Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017
અવસાન નોંધ

ધિરજલાલ ઉપાધ્યાય

રાજકોટ : ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ, મુળ વણપરી, હાલ રહે. રાજકોટના શ્રી ધીરજલાલ દલપતરામ ઉપાધ્યાય (ઉ.વ.૮૯) તે પંકજભાઈ (શ્રી ઉમિયા રોડવેઝ - મેટોડા), શૈલેષભાઈ તથા રૂઅકભાઈ પંકજભાઈના દાદાનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, પુનિત સોસાયટી, સુતા હનુમાનવાળી શેરી, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુબેન વ્યાસ

જુનાગઢ : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મુળ દાદર-ગીર નિવાસી ગં.સ્વ. મંજુબેન હિંમતલાલ વ્યાસ (ઉ.વ.૮૬), તે ભારતીબેન હર્ષકાંતભાઇ મહેતા (વડોદરા), કિરીટભાઇ (રાજકોટ), પંકજભાઇ (જુનાગઢ), યશવંતરાય (વેરાવળ), સ્વ.પ્રકાશભાઇ (સુરત), કનકબેન વ્યાસ (જુનાગઢ મહિલા ભાજપ પ્રમુખ), સ્વ.શોભનાબેન કિશોરભાઇ પંડયા (મીઠાપુર, તા.દ્વારકા) અને સાધનાબેન રાજીવભાઇ મહેતા (ગોંડલ)ના માતુશ્રીનું તા.રરના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૪ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

મનસુખલાલ પાબારી

દ્વારકાઃ મનસુખલાલ મથુરાદાસ પાબારી (મનુભાઇ ઉ.વ.૪પ) તે પુરવેશના પિતાશ્રી (હોટલ નંદનવન) તથા પ્રાણજીવનભાઇ તથા બીપીનભાઇ (એલઆરવાળા)ના કુટુંબી તથા દ્વારકાદાસ ધરમશી સુતરીયા મીઠાપુર વાળાના જમાઇ તથા અનીલ કાંતીલાલ માવાલીના સાળાનું અવસાન તા.ર૧ના થયેલ છે. સાદડી તા.ર૩ એ ગુરૂવારે માતુશ્રી માંધાબેન ટાઉનશોલમાં ૪.૩૦ થી પ સાસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મનસુખભાઇ સાવલીયા

ગોંડલઃ મનસુખભાઇ ભીમજીભાઇ સાવલીયા (ઉ.વ.૭૪)ને કનુભાઇ તથા પ્રફુલભાઇના મોટાભાઇ તથા દેવેન્દ્ર તથા હીતેશના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન પામેલ છે. બેસણુ તા. ૨૩ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન જયશ્રીનગર શેરી નં. ૫/૪ જેતપુર રોડ ગોંડલ મુકામે રાખેલ છે.

અનસુયાબેન જાદવ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ. અનસુયાબેન (ભાનુબેન) તે અમરસિંહ ભીખાભાઇ જાદવના ધર્મપત્નિ તેમજ કિશોરભાઇ (એસ.બી.આઇ), કિરીટસિંહ (આકાશવાણી), ઘનશ્યામભાઇ, દિનેશભાઇના માતુશ્રી તેમજ જયદીપ, મિલન, પ્રશાંત, વિશ્વરાજ અને અભીષેકના દાદીમાનું અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૨૪ના શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ શિવમંદિર, શિવનગર શેરી નં.૩, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

રસિકલાલ હિંમતલાલ પંડયા

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ શાપર, હાલ રાજકોટવાસી  રસિકલાલ હિંમતલાલ પંડયા (ઉમર વર્ષ ૮૮) સીનીયર એડવોકેટ તે જનકભાઇ- એડવોકેટ, કમલભાઇ, પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ (સુરેન્દ્રનગર) તથા ડો.કુમારભાઇ-ડીવીઝનલ એન્જીનીયર બીએસએનએલ તથા કૃપાંજલીબેન તથા હેમલબેનના પિતાશ્રી તે સ્વ.મોતીલાલ પુરૂષોતમભાઇ જોશીના જમાઇનુ તા.૨૨ના રોજ અવસાન થયેલ છે તેમની બંને પક્ષની પ્રાર્થના સભા તા.૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ નથુ તુલસી બ્રાહ્મણ બોર્ડીંગ, ૯-ગોપાલનગર, ડો.રાજાણીના દવાખાના પાસે રાખેલ છે.

