અવસાન નોંધ
હરેન્દ્રભાઈ ભટ્ટ
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ હરેન્દ્રભાઈ ચંદુલાલ ભટ્ટ (ઉ.વ.૭૨) તે ભાવિન ભટ્ટ, અંજલી નૈમીષ દવે (જુનાગઢ)ના પિતાશ્રી તથા રવીન્દ્રભાઈ ભટ્ટ (નિવૃત આર.એમ.સી.), સ્વ.રંજનબેન વ્યાસ (જામનગર), સુધાબેન વ્યાસ (મુંબઈ), સરલાબેન જોષી (રાજકોટ), લતાબેન ભટ્ટ (લંડન), નલીનીબેન વ્યાસ (જામનગર), ઈલાબેન જોષી (માંડવી)ના ભાઈ તેમજ સ્વ.હરીવલ્લભભાઈ વ્યાસ (માંડવી)ના જમાઈનું તા.૨૨ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી, જનકપુરી સોસાયટી સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
પીનાબેન શીંશાગીયા
રાજકોટઃ વાણંદ સ્વ. નરશીભાઇ રવજીભાઇ શીંશાગીયાના પુત્ર હીતેષભાઇના પત્નિ પીનાબેન (ઉ.વ.૪૭) જેઓ નરેન્દ્રભાઇ શીંશાગીયાના નાનાભાઇ હિતેષભાઇના પત્નિ હિતાંશુ, ધ્રુતીના મમ્મી તેમજ નિલેષ મયુરના કાકી તથા અમદાવાદ વાળા જેન્તીભાઇ ગોંડલીયાના પુત્રી તેમજ રસીકભાઇના બહેનનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૩:૩૦ થી ૫:૩૦ વાગ્યે વાણંદ સેવા સમાજની વાડી લક્ષ્મીનગર શેરી નં.૨, શાળાનં.૪૭ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.
અશોકભાઇ જોશી
જામનગરઃ સ્વ. મગનલાલ કાશીરામ જોશીના પુત્ર અશોકભાઇ (ઉ.વ.૬૦) તે નવીનભાઇ જોશી, પ્રતિભાબેન પ્રફુલ્લકુમાર રાવલ (જબલપુર), ગં.સ્વ. શિતલબેન દિલીપકુમાર જોશી, તેમજ દિલીપભાઇ જોશીના નાનાભાઇ , ગીતાબેનના પતિ , ધ્રુતિબેનના પિતા તથા પ્રવિણચંદ્ર વલ્લભજી વ્યાસ (ધ્રોલ)ના જમાઇનુ અવસાન તા. ૨૩ને સોમવારે થયેલ છે. સદગતનું ઉઠમણુ તા.૨૬ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ પટેલ કોલોની શેરી નં૬ના છેડે , રાધાકૃષ્ણના મંદિરમાં રાખેલ છે.
રમેશચંદ્ર ઉપાધ્યાય
જામનગરઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના રમેશચંદ્ર પ્રાણલાલ ઉપાધ્યાય (ઉ.વ.૬૬) તે બ્રહ્મસમાજના અગ્રણી ક્રિષ્નાબેન શાસ્ત્રીના પતિ, ડો. હાર્દિકા ઉપાધ્યાયના પિતા અને કીર્તિભાઇ ઉપાધ્યાય (રેલ્વે)ના મોટાભાઇ , શાસ્ત્રી રજનીકાંત નિર્ભયરાયના જમાઇ તેમજ પ્રફુલચંદ્ર પ્રાણલાલ દવે (ગાંધીનગર)ના સાઢુભાઇનું મોરબી ખાતે તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણુ તેમજ પિયરપક્ષનુ બેસણુ ગુરૂવાર તા.૨૬ના રોજ સાંજે ૪-૩૦ થી પ-૩૦ એ.કે પટેલ પટેલ કોમ્યુનિટી હોલ , છોટાલાલ પેટ્રોલ પંપ પાસે , ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
અરવિંદભાઇ થડેશ્વર
અમરેલીઃ મૂળ ચાવંડ નિવાસી હાલ રાજકોટ પરજીયા સોની જ્ઞાતિના અરવિંદભાઇ ભીમજીભાઇ થડેશ્વર (ઉ.વ.૮૫) તે કમલેશભાઇ(રાજકોટ), યોગેશભાઇ(અમરેલી), હીતેશભાઇ (રાજકોટ)ના પિતાશ્રી તા. ૨૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનુ બેસણુ તા. ૨૬ના ગુરૂવારના બપોરે ૩ થી ૬ અમરેલી પરજીયા સોની સમાજની વાડી (એ.ેએ. ધકાણ હોલ)માં રાખેલ છે.
