Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018
અવસાન નોંધ

સ્વ.શશીકાંતભાઈ કામાણીના ધર્મપત્ની પુષ્પાબેનનું દુઃ ખદ અવસાનઃ ગુરૂવારે જેતપુરમાં ઉઠમણું- પ્રાર્થનાસભા

રાજકોટઃ જેતપુર નિવાસી દશાશ્રીમાળી વણીક સ્વ.શશીકાંતભાઈ નંદલાલભાઈ કામાણીના ધર્મપત્ની પુષ્પાબેન શશીકાંતભાઈ કામાણી તે નીતિનભાઈ, અજયભાઈ (નીતિન ટ્રેડર્સ) તથા જયોતિબેન, ગીતાબેન અને સંગીતાબેનના માતુશ્રી તેમજ નરભેરામભાઈ મનજીભાઈ માવાણી (બગડુવાળા)ના દિકરીનું આજરોજ અરીહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧ ફેબ્રુઆરીના ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા ૧૧ કલાકે દશાશ્રીમાળી વણીક જ્ઞાતિની વાડી, કણડીયા પ્લોટ, જેતપુર મુકામે રાખેલ છે.

કુંકાવાવના સરપંચનું અવસાન

કુંકાવાવ તા. ૩૦ અહિના સરપંચ દલસુખભાઇ ભુવાનું ટુંકી બિમારીમાં અવસાન થતા ગ્રામજનો શોકમગ્ન બન્યા છે એક વર્ષ પહેલાની ચૂંટણીમાં જીત હાંસલ કરી પ્રજાજનોના પ્રશ્ને સતત કાર્યશીલ રહી આગવું વ્યકિતત્વ ધરાવતા એક જાજરમાન નેતા તરીકેનું બહુમાન લોકોના હૃદયમાં ધરાવે છે ગમે તે મોસમમાં વિકટ પરિસ્થિતિમાં પણ લોક કલ્યાણના કામોમાં એગ્રેસર રહ્યા હતા. પટેલવાડી ખાતે શ્રધ્ધાંજલી અર્પવામાં આવી ત્યારબાદ અંતિમ યાત્રામાં વિશાળજન સમુહ જોડાયો હતો. શેરી મહોલ્લા મેઇન બજારમાં પણ ગ્રામજનોએ પુષ્પાંજલી અર્પી હતી.

એ.જી.ના નિવૃત કર્મચારી દિનકરભાઇ મહેતાના ધર્મપત્ની મંજુલનબેનનું અવસાનઃ ગુરૂવારે ઉઠમણું

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ  એ.જી.ઓફિસના નિવૃત્ત કર્મચારી દિનકરભાઇ નારણભાઇ મહેતાના ધર્મપત્નિ અને એ.જી.ઓફીસના કર્મચારી કિશનભાઇ ડી.મહેતા, મહેન્દ્રભાઇ ડી.મહેતા અને પ્રદિપભાઇ ડી.મહેતાના માતુશ્રી મંજુલાબેન મહેતાનું તા.૩૦/૧/ર૦૧૮ ના અવસાન થયેલ છે. તેઓનું ઉમઠણંુ તા.૧/ર/ર૦૧૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કાશી વિશ્વનાથ મંદિર-કાશી વિશ્વનાથ પ્લોટ, સદર રાજકોટ ખાતે રાખેલ છે

મનહરલાલ જાદવ

રાજકોટ : જાદવ મનહરલાલ હિરજીભાઈ (નિવૃત્ત વિકાસ અધિકારી, એલ.આઈ.સી.) તે સ્વ.રાજેન્દ્રભાઈ, સ્વ.અરૂણાબેન, કિશોરભાઈ (સેન્ટ્રલ એકસાઈઝ), હસમુખભાઈ અને ઇન્દિરાબેનના પિતાશ્રી તો૨૯ને સોમવારે કૈલાશવાસ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ વાગ્યા દરમિયાન 'શ્રી ઓમકારેશ્વર મહાદેવ' મંદિર શ્રીજી પાર્ક, વિક્રમ માર્બલ પાસે, એચ.પી. પેટ્રોલપંપ સામે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

