Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017
અવસાન નોંધ

ચહેલુમ શરીફ

જામનગરઃ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના વોર્ડ પ્રમુખ જનાબ રજાકભાઇ એ. આમરોણીયાના વાલીદ મર્હુમ હાજી અબ્દુલભાઇ ઓસમાણભાઇ આમરોણીયા તા. ૪-૧ર-ર૦૧૭ના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. જેની ચહેલુમની મજલીસ તા. ૧૧-૧-ર૦૧૮ ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે ગુલાબનગર ઘરે રાખેલ છે.

અનંતકુમાર સોલંકી

રાજકોટ : રાજકોટ મચ્છુકડીયા સઇસુતાર જ્ઞાતિના અનંતકુમાર મગનલાલ સોલંકી (જામનગર) હાલ રાજકોટ તે ડોલરભાઇના ભાઇ તેમજ કુંદનબેન, ડીમ્પલબેન હેમાંગકુમાર, અવનીબેન દેવેનકુમાર, સીમાબેન ભાવીનકુમાર તથા કૃપાબેન કીરીટકુમારના પિતાશ્રી તેમજ અક્ષય તથા ભૂમિના અદા તેમજ સ્વ.જયંતિલાલ પરસોત્તમભાઇ ખેરડીયાના જમાઇનું તા.૨૯ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા.૩૦ના શનિવારે સાંજે ૪ થી ૫ કમળગંગા વાડી, ૨૪ વિજય પ્લોટ ખાતે રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

પ્રવિણભાઈ ઘેટીયા

રાજકોટ : મુ.લાઠ, હાલ રાજકોટ નિવાસી પ્રવિણભાઈ શામજીભાઈ ઘેટીયા તે ધૈર્યભાઈ તેમજ પાયલબેનના પિતાશ્રી તેમજ વલ્લભાઈ એસ.ઘેટીયા, ગોરધનભાઈ નાથાભાઈ ઘેટીયા, ગોવિંદભાઈ એન.ઘેટીયાના નાનાભાઈનું તા.૨૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને શનિવાર, સાંજે ૪ થી ૫ કલાકે, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન લાઠીયા

રાજકોટ : મુળ ગામ લાલપુર હાલ રાજકોટ ભારતીબેન ગોવિંદભાઈ લાઠીયા (ઉ.વ.૫૫) તે ગોવિંદભાઈ ત્રીકમભાઇ લાઠિયાના ધર્મપત્ની તેમજ કલ્પેશભાઈ ગોવિંદભાઈ લાઠિયાના માતૃશ્રી તા.૨૯ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ના શનિવારે તેમના નિવાસસ્થાને ૪ થી ૬ લાભદીપ સોસાયટી શેરીનં-૩, એ.બી.સી. પાન પાસે મવડી ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે.

ઈશ્વરલાલ સવજીયાણી

રાજકોટ : ઈશ્વરલાલ જમનાદાસ સવજીયાણી, (જલારામ દુધવાળા) તે શ્રી વિપુલભાઈના પિતાશ્રી તથા જયેશભાઈ, હિતેશભાઈના કાકા તથા સ્વ.દેવરાજભાઈ દેવજીભાઈ કોટેચાના જમાઈ તથા સ્વ.વિનોદભાઈ, સ્વ.નલીભાઈ, અશ્વીનભાઈ, મુકેશભાઈ તથા રાજેશભાઈના બનેવી તા.૨૮ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું આજરોજ તા.૨૯ શુક્રવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને  તેમન પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

પ્રમિલાબેન ઠાકર

રાજકોટ : હડીયાણા ચોવીશી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.પ્રમિલાબેન ઠાકર  (ઉ.વ.૭૭) (રિટાયર્ડ શિક્ષિકા- કોટેચા ગર્લ્સ સ્કૂલ) તે સ્વ.પ્રફૂલચંદ્ર ઠાકર (પદુભાઈ ઠાકર- કાર્ગો મોટર્સ)ના પત્ની, દિપક રાવલ સુરતના બેન, પરાગ, દિપ્તિ, ફાલ્ગુનીના માતુશ્રીનું અવસાન તા.૨૮ને ગુરુવારે થયેલ છે. સ્વ.ની પ્રાર્થનાસભા શનિવાર તા.૩૦ના રોજ સાંજે ૫ થી ૬ કલાકે ભકિત આશ્રમ, એ.જી.ચોક, કાલાવાડ રોડ, નીલદા ધાબા પાસે રાખેલ છે.

