ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૩૦ મીએ સોમવારે સાંજના ૬ સુધી પટેલ વાડી હીરામોતી ચોક અમરેલી ખાતે રાખેલ છે.

 નયનાબેન ગાંધી

રાજકોટઃ વાંકાનેર નિવાસી (હાલ કોલકતા) સ્વ. દિનેશકુમાર વલમજી ગાંધીના ધર્મપત્નિ નયનાબેન  (ઉ.વ.૬૭) તે ચંદ્રીકાબેન (નેશનલ ઇન્સ્યુ) હર્ષદભાઇ (એસબીઆઇ)  સ્વ. પંકજભાઇ (એસબીઆઇ) નાં ભાભી, તન્વી મહેતા, રૂપી દોશી, તથા મનનના  ભાભુ, સ્વ. તારાચંદ મહેતા (બેંગલોર)નાં સુપુત્રી નું તા.૨૯નાં કલકતા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડી તા.૧ મંગળવાર સાંજે ૫ થી ૬ હર્ષદભાઇ ગાંધી ૭ છોટુનગર રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કમલેશભાઇ શુકલ

જુનાગઢઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ કમલેશભાઇ (ઉ.૫૬) તે ભાલચંદ્રભાઇ રતિલાલ શુકલના મોટા પુત્ર અને પ્રતુલભાઇ તથા નરેશભાઇના મોટાભાઇ તેમજ હર્ષના પિતાશ્રીનું તા. ૨૯ના અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આજે સવારે નિલકમલ ફલેટ તળાવ દરવાજા જુનાગઢ ખાતેથી નીકળી હતી. પ્રાર્થના સભા આજે સાંજે ૫ થી ૬, જાગનાથ મંદિર તળાવ દરવાજા ખાતે રાખેલ છે.

રમાબેન મહેતા

વાંકાનેરઃ મહેતા ભગવાનજી પરસોતમભાઈના પુત્ર મહેતા અનંતરાય ભગવાનજીના પત્ની રમાબેન, (ઉ.વ. ૭૪) તે જેતપુર નિવાસી દોશી નાનાલાલ જાદવજીના સુપુત્રી, વિરાજભાઈ, ડોલી, બોબીના માતુશ્રી, ધીમંતભાઈ, કેતનભાઈના કાકી, મેઘાબેનના સાસુ તેમજ ક્રિષી અને ઓમના દાદીનું તા. ૨૭ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૦ને સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યે રાખેલ છે. તેમજ તેમનું ઉઠમણું સોમવારે સવારે ૧૦ વાગ્યે દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ભોજનશાળા, સીટી સ્ટેશન રોડ,  ધર્મચોક,  વાંકાનેર રાખેલ છે.

જગદીશભાઈ પાટડીયા

વાંકાનેરઃ સ્વ. મગનભાઈ હંસરાજભાઈ પાટડીયાના પૌત્ર સ્વ. વલ્લભદાસ મગનભાઈ પાટડીયાના પુત્ર જગદીશભાઈ (ઉ.વ. ૫૭) તે નરેશભાઈ તથા કમલેશભાઈના ભાઈ તથા નિલેશભાઈ, મયુરીબેનના પિતાશ્રી રાજકોટ નિવાસી સ્વ. ઉમેદલાલ જગજીવનભાઈ પારેખના જમાઈ અને અનિલભાઈ, ભરતભાઈના બનેવીનું તા. ૨૮ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ સોની જ્ઞાતિની વાડી, પ્રતાપ ચોક-વાંકાનેરમાં રાખેલ છે.

સુધાબેન ગોસ્વામી

ઢાંકઃ મુળ લુણીવાવ હાલ રામોદ નિવાસી નંદલાલગિરી ગજરાજગિરી ગોસ્વામીના પુત્રવધુ અને કિશોરગિરી નંદલાલગિરી ગોસ્વામીના પત્ની સુધાબેન કિશોરગિરી ગોસ્વામી (ઉ.વ.૫૦) તે ગુલાબગિરી, બકુલગિરીના નાના ભાઈના પત્ની તથા અશોકગિરી તથા રાજેશગિરી ગોસ્વામીના ભાભીનો તા. ૨૮ના કૈલાસવાસ થયેલ છે. શંખઢોળ-પૂજનવિધિ તા. ૪ને શુક્રવારે તેમના નિવાસ સ્થાન રામોદમાં રાખેલ છે.

