Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017
પરફેકટ ઓટોના સીઈઓ નિખીલ મહેતાના પિતાશ્રી અને રાજ બેન્કના ડાયરેકટર શશીકાન્તભાઈ મહેતા (કામદાર)નું દુઃખદ અવસાનઃ રાત્રે સ્મશાનયાત્રા

રાજકોટ :. સ્થાનકવાસી જૈન અગ્રણી શશીકાન્તભાઈ કાનજીભાઈ મહેતા (કામદાર) (રાજ બેન્કના ડાયરેકટર) (ઉ.વ.૭૯)  તે નિખીલ મહેતા (પરફેકટ ઓટોના સીઈઓ), કેતુબેન કેતનભાઈ ડ્રેસવાલા, દિપકભાઈ મહેતા (ફીટીંગ એન્ડ ફંકશન)ના પિતાશ્રી તથા સૂર્યાબાઈ સ્વામી, સ્વ. મહેન્દ્રભાઈ, હીરાબેનના ભાઈ તે નિલીમા, દેવાંશી, શ્રેયા અને નંદીનીના દાદા તથા અક્ષય અને આદિત્યના નાનાનુ આજે વહેલી સવારે દુઃખદ અવસાન થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. સદ્ગતની સ્મશાનયાત્રા રાત્રે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન આત્મીય ટાવર, મહિલા કોલેજ સામે, કાલાવડ રોડ-રાજકોટ ખાતેથી નીકળી મોટામવા સ્મશાન જશે. શશીકાન્તભાઈ અત્યંત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતા હતા.  વહેલી સવારે આવેલો હૃદયરોગનો હુમલો તેમના માટે જીવલેણ બન્યો. અત્યંત માયાળુ, સહકારભર્યો અને હસમુખો સ્વભાવ ધરાવતા શશીકાન્તભાઈના સેવાકાર્યો પણ અનેરા હતા. ગરીબોને મદદ કરવી તે તેમનો જીવનમંત્ર હતો. પરિવારના મોભીનું આકસ્મીક નિધન થતા મહેતા પરિવાર પર આભ તૂટી પડયુ છે. આ સંજોગોમાં પરમકૃપાળુ પરમાત્મા મહેતા પરિવારને આ આંચકો સહન કરવાની શકિત આપે એ જ પ્રાર્થના. ઈશ્વર ઈચ્છા બળવાન છે.

અવસાન નોંધ

પૂર્વ શાસનાધિકારી, કેળવણી નિરીક્ષક રમેશભાઇ વ્યાસનું અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટ : વાલમ બ્રાહ્મણ રીબવાળા, રમેશભાઇ ભાનુભાઇ વ્યાસ (ઉ.વ.૮૪) તે સ્વ.શૈલેષભાઇ વ્યાસ તથા ઉર્મિશભાઇ વ્યાસ -કડવીબાઇ વિદ્યાલય, તેજસભાઇ વ્યાસ-આત્મિય સ્કૂલ ના પિતાશ્રી તથા જીતેન્દ્રભાઇ વ્યાસ નિવૃત ઇજનેર, જીલ્લા પંચાયત રાજકોટના વડીલબંધુ, સન્ની વ્યાસ એચડીએફસી બેન્ક, ચિ. નીષીતા, ચી. કૃતિકા, ચી. હેતાંશના દાદા પૂર્વ શાસનાધિકારી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, પૂર્વ પ્રમુખ, માસ્તર સોસાયટી, પૂર્વ કેળવણી નિરીક્ષક, જીલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ, પૂર્વ ટ્રસ્ટી વાલમ બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજનું તા. ર૪ ને રવિવારના રોજ કૈલાશવાસ થયેલ છે.

સ્વર્ગસ્થનું બેસણુ તા. ર૮ ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬, મેઘાણી રંગભવન, ભકિતનગર સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

 જયાબેન વિઠલાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી (અમરાપુર વાળા) ગં.સ્વ. જયાબેન (ઉ.વ.૮૮) તે સ્વ. માધવજીભાઇ રામજીભાઇ વીઠલાણીના ધર્મપત્નિ અને અનતંરાયભાઇ, વિનોદભાઇ તથા સુર્યકાન્તભાઇ તથા રસીલાબેન, જશુબેન, ઇલાબેન તથા શોભાબેનના માતુશ્રીનું તા.૨૪ રવિવાર રાત્રે ૯ કલાકે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૮ને ગુરૂવાર સાંજે ૫ કલાકે પંચનાથ મંદીર રાજકોટ ખાતે રાખેલ છે.

