Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020
ચલાલા લોહાણા સમાજના સેવાભાવી દિનેશભાઇ ચંદારાણાનું અવસાન

ચલાલા : (ધનભગત)  ચલાલા લોહાણા સમાજના વરીષ્ઠ આગેવાન રાધે ક્રિષ્ણ મંદિરના ટ્રસ્ટી, ગૌશાળાના ટ્રસ્ટી સેવભાવી દાતાશ્રી દિનેશભાઇ ગીરધરલાલ ચંદારાણા (કાપડના વેપારી) (ઉ.૬પ) નું તા. રપ ના અવસાન થયેલ છે.

લોહાણા સમાજ સહિત અન્ય સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપેલ તેની સદગત શ્રી દિનેશભાઇ પ્રમાણીક, માયાળુ, પરોપકારી, અને જરૂરીયાત મંદ લોકોને શીક્ષણ, આરોગ્ય, રાશન સહિત સેવાઓ પુરી પાડતા હતા સદગતની તેઓના નિવાસ સ્થાનેથી નિકળેલ  સ્મશાન યાત્રામા જીલ્લાભરના આગેવાનો સહિત ચાહક વર્ગ જોડાયેલા હતાં.

ધારાસભ્ય શ્રી જે. વી. ભાઇ કાકડીયા, લોહાણા સમાજના પ્રમુખ મહેન્દ્રભાઇ સાદ્રાણી, અમરેલી જીલ્લા સંઘના પ્રમુખ શ્રી જયંતીભાઇ પાનસુરીયા, ચલાલા ન.પા.ના પ્રમુખશ્રી ગીતાબેન કારીયા, ઉપપ્રમુખ શ્રી જયરાજભાઇ વાળા, ચીમનભાઇ વિઠલાણી, પ્રેમજીભાઇ નથવાણી, દિપકભાઇ મકદણી, પ્રકાશભાઇ કારીયા, તન્નારાણાભાઇ સહિતના આગેવાનો પુષ્પાંજલી અર્પણ કરી હતી.

અવસાન નોંધ

ખંભાળીયાના મુળ વતની હાલ ઇગ્લેન્ડ દામજીભાઇ ગોહેલનું અવસાન

ખંભાળીયા : મુળ ખંભાળીયાના વતની દરજી દામજીભાઇ ગોહેલ (ઉ.૯૧) તે મુળજીભાઇ નથુભાઇ ગોહેલના પુત્ર, સ્વ.ગૌરીબેન ગોહેલના પતિ તથા પ્રકાશ ગોહેલ (ઇંગ્લેન્ડ), કિરીટ ગોહેલ (ઇંગ્લેન્ડ), અશ્વિન ગોહેલ (ઇંગ્લેન્ડ), અરૂણાબેન પરમાર (અમેરિકા), ચંદ્રીકા પરમાર (અમેરિકા), વર્ષાબેન પરમાર (ઇંગ્લેન્ડ) તથા સ્વ. માલતીબેન દાવદરા (મડાગાસ્કર) ના પિતા તા. ર૪ ના રોજ અવસાન પામ્યા છે.

ચંદુભાઇ રાઠોડ

રાજકોટઃ લુહાર ચંદુભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ જે સ્વ. લક્ષ્મણભાઇ ત્રિભોવનભાઇ રાઠોડ જસદણવાળાના પુત્ર તથા નારણભાઇ તથા સ્વ. બટુકભાઇ તથા સ્વ. રસિકભાઇ તથા સ્વ. પ્રવિણભાઇના ભાઇ તથા રાજેશભાઇ ચંદુભાઇ તથા પુનમબેન પિયુષકુમાર સંઘાણી તથા આરતીબેન જગદીશકુમારના પિતાશ્રી નું અવસાન તા.ર ૪ ગુરૂવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા. ર૮ ને સોમવારે ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૬૬રર ૩૦ર૦૯, ૯૮૭૯૦ ૦૧૭૦ર, ૯૮રપ૧ ૯૬૩૮૭