હર્ષાબેન રાજાણી

ઉપલેટાઃ ઠા. ચંપકલાલ શાંતિલાલ રાજાણીના પત્ની હર્ષાબેન ચંપકલાલ રાજાણી (ઉ.વ.૬૨) તે માધુરીબેન, પ્રશાંતભાઈના માતુશ્રી તે અરૂણકુમાર, નંદાભાઈ, પ્રફુલભાઈના ભાભી તથા કૌશિકભાઈ તન્નાના સાસુ તથા સ્વ. લક્ષ્મીદાસ લવજીભાઈ સવજીયાણી (જામજોધપુરવાળા)ની પુત્રી તથા સ્વ. હિતેષભાઈ, પિયુષભાઈ, સ્વ. વિમલભાઈના બહેનનું તા. ૨૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩૦ના ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન મદલાણીના મકાનમાં તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

પ્રજાપતિ પિતાંબરભાઈ સવજીભાઈ

જશાપરઃ વાટલિયા પ્રજાપતિ પિતાંબરભાઈ સવજીભાઈ ધોળકિયા (ઉ.વ.૯૩) તે વિઠ્ઠલભાઈ પિતાંબરભાઈ ધોળકિયા, પરસોતમભાઈ પિતાંબરભાઈ ધોળકિયા અને સ્વ. ભગવાનજીભાઈ પિતાંબરભાઈ ધોળકિયાના પિતાશ્રીનું તા. ૨૯-૪-૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૦-૫-૧૮ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન જશાપર મુકામે રાખેલ છે.

શારદાબેન રાજપરા

રાજકોટઃ સાવરકુંડલા નિવાસી હાલ રાજકોટ શશીકાન્ત મણીલાલ રાજપરાના ધર્મપત્ની સ્વ.શારદાબેન (ઉ.વ.૬ર) તે વિપુલભાઇ, મિતેષભાઇ તથા યોગેશભાઇના માતુશ્રી તા.ર૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું આજે તા.૩૦ના સોમવારે સાંજના પ થી ૭, ગુરૂદેવ પાર્ક-ર શેરી નં.૪, કુવાડવા રોડ, ફોર્જ એન્ડ ફોર્જ કારખાનાની પાછળ રાખેલ છે.

ડોનિકાબેન ભાલારા

રાજકોટઃ ગુર્જર સુધાર મનુભાઇ કેશવલાલ ભાલારા (વિસામણ વાળા)ના પુત્રવધૂ ડોનિકાબેન યોગેશભાઇ ભાલારા તે મનસુખભાઇ ગોરધનભાઇ ખંભાયતાની પુત્રી તે કલ્પેશભાઇ નાનાભાઇના પત્ની તથા ચેતનાબેન અમિતકુમાર તથા ભાવનાબેન હિતેશકુમારના ભાભીનું તા.ર૮ના  અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું આજે તા.૩૦ના મારૂતિ નંદન, જયંત કે. જી. મેઇન રોડ, રામનગર-પ ખાતે રાખેલ છે.

સતીષભાઇ જોશી

કાલાવડઃ જામનગર નિવાસી સતીષભાઇ નવનીતરાય જોશી (ઉ.વ.પ૭) તે અમીનભાઇના પિતાશ્રી અને દિનેશભાઇ અને અશોકભાઇના મોટાભાઇનું તા.ર૮મીએ અવસાન થયું છે. ઉઠમણું તા.૩૦મીએ સોમવારે સાંજે પ થી પ-૩૦ વાગ્યે કાશી વિશ્વનાથ મંદિર, કે. વી. રોડ, જામનગર રાખેલ છે.

દયાબેન કલાણી

ગોંડલ : સોરઠીયા દરજી દયાબેન ત્રિભોવનભાઇ કલાણી (ઉ.વ.૭૫) તે પ્રફુલાબેન રાજેશભાઇ કોઠારી ધોરાજી, ગીતાબેન જયેશભાઇ ગોહેલ ગોંડલ, ભાવનાબેન બીપીનભાઇ હિંગુ રાજકોટના માતાનું તા. ૨૭  શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ભોજરાજપરા ચબુતરા પાસે, ઠાકરશી ચાની બાજુમાં હીરાઆતાની વાડી પાસે ગોંડલ ખાતે રાખેલ છે.

રણછોડભાઇ કડવાભાઇ ધોણીયા

દેવચડી ગોંડલ : રણછોડભાઇ કડવાભાઇ ધોણીયા (ઉ.વ.૭૮) તે કમલેશભાઇ ના પિતા ભગવાનજીભાઇ વીરજીભાઇના ભાઇ વિપુલભાઇના મોટા બાપુનું તા. ૨૮ ના અવસાન થયેલ છે.

