Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023
જાણીતા લોકગાયક મનહરભાઇ યાદવનું અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટ : જાણીતા લોકગાયક અને બીએસએનએલના નિવૃત કર્મચારી મનહરભાઇ યાદવનું તા. ૨૧ ના દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કેરળથી રાજકોટ પરત ફરતી વખતે ચાલુ યાત્રાએ આવેલ હાર્ટ એટેક તેમના માટે જીવલેણ નિવડયો હતો. મનહરભાઇ અષાઢી ગાયક તરીકે લોકોમાં સતત છવાયેલા રહ્યા. ફરીદાબેન મીર સાથે તેમણે માતાજીના એનક ગરબા ગાયા છે. બીએસએનએલ યોજીત અખિલ ભારતીય સંગીત સ્‍પર્ધામાં પણ તેઓ અનેક વખત વિજેતા બની ચુકયા છે. તેમના અનેક આલ્‍બમો પણ બહાર પડેલ છે. મિલનસાર સ્‍વભાવના કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હતા. મનહરભાઇ પોતાની પાછળ ૧૦૭ વર્ષના માતુશ્રી સાજણબેન, પત્‍નિ રમાબેન, પુત્ર બિમલભાઇ (સી.એ.) (મો.૯૪૨૯૪ ૩૨૨૦૦), પુત્રવધુ જહાન્‍વીબેન, પૌત્ર જિયાંશુને વિલાપ કરતા છોડી ગયા છે. સદ્દગતનું બેસણું તા. ૨૬ ના ગુરૂવારે સાંજે ૪ થી ૭ તેમના નિવાસ સ્‍થાન, ‘ખોડીયાર કૃપા', રવિરાંદલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગરોડ, યશ કોમ્‍પલેક્ષ પાછળ, શ્રી પાર્ટી પ્‍લોટની સામેની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

અશોકભાઈ વ્યાસ

રાજકોટ : ભાડલા નિવાસી ઔ.ગુ.સા. સ્વ.બાબુલાલ ત્રિભોવનભાઈ વ્યાસના પુત્ર અશોકભાઈ બાબુલાલ વ્યાસ (ઉ.૬૨) તે મહેન્દ્રભાઈ તથા જીણાભાઈ, હસમુખભાઈ, વિનોદભાઈ, ચંદ્રેશભાઈ, રેખાબેન વાસુદેવભાઈ જાનીના ભાઈ તથા બોડીપીપળીવાળા રવિશંકરભાઈ ફુલશંકર દવેના જમાઈનું તા.૨૩ના સોમવારના રોજ ભાડલા મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ના શુક્રવારના ભાડલા તેમના નિવાસસ્થાને સવારે ૯ થી ૫:૩૦ સુધી રાખેલ છે.

રંજનબેન ગાંધી

રાજકોટ : જુનાગઢ નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર દામોદર ગાંધીના ધર્મપત્ની રંજનબેન (ઉ.વ.૮૯) તા. રર ના રોજ અરિહંતશરણ થયેલ છે. તેઓશ્રી સ્વ. ધીરજલાલ માણેકચંદ કાગદી (પારેખ) તથા સ્વ. સમજુબેન ધીરજલાલ પારેખના સુપુત્રી, શ્રીમતી નયના કીર્તીકુમાર શાહના માતુશ્રી, કીર્તિકુમાર જવાહરભાઇ શાહના સાસુમા, રીતેશ, મિતલ, સુમિતના નાની તે સ્વ. રમણીકભાઇ, સ્વ. રસીકભાઇ તથા નવીનભાઇ, કમળાબેન, કુસુમબેન, ગીતાબેન તથા દેવેન્દ્રાબેનના બહેનનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કલ્પનાબેન ભટ્ટ

મોરબી : મુળ પીપળીયા હાલ મોરબી ઔદિચ્ય સ. ઝાલાવાડી બ્રાહ્મણ જયેન્દ્રભાઇ પી. ભટ્ટ (જે. પી. ભટ્ટ)ના પત્ની અને અર્પિતભાઇ ભટ્ટ (પુરૃષાર્થ મેડીકલ) ના માતુશ્રી કલ્પનાબેન જયેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.૬ર) તા. રર ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૬ ને ગુરૃવારે સાંજે ૪ થી પ.૩૦ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી જીઆઇડીસી સામે, નવા બસ સ્ટેશન પાસે શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. જયેન્દ્રભાઇ (મો. ૯૯રપ૪ પ૧૧૩૮), અર્પિતભાઇ (મો. ૯૦૩૩૩ ૩૦૬ર૪)

રમાબેન સેતા

મોરબી : સ્વ. પ્રવિણચંદ્ર મગનલાલ સેતાના પત્ની રમાબેન (ઉ.૭૮) તે સ્વ. મગનલાલ દેવચંદભાઇના પુત્રવધુ તથા સ્વ. જેઠાલાલ સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. ધીરૃભાઇ ના ભાભી તથા પ્રશાંતભાઇ લીનાબેન (રાજકોટ)ના માતુશ્રી તથા ધીરજલાલ પરસોતમ રૃપાલીયાના પુત્રીનું તા. ર૩ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી નાગરીક બેંક સામે વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

નીતિનભાઇ ઠાકર

રાજકોટઃ ઔદિચ્‍ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના નીતિનભાઇ પોપટલાલ ઠાકર (ઉ.૬૭) તેઓ સ્‍વ.પોપટલાલ ઠાકરના પુત્ર તેમજ સ્‍વ.સુરેશભાઇ રાજુભાઇ તથા સ્‍વ.હસુભાઇના ભાઇ તેમજ સ્‍વ.શાષાી હિતેશભાઇ, શાષાી રામભાઇ તથા શ્‍યામભાઇના પિતા તેમજ અશ્વિનભાઇ જોશીના સસરાનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ને ગુરૂવાર બપોરે ૪થી ૬ નર્મેદેશ્વર મહાદેવ, કડીયા સોસાયટી ૨, અંકુર વિદ્યાલય, ગોકુલધામ પાસે રાજકોટ ખાતે રાખેલ છે. રામભાઇ ઠાકર-૯૯૭૯૫ ૮૫૬૪૮, શ્‍યામભાઇ ઠાકર-૮૪૬૦૦ ૬૨૬૫૬, ધર્મેશભાઇ ઠાકર-૯૮૨૪૫ ૯૦૩૫૨.

મંજુલાબેન દુધરેજીયા

રાજકોટઃ સ્‍વ.મંજુલાબેન મણીરામ દુધરેજીયા(ઉ.૬૭) તે અશોકભાઇ મણીરામ દુધરેજીયા, રાજુભાઇ મણીરામ દુધરેજીયા, લક્ષ્મણભાઇ મણીરામ દુધરેજીયા, સોનલબેન મણીરામ દુધરેજીયાના માતુશ્રીનું તા.૨૨ને રવિવારના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૨૬ ગુરૂવાર સાંજે ૪થી ૬ કલાકે શીતળા માતાજી, બેડીપરા, રાજકોટ ખાતે રાખેલ છે.