Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018
પોરબંદરઃ ચીમનભાઇ ઠકરારનું અવસાનઃ આજે સાંજે પ્રાર્થનાસભા

પોરબંદરઃ ચીમનભાઇ વિઠ્ઠલભાઇ ઠકરાર (ઉ.વ.૭૪) સ્વ. વિઠ્ઠલભાઇ લીલાધરના પુત્ર પરસોતમભાઇ (બરોડા)ના ભાઇ અને સુરેશભાઇ (પુના) રમેશભાઇ (પોરબંદર) રાજેશભાઇ (મોરબી)ના પિતાશ્રી તા.ર૭/૧૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.તેમની પ્રાર્થના સભા તા.ર૯/૧૧/ર૦૧૮ ને ગુરૂવારના પ-૩૦ થી ૬ ના રોજ પ્રાર્થના હોલ લોહાણા મહાજનવાડી પોરબંદર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

સુરેન્દ્રનગરનાં નંદાભાઇ નંદેસરીયાનું અવસાન

વઢવાણ :.. સુરેન્દ્રનગરના પ્રદીપ પેટ્રોલીયમમાં વર્ષોથી ફરજ બજાવતા નંદાભાઇ જેરામભાઇ નંદેસરીયાનું આજરોજ ટૂંકી માંદગી બાદ અચાનક જ અવસાન થતા સુરેન્દ્રનગર પ્રદીપ પેટ્રોલીયમના માલીક અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઇ જવા પામેલ હતી.

નંદાભાઇ નંદેસરીયા તેમના બહોળા પરિવારમાં ત્રણ પુત્રો રાજેશભાઇ, મહેશભાઇ અને વિજયભાઇ ત્રણ પુત્રી જમાઇ પુત્રવધુ સહિતનો તેમના બહોળા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

મ્યુ.કોર્પોરેશનના આસી.મેનેજર અમીત ચોલેરાના માતૃશ્રી શાન્તાબેનનું અવસાનઃ રાત્રે સ્મશાનયાત્રા

રાજકોટઃ રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં આસી.મેનેજર અમિત ચોલેરાનાં માતૃશ્રી શાન્તાબેન ભરતભાઇ ચોલેરા(ઉ.વ-૮૪)નું  અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાનયાત્રા આજે રાત્રે ૯ વાગ્યે તેમના નિવાસ સ્થાન અમિદીલ, પ્લોટ નં.૩ બ, શેરી નં.૨, શ્રેયસ સોસાયટી, રેસકોર્ષ રીંગ રોડ ખાતેથી નીકળશે.         

અવસાન નોંધ

વિજયબેન બહેશ

જૂનાગઢ : વિજયાબેન ગોપાલસિંહ બહેશ (ઉ.૮પ) તે કિરીટભાઇ, કિશોરભાઇ, કરણભાઇના માતુશ્રીનું તા. ર૬ મીએ અવસાન થયેલ છે. બેસણું તા. ર૯ ગુરૂવારે દુબડી પ્લોટ સકરીયો ટીંબો શંકરના મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હિંમતભાઇ જોષી

ગોંડલ : મુળ ગોંડલ નિવાસી હિંમતભાઇ મણીશંકર વૈદ્ય જોષી (ઉ.વ.૮૬) તે ડોકટર કનુભાઇ (પ્રતાપભાઇ), વિજયભાઇ (દર્શન ચશ્મા ઘર), રાજેશ્રીબેન ભંડારી, નયનાબેન જોશી, ગીતાબેન પંડયા, સોનલબેન ઠાકરના પિતા વિનોદરાય મણીશંકર જોશીના મોટાભાઇનો તા. ર૮ ના અવસાન થયેલ છે બેસણું તા. ૩૦ શુક્રવાર સાંજે ૪ થી પ.૩૦ દરમિયાન સનસીટી અનમોલ કોમ્પલેક્ષની બાજુમાં સાધુ વાસવાણી રોડ રાજકોટ નિવાસ સ્થાને રાખેલ છે.

જગજીવનદાસ ભદ્રેસા

ધોરાજી : વાઝા જગજીવનદાસ દાનાભાઇ ભદ્રેસા (ઉ.૯ર) તે કેશુભાઇ, વસંતભાઇ, જીતુભાઇ, મુકેશભાઇ, દિનેશભાઇ તથા મંજૂલાબેનના પિતાશ્રીનું તા. ર૭ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન બંસી એપાર્ટમેન્ટ બમ્બા ગેઇટ પાછળ સ્ટેશન રોડ ધોરાજી ખાતે રાખેલ છે.