ઇન્દુમતીબેન પંડયા

જુનાગઢઃ ઇન્દુમતીબેન જયસુખલાલ તે મનીષભાઇ, મીતાબેન એલ.રાવલ તથા દર્શનાબેન વી.પંડયાના માતુશ્રી તેમજ ડો.જગદીશચંદ્ર યુ. પુરોહીતના ભાભીનું તા.ર૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બિલનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

લાભુબેન મકવાણા

જેતપુરઃ ડેડરવા નિવાસી બચુભાઇ ઘુસાભાઇ મકવાણાના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ.૭૦) તે હરસુખભાઇ, બોધાભાઇના માતુશ્રી તેમજ હિતેષભાઇ, શૈલેષભાઇ, સુજલના દાદીમાં તા.ર૬ના રોજ રામચરણ પામેલ છે.

ઠા.હરીલાલ

રાજકોટઃ ઠા.હરીલાલ રામજીભાઈ (ઉ.વ.૮૨) મુળ સાતોદડ નિવાસી હાલ રાજકોટ તે ભરતભાઇ, પરેશભાઈ, અતુલભાઈ, કિર્તીબેન, નયનાબેન તથા પ્રીતીબેનના પિતાશ્રી તેમજ અજયભાઈ પરમાણંદભાઈના કાકા તેમજ સ્વ.નરસીદાસ જીવરાજભાઈ ભિંડોરા વાળાના જમાઈ તા.૨૯ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૧ને ગુરૂવારે સાંજે ૫ વાગ્યે ધારેશ્વર મહાદેવના મંદિરે ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે. સ્વસુર પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે.

ચંદ્રિકાબેન પંડ્યા

રાજકોટ : ઔ.ગઢીયા બ્રાહ્મણ ચંદ્રીકાબેન રમેશચંદ્ર પંડ્યા (ઉ.વ.૭૦)તે રમેશચંદ્ર મણીલાલ પંડ્યા (રીટા ગર્વપ્રેસ) ના ધર્મપત્ની તેમજ અશ્વીન, આનાંદ, અનંતના માતુશ્રી તથા મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, મધુભાઈ, ભુપેન્દ્રભાઈ તથા જયોતિબેન જગદીશચંદ્ર જાનીના ભાભીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૫ સંતકબીર રોડ, ભોલેનાથ રેસી. ગુર્જર પ્રજાપતીની વાડીની સામે રાખેલ છે. સદ્દગતની ઈચ્છા અનુસાર લૌકીકક્રિયા તેમજ ઉતરક્રિયા (સરવણી) બંધ રાખેલ છે.

યુસુફઅલી મહમદઅલી

ગોંડલ : દાઉદી વ્હોરા યુસુફઅલી મહમદઅલી સદીકોટ  તે રશીદાબેન (પડધરી) નાં શોહર તે જુજરભાઇ (ડેવીડ), અબ્બાસભાઇ, કેઝરભાઇ, ઝેનબબેન મહમદીભાઇ કાલાવડ વાળાનાં બાવાજી તે મ. મોહસીનભાઇ (મુંબઇ), કાયમભાઇ (રાજકોટ), ઝહેરાબેન (પાલીતાણા), ફાતેમાબેન (કોલંબો), સલમાબેન (બગસરા) નાં ભાઇનું તા. ર૯ ના અવસાન થયેલ છે. જીયારત તથા  સીયુમનાં સીપારા તા. ૩૧ બુધવારે ૧૧.૩૦ કલાકે, નવી મસ્જીદ, ગુંદાળા શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.

છગનલાલ સોની

ગોંડલ : શેઠ વડાળા વાળા સોની છગનલાલ ગેડીયા (ઉ.૯ર) તે રમેશચંદ્ર, નરેન્દ્રભાઇ, નવનીતભાઇ તથા સુરેશભાઇનાં પિતાનું  તા. ર૮ મીએ અવસાન થયેલ છે. સાદડી તા. ૧ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન ઓમ ગોકુલધામ, નવરંગ ડેરી પાસે, ગોંડલ રાખેલ છે.

જગદીશભાઇ બોડા

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ જગદીશભાઇ (બૈજુભાઇ) મોહનલાલ બોડા (ઉ.વ.૬૦) તે સ્વ.મોહનલાલ ભુરાભાઇ અને દીનુમતીબેનના પુત્ર, તથા શૈલેષભાઇ, નરેશભાઇ (લાલાભાઇ)નાં ભાઇનું તા.રપના અવસાન થયેલ છે.

