Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021
વસંત સ્ટોર્સ (ધર્મેન્દ્ર રોડ) વાળા કલ્પેશભાઇ શાહ અરિહંત શરણ પામ્યાઃ સાંજે ઉઠમણુ

રાજકોટ તા. રપ :.. શહેરની જુની વેપારી પેઢી વસંતલાલ એન્ડ કું. (ધર્મેન્દ્ર રોડ) વાળા સ્વ. વસંતલાલ અમૃતલાલ શાહના જયેષ્ઠ પુત્ર કલ્પેશભાઇ તા. ર૪ ને રવિવારના રોજ અરિહંત શરણ પામ્યા છે. સદ્ગતનું આજે સાંજે ૪ કલાકે શેઠ ઉપાશ્રય, કે. કે. વી. ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ઉઠમણું રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

દાણાવાડાવાળા (હાલ રાજકોટ) વસંત એન્ડ કું. વાળા સ્વ. વસંતભાઇ અમૃતલાલ શાહના સુપુત્ર કલ્પેશભાઇ તે સીમાબેનના પતિ, લીનેશના પિતા તથા રાકેશભાઇ (મો. ૯૮ર૪પ ૬૦૯૪૪) (અકી), પંકજભાઇના મોટાભાઇ તે રાજકમલ ઇન્ડસ્ટ્રીઝવાળા બાબાલાલના ભત્રીજા તથા રાહુલ, રીયા, અક્ષતના મોટા પપ્પા તથા કોઠારી પ્રફુલ્લભાઇ અમૃતલાલ રાજકોટના જમાઇ તા. ર૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

સદ્ગતનું ઉઠમણું આજે તા. રપ ને સોમવારના રોજ સાંજે ૪ કલાકે શેઠ ઉપાશ્રય, કે. કે. વી. ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

અવસાન નોંધ

વિસાવદર રાજગોર સમાજના આગેવાન ગોવિંદભાઇનું સાંજે બેસણું

જુનાગઢ : વિસાવદર નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી ગોવિંદભાઇ ભાણજીભાઇ દવે (ઉ.વ.૯૬) તે હરસુખભાઇ તથા દિનેશભાઇ સ્વ. રાજેન્દ્રભાઇ, ધનજીભાઇ અશોકભાઇ તેમજ વિજયાબેન પરસોતમભાઇ જોષીના પિતાશ્રી અને ધીરજલાલ દવેનામોટાબાપુજી તથા યોગેશ, મેહુલ, ચિરાગ, દિવ્યકાંત અને ચેતન આદિત્યના દાદાનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.રપને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાજગોર બ્રાહ્મણ વાડી ગાયત્રી મંદિર સામે વિસાવદર ખાતે રાખેલ છે.

નટવરલાલ જોષી

રાજકોટ :.. શ્રી સાતોદળ મેળતતવાડ શ્રીગૌડ બ્રાહ્મણ સ્વ. દેવશંકર વિરેશ્વર જોશીના સુપુત્ર ગૌલોક વાસી નટવરલાલ દેવશંકર જોષી (ઉ.વ.૮૪ -નિવૃત જીઇબી ડીવાય. એસ.એ.) તે નર્મદાશંકર, રસિકભાઇ, યોગશભાઇ, સુરેશભાઇ, કનૈયાલાલ તથા બકુલભાઇ ના ભાઇ તથા સ્વ. કમળાબેન, સ્વ. મંજૂલાબેન તથા મધુબેનના ભાઇ તથા ચેતનભાઇ (એસબીઆઇ), સ્વ. મેહુલભાઇ, દિપ્તીબેન કૌશિકકુમાર તથા હીનાબેન સંજયભાઇના પિતાશ્રી તેમજ પ્રિયંકાબેન હાર્દિક કુમાર તથા સ્મિતના દાદાનું તથા કલ્યાણજીભાઇ નાગજીભાઇ જાનીના જમાઇનું તા. રપ અવસાન થયેલ છે. બેસણુ તા. રપ ના સાંજે ૪ થી ૬ કલાકે તુલસેશ્વર મહાદેવનું મંદિર તુલસી પાર્ક શેરી નં. ૧, આદર્શ પ્લાઝા ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પંકજભાઇ શેઠીયા

