Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018
જસદણ ઘાંચી સમાજના આગેવાનની વફાતઃ ગુરૂવારે જીયારત

જસદણઃ સુન્ની મુસ્લિમ સોરઠીયા ઘાંચી હાજી એહમદભાઇ હાજી હાજીભાઇ ગોગદા (ઉ.વ.૭૭) તે હાજી હબીબભાઇ, મોહંમદભાઇ, હારૂનભાઇના ભાઇ, આરીફભાઇ, યુનુસભાઇ, રફીકભાઇ, ઉસ્માનભાઇ, અભુભાઇના પિતા (મનાલી પાન એન્ડ પરોઠા હાઉસ) તા.ર૪ના રોજ જસદણ મુકામે (વફાત થયેલ છે) મર્હુમની જીયારત (કુઆર્ન ખ્વાની) તા.ર૬ને ગુરૂવારે  સવારે ૯ કલાકે સ્ત્રીઓ માટે તેમના નિવાસ સ્થાને પુરૂષો માટે  સવારે ૧૦ કલાકે નગીના મસ્જિદ જસદણ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

હસમુખભાઈ સાતા

રાજકોટઃ સ્વ.જેન્તીલાલ નાગજીભાઈ સાતા (બેરલવાળા)ના  જયેષ્ઠ પુત્ર સ્વ.હસમુખભાઈ (ઉ.વ.૬૮) જે હર્ષદભાઈ, સતીશભાઈ, મહેશભાઈ તથા કલાબેન ઈશ્વરભાઈ ખખ્ખરના મોટાભાઈ, અને ડો.જય, ઉર્વી દર્પણકુમાર નાગ્રેચા, ધરા આકાશકુમાર દાવડાના પિતાશ્રી, તેમજ કુકાવાવવાળા દયાળજીભાઈ વશરામભાઈ સાગલાણીના જમાઈ તા.૨૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું તથા પિયરપક્ષનું ઉઠમણું સાથે તા.૨૬ને ગુરૂવારે સાંજે ૫ કલાકે પંચનાથ મંદિરે રાખેલ છે.

મહેશભાઈ રાઠોડ

રાજકોટઃ ધોબી મહેશભાઈ કાનજીભાઈ રાઠોડ (ઉ.વ.૬૦)તે જયેન્દ્રભાઈ તથા અશ્વિનભાઈના ભાઈ તથા સચિનના પિતાશ્રીનું અવસાન તા.૨૪ના થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૬ને ગુરૂવારે ૪ થી ૫ ધોબી સમાજની વાડી (અટીકા) ખાતે રાખેલ છે.

કનુરાય ચૌહાણ

રાજકોટઃ કનુરાય છગનલાલ ચૌહાણ (બાલાશ્રમવાળા) સરકારી પ્રેસના નિવૃત કર્મચારી તથા અનિરૂધ્ધ તેમજ દેવસ્મિતા (દિપુ)ના પિતાશ્રીનું તા.૨૪ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસસ્થાન 'ચૌહાણ નિવાસ', ગાંધીનગર શેરી નં.૩/૪નો ખૂણો, અમથીબા સ્કૂલની પાસે, ગાંધીગ્રામ, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિમેષભાઈ પાટડીયા

રાજકોટઃ કોટડાનાયાણીવાળા દિનેશભાઈ નટવરલાલ પાટડિયાના પુત્ર નિમેષભાઈ (ઉ.વ.૩૫) તે મિતલભાઈ તથા કિશનભાઈના ભાઈ તથા અદિતિના પિતા તથા હિરલબેનના પતિ તે સ્વ.રમણીકલાલ છોટાલાલ આડેસરા અળાઉવાળાના જમાઈ તા.૨૫ના રોજ અક્ષરવાસી થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૩:૩૦ થી ૫ વાગ્યે વાઘેશ્વરી વાડી, રામનાથપરા યુનિટનં.૩માં રાખેલ છે.

જગદીશભાઇ ભટ્ટી

રાજકોટઃ જગદીશભાઇ ભીમજીભાઇ ભટ્ટી તે કલ્પેશભાઇના પિતાશ્રી તથા ધનજીભાઇના નાનાભાઇ, રમેશભાઇના મોટાભાઇ, તે દિલીપભાઇ મકનભાઇ રાઠોડ, અશોકભાઇ, સુરેશભાઇના બનેવીનું તા.ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૬ના ગુરૂવારે ભકિતનગર સર્કલ પાસે, ૮૦ ફુટ રોડ, નટેશ્વર મંદિર ખાતે ૪ થી ૬ રાખેલ છે.

જયશ્રીબેન પંડયા

રાજકોટઃ ગૌડ મેડતવાડ બ્રાહ્મણ ભરતભાઇ બચુભાઇ પંડયા (ભોલાભાઇ ગેરેજવાળા)ના ધર્મપત્ની તથા હર્ષદભાઇ, અલ્પેશભાઇ તથા ભાવનાબેનના માતુશ્રી તથા પિયુષભાઇ નવીનચંદ્ર ત્રિવેદીના સાસુ જયશ્રીબેનનું તા.ર૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જગદીશભાઇ દવે

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જગદીશભાઇ દવે (ઉ.વ.૩પ) તે મનસુખલાલ કાનજીભાઇ દવેના પુત્ર તથા રાજેશભાઇના નાનાભાઇ તથા ભાનુશંકર જગન્નાથ પંડયા ખરેડીના ભાણેજનું તા.ર૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, જખરાપીરદાદાના મંદિર - પાળ ગામે રાખેલ છે.