કેશવજીભાઇ નડીઆપરા

રાજકોટ : ખડ-ખંભાળીયા, હાલ રાજકોટના વરીયા વૈષ્ણવ પ્રજાપતિ કેશવજીભાઇ ભીમજીભાઇ નડીઆપરા (ઉ.વ.૮૪) તે રાજેશભાઇ તથા જગદીશભાઇના પિતાશ્રીનું તા.૨૮નાં અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૩૦ના શનિવારે બપોરે ૩ થી ૫ દરમ્યાન તેમના નિવાસ સ્થાને ક્રિષ્નાપાર્ક શેરી નં.૧, 'ઓમ દાતાર કૃપા', રેલનગર મેઇન રોડ, પોપટપરા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રેમીલાબેન પોપટ

રાજકોટ : પ્રેમીલાબેન અરવિંદભાઈ પોપટ (ઉ.વ.૭૪) તે ધિરજલાલ દામોદરદાસ પોપટના લઘુબંધુ અરવિંદભાઈ દામોદરદાસ પોપટના ધર્મપત્ની અને આનંદભાઈ, જયેશભાઈ, ઘનશ્યામભાઇ તથા હર્ષદભાઈ પોપટના માતુશ્રી તા.૨૮ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સ્મશાન યાત્રા તા.૨૯ શુક્રવારે સાંજે ૫:૩૦ વાગ્યે રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે (મોટામૌવા સ્મશાન ગૃહ) નીવાસ હર્ષદભાઈ એ.પોપટ ૧, દર્શન રેસીડેન્સી, કૈલાસ ધારા મેઈન રોડ, વિધુતનગર પાસે, (સ્ટર્લિંગ હોસ્પિટલના પાછળ ભાગમાં) રાજકોટ(મો.૯૪૨૬૮ ૯૮૮૮૯)

ગોરધનભાઇ પનેલિયા

ગોંડલ : ગોરધનભાઇ લવાભાઇ પનેલિયા (ઉ.૭૮) તે રમેશભાઇ, હસમુખભાઇના પિતા દામજીભાઇના કાકા મોહિત, યોગેશ, યક્ષના દાદાનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ ને શનિવારે સાંજે ૪ થી ૬, ૧ર-યોગીનગર, ભરત ઓઇલ મીલ પાછળ, ગોંડલ મુકામે રાખેલ છે.

સવજીભાઇ ખાખરીયા

ગોંડલ : સવજીભાઇ બાવાભાઇ ખાખરીયા (ઉ.૭૧) તે લલિતભાઇના પિતા હસુભાઇના ભાઇ તથા આશીષભાઇ, હિરેનભાઇ, ધાર્મિકભાઇ, કશ્યપના મોટા બાપુજી, તા. ર૮ ના  રોજ અવસાન થયું છે. બેસણું તા. ૩૦ ના રોજ ૪ થી ૬ ના રોજ સવેશ્વર મહાદેવ હોલ મહાકાળી નગર ખાતે રાખેલ છે.

ભગવાનજીભાઇ રાણપરા

મોરબી : ભગવાનજીભાઇ ચત્રભુજભાઇ રાણપરા (હવેલીના જુના કામદાર) તે જીજ્ઞેશભાઇના પિતા તા. ર૮ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ર૯ ને શનીવારના રોજ સાંજે ૪ થી પ.૩૦ કલાકે સોની સમાજની વાડી, પારેખ શેરી ગ્રીનચોક પાસે મોરબી રાખેલ છે.

બાવનજીભાઇ બુહેચા

રાજકોટ :.. મોટી પાનેલી બાવનજીભાઇ જેરામભાઇ બુહેચા (ઉ.વ.૮ર) તે લાભુબેન જી. ફટાણિયાના પિતાજી તથા ગોરધનભાઇ એસ. ફટાણિયા (તાલાળા-ગીર) વાળાના સસરા તા. ર૭ ના મોટી પાનેલી ખાતે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સોરઠીયા પ્રજાપતિ સમાજની વાડી, હાઇસ્કુલ સામે, મોટી પાનેલી ખાતે રાખેલ છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૩૧ ને રવિવારે રાખેલ છે.

