Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020
જયેશ સ્વીટ માર્ટવાળા હરિભાઈ ખીલોસીયાનું દુઃખદ અવસાન : આવતીકાલે સાંજે બેસણું

રાજકોટ, તા. ૨૯ : સદર બજાર - મોટી ટાંકી પાસે 'અકિલા' પ્રેસ સામે આવેલ મે. જયેશ સ્વીટ માર્ટવાળા શ્રી હરિલાલ વિઠ્ઠલદાસ ખિલોસીયાનું ટૂંકી બિમારી બાદ દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. ખૂબ જ સાલસ - ધાર્મિક સ્વભાવના હરિભાઈના અચાનક નિધનથી સહુને ઉંડો આંચકો લાગ્યો છે. મુળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્થાયી થયેલ સ્વ.વિઠ્ઠલદાસ રામજીભાઈ ખીલોસીયાના પુત્ર રાજેશભાઈ (મો.૮૧૪૦૯ ૫૫૨૦૯), યોગેશભાઈ અને રીતેશભાઈના પિતાશ્રી તથા ચંદુભાઈના ભાઈ હરીલાલ વિઠ્ઠલદાસ ખિલોસીયાનું આજે દુઃખદ અવસાન થયુ છે. સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી ૪- મનહરપ્લોટ, નિરાલી એપાર્ટમેન્ટ, રાજકોટથી સ્મશાનયાત્રા નીકળી હતી. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો, સગા - સંબંધીઓ, વેપારીઓ જોડાયા હતા. તેમનું બેસણું આવતીકાલે તા.૩૦-૧-૨૦૨૦ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ વચ્ચે કંદોઈ જ્ઞાતિની વાડી, ૧૦ દિવાનપરા ખાતે (બહેનો અને ભાઈઓનું બંનેનું) રાખેલ છે.

નિવૃત આરએફઓ રણવીરસિંહ જાડેજાના માતુશ્રીનું દુઃખદ અવસાનઃ શુક્રવારે બેસણું

રાજકોટઃ વાગુદળ (લોધીકા)ના વતની હાલ રાજકોટ નિવાસી જ્ઞાનકુંવરબા મુળરાજસિંહ જાડેજા (ઉ.વ.૮૯) તે સ્વ. મુળરાજસિંહ નટવરસિંહ જાડેજાના ધર્મપત્નિ, રણજીતસિંહ, નિર્મળસિંહ તથા ઉપેન્દ્રસિંહના ભાભીશ્રી તેમજ ઇન્દ્રસિંહ (જેટકો), વનરાજસિંહ, ગજરાજસિંહ અને રણવીરસિંહ (નિવૃત આરએફઓ)ના માતુશ્રી તેમજ દિવ્યરાજસિંહ, મયુરસિંહના ભાભુમાનું તા.૨૯ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૩૧ના શુક્રવારે સાંજે ૪ થી ૬, શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર, સદ્દગુરૂ નગર રૂડા-૨ની સામે યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

લક્ષ્મીદાસ કોટેચા

રાજકોટ : માંગરોળ નિવાસી શ્રી લક્ષ્મીદાસ લાલજીભાઇ કોટેચા  (ઉ.વ.૮૫) તે રમેશભાઇ, શૈલેષભાઇ, દિનેશભાઇ, વિનોદભાઇના પિતાશ્રી તેમજ સ્વ. નંદલાલભાઇ કોટક (મેંદરડા વાળા)ના જમાઇનું અવસાન તા.૨૯ને બુધવારના રોજ થયેલ છે. સદ્ગતનું ઊઠમણું તેમજ સસરા પક્ષની સાદડી ગુરૂવારે તા. ૩૦ના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન 'ઊત્સવ' ગાયત્રી નગર કેશોદ બાયપાસની બાજુમાં રાખેલ છે.

લક્ષ્મીદાસ કારીયા

રાજકોટ : મુળ વિસાવદર નિવાસી હાલ રાજકોટ શ્રી લક્ષ્મીદાસ હરજીવનદાસ કારીયા (ઉ.વ.૭૪) તે દિપકભાઇ કારીયા તથા સ્વ. પ્રકાશભાઇ કારીયાના પિતાશ્રીનું ૨૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ નર્મદેશ્વર મહાદેવ મંદિર, કડીયા નગર -૨, તેમના નિવાસ સ્થાન પાસે રાખેલ છે.