રોહીતભાઈ હિરાણી

રાજકોટઃ સ્વ.કાનજીભાઈ ધરમસીભાઈ હિરાણી (વાણંદ)ના પુત્ર રોહીતભાઈ તે જતીનનાં પિતાશ્રી તે સ્વ.વૃજલાલ ધરમશીભાઈના ભત્રીજા રમેશભાઈ, સુરેશભાઈ, સ્વ.કિરીટભાઈ, હિરાબેન વિનોદરાય ભટ્ટી, અરૂણાબેન ભરતકુમાર સમેજા, કુંદનબેન દિપકકુમાર પારલેવાળાના ભાઈનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું (મોબાઈલ વાતચીત) તા.૨૬ને શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શબ્બીરભાઇ સોની

જામનગર : દાઉદી વ્હોરા શબ્બીરભાઇ એહમદઅલી સોની (ઉ.વ. ૪૫)તે નફીસાબહેન, રશીદાબહેન, મુનીરાબહેન, નશીમબહેન (રાજકોટ) દુરૈયાબહેન (મુંબઇ)ના ભાઇનું તા. ૨૪મીએ ગુરૂવારના રોજ જામનગરમાં વફાત પામેલ છે. કોરોના વાયરસને અનુલક્ષીને ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ ફકત ટેલીફોનીક જિયારત રાખેલ છે. શોક સંદેશા માટે મોહંમદભાઇ મો. ૯૮૯૮૧ ૭૫૧૫૨, મઝાહીરભાઇ મો. ૯૮૯૮૫ ૭૮૯૬૮.

બહાદુરસિંહ પરમાર

રાજકોટ : બહાદુરસિંહ હેમતસિંહ પરમાર તે કારડીયા રાજપૂત સમાજના માજી પ્રમુખ સ્વ. હેમતસિંહ દિપસિંહ પરમારના પુત્ર, સ્વ. રાજેશભાઇ હેમતસિંહ પરમારના મોટાભાઇ, ગોવિંદસિંહ, છત્રસિંહ, સ્વ.પ્રવિણસિંહના ભત્રીજા, તથા જેસલરાજના પિતાનું સ્વ.પ્રવિણસિંહના ભત્રીજા તથા જેલસરાજના પિતાનું તા. ૨૪ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૨૬ શનિવારે બપોરે ૪ થી ૬ રવિસિંહ એચ. પરમાર મો. ૯૯૨૫૨ ૧૯૯૩૭, પ્રશાંત આર. પરમાર મો. ૮૯૮૦૮ ૦૯૧૦૦, અવની બી પરમાર મો. ૮૯૮૦૭ ૮૧૯૯૩.

મેફુઝાબેન લોખંડવાલા

કાલાવડ : મેફુઝાબેન સમસુદ્દીન લોખંડવાલા ઝ. ફઝલેહુશેન મુસાણી (ઉ.વ.૭૮) તે શબ્બીરભાઇ, હાતીમભાઇ, સકીનાબેન (વંથલી), બતુલબેન (રાજકોટ)નાં માં તથા શેખ મોહમ્મદભાઇ, અસગરભાઇ, રૂકનબેન (સેલવાસ), સેકીનાબેન (ધોરાજી)ના બહેનનું તા. ૨૪ને ગુરૂવાર, જમાદિન અવ્વલ તા. ૧૦ના રોજ કાલાવડ ખાતે અવસાન થયેલ છે. તેમના જીયારતના સીપારા તા. ૨૬ શનિવાર ના રોજ સવારે ૧૧ :૦૦ કલાકે નજમી મસ્જીદમાં, કાલાવડ રાખેલ છે.