હિરવા ધકાણ

સાણથલી : પરજીયા સોની શાંતિભાઇ વજુભાઇ ધકાણના સુપુત્ર મયુરભાઇ શાંતિભાઇ ધકાણની પુત્રી હિરવા (ઉ.પ) નું તા. ર૯ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની સાદડી તા. ૩૦ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬  સાણથલી (તા. જસદણ) તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નરેન્દ્રભાઈ દોશી

રાજકોટઃ નરેન્દ્રભાઈ (નિરંજનભાઈ) નટુભાઈ દોશી (બીઓઆઈ- રીટાયર્ડ) તે નલિનીબેન દોશીના પતિ, તે સમીરભાઈ (જયશ્રી વ્યાપાર) અને વિરલભાઈ (બીએસએનએલ વાળા)ના પિતાશ્રી તથા પ્રતિભા અને વૈશાલીના સસરા તે ભરતભાઈ (મોરબી), નયનભાઈ અને રાજુભાઈ (મસ્કતવાળા)ના ભાઈ, તથા અનુપમાબેન (કલકત્તા), વસુધાબેન અને મીનાબેન ચિતલીયાના ભાઈનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ સોમવારના રોજ સાંજે ૫ વાગ્યે શ્રમજીવી સોસાયટીના ઉપાશ્રયે રાખેલ છે.

એડવોકેટ કિરીટભાઈ જોષીનું દુઃખદ અવસાન

રાજકોટઃ જામનગર નિવાસી બરડાઈ બ્રાહ્મણ (મોટી જ્ઞાતિ) એડવોકેટ કિરીટભાઈ હરીશંકરભાઈ જોષી (ઉ.વ.૪૪) તે સ્વ.હરીશંકરભાઈ જટાશંકર જોષી (રીટાયર્ડ પીએસઆઈ)ના પુત્ર અને વકીલ અશોકભાઈ જોષીના મોટાભાઈ તેમજ મહાશંકરભાઈ તથા જયંતિલાલ જટાશંકર જોષીના ભત્રીજા અને બકુલભાઈ રાવલ (એએસઆઈ એસીબી દ્વારકા) વાળાના સાળાનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયુ છે. સદ્દગત કિરીટભાઈ જોષી (એડવોકેટ)નું ઉઠમણું સોમવાર તા.૩૦ના સાંજે ૫ થી ૬ દરમિયાન પંચેશ્વર ટાવર નજીક હેમેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં આવેલી નાગોરી જ્ઞાતિની વાડીમાં ભાઈઓ તથા બહેનો માટે સાથે રાખવામાં આવ્યું છે.

મણીબેન ચાવડા

રાજકોટઃ  સિધ્ધપુરીયા બારશાખ રાજપુત સ્વ.મણીબેન મગનભાઈ ચાવડા (ઉ.વ.૯૫) તે વિનુભાઈ મગનભાઈ ચાવડા તથા સ્વ.જીતુભાઈ ચાવડાના માતુશ્રી તથા કુશુમબેન, ચંદ્રિકાબેનના માતુશ્રીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે કોઠારીયા મેઈન રોડ હુડકો પોલીસ ચોકી પાછળ નાડૌદાનગર શેરીનં ૪ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

રંજનબેન મારૂ

રાજકોટઃ સ્વ.રંજનબેન પ્રવિણભાઈ મારૂ તેઓ પ્રવિણભાઈ  ભાઈલાલભાઈ મારૂનાં ધર્મપત્ની તથા નિકુલભાઈ મારૂ (પીએસઆઈ અમદાવાદ), મયુરભાઈ મારૂ,  કરણભાઈ મારૂ (પો.કોન્સ્ટેબલ- રાજકોટ)ના માતુશ્રી તથા સુરેશભાઈ મારૂ (સાગર રીપેરીંગ વર્કસ) તથા ચંદ્રેશભાઈ મારૂનાં ભાભીનું દુઃખદ અવસાન તા.૨૮ને શનિવારનાં રોજ થયેલ છે. તેમનું પ્રાર્થનાસભાના તા.૩૦ને સોમવાર સાંજે ૫ થી ૭ શાળાનં૬૩ દેવપરાં શાક માર્કેટની પાછળ રાખેલ છે.