હંસાબેન ધોરડા

સાવરકુંડલાઃ હંસાબેન ગુણવંતભાઈ ધોરડા(પીઠવડીવાળા), (ઉંમર ૭૦)  તે રમેશભાઈ, પ્રકાશભાઈ, ધર્મેન્દ્રભાઈ, સોનલબેન, મુકેશભાઈ જગડા(રાજુલા), રૂપલબેન વિજયકુમાર ધાણક(મુંબઇ)ના માતૃશ્રી તેમજ ધીરૂભાઇ રતિલાલ ધકાણ(ભોરિંગડાવાળા), જગદીશભાઈ રતિલાલભાઈ ધકાણ(અમરેલી) અને ભરતભાઈ રતિલાલભાઈ ધકાણ(અમરેલી) ના બહેન શ્રીજી ચરણ પામેલ છે. સદગતની સાદડી તા.૩૦ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૬, મણીભાઈ ચોક, પરજીયા સોની વાડી, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

બાબુલાલ મશરૂ

ગોંડલ બાબુલાલ છગનલાલ મશરૂ (દેવકી ગાલોલ વાળા)ઉ.૭૬ તે સંજયભાઈ (રિશીતા સ્ટુડિયો)નાં પિતાજી,કેવિન તથાં પ્રિત નાં દાદા,દિલીપભાઇ (દેવકી ગાલોલ)અશ્વીનભાઇ (પરબવાવડી) કીરીટભાઈ (રાજુલા) રાજેશભાઈ (વિસાવદર)નાં કાકા, સ્વ.જયંતિભાઇ, સ્વ.પ્રભુદાસભાઇ, મનસુખભાઈ, રજનીકાંતભાઇ, કિશોરભાઈ આડતિયા (જેતપુર)નાં બનેવીનું અવસાન થયું છે.

બીપીનભાઇ સંઘવી

ગોંડલઃબીપીનભાઈ હેમતલાલ સંઘવી (ઉંમર વર્ષ ૭૦) તે સ્વ હેમતલાલ પાનાચંદ સંઘવીના નાના પુત્ર, રમેશભાઈ, સ્વ ઈન્દુબેન, સ્વ લતાબેન, વર્ષાબેન ભરતભાઈ મહેતા તથા જયશ્રીબેન દિનેશભાઈ મહેતાના નાના ભાઈ, રૂશીપ (મોન્ટુ), ધવલ તથા વૈશાલી કલ્પેશકુમાર મહેતા ના પિતા, વર્ષીલ અને વિનીત ના દાદા, સ્વ. બાબુલાલ શૌભાગ્યચંદ્ર બાવીસી (જેતપુર)ના જમાઈ નું તા. ૨૮ ના અવસાન થયું છે, ઉઠમણું તા. ૩૦ ગુરુવાર સવારે ૧૦ થી ૧૧ અને પ્રાર્થના સભા ૧૧ થી ૧૨, જૈન દેરાસર વાડી, નાની બજાર , ગોંડલ ખાતે રાખેલ છે.

હરિવલ્લભભાઇ લોલાડીયા

ગોંડલઃ સોની ઘેલાભાઈ વિઠ્ઠલજી ધીણોજા ના જમાઈ સોની હરિવલ્લભ ગોકળદાસ લોલાડિયા તે બળવંતભાઈ, ધીરજભાઈ, શરદભાઈ, વિનુભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, નવનીતભાઈ, હરકિશનભાઈ ધીણોજાના બનેવી ઈન્દૌર મુકામે અવસાન પામેલ છે તેમની સાદડી ગોંડલ મુકામે તા.૩૧ ને શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્રી માળી સોની જ્ઞાતિ વાડી સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે.

લલ્લુભાઇ ગોહેલ

જસદણઃ લુહાર - સુતાર લલ્લુભાઈ પિતાંબરભાઈ ગોહેલ ઉ. (વ. ૮૮ )જે સ્વ. ધનજીભાઈ , રામજીભાઈ, મગનભાઈ ના મોટાભાઈ અને સ્વ, સવજીભાઈ ના નાના ભાઈ તેમજ પ્રદિપભાઈના પિતાશ્રી અને હર્ષદભાઈ, વિપુલભાઈના દાદા નું ૨૭-૧ ના અવસાન થયેલ છે . બેસણું તા ૩૧ ને શુક્રવારના સાંજે ૪ થી ૫-૩૦ તેમના નિવાસ સ્થાન વૃંદાવન સોસાયટી, વિંછીયા રોડ જસદણ ખાતેઙ્ગ છે.

