Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020
સરકારી વકીલ દિલીપભાઇ મહેતાના માતુશ્રી રમાગૌરીબેનનું અવસાન

રાજકોટ : મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી (ગોહિલવાડી) બ્રાહ્મણ જ્ઞાતીના મુળ ઘોઘાવદર નિવાસી હાલ રાજકોટ મનુભાઇ મથુરદાસ મહેતા (નિવૃત એસ.ટી. કર્મચારી)ના ધર્મપત્નિ અ.સૌ. રમાગૌરી (ઉ.વ.૭૭) તે સાણથલી નિવાસી સ્વ. મણીશંકર ગોરધન પંડયાના સુપુત્રી, અતુલભાઇ (એડવોકેટ એન્ડ નોટરી), દિલીપભાઇ (એડવોકેટ-નોટરી- સરકારી વકિલ), મીતાબેન નીલેશકુમાર ભટ્ટ, પન્નાબેન રાજેશકુમાર જાનીના માતૃશ્રી, વાસંતીબેન તથા તૃપ્તિબેનના સાસુ તેમજ ભકિત, ઘનશ્યામ તથા કશ્વીના દાદીનું તા. ર૯-૪-ર૦ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક ક્રિયા કોરોના વાયરસ મહામારીને કારણે બંધ રાખેલ છે. શોક સંદેશ ટેલીફોનીક, વોટ્સએપ/ મેસેજથી પાઠવવા વિનંતી. મનુભાઇ મહેતા (૯૦૧૬૯ ૬૪૮૪૬), અતુલભાઇ મહેતા (૯૭ર૪૩ ૧૧૦૭૦), દિલીપભાઇ મહેતા (૯૮રપ૪ ૩૮૯૩૯)

અવસાન નોંધ

મેરામણભાઇ રાઠોડ

કોડીનાર : દુદાણા નિવાસી મેરામણભાઇ રામભાઇ રાઠોડ (ઉ.વ.૮૬), હિંમતસિંહભાઇ (ભગવતભાઇ રાઠોડ (મેનેજર જમીન વિકાસ બેંક કોડીનાર) ના પિતા અને કિશનભાઇ હિંમતસિંહભાઇ રાઠોડ, ચેતનભાઇ હિંમતસિંહભાઇ રાઠોડના દાદાનું તા. ર૮ના રોજ અવસાન થયું છે. બેસણું બંધ રાખેલ હોય શોક સંદેશ ટેલીફોનિક વાતથી પાઠવવા વિનંતી છે. (૮.૬)

ચુનીલાલ જાંબુડીયા

જુનાગઢઃ શ્રી ગુર્જર પ્રજાપતિ ચુનીલાલ લક્ષ્મણભાઇ જાંબુડીયા ઉ.વ.૭૬ તે પરેશભાઇ તથા હીનાબેનના પિતાશ્રી તથા ચંદ્રીકાબેનના સસરાનું તા. ૨૮ના અવસાન થયેલ છે. હાલ વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઇ લૌકિક ક્રિયા મોકુફ રાખવામાં આવી છે. ફોન નં. ઉપર શોક વ્યકત કરવા વિનંતી મો. ૯૪૦૮૨ ૬૩૬૭૩ (૩.૫)

કાંતીલાલ ચન્નાબાબરા

ઉપલેટાઃ ભાયાવદર નિવાસી કાંતીલાલ ત્રિભોવનદાસ ચન્નાબાબરા (ઉ.વ.૮૨) તે મનસુખભાઇ , તુલસીભાઇના મોટાભાઇ તથા  જગદીશભાઇના પિતાશ્રીનું તા. ૨૮ના અવસાન થયેલ છે. ઉઠમણુ-બેસણું રાખેલ નથી.(૩.૫)

વિજયાબેન કારીયા

ગોંડલઃ સ્વ. ગીરધરલાલ જેઠાલાલ કારીયા (અનાજવાલા)નાં ધર્મપત્ની ગં. સ્વ. વિજયાબેન (ઉ. વર્ષ ૯૦) તે કિર્તીભાઇ (રાજકોટ), દિનેશભાઇ, જગદીશભાઇ, અશ્વિનભાઇનાં માતુશ્રી તેમજ કેતનભાઇ, સ્મીતનાં દાદીમાં તેમજ સ્વ. અન્સુખલાલ કેશવજીભાઇ વિઠલાણી (જુનાગઢ) નાં મોટા બહેન તા. ર૭ સોમવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૩૦ ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિર્તીભાઇ કારીયા મો. ૯૪ર૮ર ૮૪૪રપ, દિનેશભાઇ ૯૪ર૬૯ ૦૦પ૮૮.

જમનાદાસ લાઠીગરા

ગોંડલઃ સોની જમનાદાસ રતિલાલ લાઠીગરા (ઉ. ૮૩) તે જયોતીભાઇ, રાજુભાઇ, ધનીબેન, નયનાબેન, ભાવનાબેનના પિતા લાલાભાઇના કાકા પ્રતીક, કિશાન, સચિન, કારણના દાદાનું તા. ર૮ના રોજ અવસાન થયેલ છે.

કિશોરભાઈ સંઘાણી

રાજકોટઃ મનસુખલાલ ભાયચંદ્ર સંઘાણીના પુત્ર તથા સંઘાણી સંઘના ટ્રસ્ટી તથા પશુપાલન નિયામક કચેરીના વહીવટી અધિકારી અને સ્વ.રંજનબેન કિશોરભાઈ સંઘાણીના પતિ તથા કવિતાબેન, અંકિતાબેન નિખિલભાઈના પિતાશ્રી કિશોરભાઈ મનસુખભાઈ સંઘાણી (ઉ.વ.૭૮) તા.૨૮ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિના ઉઠમણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.