Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018
મુકેશભાઈ રાઠોડનું નિધનઃ ગુરૃવારે સાંજે બેસણું

રાજકોટઃ. ગુર્જર ક્ષત્રિય કડિયા, અ.નિ. નિલમબેન પ્રભુદાસભાઈ રાઠોડના પુત્ર મુકેશભાઈ રાઠોડ (ઉ.વ. ૪૫) તે અનિલભાઈના નાના ભાઈ, અ.નિ. વર્ષાબેન ટાંકના ભાઈ, મુકેશભાઈ ટાંકના સાળા તથા પાર્થ, કિંજલના કાકા સોમવાર તા. ૨૫-૬-૧૮ના રોજ સાંજે શ્રીજીચરણ પામેલ છે. તેનુ ગુરૃવાર તા. ૨૮-૬-૧૮ના રોજ બેસણુ તેમના નિવાસસ્થાન, કોઠારીયા રોડ, ગોવિંદનગર  મેઈન  રોડ,  જુની સુર્યોદય   સોસાયટી શેરી નં. ૫ના સાંજે ૪ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

 પ્રવિણભાઇ સિધ્ધપુરા

રાજકોટઃ મુળ ભાણવડના હાલ રાજકોટ ધીરજલાલ જમનાદાસ સિધ્ધપુરા, જગદીશભાઇ તથા કિશોરભાઇના ભાઇ તથા જય સિધ્ધપુરાના પિતાશ્રી પ્રવિણભાઇ જમનાદાસ સિધ્ધપુરા (ઉ.વ.૬૫)નું તા.૨૫ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું સોમનાથ મંદીર રામેશ્વર  સોસાયટી, પીપળીયા હોલથી આગળ, રાજકોટ રાખેલ છે. જે સ્વ. ભગવાનજીભાઇ જીલ્કા તથા દિનેશ ભગવાનજીભાઇ જીલ્કાના બનેવી, તેનુ બેસણુ પણ સાથે રાખેલ છે.

ભાનુમતિબેન જેઠવા

રાજકોટઃ અ.સૌ. ભાનુમતિબેન તે કીરીટભાઇ મુળજીભાઇ જેઠવા રાજકોટના ધર્મપત્નિ અને રાજેશના માતુશ્રીનું દુઃખદ અવસાન  તા.૨૪ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરજી જ્ઞાતી વાડી કોટક શેરીનં.૧ સાંગણવા ચોક ખાતે રાખેલ છે. જેઠવા પરિવારના જયશ્રી કૃષ્ણ

 શાંતાબેન વાઢેર

રાજકોટઃ મુળગામ સાવરકુંડલા સ્વ.  લાખાભાઇ કુરજીભાઇ વાઢેરના ધર્મપત્નિ શાંતાબેન લાખાભાઇ વાઢેર (ઉ.વ.૯૫) તે કાળુભાઇ તથા નાનજીભાઇ તથા સવજીભાઇના માતુશ્રીનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ના રોજ ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. કોઠારીયા મેઇન રોડ રણુજા મંદીર પાછળ સંતોષ પાર્ક શેરી નં.૩ રાજકોટ ખાતે રાખેલ છે.

કુસુમબેન મહેતા

રાજકોટઃ મોઢવાણિક ગં.સ્વ.કુસુમબેન કાંતીલાલ મહેતા (ઉ.વ.૯૦) તે ગુણવતભાઈ તથા મહેન્દ્રભાઈના ભાભી તથા કિર્તિભાઈ (લંડન) તથા વિનુભાઈ (લંડન)ના માતુશ્રીનું તા.૨૫ સોમવાર રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌક્કિક્રિયા બંધ છે.

શાંતાબેન ભટ્ટ

જૂનાગઢ : શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ મોણીયા હાલ જૂનાગઢ નિવાસી શાંતાબેન ભટ્ટ (ઉ.૮૧) તે સ્વ. મનસુખલાલ રામશંકર ભટ્ટના પત્નિ તથા સ્વ. ધીરજલાલ અને સ્વ. બાબુલાલના ભાઇના પત્નિ તેમજ પ્રકાશભાઇ (એસ. બી. આઇ. સર્કલ ચોક) અને કાર્તિકભાઇ (રાજકોટ)ના માતુશ્રીનું તા. ર૩ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ર૮ ના સાંજે પ થી૬ મુંડીયાસ્વામી મંદિર હોલ, મધુરમ સોસાયટી, જુનાગઢમાં રાખેલ છે.