Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020
નિવૃત શિક્ષક અનંતરાય પંડયાના ધર્મપત્નીનું દુઃખદ અવસાન

રાજકોટઃ જેતપુર (કાઠી)ના નિવૃત શિક્ષક સ્વ.અનંતરાય ત્રિકમજી પંડયા (ખાડેપરાવાળા)ના ધર્મપત્ની શાંતાબેન અનંતરાય પંડયા (ઉ.વ.૮૬)નું વૃધ્ધાવસ્થાને કારણે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. (રાજુભાઈ પંડયા મો.૬૩૫૧૬ ૬૬૦૬૦)

અવસાન નોંધ

ચંદ્રસિંહ જાડેજા (ઉ.૯૧)નું અવસાનઃ તમામ લૌકિક ક્રિયાઓ બંધ

ભાવનગરઃ મોટા સગાડીયા હાલ ભાવનગર નિવાસી જાડેજા ચંદ્રસિંહજી મેરૂભા ઉ.વર્ષ ૯૧ તે હરવદનસિંહના પિતાશ્રી તથા મોહનસિંહજી, ઘનશ્યામસિંહજી (રાજકોટ)ના મોટા ભાઇ તથા વિક્રમસિંહ (અમદાવાદ) ના કાકા સાહેબ તથા દિવ્યરાજસિંહ, રત્નદીપસિંહના મોટાબાપુ તે સુર્યવીરસિંહ, પૂરન્જસિંહ, રૂત્વીસિંહ, ગીરીરાજસિંહના દાદાજી થાય તેઓ રપ/૩/ર૦ ના દેવલોક પામ્યા છે. તેમનું બેસણું તથા લૌકિક ક્રિયા હાલની વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇ બંધ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા ભાવનગર મુકામે રાખેલ છે. માત્ર મો.ઉપર સંપર્કકરવો ૯૮રપ૯ પ૯૧પ૮/૮૩ર૦૪ ૩૯૧૮૦

રાજકોટના રેડીયોલોજીસ્ટ ડો.નિલેશ શિંગાળાના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ કાંતિલાલ જી.શિંગાળા (નિવૃત બીએસએનએલ)ના ધર્મપત્નિ દમયંતીબેન (ઉ.વ.૭૫) તે ડો.નિલેશ શિંગાળા (પાર્થ ઈમેજીંગ સેન્ટર) તથા દક્ષા હરીહર જોબનપુત્રા (યુએસએ)ના માતુશ્રી તથા સુભાષભાઈ શિંગાળા (નિવૃત જીવન બેંક)ના ભાભી તે મોહનલાલ લવજીભાઈ બુધ્ધેયાની પુત્રી (માળીયા હાટીનાવાળા) તા.૨૪ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતીને લક્ષમાં લઈ ઉઠમણું, પ્રાર્થનાસભા કે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોન કે વોટ્સએપ મારફત સંદેશો મોકલવા વિનંતી. સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરેલ છે.

રમાબેન જોષી

વીરપુર (જલારામ) : સ્વ. શાંતિલાલભાઇ ગૌરીશંકરભાઇ જોષી (પૂર્વ જિલ્લા કેળવણી નિરીક્ષક)ના પુત્રવધુ તે ચંદ્રકાંતભાઇ જોષી (પૂર્વ આચાર્ય જેતલસર હાઇસ્કુલ) ના ધર્મપત્ની, તેમજ ચાર્મીબેન મેહુલકુમાર પંડયા (મોરબી), તથા શ્રુતિબેન નિરવકુમાર પંડયા (જુનાગઢ), તથા વૃંદાબહેનના માતુશ્રી રમાબેન (ઉ.૬૭) જોષી (પૂર્વ આચાર્ય શ્રી માતુશ્રી વીરબાઇમા કન્યા શાળા)નું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા. ર૭ શુક્રવારે સાંજે ૪ થી પ 'બીલીપત્ર હોલ' સાકરિયા પ્લોટ, સરકારી દવાખાનાની પાછળ રાખેલ છે.