ગોંડલ : પંકજભાઇ ચત્રભુજભાઇ શેઠીયા (ઉ.વ.૪૯) તે સ્વ. ચત્રભુજ માવાવાળાનાં પુત્ર, કિરીટભાઇ, દિલીપભાઇ, મયુરભાઇ, પરેશભાઇ તથા ચંદ્રીકાબેન બાલભાઇ મહેતાના ભાઇ, દીપકભાઇના પિતા, કાંતિભાઇ (ઘોઘાભાઇ) ના ભત્રીજાનું તા. ર૩ નાં અવસાન થયું છે. બેસણુ તા. રપ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, રર-૯, ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે.

વર્ષાબેન મકવાણા

રાજકોટઃ લુહાર સુતાર જ્ઞાતિ (ઉપલેટાવાળા) હાલ દહીસર નિવાસી મહેશભાઇ મકવાણાના ધર્મપત્ની વર્ષાબેન મકવાણા (ઉ.વ.૫૨) ભગવાનજીભાઇ પરસોતમભાઇ સિઘ્ધપુરાની સુપુત્રી અને અશ્વિનભાઇ તથા કિરીટભાઇના બહેનનું તા.૨૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું: તા.૨૫ને સોમવાર સાંજે ૪ થી પ કલાકે મિલન હોલ, નહેરુનગર મેઇન રોડ, ૮૦ કુટ રોડ, રાજકોટ. ભગવાનજીભાઇ પી. સિઘ્ધપુરા (ભાણવડવાળા) અશ્વિનભાઇ બી. સિઘ્ધપુરા - ૯૯૨૪૨ ૩૪૮૦૭ કિરીટભાઇ બી. સિઘ્ધપુરા - ૮૪૬૦૩ ૮૮૩૩૬

જવાહરભાઇ ખગ્રામ

રાજકોટઃ સ્વ. જવાહરભાઇ ગોવિંદભાઇ ખગ્રામ (ઉ.વ.૭૭) તા.૨૩ તે સ્વ. જયકર વાલજી કોટકના જમાઇ તેમજ સ્વ. અશોક જે કોટક, કનુભાઇ જે. કોટક, અશ્વિન જે. કોટક (રીટાયર્ડ તલાટીમંત્રી) તેમજ નરેન્દ્ર જે. કોટકના બનેવીનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.૨૫ સોમવારના રોજ ૪ થી ૫ નુતન નગર કોમ્યુનીટી હોલ કાલાવડ રોડ ખાતે રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે.

ઉર્મિલાબેન જોષી

રાજકોટઃ નથુતુલસી ઔદિચ્ય જ્ઞાતિના ગં.સ્વ. ઉર્મિલાબેન રવિશંકર જોષી (ઉ.વ.૮૩) તે શ્રી મહેશભાઇ જોષી મો.૯૭૨૭૪૩૮૨૧૨, સ્વ. અરવિંદભાઇ જોષી, શ્રી પ્રકાશભાઇ જોષી મો.૯૮૭૯૯ ૪૩૭૩૦, હંસાબેન ભાસ્કરભાઇ મહેતા તથા કનુબેન ધર્મેન્દ્રભાઇ ઉપાધ્યાય, રંજનબેન નિતિનભાઇ પંડયા તથા સગુણાબેન હરેશકુમાર વ્યાસના માતુશ્રી તે અલિયા બાળાના સ્વ. બળદેવભાઇ માવજીભાઇ પંડયાનાના દિકરીનો તા.૨૩ના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૨૫ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ખોડીયાર માતાજીનું મંદિર રૈયા ગામ રાખેલ છે.