ભાવનાબેન જોષી
રાજકોટઃ રાજકોટ નિવાસી ભાવનાબેન કમલેશભાઈ જોષી (ઉ.વ.૪૭) તે સ્વ.નરસિંહભાઈ નાથાલાલ જોષી (શેઠવડાળા વાળા)ના પુત્રવધુ તેમજ પાર્થ તથા યથાર્થના માતુશ્રી તેમજ ઉમેશભાઈ તથા સ્વ.કેતનભાઈના ભાભી તેમજ હરિલાલ (ભીખુભાઈ) કાંતીભાઈ દવે તથા જયંતીભાઈ તથા લક્ષ્મીશંકરભાઈ (પોરબંદરવાળા)ના બહેનનું તા.૨૨ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે, ઉમેશભાઈના નિવાસસ્થાને, કૃષ્ણ કોમ્પલેક્ષ ફલેટ નં.બી ૩૦૧, પ્રજાપતિ નગર, પેડક રોડ, બાલક હનુમાન મંદિર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
નરેન્દ્રભાઈ રાધનપુરા
રાજકોટઃ અ.નિ.સોની મોહનલાલ ભગવાનજી રાધનપુરાના પૌત્ર સોની નરેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ રાધનપુરા તે હસમુખભાઈ અશ્વીનભાઈ, હરેશભાઈ, સ્વ.દિનેશભાઈના મોટાભાઈ જયેષભાઈ અને રીટાબેનના પિતાશ્રી તેમજ સ્વ.જમનાદાસ ગણેશભાઈ પાટડીયાના જમાઈનું તા.૨૩ સોમવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સ્વ.નું બન્ને પક્ષનું બેસણું તા.૨૫ ગુરૂવારના બપોરે ૩:૩૦ થી ૫ વાગ્યા સુધી શ્રીમાળી સોની સમાજની વાડી, કોઠારીયાનાકા યુનીટ નં.૧, રાજકોટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નીતિનભાઇ રાવલ
ગોંડલઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ લંડન નિવાસી નિતિનભાઇ રવિશંકરભાઇ રાવલ તે શાસ્ત્રી ભાનુશંકરભાઇ શાંતિલાલ પંડયાના જમાઇ, યજ્ઞેશભાઇ શાસ્ત્રી, ભાવેશભાઇ શાસ્ત્રી, રૂચિકભાઇ પંડયા, હર્ષાબેન અજીતકુમાર રાજયગુરૂ (રાજકોટ) કૈલાશબેન વિનયકુમાર મહેતા (લંડન), એડવોકેટ દક્ષાબેન જયકુમાર વ્યાસ પંડયા (જેતપુર) ના બનેવી તેમજ બીનાબેનના પતિનું લંડન મુકામે તા. ૧રના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ર૬ ગુરૂવારે સાંજે ૪ થી પ દરમ્યાન, જલારામ મંદિર, ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે.
કિરીટભાઇ જાની
ગોંડલઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી કિરીટભાઇ જગન્નાથભાઇ જાની તે સ્વ. શાંતિલાલ રાઘવજીભાઇ પંડયાના જમાઇ, સ્વ. કૃષ્ણલાલભાઇ, સ્વ. નંદકિશોરભાઇ, ભાનુશંકરભાઇ પંડયા (શાસ્ત્રી) તથા સ્વ. પ્રેમશંકરભાઇના બનેવી તેમજ સગુણાબેન જાનીના પતિનું તા. ૧૬ના અવસાન થયું છે. સ્વસુર પક્ષની પ્રાર્થના સભા તા. ર૬ ગુરૂવાર સાંજે ૪ થી પ દરમ્યાન જલારામ મંદિર, ભોજપરા, ગોંડલ મુકામે રાખેલ છે.
પ્રવિણભાઇ વિઠ્ઠલાણી
કોડીનારઃ પ્રવિણભાઇ લવજીભાઇ વિઠલાણી (ઉ.વ.૬૦) તે મણીભાઇ (બાબુભાઇ) લખુભાઇ, હસુભાઇ, કાંન્તીભાઇ, ભીખુભાઇ તથા નલીનભાઇના ભાઇ તથા દિપેશ અને અમીતના પિતાજીનું તા.ર૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.ર૪ને મંગળવારના રોજ સાંજના ૪-૦૦ કલાકે પીપળેશ્વર મહાદેવના મંદિરે રેલ્વે સ્ટેશન પાસે રાખેલ છે.
કૈલાશબેન ગોહેલ
રાજકોટઃ સોરઠિયા દરજી કોઠા ભાડુકીયા વાળા કૈલાશબેન નવલભાઇ ગોહેલ તે નવલભાઇ વિઠ્ઠલભાઇ ગોહેલના ધર્મપત્ની તથા ભાવેશભાઇ તથા હિનાબેન તથા ઉષાબેન તથા ડીમ્પલબેનના માતુશ્રીનું તા.ર૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ના શુક્રવારે સાંજના ૪ થી ૬, ૧પ૦ ફુટ રીંગ રોડ, ઓમનગર સર્કલ સામે, ઉદયનગર-૧, ખાતે રાખેલ છે.
પરેશભાઇ કોઠારી
રાજકોટઃ મુળ ચોટીલા નિવાસી હાલ રાજકોટ સ્વ.હસમુખભાઇ અમૃતલાલ કોઠારીના પુત્ર પરેશભાઇ (ઉ.વ.૪૬) તે સુરેશભાઇ તથા લીનાબેન નિલેશભાઇ વોરાના ભાઇ તેમજ મનનના પિતાશ્રી અને સ્વ.અશ્વીનભાઇ કામદારના જમાઇનું તા.ર૩ના અવસાન થયેલ છે.
લીલાવંતીબેન મકવાણા
રાજકોટઃ લુહાર જેતપુર હાલ રાજકોટ નિવાસી લીલાવંતીબેન કાન્તીભાઈ મકવાણા (ઉ.વ.૮૫) તે સ્વ.કાન્તીભાઈ ભીમજીભાઈ મકવાણાના ધર્મપત્નિ તથા જયશ્રીબેન ઈશ્વરભાઈ કારેલીયા- રાજકોટ, ભુપતભાઈ, ધીરૂભાઈ, પ્રદિપભાઈ, સ્વ.નરેશભાઈ, યોગેશભાઈના માતુશ્રી તથા સ્વ.દામજીભાઈ કરશનભાઈ ગોહેલ, સ્વ.રમણીકભાઈ તથા ચંદુભાઈ ગોહેલ અમરનગરના બહેનનું તા.૨૨ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સોસાયટી, રાજકોટ ખાતે તેમજ જેતપુર ખાતે બેસણું તા.૨૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે લુહારવાડી, ખોડપરા, જેતપુર ખાતે રાખેલ છે.