Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017
કોઠા પીપળીયા લુહાર સમાજના અગ્રણી હરીભાઇ હંસોરાનું અવસાન

ધોરાજી : કોઠા પીપળીયા (લોધીકા) નિવાસી લુહાર હરીલાલ લાલજીભાઇ હંસોરા (ઉ.વ.૭૭), તે ભીખુભાઇ (જેતાકુબા), સ્વ.મનસુખભાઇ (સુરત), ધીરૂભાઇ  (રાજકોટ)ના ભાઇ તેમજ શૈલેષભાઇ, અશોકભાઇ, રાજેશભાઇ અને ધર્મેન્દ્રભાઇના પિતાશ્રીનું તા.ર૪ને શુક્રવારના રોજ કોઠા પીપળીયા અવસાન થયેલ છે. બેસણું તા.ર૭મીએ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન કોઠા પીપળીયા તા.લોધીકા ખાતે રાખેલ છે.

 

સૌરાષ્ટ્ર યુનિ.ના રિટાયર્ડ કર્મચારી રાજેન્દ્રભાઈ સોલંકીના માતુશ્રીનું દુઃખદ અવસાન: સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને બેસણું

રાજકોટ : હેમકુંવરબેન હરજીવનભાઈ સોલંકી (માસ્તર) તે શ્રી કિશોરભાઈ સોલંકી (રીટા. એસબીઆઈ) અને શ્રી રાજેન્દ્રભાઈ સોલંકી (સૌરા. યુનિ. રિટાયર્ડ) (મો. ૯૪૨૭૨ ૦૯૫૪૭)ના માતુશ્રી તથા દમયંતીબેન કિશોરકુમાર સોલંકી અને હંસાબેન રતિલાલ બગથરીયાના સાસુનું આજરોજ તા.૨૫ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને સદર બજાર, જુમ્મા મસ્જીદ સામે, ધોબીવાડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

  

હઝરત જલાલુદદીનબાવા બુખારીની દરગાહના 'માં સાહેબા' જન્નતશીનઃ હાજીયાણી સૈયદા આયેશામાની સોમવારે ઝિયારત

રાજકોટ તા. રપઃ લાલપરી નદીના કાંઠે મોરબી રોડ ઉપર આવેલ પૌરિાણિક ઔલિયા હઝરત પીર સૈયદ જલાલુદદીનબાવા બુખારી (રહે.) ના ગાદિપતિ હઝરત પીર સૈયદ ઉમરમીંયા દાદામીંયા બુખારી (રહે.) ધોરાજીવાલા ના અહેલીયા મહોતરમા મા સાહેબા સૈયદા હાજીયાણી આઇશાબાઇ (ઉ.વ.૭૦) ગઇકાલે સાંજે ટુંકી બિમારી સબબ જન્નત નશીન થયા છે. તેઓની દફનવિધિ આજે સવારે થઇ હતી. તેઓ ખૂબજ મિલનસાર સ્વભાવના હતા અને નેક-ઇબાદતગુઝાર હતા અને મુસ્લિમ સમાજમાં સારા એવા પરિચિત હતા અગાઉ હજજ યાત્રા કર્યા પછી પણ તેઓ બેથી ત્રણ વાર સૌરાષ્ટ્રની પોતાની એકમાત્ર ફેમીલી ટુર્સ તરીકે જાણીતી વિશ્વાસુ હવ્વા હજજ ટુર્સ-રાજકોટ દ્વારા ઉમરાહ અને ઝિયારતની યાત્રાઓ સંપન્ન કરી હતી. આમ તેઓને મદીના શરીફની તડપ હંમેશા રહેતી હતી. તેઓ સૈયદ અસરગરઅલી બાપુ, હાજી ઇમ્તિયાઝબાપુ અને હાજી ઇકબાલબાપુના માતાજી થતા હતા વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી જનારા ''માં સાહેબા''ની ઝિયારત તા. ર૭ને સોમવારે સવારે ૯ વાગ્યે દરગાહ શરીફ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. 

દિનેશભાઇ ભટ્ટી

રાજકોટ : દિનેશભાઇ ભીમજીભાઇ ભટ્ટી (ઉ.વ.૬૧) તે નિરજભાઇ ભટ્ટી અને ઉર્વશીબેન હિરેનભાઇ ચૌહાણના પિતાશ્રી તેમજ જાનુબેન નિરજભાઇ ભટ્ટીના સસરા તેમજ પ્રવીણભાઇ ભીમજીભાઇ ભટ્ટીના નાનાભાઇનું તા. ૨૪ ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૭ ના સોમવારે સાંજે ૪ થી ૫.૩૦ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકુંદરાય જોષી

રાજકોટઃ ઔદિચ્ય સમવાય બ્રાહ્મણ રાજકોટ નિવાસી પ્રખર જયોતિષી મુકુંદરાય દેવશંકર જોષી, તે હેમતલાલ જોષી (જસદણ) તથા પ્રફુલભાઇ જોષી (રાજકોટ)ના મોટાભાઇ, પ્રમોદભાઇ (રીટાયર્ડ ડેપ્યુટી એન્જીનીયર આર.એમ.સી.), નિરંજનભાઇ (ગાયત્રી ટુરીઝમ-રાજકોટ), સ્વ.દેવેન્દ્રભાઇ (આર.એમ.સી.), પુર્ણિમાબેન તથા નયનાબેનના પિતાશ્રી, પ્રિયાંક તથા મૌલિકના દાદાનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭ના સોમવારે સાંજે પ થી ૬-૦૦, ભોમેશ્વર મહાદેવ મંદિર - જામનગર રોડ પર રાખવામાં આવેલ છે.

