અવસાન નોંધ
લાભુબેન રાવલ
રાજકોટ : મુળ ટીંબલા નિવાસી હાલ અમરેલી ભાનુશંકરભાઇ પ્રભાશંકરભાઇ રાવલના ધર્મ પત્નિ લાભુબેન ઉ.વ.૮૩ (નિવૃત આચાર્ય ભાડેર કન્યાશાળા) તે વિજયભાઇ (મુંબઇ) ભદ્રેશભાઇ (રાજકોટ) તથા જયેશભાઇ ના માતુશ્રીનું આજે તા. ૨૯ ના દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા ૩૧ ગુરૂવારે અમરેલી ખાતે તેમના નિવાસ સ્થાન ૬૨/ સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ, અમરેલી ખાતે રાખવામાં આવેલ છે.
મહેશભાઇ સખરેલીયા
જેતપુર : મહેશભાઇ કરશનભાઇ સખરેલીયા (ઉ.વ.૪૮) તે મન, ખુશ્બુના પિતાશ્રી તેમજ કિશોરભાઇના લઘુબંધુ તા. ર૭ને રવિવારના અવસાન થયેલ છે. બેસણું તા. ૩૧ ને ગુરૂવારે સાંજે પ થી ૭ કોટડીયા વાડી, વિભાગ નં.૧, જેતપુર ખાતે રાખેલ છે.
દિનેશચંદ્ર સોલંકી
મચ્છુકઠીયા સઈ સુથાર મુળ પડધરી હાલ રાજકોટ સ્વ. તુલસીદાસ હરજીભાઈ સોલંકીના પુત્ર દિનેશચંદ્ર તુલસીદાસ સોલંકી (વેટ ઈન્સ્પેકટર) (ઉ.વ.૫૭) તે રમેશભાઈ, સ્વ.રાજુભાઈ, જગદીશભાઈ, ભરતભાઈ (કિશન સિવણ કલાસ)ના ભાઈ તથા કિશન અને મનાલીના પિતા તથા અનિલભાઈ જીવરાજભાઈ ચૌહાણના જમાઈનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને 'કિશન' ૮, સાંઈબાબા સોસાયટી, રેલનગર ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.
મંજુલાબેન મહેતા
રાજકોટ : ઢાંક નિવાસી સ્વ.જેન્તીલાલ દેવશંકર મહેતાના ધર્મપત્નિ મંજુલાબેન મહેતા તે સ્વ.પ્રકાશચંદ્ર તથા સ્વ.કુમુન્દરાયના માતુશ્રી તથા આશિષભાઈ વ્યાસના નાના તથા દિપ મહેતાના દાદીમાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને ૧૫૦ ફૂટ રીંગ રોડ, કીડવાઈનગર ચોક, કિસ્મતનગર શેરી નં.૧, રૈયા ચોકડી ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.
હંસાબેન ઘાટલીયા
રાજકોટઃ હંસાબેન હસમુખલાલ ઘાટલીયા (ઉ.વ.૮૦) તે ડો.અમિત, મનિષા તથા જયેશના માતુશ્રી, ભુપતરાય હરિલાલ ઘેલાણી તથા કલાબેન લલિતકુમાર શાહના બહેન સંથારાપૂર્વક તા.૨૮ના અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૩૧ના મુંબઈ મુકામે રાખેલ છે.
પ્રવિણભાઇ શીશાંગીયા
રાજકોટઃ (વાણંદ) શીશાંગીયા પ્રવિણભાઇ મગનભાઇ (ઉ.વ.પર) તે સ્વ.મગનભાઇ નાથાભાઇના પુત્ર તેમજ સ્વ.લીલાભાઇ મગનભાઇના નાનાભાઇ તથા ઘનશ્યામભાઇના મોટાભાઇ તથા વિશાલ, માધવના પિતાશ્રી તથા સિધ્ધાર્થના કાકા તથા કરશનભાઇ કાંજીયા (વાંકાનેર)ના જમાઇ રાજેશભાઇના બનેવીનું તા.ર૭ના સાપર (વેરાવળ) મુકામે અવસાન પામેલ છે. તો તે સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સાપર (વેરાવળ) તેમના નિવાસસ્થાને રાખેલ છે.
અંબાબેન સરવૈયા
રાજકોટઃ વરિયા વંશ પ્રજાપતિ અંબાબેન કાનજીભાઇ સરવૈયા (ઉ.વ.૮પ) મુળ ગામ ખીજડીયા તે જેન્તીભાઇ કાનજીભાઇ સરવૈયાના માતુશ્રી અને બચુભાઇ તથા નાનજીભાઇ (અમદાવાદ)ના ભાભીનું તા.ર૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ ગુરૂવારના પ થી ૭ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૯, મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.
પાંચાભાઇ ગોહેલ
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ મેંદરડા હાલ રાજકોટ ભરતભાઇ તથા જગદીશભાઇના પિતાશ્રી પાંચાભાઇ ટપુભાઇ ગોહેલ (ઉ.વ.૭૦)નું તા.ર૮ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૩૧ના રૈયા રોડ બ્રહ્મસમાજ સામે શિવપરા શેરી નં.૮, ખાતે સાંજે પ થી ૭ કલાકે રાખેલ છે.
શશીકાંતભાઇ પુજારા
વાંકાનેરઃ સ્વ.માવજીભાઇ લાલજીભાઇ પુજારાના પુત્ર શશીકાંતભાઇ (ઉ.વ.૬પ) તે અમિતભાઇના પિતાશ્રી તથા પ્રવિણભાઇ, જીતુભાઇ તથા ભરતભાઇના મોટાભાઇ તથા બાબુભાઇ હરીલાલ ઘેલાણીના જમાઇનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૩૧ને ગુરૂવારે સાંજે પ-૩૦ કલાકે મણીકણીકેશ્વર મહાદેવ મંદિર, માર્કેટ ચોક વાંકાનેર ખાતે સાસરીયા પક્ષની (સાદડી) સાથે રાખેલ છે.
હેમીબેન ગંગદેવ
ઉના : હેમીબેન દેવચંદભાઇ ગંગદેવ (ઉ.વ. ૮૫) તે સ્વ. દેચચંદભાઇ મુળજીભાઇ (કાણકીયા વાળા) ના ધર્મપત્ની ચંદુભાઇ, ગોવિંદભાઇ, રસીકભાઇ, સ્વ. દિનેશભાઇ ગંગદેવ (એકાઉન્ટન્ટ) ના દાદીમાં તથા સ્વ. ભીખાલાલ હરજીવનભાઇ કાનાબારના બહેનનું તા. ૨૮મીએ અવસાાન પામેલછે. બેસણું ઉના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
હંસાબેન ઘાટલીયા
રાજકોટઃ હંસાબેન હસમુખલાલ ઘાટલીયા (ઉ.વ.૮૦) તે ડો.અમિત, મનિષા તથા જયેશના માતુશ્રી, ભુપતરાય હરિલાલ ઘેલાણી તથા કલાબેન લલિતકુમાર શાહના બહેન સંથારાપૂર્વક તા.૨૮ના અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૩૧ના મુંબઈ મુકામે રાખેલ છે.