ધનજીભાઈ બથીયા

રાજકોટઃ ભાણવડ નિવાસી હાલ રાજકોટ સ્વ.વિરજીભાઈ હરજીભાઈ બથીયાનાં પુત્ર ધનજીભાઈ વિરજીભાઈ બથીયા (ઉ.વ.૬૭) તે મનુભઈ, મહેન્દ્રભાઈ, મુકેશભાઈ નાં મોટાભાઈ તથા રંભાબેન, પ્રેમિલાબેન, પ્રવિણાબેનના ભાઈ તથા દિનેશભાઈ હરેશભાઈ નવિનભાઈનાં બનેવી તા.૨૯નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૩૦ને સોમવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્યે સદ્દગુરૂનગરમાં મંગલેશ્વર મહાદેવ મંદિરે રૂડા- ૨ ની સામે કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન ઉપાધ્યાય

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ મુળ જશાપર હાલ અમદાવાદ ગં.સ્વ. પુષ્પાબેન બાબુલાલ ઉપાધ્યાય તે ચંદ્રકાંતભાઈ બાબુલાલ ઉપાધ્યાયના માતુશ્રી તથા સંધ્યાબેન ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયના સાસુ તેમજ રાજેશ્રીબેન તથા રમેશભાઈ જે ઉપાધ્યાયના કાકી થાય તેમજ સંધ્યા તથા ઋષભના દાદીબા થાય તેમનું અવશાન તા.૨૬ના રોજ થયેલ છે તેમનું બેસણું અમદાવાદ મુકામે તા.૩૦ ના રોજ શિવશકિત હોલ સોલારોડ ભુયંગદેવચાર રસ્તા સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ રાખેલ છે.

ભારતીબેન રાઠોડ

રાજકોટઃ સોરઠિયા રજપુત અશોકભાઈ વી.રાઠોડ (બીએસએનએલ)ના ધર્મપત્ની તથા વાઘજીભાઈ ચકુભાઈ રાઠોડનામ પુત્રવધુ તે પારસ, માધવીબેન, ભૂમિકાબેનના માતુશ્રી સ્વ.ભાવતીબેન અશોકભાઈ રાઠોડનું દુઃખદ અવસાન તા.૨૮ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ સોમવાર સમય ૪ થી ૬ નટેશ્વર મહાદેવ મંદિર શેઠ હાઈસ્કુલની બાજુમાં ૮૦ ફૂટ રોડ, ભકિતનગર પાસે, રાજકોટ રાખેલ છે.

રમેશભાઈ રાયચુરા

રાજકોટઃ ખરેડી નિવાસી (સ્વ.) વલભદાસ માધવજીભાઈ રાયચુરાના પુત્ર રમેશભાઈ (ઉ.વ.૬૩) તે સ્વ.વિનોદભાઈ, વૃંદાવનભાઈ તથા અનોપભાઈના નાનાભાઈ તે પ્રસાંતભાઈ (જી.ઈ.બી સામખીયાળી), પરેશભાઈ તથા કલ્પનાબેન ભાવેશકુમાર મહેતા (મોરબી), મીનાક્ષીબેન હરેશકુમાર રાજા (ગોંડલ), તથા પુનમબેન ભરતકુમાર ચોલેરા (જામનગર) ના પિતાશ્રી તે સ્વ.દલપતભાઈ વનમાલીભાઈ સેદાણી (શાણથલી)ના જમાઈ તા.૨૯ના રોજ ખરેડી મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણુ તા.૩૦ને સોમવાર સાંજે ૪ થી ૪:૩૦ લોહાણા મહાજન વાડી ખરેડી મુકામે રાખેલ છે.

ઉમેદસિંહ ઝાલા

મોરબીઃ મૂળ કેરાળા (હરિપર) હાલ મોરબી નિવાસી ઉમેદસિંહ માનુભા ઝાલા (બાપા સીતારામ) તે સ્વ. માનુભા સુખુભા ઝાલા, શાનુબા માનુભા ઝાલાના પુત્ર, આદિત્યરાજસિંહના પિતા તથા લાલુભા માનુભા ઝાલાના મોટાભાઇનું તા. ર૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન રામકૃષ્ણનગર મોરબી રાખેલ છે.

વનીતાબેન શીશાંગીયા

મોટા ખીજડીયાઃ વનીતાબેન દલપતભાઇ શીશાંગીયા (હાલારી વાળંદ) (ઉ.૬૦) તે દલપતભાઇ કાનજીભાઇ શીશાંગીયાના ધર્મપત્નિ અને લીલાધરભાઇ કાનજીભાઇના નાનાભાઇના પત્નિ તેમજ વાલજીભાઇ, કાંતિભાઇના ભાભી અને જીતુભાઇ તથા કલ્પેશભાઇના માતુશ્રી તેમજ અશ્વિનભાઇ પરષોત્તમભાઇના સાસુનું તા. ૨૯/૪ના અવસાન થયું છે.