અર્જુનદાસ દાસવાણી

ધોરાજી : અર્જુનદાસ ચેલારામ દાસવાણી તે દેવીદાસ દાસવાણી, જેન્તીભાઇ દાસવાણીના ભાઇ તેમજ અશ્વીનકુમાર દાસવાણી અનુરાગ દાસવાણીના દાદાનું તા. ર૮ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ આકાશ હોલ જામનાવડ રોડ ધોરાજી રાખેલ છે.

કાંતિભાઇ ડોડીયા

ધોરાજી : લાઠી નિવાસી લુહાર કાંતિભાઇ હરીભાઇ ડોડીયા (ઉ.૭ર) તે ધોરાજી વાળા ચુનીલાલ લક્ષ્મણભાઇ સિધ્ધપુરા (શિવ શકિત એન્જીનીયરીંગ વર્કસ) તથા મનસુખભાઇ સિધ્ધપુરા જેતપુરના બનેવીનું તા. ર૬ ને સોમવારના રોજ લાઠી મુકામે અવસાન થયેલ છે. બેસણું તા. ૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ ચુનીલાલ સિધ્ધપુરાના નિવાસ સ્થાને શકિત ભાદર કોલોની સામે ધોરાજી ખાતે રાખેલ છે.

રાજેશકુમાર ચાંદરાણી

ગોંડલ : રાજેશકુમાર લાલજીભાલ ચાંદરાણી (ઉ.વ.૬૨) બાબરાવાળા તે દિનેશભાઇ બિપીનભાઇ મૃગના બનેવીનું તા. ૨૭ના અવસાન થયેલ છે. સાદડી તા. ૩૦ને શુક્રવાર સાંજે ૪ થી પ બિપીનભાઇના ઘરે ભટ્ટગોપાલની શેરી ગોંડલ મુકામે રાખેલ છે.

કડવીબેન ગાજીપરા

વીરપુર (જલારામ) : કડવીબેન જાગાભાઇ ગાજીપરા (ઉ.વ.૯૩) તે કાળુભાઇ, ચંદુભાઇ, ભુપતભાઇ, બિપીનભાઇના માતાનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે.  બેસણું  તા.૩૦ને શુક્રવારે જુની ગૌશાળા ગોંડલ રોડ વીરપુર મુકામે રાખેલ છે.

ઇન્દીરાબેન વ્યાસ

વેરાવળ : લાભશંકર મોહનલાલ જોષીના પુત્રી ઇન્દીરાબેન પ્રતાપરાય વ્યાસ ઉ.પ૯ તે ગીરધરલાલ મોહનલાલ જોષીના ભત્રીજી તથા જયંતભાઇ (શ્રી સાયકલ), હરેશભાઇના મોટા બહેનનુ તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. પીયર પક્ષનું બેસણુ તા. ર૯ ને ગુરૂવારે ડાભોર રોડ ગીતા વિદ્યાલય પાસે જયંતભાઇના નિવાસ સ્થાને વેરાવળ ખાતે રાખેલ છે.

શાંતાબેન બાપોદરા

રાણાવાવ : બરડાઇ બ્રાહ્મણ શાંતાબેન (ઉ.વ.૮૨) તે હરજીવનભાઇ આમિંદજીભાઇ બાપોદરાના પત્ની, અશોકભાઇ,લલીતભાઇ, રાજુભાઇ, સંજયભાઇ, રમાબેન લાભશંકરભાઇ થાનકી, હંસાબેન દોલતરાય થાનકી તથા નિતાબેન લલીતકુમાર પંડિતના માતુશ્રીનું તા.૨૮ના અવસાન થયું છે. ઉઠમણું તા.૬ના રોજ ગુરૂવારે બપોરે ૪ થી ૪.૩૦ તેમના નિવાસ સ્થાને સ્વામીનારાયણ સ્કૂલ પાસે રાખેલ છે.

મહેન્દ્રપ્રસાદ રાવલ

રાજકોટઃ   વઢવાણ નિવાસી હાલ રાજકોટ મહેન્દ્રપ્રસાદ કૃષ્ણાલાલ રાવલ નિવૃત દેના બેન્ક, તે ભાસ્કરભાઇ રાવળના સાળા, મીનાબેનના પતિ અને સૌ. રિધ્ધી (વડોદરા) નાં પિતાનું તા.૨૮ બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમની પાર્થના સભા તા.૧/૧૨ શનિવારે સાંજે ૪ થી ૬ દેના બેન્ક સોસાયટી, કોમ્યુનીટી હોલ, અમીન માર્ગ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

હિંમતભાઇ વૈદ્ય (જોષી)

