Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019
આજીડેમના કોન્સ. કિરીટ રામાવતના દાદીમા અને નિવૃત પીએસઆઇ પ્રવિણચંદ્ર બી. રામાનુજના માતુશ્રીનું અવસાન

રાજકોટઃ નિવૃત પીએસઆઇ પ્રવિણચંદ્ર   બાલકદાસ રામાનુજ તથા રમેશચંદ્ર બાલકદાસ રામાનુજના માતુશ્રી તેમજ આજીડેમ પોલીસ મથકના કોન્સ. કિરીટભાઇ રમેશભાઇ રામાવતના દાદીમા રમાબેન બાલકદાસ રામાવતનું તા. ૨૧/૮ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. રામાવત પરિવાર અને સગા-સ્નેહીઓએ સદ્દગત રમાબેનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. (મો.૯૪૦૯૭ ૭૪૭૯૦, ૯૮૨૪૪ ૧૭૨૭૯, ૯૮૭૯૫ ૦૦૩૦૬)

જેતપુર લેઉઆ પટેલ સમાજના શ્રેષ્ઠી મનુભાઇ ગજેરાનું અવસાન

નવાગઢ તા. ર૩: જેતપુરના નિષ્ઠાવાન અને રચનાત્મક રાજપુરૂષ શ્રી મનુભાઇ ગજેરાનું ૯૦ વર્ષની વયે અવસાન થયેલ છે.

જેતપુરના લેઉઆ પટેલ સમાજના શ્રેષ્ઠી ને દયાનંદ એન્જીનીયરીંગ નામની પેઢી ધરાવતા શ્રી મનુભાઇ ગજેરા ના અવસાને જેતપુર પંથકે અમુલ્ય ધરેણું ગુમાવ્યું છે. તેમની અંતિમ યાત્રામાં શહેરના તમામ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અવસાન નોંધ

અરવિંદભાઇ જયશંકરભાઇ જોષીનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ નિવાસી વાલમ બ્રાહ્મણ અરવિંદભાઇ જયશંકરભાઇ જોષી (ઉ.વ.૭૬) તે કુંતલબેન જૈમિનીભાઇ પંડીત, ભાવિકભાઇ જોષી અને બ્રિજેશભાઇ જોષીના પિતાશ્રી તથા ધનજંયભાઇના નાનાભાઇ તેમજ નયનભાઇ વ્યાસના બનેવીનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૬ના સોમવારે સાંજે ૪ થી ૬ ચંદ્રેશવાડી, પંચવટી સોસાયટી મેઇન રોડ, ત્રિશુલ ચોક, નાનામવા રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

સમજુબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા સ્વ. સમજુબેન રવજીભાઇ ટાંક તે સ્વ. જીવનલાલ રવજીભાઇ ટાંક તથા ધીરજલાલ રવજીભાઇ ટાંકના માતુશ્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ સોમવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને વાણીયાવાડી-૩, ખોડીયાર નિવાસ ખાતે રાખેલ છે.

શિલ્પાબા ઝાલા

રાજકોટઃ નિવાસી મૂળ ગામ ફ્રેદા વાળા મહેન્દ્રસિંહ લાલુભા ઝાલા ( નિવૃત કોર્ટ બેલીફ )  તથા કૈલાસબા મહેન્દ્ર સિંહ ઝાલાના પુત્રવધુ તે રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ( ફેમિલી કોર્ટ–રાજકોટ)ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના ધર્મપત્ની શિલ્પાબા તે અશોકસિંહ ચુડાસમા રહે. ભાયાવદરવાળાના પુત્રીનું તા. ૨૧  બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૬ના સોમવારે સાંઈબાબા સોસાયટી, સાંઈનાથ મહાદેવ મંદિર, રેલ નગર - રાજકોટ ખાતે સાંજના ૪ થી ૬  કલાકે રાખેલ છે.