મુકતાબેન મકવાણા

મોરબીઃ મુકતાબેન અનિલભાઈ મકવાણા તે કમલેશભાઈ મકવાણા અને અતુલભાઈ મકવાણાના માતાનું તા. ૨૬ ના રોજ દુખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. ૩૦ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન ફૂલછાબ, બ્લોક નંબર ૩૨, વિસીપરા મોરબી ખાતે રાખેલ છે.

પુષ્પાબેન રાઠોડ

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતીના પુષ્પાબેન પ્રવીણભાઇ રાઠોડ (ઉ.વ.૭૭) તે સ્વ.પ્રવીણભાઇ માધવજીભાઇ રાઠોડના ધર્મપત્ની તથા કાળુભાઇ ગીરધરભાઇ રાઠોડ, સ્વ.મહેશભાઇ, ગીરીશભાઇ, જેન્તીભાઇના કાકી તથા પ્રફુલાબેન, દીપ્તીબેન મનીષાબેનના માતુશ્રીનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ના સાંગણવા ચોક દરજી જ્ઞાતીની વાડીએ સવારે ૮ થી ૧૦ રાખેલ છે તથા શાંતી યજ્ઞ સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.

ભાસ્કરભાઇ યાજ્ઞિક

રાજકોટઃ ભાસ્કરભાઇ યાજ્ઞિક (ઉ.વ.૬૦) તે સ્વ.ચંદ્રશંકર લાભશંકર યાજ્ઞિકના પુત્ર, અ.સૌ. કુસુમબેન, સ્વ.અશોકભાઇ, હિતેન્દ્રભાઇ, વિપુલભાઇના ભાઇ, દિપાલી, પૂજા, હાર્દિકના પિતા, દિપકકુમાર ભટ્ટ (અમદાવાદ)ના સસરા તથા સ્વ.જયંતિલાલ દયાશંકર વ્યાસ (જોડીયા)ના જમાઇ તથા રજનીકાંત ભટ્ટના સાળાનું તા.રપના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦, ૧૪-નીલકમલ પાર્ક, સાધુ વાસવાણી રોડ, સન સીટી ફલેટ સામે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

હસમુખલાલભાઇ રોજાસરા

રાજકોટઃ અ.નિ. સોની હસમુખલાલ રાઘવજીભાઇ રોજાસરા (ઉ.વ.૬૯)નું તા.ર૭ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪ાા થી ૬ રામઝરૂખા મંદીર કોઠારીયા નાકા પાસે રાખેલ છે.

બચુબા જાડેજા

વાંકાનેરઃ નવી મોટી ચીરઇ નિવાસી હાલ વાંકાનેર જાડેજા ઉદયસિંહ ભુરૂભાના પત્ની બચુબા (ઉ.વ.૮૮)નું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ઝાલા નવલસિંહ ગજુભા (બટુકસિંહ)ના નિવાસસ્થાને બ્રાહ્મણ શેરી, પ્રતાપ ચોક, વાંકાનેર ખાતે રાખેલ છે.

મણીબેન સુવા

ઉપલેટાઃ મેરામણભાઇ સવાભાઇ સુવાના ધર્મપત્ની મણીબેન (ઉ.વ.૬૭) તે મનોજભાઇ, જીતેશભાઇ તથા નયનાબેનના માતુશ્રી તા.ર૭ના સોમવારના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.૩૦ ગુરૂવારે ૩ થી પ તેમના નિવાસસ્થાન  દ્વારકાપુરી પાસે, દ્વારકાધીશ સોસાયટી, ઉપલેટા મુકામે રાખેલ છે.

છગનભાઇ રૂડાણી

કુંકાવાવ મોટીઃ નાજાપુર નિવાસી છગનભાઇ શંભુભાઇ રૂડાણી (ઉ.વ.પ૯) તે વિરજીભાઇ, બટુકભાઇ, ધીરૂભાઇના નાનાભાઇ તેમજ અરૂણભાઇ તથા અનીલભાઇના પિતાશ્રીનું તા.ર૮ના અવસાન થયેલ છે.