જયાબેન બજાણીયા

રાજકોટઃ વાણંદ ઇશ્વરલાલ (હસુભાઇ) હરીલાલ બજાણીયાનાં ધર્મપત્ની જયાબેન (ઉ.વ.૬૮) તે મનસુખભાઇ, સ્વ.શાંતિલાલ હરીલાલ બજાણીયાનાં ભાભી તથા ભરતભાઇ અને યોગેશભાઇના માતુશ્રીનું તા.ર૮ના અવસાન થયું છે. બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાણંદ જ્ઞાતિ મંદિર, દેના બેંક સામે, વાંકાનેર ખાતે રાખેલ છે.

પરસોતમભાઇ સોજીત્રા

રાજકોટઃ મુ. ભાડલા હાલ રાજકોટ નીવાસી સ્વ.પરસોતમભાઇ મોહનભાઇ સોજીત્રા (ઉ.વ.૮૦)નું તા.ર૮ના અવસાન થયેલ છે. જે વિનોદભાઇ સોજીત્રા તથા અશોકભાઇ સોજીત્રાના પિતાશ્રીનું બેસણું તા.૧ના ગુરૂવારે શ્રી કાશી વિશ્વનાથ મંદિર, કીરણ સોસા. શેરી નં.૩ના કોર્નર, હરી ધવા મેઇન રોડ ખાતે રાખેલ છે.

હાજીયાણી રહીમાબેન

રાજકોટઃ હાજીયાણી રહીમાબેન હાજી અબ્દુલ્લાભાઇ વાળા જે ગળીયાશ મર્હુમ હાજી અબ્દુલ્લાભાઇ પુંજાભાઇ વાળા (બાબરાવાળા)ના ધર્મપત્ની તેમજ હાજી હાસમભાઇ, હાજી અબ્દુલ્લાભાઇ, હાજી કરીમભાઇ, હાજી ઓસમાણભાઇ, હાજી આદમભાઇ તથા હાજી સુલેમાનભાઇ હાજી અબ્દુલ્લાભાઇ વાળાના માતુશ્રી તા.ર૮ ખુદાપાકની રહેમતમાં પહોંચેલ છે. મર્હુમાની જીયારત તા.૩૧ના બુધવારે સવારે ૧૦-૦૦ કલાકે, ૧૪-કરણપરા, ''વાળા નિવાસ'', ખાતે રાખેલ છે.

રેખાબેન દવે

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.રતિલાલ નર્મદાશંકર દવેનાં ધર્મપત્ની રેખાબેન દવે તે વિનોદરાય, બળવંતરાય તથા મુળશંકરભાઇ દવેનાં ભાભી તેમજ અશોક, શૈલેષ તથા વિજયનાં માતુશ્રી તા.ર૯ના કૈલાસવાસી થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧ને ગુરૂવારે સાંજે પ થી ૬, ભોજલરામ સોસાયટી-પ, ગોવિંદનગરની પાસે, કોઠારીયા રોડ, ખાતે રાખેલ છે.

નાથાલાલ રાવલ

રાજકોટ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજનાં મૂળ બંધિયા હાલ ગોંડલ નાથાલાલ નારણજી રાવલ (ઉ.વ.૮૭) તે મનસુખભાઈ તથા સ્વ.ચંદુલાલના મોટાભાઈ, તે મહેશભાઈ, દિનેશભાઈ, નટુભાઈ, નલિનભાઈ, વસંતભાઈ, બિપીનભાઈ, ઈન્દુબેન, કુસુમબેનનાં પિતાનું તા.૨૯ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે હાઉસીંગ બોર્ડ, બ્લોક નં-૫૪, ત્રિકોણીયા પાસે, જેતપુર રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

કમલેશપરી ગોસ્વામી

રાજકોટઃ કમલેશપરી ઈશ્વરપરી ગોસ્વામી તા.૨૮ રવિવારના રોજ કૈલાસ ગમન થયેલ છે. તેમનું બેસણું તા.૧ ગુરૂવારે તથા તેમનુ શકિતપુજન તા.૫ સોમવારના રોજ તેમના નિવાસસ્થાને સેતુબંધ સોસાયટી ખાતે રાખેલ છે.