અશ્વિનભાઇ દવે

 રાજકોટઃ શ્રી ચા.મ.મો. બ્રાહમણ સ્વ.શ્રી અશ્વિનભાઇ હરકાંતભાઈ દવે (ઉ.વર્ષ. ૬૬) તે સ્વ.શ્રી દિનેશભાઈ, તથા ગિરજાશંકરભાઈ તથા રવિશંકરભાઈ, તથા હેમલતાબેન (લંડન) ચંદાબેનના ભાઈ તથા મુકેશભાઈ જોષી, દિનેશભાઈ જોષીના બનેવી તથા ઝરણાબેનના પિતાશ્રી તથા શ્રી આનંદકુમાર જીતેન્દ્રભાઈ ભટ્ટના સસરાનું અવસાન તા. ૨૨ ને ગુરૂવારે થયેલ છે. તેમનું બેસણું તથા ઉઠમણું તા. ૨૬  ને સોમવારે સાંજે ૪ થી ૫ વાગ્યે નિરંજની સોસાયટી, કોમ્યુનીટી હોલ, સૌરભ હોલ પાસે રૈયા રોડ, રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાન પાસે રાખેલ છે.

વનિતાબેન ચુડાસમા

રાજકોટઃ મુળ ગુલાબનગર હાલ નાની વાવડી નિવાસી ચંદુભાઇ કાનજીભાઇ ચુડાસમાના ધર્મપત્નિ વનિતાબેનનું તા.૨૨ના ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૩૦ના શુક્રવારે નાની વાવડી (મોરબી) મુકામે રાખેલ છે.

હરસુખરાય સંઘાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી હરસુખરાય અમીતચંદ સંઘાણી (ઉ.વ.૮૨) તે એસ.ટી.ના નિવૃત કર્મચારી  અને પૂ.બા.બ્ર. હેમાલીબાઇ મહાસતીજીના સંસારી પિતાશ્રી અને સ્વ. હરકીશનભાઇ, વસંતભાઇ તથા હર્ષદભાઇના ભાઇ તેમજ બિદુંબેન ચેતનભાઇ કામદાર દિપ્તીબેન વિનયભાઇ પતિરા, મનીષાબેન જયેશભાઇ મહેતા અને તુષારભાઇના પિતાશ્રી તા.૨૨ના રોજ અરિહંત શરણ થયેલ છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૨૬ને સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે  ગોંડલ રોડ (વેસ્ટ) જૈન ઉપાશ્રય, જયંત કે.જી.રોડ, ખાદી ભંડાર સામેના રસ્તે રાખેલ છે.

રમેશચંદ્ર શાહ

રાજકોટઃ ખાખરેચી નિવાસી હાલ રાજકોટ રમેશચંદ્ર વનેચંદ શાહ (લોદરીયા) તે કેતનભાઇ, સંજયભાઇ, રાજશ્રી તરૂણકુમાર શાહ, ભાવિની સંજયકુમાર પટેલના પિતાશ્રી તે દિવ્યાબેન અમીતાબેનના સસરા તે સ્વ. મોહનલાલ પાનાચંદ પારેખના જમાઇ તા.૨૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૪ શનિવારના રોજ સવારે ૧૦ કલાકે પારસધામ દેરાસર નિર્મલા સ્કુલ રોડ ફાયરબિગ્રેડ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

 વનીતાબેન ત્રિવેદી

રાજકોટઃ શ્રીગૌડ મેડતવાડ ગં.સ્વ. વનીતાબેન ચંદ્રકાંતભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૭) તે રાજેશભાઇ (ગ્રામીણ બેંક) અનિલભાઇ (ગોરબાપા) તથા બિપીનભાઇ (અપંગ માનવ સેવા સંઘ) ટિનાબેન તથા આરતીબેનના માતુશ્રી તથા સાગરભાઇ (રેવન્યુ તલાટી), હાર્દિકભાઇ તથા વિવેકભાઇના દાદીમાં તા.૨૨ને ગુરૂવારના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન સરોવર એપાર્ટમેન્ટ - ન્યુ પરીમલ સ્કુલ પાછળ શકિતનગર મેઇન રોડ કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રસીકભાઇ મકવાણા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર રસીકભાઇ કાનજીભાઇ મકવાણા (મકવાણા ટેઇલર્સ વાળા)નું તા.રરના અવસાન થયેલ છે. તે હસુભાઇ મકવાણાના નાનાભાઇ તથા નયનભાઇ તથા નિલાબેન તથા કાજલબેનના પિતાશ્રી તથા વિપુલભાઇ તથા હિતેશભાઇના કાકાશ્રીનું બેસણું તા.ર૩ના સાંજે ૪ થી ૬, કમળ ગંગા વાડી, વિજય પ્લોટ ખાતે રાખેલ છે.