કોકીલાબેન શાહ

રાજકોટઃ સ્વ.પ્રિતમલાલ છોટાલાલ શાહના પુત્ર સ્વ.મનહરલાલ શાહના ધર્મપત્ની તેમજ તેજશ, વિરલના માતુશ્રી તેમજ વૈશાલી, દિપાલીના સાસુ તેમજ વિણાબેન જયકાંતભાઇ મીઠાણીના ભાભી, તેમજ સ્વ.જયવંતલાલ મોહનલાલ વોરાના પુત્રી તેમજ દીલીપભાઇ વોરા (આરએમસી) રંજનબેન, હંસાબેન વોરાના મોટા બહેન કોકીલાબેન મનહરલાલ શાહ તા.ર૮ના અરિહંત શરણ થયેલ છે. જેમનું ઉઠમણું તા.૩૦ના સવારે ૧૦-૩૦ કલાકે, વિમલનાથ જૈન ઉપાશ્રય, ગોપાલ ચોક, વાસુપુજય દેરાસરની બાજુમાં, રૈયા રોડ, મુકામે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મંજુલાબેન છગનલાલ

રાજકોટઃ મોટા વડાળા નીવાસી સ્વ.છગનલાલ અમરસીંહ સોનછાત્રાના ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ.૭૪) તે દલસુખભાઇ, જયસુખભાઇ, મહેશભાઇના માતુશ્રી તથા ભુપતભાઇ તેમજ નવિનભાઇ ભાઇચંદભાઇ રાજવીરના બહેનનું તા.ર૬ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ મોસાળ પક્ષની સાદડી તા.૩૦ને ગુરૂવારે દલસુખભાઇના નિવાસસ્થાને મિરા માધવ એપાર્ટમેન્ટ મોટા મોવા સરકારી સ્કુલની બાજુમાં ૪ થી પ રાખેલ છે.

નિર્મળાબેન બુધ્ધદેવ

રાજકોટઃ નિર્મળાબેન (ઉ.વ.૭૧) તે સ્વ.ઇન્દુલાલભાઇ બુધ્ધદેવના ધર્મપત્ની કે જે સ્વ.નરશીદાસ ઠાકરશીભાઇ બુધ્ધદેવના પુત્રવધુ તે પરેશભાઇ, વિપુલભાઇ તેમજ રશ્મિબેનના માતુશ્રી તે સંજયભાઇ રૂપારેલિયાના સાસુ જે સ્વ.મોહનલાલ ભવાનભાઇ કોટકના પુત્રીનું તા.ર૮ના અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા.૩૦ના ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

મુદુલાબેન પંડ્યા

મોરબી : મૃદુલાબેન અશોકભાઈ પંડ્યા તે અશોકભાઈ પંડ્યાના પત્ની તેમજ લક્ષ્મીશંકર વજેશંકર પંડ્યાના પુત્રવધુ તથા ઉદયભાઈ, ભાવિનીબેન પરેશકુમાર (વઢવાણ) અને વૈશાલીબેન નીતિનકુમાર (અમદાવાદ) ના માતા તેમજ ગીરીશભાઈ અને મહેશભાઈના ભાભી નું તા ૨૮ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૩૦ ને ગુરુવારે સાંજે ૦૩ :૩૦ થી ૫ કલાકે શ્રી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, રામદ્યાટ પાસે મોરબી ખાતે રાખેલ છે.

પ્રતિભાબેન જોશી

રાજકોટઃસારસ્વત બ્રાહ્મણ કનૈયા સ્વ.ગુણવંતરાઈ ધીરજલાલ જોશીના પત્ની પ્રતિભાબેન(ઉ.વ.૭૨) તે કૌશિકભાઈ, ભાવેશભાઈ,પુનિતાબેન અને યોગિતાબેનના માતા, કમલકુમાર નરેન્દ્રભાઈ ધતુરીયા, વિપુલકુમાર હીરાભાઈ વાડોલિયાના સાસુ તા.૨૮ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૩૦ને ગુરૂવારે, સાંજે ૪-૩૦થી ૫-૩૦, ગીતા વિદ્યા મંદિર, જંકશન પ્લોટ, મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભનુલાલ ભટ્ટ

આદિત્યાણા : સ્વ. ભનુલાલ મગનલાલ ભટ્ટ (ઉ.વ.૮૪) તે પ્રાણભાઇ (ભીખુભાઇ) મુંબઇ, ધીરૂભાઇ-મુંબઇ, ગીરધરભાઇ તથા નર્મદાબેન વલસાડના ભાઇનું તા.૨૮ ને મ૦ગળવારના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૩૦ ને ગુરૂવારે ૪ થી ૪.૩૦ તેઓના રામમંદિર પાસે નિવાસ સ્થાને રાખેલ છે.