સરોજબેન દોશી

રાજકોટઃ સ્વ.બળવંતરાય મનુલાલ દોશીના ધર્મપત્ની અને વિમલભાઇ દોશીના માતુશ્રી સ્વ.સરોજબેન બળવંતરાય દોશી તા.ર૦ના અરિહંત ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.ર૭ના સોમવારે સવારે ૧૦ થી ૧૧, અવંતીબાઇ કોમ્યુનીટી હોલ, ભકિતનગર સ્ટેશન પ્લોટ નં.૪, ખોડીયાર ચોક ખાતે રાખેલ છે.

જમનાદાસભાઇ વડગામા

રાજકોટઃ ગુર્જર સુથાર જમનાદાસ મોહનલાલ વડગામા નિવૃત (એ.એસ.આઇ.) તે સ્વ.ભુદરજીભાઇ (રાજકોટ) નારણભાઇ (જુનાગઢ), ગોપાલભાઇ (તાલાલા ગીર), હસમુખભાઇ (તાલાલ (ગીર) દિનેશભાઇ (રાજકોટ)ના મોટાભાઇ તથા દિલીપભાઇના પિતા તથા હિમાન્સુના દાદાનું તા.ર૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૭ના સોમવારે સાંજે ૪ થી ૬, પીપલીયા હોલ રોડ ન્યુ રામેશ્વર સોસાયટી શેરી નં.૬ સોમનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.

પ્રિન્સ સોની

રાજકોટઃ પરજીયા પટ્ટણી સોની (ખડખડવાળા) હાલ રાજકોટ મનસુખભાઇ મોહનભાઇ સલ્લાના ભાણેજ પ્રીન્સ (ગોપાલ) (ઉ.વ.ર૦) તે બાબરાવાળા સ્વ.રાજેષકુમાર લાભુભાઇ જગડાના પુત્ર અને ચેતનભાઇ તથા આશિષભાઇના ભાણેજ તા.ર૩ના રોજ ગૌ. વા. થયેલ છે. સદ્દગતની સાદડી તા.ર૭ના સોમવારે સાંજના ૪ થી પ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, ખાતે રાખેલ છે.

વલ્લભદાસ જેઠવા

દ્વારકાઃ દરજી જેઠવા વલ્લભદાસ છગનલાલ (ઉ.વ.૮૪) તે જગદીશભાઇના પિતાશ્રી તા.ર૪ના શ્રીજી ચરણ પામેલ છે. સાદડી તા.રપને શનીવારે સાંજે ૪-૩૦ થી પ મોંઘીબેન ટાઉનહોલ ખાતે રાખેલ છે.

નફીસાબેન દલાલ

મોરબીઃ નફીસાબેન ફીદાહુશેન દલાલ (ઉ.વ.૬૦) તે ફખરૂદીનભાઇ મહમદઅલી લાકડાવાલાના પત્ની તથા હુશેનભાઇ અને  ઝૈનબબેનના માતુશ્રીનું  મોરબીમાં અવસાન થયેલ છે. જયારતના સિપારા તા.ર૬ને રવિવારે બપોરે જોહર-અસરની નમાઝ બાદ મરદો-બૈરાઓના સાથે સૈફી મસ્જીદ મોરબી મુકામે રાખેલ છે.

મનુભાઇ રંગાણી

 રાજકોટઃ મનુભાઇ  થોભણભાઇ રંગાણી (ઉ.વ.૮૫) તે દિનેશભાઇ રંગાણી તથા શેલૈષભાઇ રંગાણીના પિતાશ્રીનંુ તા.૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન  થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૭ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે, અમારા નિવાસ સ્થાને, ''બ્રહ્માણી નિવાસ'', પ આર્યનગર સોસાયટી, સંદીપ પાન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

શૈલેષભાઇ ભારદીયા

 રાજકોટઃ ગુર્જર સુતાર  શૈલેષભાઇ કાંતિભાઇ ભારદીયા (ઉ.વ.૪૯) તે ધર્મેશભાઇ તથા સ્વ. સંજયભાઇ તથા સુનિલભાઇના મોટાભાઇનું  તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૭ને સોમવારના રોજ સાજે ૪ થી ૬ કલાકે ''શ્રીજી કુપા'' કોઠારીયા રોડ, માધવ હોલ પાસે મારૂતીનગર શેરીનં.૫ બી ખાતે  તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

બહાદુરભાઇ રાજપુત

 રાજકોટઃ બહાદુરભાઇ  રાજાભાઇ રાજપુત (ઉ.વ.૬૮) તે ગીતાબેનના પતિ તથા લાલો તથા ગોપાલના પિતા તેમજ ભીખાભાઇ, પ્રવીણભાઇ, દીનેશભાઇ, ધીરેનભાઇના કાકા તથા દાદુભા બાબુભાઇ કાળુભાઇના ભાઇ તેમજ વીપુલકુમારના સસરાનું તા.૨૪ના રોજ  અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૭ને સોમવારના રોજ ભીડભંજન મહાદેવ મંદિર ગુજરાત હાઉસીંગ બોર્ડ દુધસાગર રોડ સાગર ચોક  રાજકોટ ખાતે સાંજે  ૪ થી ૬ રાખેલ છે.(

નલીનીબેન રાવલ

રાજકોટઃ નલીનીબેન હર્ષદરાય રાવલ હર્ષદરાય.વી.ના ધર્મપત્નિ (રેલ્વેવાળા) તા.૨૫ના રોજ શનિવારે કૈલાશવાસ પામેલ છે.  સદ્ગતનું બેસણું  તા.૨૭ને સોમવારના સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન શ્રીનાથજી ડેલો, વુન્દાવન સોસાયટી પાસે, માધાપર ચાર રસ્તા રાજકોટ, ખાતે રાખેલ છે.