મોહનલાલ સોની

રાજકોટઃ અમરેલી નિવાસી પરજીયા પટ્ટણી સોની મોહનલાલ કેશવલાલ લુહાર (ઉ.વ.૮ર) (મોટી કુંકાવાવ વાળા) તે રવિભાઇ પટ્ટણી (ગીરીરાજ ટાઇમ્સ અમરેલી) વિજયભાઇ ભગત સુરેશભાઇ તથા અશ્વિનભાઇ (રાજકોટ)ના પિતાશ્રી તા.રરના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬ સુધી સહજ હોલ ચકકરગઢ રોડ, રેલ્વે ફાટક પાસે રાખેલ છે.

નીલમબહેન દેસાઇ

રાજકોટઃ નીલમબહેન મનહરલાલ દેસાઇ તે મનહરલાલ પોપટલાલ દેસાઇના ધર્મપત્ની તે મોહનલાલ લાજીભાઇ મડીયાની પુત્રી, જીતેન્દ્રભાઇ (મુનો), દિપ્તીબહેન વિરેનભાઇ કોઠારી (ઉપલેટા), દિવ્યાબહેન મહેશભાઇ પારેખ (જુનાગઢ)ના માતુશ્રી, તે રીનાબહેન જીતેન્દ્રભાઇ દેસાઇના સાસુજી, તે રશ્મીબહેન વિરેનભાઇ મડીયા (અમદાવાદ), જાગૃતિબહેન નલીનભાઇ વોરા (જેતપુર), આશાબેનના કાકીનું અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.ર૬ને સોમવારે સવારે ૯-૩૦ થી ૧૧-૦૦, સાધના સોસાયટી મેઇન રોડ, આનંદનગર ખાતે રાખેલ છે.

મંજુલાબેન રાઠોડ

રાજકોટઃ વાણંદ ચંદુભાઇ ગોવીંદભાઇ રાઠોડ (ભાડલા વાળા હાલ રાજકોટ)ના ધર્મપત્ની મંજુલાબેન ચંદુભાઇ રાઠોડ (ઉ.વ.૭૩) તા.રરના શ્રીરામ ચરણ પામેલ છે. તે અરૂણભાઇ તથા સુભાષભાઇ તથા અનીલભાઇ તથા હસમુખભાઇના માતુશ્રી તથા ભુપતભાઇ હરીભાઇ ગાલોરીયાના બેનનું બેસણું તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬, ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર નંબર ૯૭૪ કોઠારીયા સોલવંટ ખાતે રાખેલ છે.

નરેન્દ્રભાઇ કુલર

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણીક રાજકોટ નિવાસી નરેન્દ્રભાઇ કપુરચંદ કુલર (ઉ.વ.૬૮) તે વિનોદભાઇ કુલરના ભાઇ બ્રિજેશભાઇ નરેન્દ્રભાઇ, મયુરભાઇ નરેન્દ્રભાઇ કુલરના પિતાશ્રી તથા મંજુલાબેન યશવંતરાય કાટકોરીયા, માલતીબેન ગજેન્દ્રરાય આણંદપરા, હિરાબેન મનસુખભાઇ શેઠ, પલ્લવીબેન દિલીપભાઇ વાસાણીના ભાઇ તેમજ મુકુન્દભાઇ સેલારકા તથા પ્રમોદાબેન ખીમચંદભાઇ પારેખના બનેવીનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા સ્કૂલની બાજુમાં રાખેલ છે.

ભીખુભાઇ જોષી

સરધારઃ ભીખુભાઇ તુલશીભાઇ જોષી (ઉ.વ.૯ર) તે રાજેશભાઇ, લલીતભાઇ, (લાલભાઇ) તથા નિલમેબનના પિતાશ્રીનું તા.રરના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૬ને સોમવારે બપોરે ૪ થી ૬ નિલકંઠ મહાદેવ મંદિર પંચમુખી ચોક પાસે સરધાર મુકામે રાખેલ છે.