મંજુલાબેન સોમૈયા

મોરબીઃમંજુલાબેન છોટાલાલ સોમૈયા (ઉવ.૭૮) તે સ્વ. ઠા. છોટાલાલ કાલીદાસ સોમૈયાના ધર્મપત્ની, પ્રફુલભાઇ સોમૈયા તથા સ્વ. મનુભાઇ સોમૈયાના ભાભી, સ્વ. મોહનલાલ દેવકરણ બારાના પુત્રી તથા વિનુભાઇ બારા તથા મહેન્દ્રભાઇ બારાના બહેન, કમલેશભાઇ અને પ્રીતિબેન પ્રદીપભાઇ મીરાણીના માતૃશ્રી તેમજ મૌલિકભાઇના દાદીમાંનું તા.૨૮નાં રોજ મંગળવારે અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા.૩૧નાં રોજ શુક્રવારે સાંજે ૫ કલાકે જળેશ્વર મહાદેવનું મંદિર સ્ટેશન રોડ મોરબી મુકામે રાખેલ છે.

નઝમાબેન પઠાણ

ભાવનગરઃ મર્હુમ સતારખાન અકબરખાન (મ્યુનિ.વાળા) ના ઔરત નઝમાબેન (ઉવ.૬૦ મ્યુનિ.વાળા) તે મજીદખાન અકબરખાનના ભાવી, શબ્બીરખાન મોહસીનખાનના વાલીદા (માતા), પઠાણ જીલાનીખાનના મોટીમાં, પઠાણ અસરફખાન રહેમતખાનના કાકી, બેલીમ હુસેનભાઇ મહંમદભાઇ, કેશુભાઇ મહંમદભાઇ, સુલતાનભાઇ મહંમદભાઇ તળાજા વાળાના ભાણેજ, ગોરી આરીફભાઇના વેવાઇ, મર્હુમ રહીમભાઇ નાનુભાઇ કુરેશી, રજાકભાઇ નાનુભાઇ, યુનુસભાઇ નાનુભાઇ, હનીફભાઇ નાનુભાઇ, રફીકભાઇ નાનુભાઇ, દિલાભાઇ નાનુભાઇ લાકડાવાળાના બેન, પઠાણ ઇબ્રાહીમખાન મહંમદખાન, શેખ અફઝલ મહંમદભાઇના સાળી, મર્હુમ કુરેશી કાસમભાઇ શેખ રજાકભાઇ હાજીસીકંદર, મર્હુમ ગઢીયા ઇકબાલભાઇ કાજી અલારખભાઇ મર્હુમ મુનસી મનસુરભાઇના સાળી તા.૨૮નાં જન્નતનશીત થયેલ છે. મર્હુમાની જીયારત તા.૩૦ને ગુરૂવારે સવારે ૮:૩૦ કલાકે કાગદીવાડ મસ્જીદમાં તથા ઔરતો માટેની જીયારત અને ચૈલમ તેમના નિવાસ સ્થાને કાગદીવાડ, ચોપદારવાડ, ભાવનગરમાં રાખેલ છે.

મગનલાલ કાછેલા

જામજોધપુરઃ મગનલાલ રવજીભાઇ કાછેલા (ઉવ.૮૪) તે સ્વ. ભનુભાઇ કાન્તીભાઇ જયાબેન મુકતાબેન  તથા મુકેશભાઇ તથા પ્રજ્ઞાબહેનના પિતાશ્રી તેમજ મનોજકુમારના સસરા નું તા. ૨૭ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૩૦ ને ગુરૂવારે ૪:૩૦ થી ૫:૦૦ કલાક દરમ્યાન સન્યાસ આશ્રમ ગીંગણી  દરવાજા પાસે જામજોધપુ રાખેલ છે.