રાજકોટઃ મૂળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ હિંમતભાઇ મણીશંકર વૈદ્ય (જોષી) (ઉ.વ.૮૬) તે ડો. કનુભાઇ (પ્રતાપભાઇ),વિજયભાઇ (દર્શન-ચશ્માઘર), રાજેશ્રીબેન ભંડારી - નયનાબેન જોષી, ગીતાબેન પંડયા- સોનલબેન ઠાકરનાં પિતાશ્રી વિનોદરાય- મણીશંકર જોષીનાં મોટાભાઇનું આજરોજ તા. ૨૮-૧૧-૨૦૧૮નાં રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તેમના નિવાસ સ્થાન સનસિટી-અનમોલ કોમ્પલેક્ષની બાજુમાં સાધુ વાસવાણી રોડ મુકામે તા.૩૦-૧૧-૨૦૧૮નાં શુક્રવારે સાંજે ૪ થી ૫.૩૦ દરમ્યાન રાખેલ છે.

રંભાબેન માવદિયા

રાજકોટઃ સ્વ. રંભાબેન અરજણભાઇ માવદિયા તે શ્રી મગનભાઇ તથા શ્રી ધીરૂભાઇના માતુશ્રી તા.૨૮ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે અમરનાથ મંદિર, અમરનાથ પ્લોટ, સહકારનગર મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન મહેતા

રાજકોટઃ મુળમવડી (હાલ જેતપુર) સ્વ. નિર્મળાબેન રતિલાલ મહેતા (ઉ.વ.૮૦)  (નિવૃતિ- પ્રાથમીક શિક્ષિકા-બોરડી સમઢીયાળા) તે સ્વ. ચંદુલાલ હેમતરામ જોષીના ધર્મપત્નિ તથા ભરતભાઇ ચંદુલાલ જોષી તેમજ સ્વ. ભારતીબેન અશોકકુમાર ભટ્ટનાં માતુશ્રી તેમજ સ્વ. રતિલાલ અંબારાય મહેતા  (ઢોલરા)ના દિકરીનું તા.૨૮ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.  બંને પક્ષનું બેસણું ઉઠમણું બુધવાર તા.૩૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મહાદેવ મંદિર મવડી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભીખુભા જાડેજા

ગોંડલઃ ખંભાલીડા (તા. ગોંડલ) નિવાસી ભીખુભા શિવુભા જાડેજા (ઉ.વ.૬પ) તે મયુરધ્વજસિંહ ભીખુભા જાડેજાના પિતાશ્રી, ભુપેન્દ્રસિંહ હમીરસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ હમીરસિંહ જાડેજા અને પ્રતાપસિંહ બહાદુરસિંહ જાડેજાના કાકાશ્રી તેમજ હર્ષદસિંહ વિજયસિંહ જાડેજાના દાદા તા.ર૭ના રોજ અવસાન પામ્યા છે.

પ્રાણલાલભાઇ વડગામા

સણોસરાઃ સણોસરાના ગુર્જર સુતાર સ્વ.દામજીભાઇ વેલજીભાઇ વડગામાના મોટા પુત્ર પ્રાણલાલ (ભીખુભાઇ) તે સ્વ.રમેશભાઇ (રમણિકભાઇ), સ્વ.કિશોરભાઇ, સ્વ.જેન્તિભાઇ, વૃજલાલભાઇ (બહાદુરભાઇ)ના મોટાભાઇ તથા સ્વ.દયાબેન ધીરજલાલ ખંભાયતાના  નાના ભાઇ તથા મિતેશના પિતાશ્રી તા.ર૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬, સણોસરા મુકામે રાખવામાં આવેલ છે.

જયશીંગભાઇ ઝાલા

ભાવનગરઃ જયશીંગભાઇ લક્ષ્મણભાઇઝાલા હાલ ભાવનગર તે જીતેન્દ્રસિંહ ઝાલા (એસ.ટી. વાંકાનેર)ના પિતાજી તથા રામજીભાઇ ઝાલા રાજેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઇનું તા.ર૭ના ભાવનગર ખાતે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૯ના સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન ભાવનગર ખાતે રાખેલ છે.

ચંપાબેન પટેલ

ગોંડલ : માધુભાઇ મનજીભાઇ પટેલના પત્ની ચંપાબેન (ઉ.વ.૮૮) તે વિનુભાઇ, નવીનચંદ્રના માતુશ્રી ધીરેન, મેહુલ, ડો. રાહુલના દાદીમાનું તા. ૨૪ને શનિવારના રોજ યુ.કે. મુકામે અવસાન થયેલ છે. બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી જલારામ મંદિર, ભોજરાજપરા, ગોંડલ મુકામે રાખેલ છે. ઉતરક્રિયા તા.૩૦ને શુક્રવારે રાખેલ છે.