રમેશકુમાર ઉનડકટ

કેશોદઃ રમેશકુમાર જે. ઉનડકટ (ઉ.વ.૬૮) તે ચંદુભાઇ તન્ના (રાજકોટ) રાજુભાઇ તન્ના (બોડેલી) વાળાના બનેવી તેમજ ગોરધનભાઇ તન્ના (કેશોદ) ના જમાઇ અને જીગ્નેશભાઇ/મયુરભાઇ તન્ના (શ્રી બાલવી કૃપા ડેરી ફાર્મ) ના ફુવાનું તા. રરના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું અને મોસાળ પક્ષની સાદડી તા. ર૩ને શુક્રવારેઢ માસ્તર સોસાયટી કોમ્યુનીટી હોલ રાજકોટ ખાતે સાંજે પ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.

મહેન્દ્રસિંહ પરમાર

રાજકોટઃ નિવાસી સ્વ.મહેન્દ્રસિંહ બચુસિંહ પરમાર (ઉ.વ.૫૮) તેઓ સુરેશભાઈના મોટાભાઈ, કુલદિપસિંહના પિતાશ્રી તેમજ સ્વ.દાનસિંહભાઈ રૂપસિંહભાઈ રાઠોડ (રેલ્વે વાળા)ના જમાઈનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કારડીયા રાજપૂત સમાજની વાડી- મહૂડી ચોકડી ખાતે રાખેલ છે.

જયંતિલાલ આડતીયા

રાજકોટઃ ગોંડલ નિવાસી જયંતિલાલ ભગવાનજીભાઈ આડતીયા (ઉ.વ.૭૭) તે હસમુખભાઈ આડતીયા (રાજકોટ) તથા સ્વ.બિપીનભાઈ આડતીયાના વડીલબંધુ તેમજ ચંદુલાલ તન્ના (વેરાવળ- સોમનાથ)ના સાળાશ્રી અને અતુલભાઈ પોપટ (જુનાગઢ) તથા જયેશકુમાર સામાણી (જેતપુર)ના મામાજીનું તા.૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તા.૨૬ને સોમવારના રોજ સાંજના ૪ થી ૫ ભજન તેમજ ૫ થી ૬ ઉઠમણું ગોંડલ લોહાણા મહાજન વાડી, ૬ મહાદેવવાડી ખાતે રાખેલ છે.

શારદાબેન સામાણી

રાજકોટઃ શારદાબેન હરજીવનદાસ સામાણી (ઉ.વ.૭૨) તે હરજીવનદાસ મથુરાદાસ સામાણીના ધર્મપત્નિ તથા મનોજભાઇ, ભાવેશભાઇ, મનીષભાઇના માતુશ્રી, હસમુખભાઇ, ચન્દ્રકાંતભાઇ સ્વ. રાજેન્દ્રભાઇ સામાણીના કાકી, સ્વ. વિઠ્ઠલદાસ ગોપાલદાસ સામાણી મુળ સલાયાવાળાના પુત્રીનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા.૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાને રાણી ટાવર ક્રિસ્ટલ મોલની સામે કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

જયોતિબેન દોશી

રાજકોટઃ દોશી ધારશી શામજી ઘીવાળા પરીવારના જયોતિબેન કાંતિભાઈ દોશી (ઉ.વ.૭૫) તે કાંતિભાઈ ધીરજલાલ દોશીના ધર્મપત્ની તથા મનિષભાઈ તથા આશાબેનના માતુશ્રી અને વિનોદભાઈ અને દિલીપભાઈના ભાભી તથા અ.સૌ.કેતનાબેનના સાસુ, ભકિત તથા ભવ્યાના દાદીમા તે સ્વ.છોટાલાલ પ્રાણજીવન મહેતા (મોરબીવાળા)ની દીકરી આજરોજ સવારે ૪:૩૦ કલાકે અરિહંત શરણ પામ્યા છે. જેનું ઉઠમણું જાગનાથ જૈન ઉપાશ્રયે આજરોજ શુક્રવાર તા.૨૩ના રોજ ૪:૩૦ કલાકે રાખેલ છે.