 હરીલાલ ભટ્ટી

રાજકોટઃ મુળ બિલખાના હાલ રાજકોટ નિવાસી  શ્રી મોમાઇ કોલ્ડ સેન્ટર (કોલ્ડીં્રકસ) સ્વ. હરીલાલ મણીલાલ ભટ્ટી (ઉ.વ.૯૨) તેઓ અરવિંદ, સુરેશ, કિરણના પિતાશ્રીનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું  તા.૨૮ના ગુરૂવારના રોજ  સાંજે ૪ થી ૬ શ્રી ધારેશ્વર મંદીર, ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

 વિજયાબેન સુરાણી

રાજકોટઃ ખાનપર ઘુનડા નિવાસી વાણંદ વિજયાબેન ભગવાનજીભાઇ સુરાણી (ઉ.વ.૮૪) તે બાબુભાઇ ભગવાનજીભાઇ સુરાણીના માતુશ્રીનું તા.૨૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૮ના રોજ તેમના મુકામે ખાનપર ઘુનડા ખાતે રાખેલ છે.

વસુંધરાબેન કાનાબાર

માળીયા હાટીનાઃ સ્વ.જયંતીલાલ મોરારજીભાઇ કાનાબાર (વાસણવાળા)ના પુત્ર કિરીટકુમાર જયંતીલાલ કાનાબાર (મુંબઇ)ના પત્ની વસુંધરાબેન કિરીટકુમાર કાનાબાર (ઉ.વ.૪૮) તે ભરતભાઇ કાનાબારના નાનાભાઇના પત્ની, તેમજ રેખાબેન સતીષકુમાર કટારીયા (રાજકોટ) તથા ગીતાબેન ભરતકુમાર હાથી (પોરબંદર) તથા શરદભાઇ કાનાબાર (માળીયા હાટીના)ના ભાભીનું તા.ર૧ને ગુરૂવારે મુંબઇમાં અવસાન થયેલ છે. ઉઠમણું તા.રપને સોમવારે સાંજે ૪-૦૦ વાગ્યે લોહાણા મહાજનવાડી માળીયા હાટીમાં રાખેલ છે.

વિણાબેન રામાનુજ

રાજકોટઃ દુધઇ નિવાસી હાલ રાજકોટ મહેન્દ્રભાઇ ઇશ્વરદાસ રામાનુજના પત્ની વિણાબેન તા.૧૬મીએ શનિવારના રોજ રામચરણ પામેલ છે. ઉત્તરક્રિયા તા.ર૬ મંગળવારના રોજ શ્રી હરિ સોસાયટી ક્રિષ્ના કાંટા સ્વાતી પાર્ક મેઇન રોડ રતન્તેશ્વર મહાદેવ મંદિર પાછળ ગોંડલ રોડ રાજકોટમાં રાખેલ છે.

હર્ષદરાય વ્યાસ

રાજકોટઃ કંડોળિયા બ્રાહ્મણ હર્ષદરાય ગૌરીશંકર વ્યાસ તે ભુપતરાય કરૂણાશંકર અધ્યારૂ તથા પ્રકાશભાઇ હરિલાલ અધ્યારૂના વેવાઇનું તા.ર૩ના રોજ અવસાન થયું છે. તેમની સાદડી આજે સાંજે ૪ થી ૬, ર,ભારતીનગર ગાંધીગ્રામ ભૂપતરાય અધ્યારૂને ત્યાં રાખેલ છે.

નવિનચંદ્ર કુંકણા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય નવીનચંદ્ર જમનાદાસ કુંકણા (ઉ.વ.૭ર) તે જયોત્સનાબેનના પતિ તથા દેવાંગી અલ્પેશકુમાર યોગી, યોગીતાબેન દિપકકુમાર દિવેચા તથા ધ્રુતિ અશ્વિનકુમાર વીંછીના પિતાશ્રીનું તા.ર૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.રપના રોજ સાંજે પ-૦૦ વાગ્યે નિલકંઠ મહાદેવ મંદિર ૩ આફ્રિકા કોલોની ર,જલારામની પાછળ, યુનિવર્સીટી રોડ ખાતે રાખેલ છે.

જયંતભાઇ વ્યાસ

રાજકોટઃ નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતી બ્રહ્મસમાજનાં શ્રી જયંતભાઇ ભુપતરાય વ્યાસ (ઉ.વ.૭૩) તે દેવેન્દ્રભાઇ, યશવંતભાઇ તેમજ હેમાબેન (મુંબઇ)નાં મોટાભાઇ તથા અંબરીષભાઇ, ચૈતન્યભાઇ તથા જંકારબેન રવીભાઇ વ્યાસનાં પિતાશ્રીનું તા.ર૩ને શનીવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રપને સોમવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ જાગનાથ મહાદેવ મંદીર, યાજ્ઞીક રોડ, જાગનાથ પ્લોટ ખાતે રાખેલ છે.