જવાહરભાઇ ખગ્રામ

રાજકોટઃ સ્વ. જવાહરભાઇ ગોવિંદજીભાઇ ખગ્રામ (ઉ.વ.૭૭) (ખગ્રામ એન્ડ કોટક એસોસીએટ) તે જયંત ખગ્રામ (રીટાયર્ડ એ.જી.ઓફીસ)ના નાનાભાઇ તે ગં.સ્વ. વાસંતીબેન ખગ્રામના પતિ તથા કોમલ જીતેન પોપટ તથા મોના હિમાંશુ પુજારાના પિતા તથા સ્વ. જયકર વાલજી કોટકના જમાઇ તેમજ સ્વ. અશોકભાઇ જે કોટક કનુભાઇ જે કોટક, અશ્વિનભાઇ જે કોટક (રીટાયર્ડ તલાટીમંત્રી) તથા નરેન્દ્રભાઇ જે કોટકના બનેવીનું અવસાન થયેલ છે.  તેમનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૫ને સોમવારના રોજ નુતનનગર કોમ્યુનીટી હોલ કાલાવડ રોડ ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે.

દેવશીભાઇ ભરડવા

રાજકોટઃ દેવશીભાઇ જેઠાભાઇ ભરડવા (ઉ.વ.૭૬) (મુળ મીઠાપુર હાલ રાજકોટ) તે અજયભાઇ, સોહિલભાઇ, પુનમબેન અરૂણકુમાર નેના અને બીનાબેન વિજયભાઇ ચૌહાણના પિતાશ્રી તથા ક્રિષ્નાના દાદાનું તા.૨૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને જી-હીત પાર્ક સ્વામીનારાયણ મંદિર ખાતે રાખેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા.૩૦ને શનિવારે સવારે રાખેલ છે. અજયભાઇ ૮૧૬૦૦ ૪૨૭૦૦, સોહીલભાઇ ૮૩૨૦૩ ૫૮૦૬૦

સ્મીતાબેન ભુપતાણી

રાજકોટઃ બગસરા નિવાસી હાલ કાંદીવલી (મુંબઇ) હસમુખરાય હરજીવનદાસ ભુપતાણીના ધર્મપત્નિ સ્મીતાબેન હસમુખરાય ભુપતાણી (ઉ.વ.૫૫) તે સુમીતભાઇ, શ્રુતીબેન, રાધિકાબેનના માતુશ્રી ગો.સ્વ. રતિલાલ અમીચંદ મુજયાસરાની પુત્રી અર્પીત પ્રવીણભાઇ ઘેલાણી, ચિરાગ કલ્પેશભાઇ મુજયાસરાના સાસુમા ગો.સ્વ. ચંદુલાલ હરજીવનદાસ ભુપતાણી, નરેન્દ્રભાઇ હરજીવનદાસ ભુપતાણી, નવીનભાઇ વનમાળીદાસ ભુપતાણી, મહેન્દ્રભાઇ હિંમતભાઇ ભુપતાણી, કિરીટભાઇ મુળચંદભાઇ ભુપતાણીના ભાઇના પત્નિ તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. હસમુખભાઇ ભુપતાણી મો.૭૫૦૬૮૬૬૫૨૦, નરેન્દ્રકુમાર ભુપતાણી ૯૮૬૭૦ ૬૦૯૨૮, કુમાર ભુપતાણી ૯૮૨૦૪ ૦૦૦૩૫, વિશાલ ભુપતાણી ૯૯૬૭૨ ૭૫૪૦૬, શ્રુતી ઘેલાણી મો.૮૫૯૧૩ ૨૯૪૧૭, પ્રાર્થનાસભા તા.૩૦ના સાંજે ૫ થી ૬ ઝુમ ઉપર રાખેલ છે. મીટીંગ આઇડી ૪૧૨૮૩૭૬૪૧૭, પાસકોડ BHUPTANI23