નયનાબેન ભટ્ટ

રાજકોટ :ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ નયનાબેન વિનોદરાય ભટ્ટ (ઉ.વ.૭૫) મુળ સરધાર, (હાલ મદુરાઇ) તે સ્વ. વિનોદરાય જયાશંકર ભટ્ટના ધર્મપત્ની, રાજુભાઇ, પ્રફુલભાઇ, હિતેશભાઇ તથા મીનીષભાઇના માતૃશ્રીનું તા. ૨૪ના અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૬ના શનિવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૩૧૬૦ ૮૯૯૩૭ , મો. નં. ૯૪૨૭૫ ૬૧૨૬૪, મો. નં. ૯૪૦૮૦ ૦૪૩૦૫ છે.

રોહીતભાઈ હિરાણી

રાજકોટઃ સ્વ.કાનજીભાઈ ધરમસીભાઈ હિરાણી (વાણંદ)ના પુત્ર રોહીતભાઈ તે જતીનનાં પિતાશ્રી તે સ્વ.વૃજલાલ ધરમશીભાઈના ભત્રીજા રમેશભાઈ, સુરેશભાઈ, સ્વ.કિરીટભાઈ, હિરાબેન વિનોદરાય ભટ્ટી, અરૂણાબેન ભરતકુમાર સમેજા, કુંદનબેન દિપકકુમાર પારલેવાળાના ભાઈનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું (મોબાઈલ વાતચીત) તા.૨૬ને શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હેમીબેન ભરડવા

રાજકોટઃ મુળગામ કોટડાપીઠા, હાલ રાજકોટ ગુર્જર ક્ષત્રીય કડિયા, હેમીબેન બચુભાઈ ભરડવા (ઉ.વ.૭૪) તે અશોકભાઈ, નિતિનભાઈ, રાજુભાઈ, જયશ્રીબેનના માતુશ્રી તથા રમેશભાઈ ચોટલીયાના સાસુનું અવસાન તા.૨૪ના રોજ થયેલ છે. તેમણું બેસણું  તા.૨૬ શનિવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. રાજુભાઈ મો.૯૩૨૭૬ ૯૭૩૫૮

છગનભાઇ ઉમરાડિયા

ઉપલેટાઃ મજેઠી નિવાસી સ્વ ભગવાનજીભાઈ ઝીણાભાઈ ઉમરાડીયાના સુપુત્ર સ્વ છગનભાઈ ભગવાનજીભાઈ ઉમરાડિયા (ઉ.વ ૬૯) નું તે દયાબેન નાં પતિ તથા અનિલભાઈ નિલેશભાઈ અશ્વિનભાઈ તથા રસીલાબેન જમનભાઈ તથા મધુબેન ના પિતા તથા કંચનબેન તથા સ્વ ચંપાબેન અદ્યેરા ના મોટાભાઈ તથા માધવજીભાઈ (નાગવદર) તથા પ્રવિણભાઇ (લાલપુર) ના બનેવીનુ તા ૨૩ બુધવારના રોજ અવસાન થયેલ છેે ટેલીફોનીક બેસણું ૨૫ ને શુક્રવારના રોજ સાંજે ૪થી૬ રાખેલ છે તથા સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે મો.૯૧૦૬૫ ૮૨૮૯૯.

પ્રવિણભાઇ જોશી

ગોંડલ : રાજકોટ-મુળ પોરબંદર હાલ રાજકોટ નિવાસી પ્રવિણભાઇ શાંતિલાલ જોશી (ઉ.૮ર) તે મનોજભાઇ (ગોલ્ડ એન્ટરપ્રાઇઝ) ભારતીબેન કૃષ્ણકાંત પંડયા (ગોંડલ) ભાવનાબેન કલ્પેશભાઇ જોશીના પિતાજીનું તા. ર૪ ગુરૂવારનાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. રપ શુક્રવારનાં સાંજે ચાર થી છ રાખેલ છે. મો. ૯૧૦૪૭ ૮૮૯૯૯, મો. ૭૦૯૬૭ ૮૮૯૯૯, મો. ૯૦૧૬૬ ૮૮૯૯૯