હિમાંશુભાઇ જાની

રાજકોટઃ શ્રી ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ હિમાંશુભાઇ ભૂપતરાય જાની (ઉ.વ.પ૧) તે સ્વ.ભૂપતરાય દામોદર જાનીના પુત્ર અને સુરેશભાઇ બી. જાની (પ્રોફેસર કણસાગરા કોલેજ) તેમજ સ્વ.મહેન્દ્રભાઇના નાનાભાઇ તેમજ હસમુખભાઇના કાકાના દીકરાનું તા.ર૩ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.રપને સોમવારના રોજ સાંજના પ-૦૦ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

પ્રભાકરભાઇ જોષી

રાજકોટઃ બારડોલીઃ સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી હાલ બારડોલી પ્રભાકરભાઇ શાંતિલાલ કુળા (જોષી) (ઉ.વ.૮૪) તે પ્રકાશભાઇ, પ્રશાંતભાઇ, જાગૃતિબેન જીતેન્દ્રભાઇ સોનપાલ, દુષ્યંતભાઇના પિતાશ્રી તેમજ દિપકભાઇના કાકા, સ્વ.નટવરલાલ ધરદેના જમાઇ તા.રરના સ્વર્ગવાસી થયા છે. સદ્દગતનું બેસણું તા.ર૮ને ગુરૂવાર સાંજે ૪ થી પ, બ્લોક નં.૬૭, આનંદનગર, આશાપુરી, શાસ્ત્રી રોડ,  સ્વામિનારાયણ મંદિર પાછળ, બારડોલી ખાતે રાખેલ છે.

દિપ્તીબેન ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપુત દિપ્તીબેન વિરલભાઇ ભટ્ટી (ઉ.વ.૩૮) તે વિરલભાઇ ભટ્ટી (પી.જી.વી.સી.એલ.)ના ધર્મપત્ની અને સ્વ.ગજેન્દ્રસિંહ દિપસિંહજી ભટ્ટી તથા બીપીનભાઇ દિપસિંહજી ભટ્ટી, જયરાજસિંહ દિપસિંહજી ભટ્ટી કુટુંબના પુત્રવધુ તેમજ દિલજીતભાઇ ગજેન્દ્રસિંહ, નિલદીપ, બીપીનભાઇ ભટ્ટી, તેજસ બીપીનભાઇ ભટ્ટી અને દર્શિત જયરાજસિંહ ભટ્ટીના ભાભીનું તા.રરમીએ અવસાન થયેલ છે. બેસણું શ્રી પંચનાથ મહાદેવ મંદિરે, તા.રપ સોમવારના સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે.

ગીરજાશંકરભાઇ મહેતા

ઢાંકઃ ઢાંક નિવાસી ઐદિત્ય ઝાલાવાડીયા ભુદેવ ગીરજાશંકરભાઇ શાંતીલાલ મહેતા (ઉ.વ.૬૩) તે ઇશ્વરભાઇ મહેતાના નાનાભાઇ હિમાંશુ અને રાહુલના પિતાનું તા.ર૪ ના રોજ અવસાન થયું છે. બેસણું તા.ર૮ને ગુરૂવારના બપોરના ૩ થી પ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને ઢાંક, રાખેલ છે.

મનહરલાલ સોમૈયા

મોરબીઃ મનહરલાલ કાલીદાસ સોમૈયા (ઉ.વ.૭ર) પ્રેસીડેન્ટ કલોક ઇન્ડ.વાળા તે નિલેશભાઇ, મેહુલભાઇ તથા સોનલબેનના પિતાશ્રી તથા સ્વ. છોટુભાઇ તથા પ્રફુલભાઇના નાનાભાઇ બાબુલાલ કાલીદાસ પુજારાના જમાઇનું તા.ર૪મીએ રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તથા શ્વસુરપક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.રપ મીએ સોમવારે સાંજે પ કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ, મોરબી રાખેલ છે.

હર્ષદરાય વ્યાસ

અમરેલી : કંડોલિયા બ્રાહ્મણ રાજુલાવાળા હર્ષદરાય ગૌરીશંકર વ્યાસ (ઉ.વ. ૭૭) તે સ્વ.સુરેશભાઇ તથા ભકિતપ્રસાદ ગૌરીશંકર વ્યાસના મોટાભાઇ તથા કાલીદાસ મણીશંકર અધ્વર્યુ રાજુલાવાળાના જમાઇ તથા વિપુલભાઇ અને જયેશભાઇ (રાજુલા) તેમજ જીગ્નેશભાઇ વ્યાસ (નાલા સોપારા મુંબઇ)ના પિતા તા.ર૩મીએ શનિવારે કૈલાસવાસી થયેલ છે.

રણજીતભાઇ મોરી

જેતપુર : રામભાઇ સીદાભાઇ મોરીના પુત્ર રણજીતભાઇ (ઉ.વ.૪૧) તે દિલીપભાઇના લઘુબંધી તા. ર૩મીએ શનિવારના રોજ અવસાન પામેલ છે.