ધીરજલાલ મહેતા

રાજકોટ :.. જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ ડો. પ્રદિપભાઇ તથા સ્વ. અશોકભાઇ અને આશાબેન મનોજકુમાર વોરાના પિતાશ્રી મીનાબેન તથા સંગીતાબેનના સસરા દિપમ, ભાવિકા, પુનીત તથા ધ્રુવીના દાદા અને કિનલના નાના, તોરીવાળા, કાંતિલાલ ઓધવજી મહેતાના જમાઇ ધીરજલાલ ભાણજી મહેતા (ઉ.૯૦) (કલકતાવાળા), નું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું ૧૦ કલાકે પ્રાર્થના સભા ૧૦.૩૦ કલાકે તા. ૩૦ ના શનીવારે શ્રી પાર્શ્વ રેસીડેન્સી નાગેશ્વર જૈન દેરાસર જામનગર રોડ યુનિકેર હોસ્પીટલની સામે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ ચૌહાણ

રાજકોટ : રાજકોટ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના રાજેન્દ્રભાઇ હરગોવિંદભાઇ ચૌહાણ (ઉ.૬ર) તે સ્વ. હરગોવિંદભાઇ ધનજીભાઇ ચૌહાણના પુત્ર તથા નરોતમભાઇ, મુકુન્દભાઇ, ભરતભાઇ, બાલકૃષ્ણભાઇ, મહેશભાઇ અને હસમુખભાઇના નાનાભાઇ તેમજ કિંજલ મેહુલકુમાર તથા નિરાલી જતીનકુમારના પિતા અને વિનોદરાય પ્રભુલાલ જોશીના જમાઇનું તા.ર૭ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિની વાડી, સાંગણવા ચોક ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતાબેન ભટ્ટ

રાજકોટ : નથુ તુલસી જ્ઞાતિ સમાજના ચંદ્રકાંતાબેન પ્રીતમલાલ ભટ્ટ (ઉ.૮૦) તે કમલેશભાઇ પ્રિતમલાલ ભટ્ટ, હિનાબેન અતુલભાઇ વ્યાસ (મુંબઇ), બીનાબેન કિશોરભાઇ દવે (રાજકોટ)ના માતુશ્રી તથા સુધાબેન કમલેશભાઇ ભટ્ટ (શિક્ષીકા, કોઠારીયા કન્યા શાળા) ના સાસુશ્રી, સાવનભાઇ કે. ભટ્ટ (સીવીલ રાજકોટ) તથા કિંજલબેન પંકજકુમાર જીમુલીયાના દાદીમા, પ્રવિણચંદ્ર રેવાશંકર ઠાકરના મોટાબહેનનું તા. ર૮ ના અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા. ૩૦ ને શનીવારે સાંજે ૪.૩૦ થી ૬ વિ. કા. મહેતા બોર્ડીંગ, ગોપાલનગર, શેરી નં. ૯, ડો. રાજાણીના દવાખાના પાસે, રાખેલ છે.

ચાંદની અભાણી

માળીયા હાટીના : ગાગેચાવાળા ભરતભાઇ લક્ષ્મીદાસ અભાણીની પુત્રી ચાંદનીબેન (ઉ.વ.૧૬) તે હરેશભાઇ, કમલેશભાઇ,  સ્વ. કિશોરભાઇ, જયોતિષભાઇની ભત્રીજીનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ર૯ મીને શુક્રવારે સાંજે ૪.૩૦ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન પાસે રાખેલ છે.

સ્મીતકુમાર પંડયા

કોડીનાર : છારીયા ઉનેવાળ બ્રાહ્મણ સ્મીતકુમાર કમલેશભાઇ પંડયા (ઉ.ર૪) (જામનગર) તે મનોજભાઇ વી. પંડયા, યોગેશભાઇ વી. પંડયા, મુકેશભાઇ બી. પંડયા, અને મનીષભાઇ કે. પંડયાના ભત્રીજાનું તા. રપ ના રોજ અવસાન થયું છે. બેસણુ કોડીનાર બ્રહ્મપુરી ખાતે તા. ૩૦ ને શનીવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.