અશોકભાઇ દેવમુરારી

રાજકોટ : ખારચીયા (સંજલીયા) નિવાસી (હાલ રાજકોટ) અશોકભાઇ ભાનુરામ દેવમુરારી (ઉ.વ.૪૫) તે મહેશભાઇ, સ્વ. સુખદેવભાઇ, અતુલભાઇ, યોગેશભાઇ તેમજ નિર્મળાબેન, સંગીતાબેનના ભાઇ તથા પ્રદિપભાઇ, સંજયભાઇનાં સાળાનું તા.૨૮નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૩૦ને ગુરૂવારનાં સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન પ્રિયદર્શન સોસાયટી શેરી નં. ર, ઓમનગર પાછળ, ૧૫૦ ફૂટ રિંગરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લાભુબેન પીલોજપરા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ. લાભુબેન હરીલાલ પીલોજપરા (ઉ.વ.૯૫) તે સ્વ. હરીલાલ ચકુભાઇ પીલોજપરાના ધર્મપત્ની તેમજ વીનુભાઇ હરીલાલ પીલોજપરા, જયાબેન મનસુખલાલ ધ્રાંગધરીયા, શારદાબેન ગોંવિદલાલ ભાડેશીયા, મધુબેન ભગવાનજીભાઇ ભાડેશીયા તથા નિતાબેન લલિતકુમાર દુદકિયા (અમદાવાદ) વાળાનાં માતૃશ્રી તેમજ જીતેશભાઇ વીનુભાઇ પીલોજપરા, ઉષબેન નિલેશકુમાર પંચાસરા, મનિષાબેન પ્રવિણકુમાર વડગામા (જામખંભાળીયા), હર્ષાબેન ઘનશ્યામકુમાર છનિયારા, રશ્મિબેન પંકજકુમાર અંબાસણાના દાદાી તા. ૨૭ સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૩૦ ગુરૂવારના રોજ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ -રાજકોટ, ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

અલ્પેશભાઇ ટાંક

રાજકોટ : મુળગામ બીલીયાળા હાલ રાજકોટ મનુભાઇ પરસોતમભાઇ ટાંકના પુત્ર અલ્પેશભાઇ (ઉ.વ.૩૪) તે દિપકભાઇના નાનાભાઇ રાજુભાઇ ધીરૂભાઇ રાઠોડના જમાઇ તથા અક્ષરના પિતાશ્રી તા. ૨૭ને સોમવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા. ૩૦ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ ગુંદાવાડી, શેરી નં.૧૪ના છેડે, નાંલદા એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. (બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

માલુબેન લાવડીયા

રાજકોટ : માલુબેન કચરાભાઇ લાવડીયા (ઉ.વ.૮૦) તે રામભાઇ કચરાભાઇ લાવડીયા તેમજ ભુપતભાઇ કચરાભાઇના માતૃશ્રીનુ તા.૨૮ના રોજ રાજકોટ મુકામે પુનિતનગર, 'ચાંમુડા કૃપા' તેમના નિવાસસ્થાને થયેલ છે.

રતિલાલ પંડયા

રાજકોટ : ચા.મ. મોઢ બ્રાહમણ મુળ ઊકરડા નિવાસી હાલ રાજકોટ રતિલાલ વજેશંકર પંડયા  (ઉ.વ.૮૭) તે એમ.આર.પંડયા (દેનાબેંક) અશ્વિનભાઇ પંડયા (આર.એમ.સી.) ભાવેશભાઇ પંડયા (કેન્સર હોસ્પીટલ) તેમજ લલીતાબેન નિતાબેન તથા ચંદાબેનના પિતાશ્રી તેમજ હિરાલાલ ત્રિવેદી (વાછકપર/બેડી) વાળાના જમાઇ તા.૨૮ના રોજ કૈલાશવાસ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૩૦ ગુરૂવાર સાંજે ૪ થી ૫ રામેશ્વર મંદિર, રામેશ્વરચોક, ૫૦ ફૂટ રોડ, કોઠારીયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખભાઇ રાણપરા

રાજકોટ : ધુળકોટ વાળા (હાલ રાજકોટ) સોની લીલાધરભાઇ પોપટલાલ રાણપરાના પુત્ર સોની મનસુખભાઇ લીલાધરભાઇ રાણપરા (ઉ.વ.૬૭) તે મોહિતભાઇ, જાગૃતિબેન, સોનલબેન, રૂપલબેન, ભાવિકાબેન, હિનાબેનના પિતાશ્રી તથા જંયતીલાલ, ચંદ્રકાંતભાઇ,કિશોરભાઇ તથા સંજયભાઇના મોટાભાઇ તેમજ તે મનસુખલાલ હરજીવનભાઇ આડેશરા (કેશીયાવાળા)ના જમાઇ તથા પ્રવીણભાઇ તથા સુરેશભાઇ ના બનેવી તા. ૨૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું (બંને પક્ષનું સાથે) તા. ૩૦ ગરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧:૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, લીમડા ચોક, પાસે રાખેલ છે.