કંચનબેન રાઠોડ

રાજકોટઃ ધોબી (ધ્રાફાવાળા) સ્વ.છગનભાઇ (પ્રભુ) રાઠોડના ધર્મપત્ની કંચનબેનનું તા.ર૩ના અવસાન થયેલ છે. તે દિનેશભાઇ તથા દેવનભાઇના માતુશ્રીનું ઉઠમણું તા.ર૬ને ગુરૂવારે સાંજે પ થી ૬ રૈયા રોડ મામા સાહેબની જગ્યા બાપા સીતારામ ચોક ખાતે રાખેલ છે. (૧૧.ર)

ભગીરથભાઇ પરમાર

રાજકોટઃ સ્વ.ભવાનભાઇ જાદવભાઇ પરમાર (રૂપાલી પાનવાળા)ના પુત્ર ભગીરથભાઇ (ભગાભાઇ) (ઉ.વ.પ૩) તે સ્વ.મહેશભાઇના નાનાભાઇ, ચિરાગના પિતાશ્રી તથા સ્વ.ધનરાજભાઇના કાકાનું તા.ર૪ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૬ના સાંજે ૪-૩૦ થી ૬-૩૦, લક્ષ્મીવાડી કવાર્ટર, શ્રી કુવાવાળી ખોડીયાર મંદિર ખાતે રાખેલ છે.

રસીલાબેન ઠકરાર

રાજકોટઃ રસીલાબેન તે લલીતકુમાર ઠકરારના ધર્મપત્ની (ઉ.વ.૬૮) તે દિપેનભાઇ તથા નીધીબેન નીલેશકુમાર શીંગાળાના માતુશ્રી, રાજકોટ નીવાસી સ્વ.જમનાદાસ કેશવજી હીંડોચાના પુત્રી સ્વ.ચંદુભાઇ, સ્વ.મથુરભાઇ, સ્વ.ગોવિંદભાઇના નાનાબેન તથા જસ્મીનભાઇ, બીમલભાઇ, વિનેશભાઇ, ભરતભાઇ હીંડોચાના ફૈબાનું તા.રરના કલકતા મુકામે અવસાન થયેલ છે. જેમની પીયર પક્ષની સાદડી (બેસણું) તા.ર૬ના ગુરૂવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦, ૧ર,પ્રહલાદ પ્લોટ, બરસાના એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

ચનાભાઇ દાફડા

રાજકોટઃ ચનાભાઇ અમરાભાઇ દાફડા (ઉ.વ.૭ર) (નિવૃત એસ.ટી. કર્મચારી) (હાલ રાજકોટ જેઓ સોમીબહેનનાં પતિ, કિશોરભાઇ (આર.પી.પી. ગર્લ્સ હાઇસ્કુલ-સુરેન્દ્રનગર), વસંતભાઇ  (પ્રાથમિક શાળા-ખડવાવડી), હર્ષદભાઇ તેમજ જયેશભાઇ (વંદેમાતરમ સ્કુલ-રાજકોટ)નાં પિતાજી, જીવાભાઇ, પીઠાભાઇ અને નંદુબહેનનાં મોટાભાઇ અને માધુભાઇ ચાવડા (જામનગર)ના સાળા અને હરિભાઇનાં મોટાબાપુજીનું તા.ર૪ના અવસાન થયેલ છે.  સદ્દગતનું બેસણું તા.ર૬ને ગુરૂવારે પુર્ણિમા સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નવિનચંદ્ર કાનાણી

રાજકોટ (ખાખીજાળીયાવાળા) સ્વઃરતિલાલ જુઠાભાઇ કાનાણીના પુત્ર નવિનચંદ્ર રતિભાઇ કાનાણી (ઉ.વ.૬૫) જે પરેશભાઇ, સ્વઃવિશાલભાઇના પિતાશ્રી તથા શુભમના દાદા તથા શાંતુભાઇ, જગદીશભાઇ, દિનેશભાઇના ભાઇ તથા મનોજભાઇ, સંજયભાઇ, દિવ્યેશભાઇ, હિમાંશુ ના કાકા તા. ૨૪/૪/૧૮ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૨૬/૪/૧૮ ગુરૂવારે સાંજના ૪.૩૦ થી ૬.૦૦ વિવેકાનંદનગર, કોઠારીયા મેઇન રોડ શેરી નં.૧૪ રાજકોટ રંગીલા હનુમાનજી મંદિરેે રાખવામાં આવેલ છે.

મુકેશભાઈ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુકેશભાઈ રમણીકભાઈ જોષી (ઉ.વ.૫૬) (નિવૃત રાજબેંક કર્મચારી) તે સ્વ.રમણીકભાઈ અમુતલાલ જોષીના પુત્ર કૌશલભાઈ તથા પાર્થવીબેનના પિતા પ્રફુલભાઈ, નલીનભાઈના નાનાભાઈ, પ્રતિમાબેન, હર્ષીદાબેન, અલ્કાબેનના ભાઈ, સ્વ.કાંતીલાલ ચત્રભુજભાઈ જોષી (માંડળકુંડલા)ના જમાઈનું તા.૨૩ના અવસાન પામેલ છે. પિતૃપથ તથા સસરાપક્ષનું બેસણું તા.૨૬ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ ધમેશ્વર મહાદેવ મંદીર ધરમનગર રાજબેંક વાળી શેરી રાજકોટમાં રાખેલ છે.