રમિલાબેન કારીયા

રાજકોટ  : પોરબંદર વાળા, હાલ રાજકોટ નિવાસી નગીનદાસ ગીરધરલાલ કારીયના પત્ની તે વિપુલભાઇ તથા હિરેનભાઇ (જોન્ટીસ કોલ્ડ્રીંક) અને યોગીતાબેનના માતુશ્રી અને રાજેશકુમાર તન્ના (ગાયત્રી ટ્રેડીંગ) ના સાસુ રમીલાબેન (નીમુબેન) નગીનદાસ કારીયાનું તા. ૨૬ ના અવસાન થયેલ છે.તેમનું ઉઠમણું તથા માવતર પક્ષની સાદડી (સ્વ. પરમાણંદ વસનજી સોમૈયા કુતીયાણાવાળા) તા.૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ વાગ્યે જાગનાથ મંદિર, યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

પ્રવિણભાઇ સોલંકી

રાજકોટ : મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ સ્વ. ધનજીભાઇ પ્રાગજીભાઇ સોલંકીના પુત્ર તથા સ્વ. જગદીશભાઇ તથા જીતેન્દ્રભાઇના ભાઇ તથા હાર્દિકભાઇ તથા ધવલભાઇના પિતા તથા શ્રી હિરજીભાઇ રામજીભાઇ પીઠડીયાના જમાઇ પ્રવીણભાઇ ધનજીભાઇ સોલંકી રાજકોટ મુકામે તા. ૨૬ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૩૧ને શુક્રવાર સાંજે ૪ થી ૫ તેમના સ્થાને જૂનો મોરબી રોડ, આશાપુરા પાર્ક ર, ગિરિરાજ પાર્ટી પ્લોટની બાજુમાં રાખેલ છે. તથા સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ધનકુંવરબેન પરમાર

રાજકોટ : મચ્છુ કઠિયા સઇ સુથાર ગઢકાવાળા (હાલ રાજકોટ) સ્વ. હરજીવનભાઇ (હરીલાલ) ચકુભાઇ પરમારના ધર્મપત્ની ધનકુંવરબેન હરજીવનભાઇ પરમાર (ઉ.વ.૮૦) તે જીતેન્દ્રભાઇ, કિરીટભાઇ, જયકાન્તભાઇ, અશોકભાઇ તથા હીનાબેન માતૃશ્રી તથા સહદેવ, ગૌતમ તથા શીલાબેનના દાદીમાનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૩૦ ગુરૂવારે સાંજે ૪ થી ૫, સુખનાથ મહાદેવ, રામનાથ મહાદેવ મંદિર, રામનાથ પરા રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કાંતાબેન વિસાવડીયા

વેરાવળ : કાંતાબેન દેવજીભાઇ વિસાવડીયા ઉ.૯૦ તે દેવજીભાઇ હેરજીભાઇના પત્ની તથા કિરીટભાઇ, હર્ષદભાઇના માતુશ્રીનું તા. ર૬ના અવસાન થયેલ છે.

રમાબેન ત્રિવેદી

જુનાગઢ : દાત્રાણા નિવાસી રમાબેન પ્રભાશંકરભાઇ ત્રિવેદી તે સ્વ. પ્રફુલચંદ્ર પ્રભાશંકર ત્રિવેદીના બહેન તે મધુબેન ત્રિવેદીના નણંદ તે હિમાંશુભાઇ તથા ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી ના ફઇબા તા. ર૯ના કૈલાસવાસ પામેલ છે. ઉઠમણું તા. ૩૧ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શાંતેશ્વર મંદિરે જોષીપરા, જુનાગઢ ખાતે રાખેલ છે.

મીરાબેન પ્રચ્છક

વેરાવળ : પ્રભાસપાટણ બ્રાહ્મણ મીરાબેન મધુકાંતભાઇ પ્રચ્છક ઉ.૭૦ તે મધુકાંતભાઇ (નિવૃત કર્મચારી નગરપાલિકા)ના પત્ની તથા ભાવેશભાઇના માતુશ્રી તા. ર૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩૧ ને શુક્રવારે સાંજે ૬ કલાકે ચંદ્રેશ્વર મંદિર પ્રભાસપાટણ (સોમનાથ) ખાતે રાખેલ છે