મુકતાબેન ગોહેલ

રાજકોટઃ વાણંદ સ્વ. કેશુભાઇ શામજીભાઇ ગોહેલ તે જયહિંન્દ પ્રસવાળાના ધર્મપત્ની  મુકતાબેન (ઉ.વ.૬૫)નું તા.રરના અવસાથ થયેલ છે. તે હિેતષભાઇ તથા નિરંજનભાઇ તથા વિજયભાઇના માતા તથા વિપુલ તથા સુજલના દાદીમા તે પ્રફુલકુમાર કાંજીયાના સાસુનુ બેસણુ તા. ૨૪ના શુક્રવારે સાંજના ૩ થી ૫ કૃષ્ણનગર શેરી નંબર-પ પોસ્ટ ઓફિસ પાછળ પોપટપરા  મેઇન રોડ ખાતે રાખેલ છે.

કાંતિલાલ ઝીંઝુવાડીયા

માણાવદરઃ સોની કાંતિલાલ વાલજીભાઇ ઝીંજુવાડીયા (ઉ.વ.૮૭) તે સ્વ.જેન્તીભાઇ, સ્વ.મોહનભાઇ, સ્વ.મગનભાઇ તથા વૃજલાલભાઇના મોટાભાઇ  મહેન્દ્ર, જીતુભાઇ તથા દિપક (દુબઇ)ના પિતાશ્રીનુ તા. ૨૨ના રોજ અવસાન થયુ છે. બેસણુ તા. ૨૩ ગુરૂવારે ૪ થી ૬ પીપળેશ્વર મહાદેવ મંદિર પાસે જવાહર રોડ નિવાસસ્થાન માણાવદર ખાતે રાખેલ છે.

પોપટભાઈ શીલુ

રાજકોટ : શેલુકા નિવાસી રાજગોર બ્રાહ્મણ પોપટભાઈ જીવાભાઈ શીલુ (ઉ.વ.૭૫) તે ચંદુભાઈ તથા હરસુખભાઈ શીલુના પિતા અને સ્વ. દામજીભાઈ તથા ભગવાનજીભાઈ શીલુના ભાઈનું તા.૨૦ને સોમવારના દુઃખદ અવસાન થયેલ છે.

લતાબેન ત્રિવેદી

રાજકોટ : લતાબેન અજીતભાઈ ત્રિવેદી (ઉ.વ.૫૪) તે સ્વ. અજીતભાઈ કાંતિભાઈ ત્રિવેદીના ધર્મપત્નિ, તે સ્વ. શિવકુમાર હિંમતલાલ રાવલના સુપુત્રી તથા યશના માતુશ્રીનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર, શિવમ સોસા. - ૩, આલાપ ગ્રીન સીટી પાસે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષદભાઈ બુદ્ધદેવ

રાજકોટ : સ્વ. પ્રભુદાસ મોરારજીભાઈ બુદ્ધદેવના પુત્ર હર્ષદભાઈ (ઉ.વ.૫૯) તે હેમાંગ, નિધીના પિતાશ્રી તથા ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ, રમેશભાઈ, ચંપકભાઈ, હિતેષભાઈ, મધુબેન ભરતભાઈ કતીરા, રંજનબેન ભુપેન્દ્રભાઈ દેવાણી, હંસાબેન કિશોરકુમાર કારીયા, દક્ષાબેન જસ્મીનકુમાર જોબનપુત્રાના ભાઈ તેમજ કૃષ્ણકુમાર મણીલાલ કક્કડના જમાઈનું તા.૨૨ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું - સાદડી (ભાઈઓ-બહેનોનું) તા.૨૩ને ગુરૂવારના સાંજે ૫ વાગ્યે પુતળીબા હોલ, ભકિતનગર સર્કલ, જયનાથ હોસ્પિટલ, ગીતામંદિરની સામે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

જીવીબેન કથીરીયા

રાજકોટ : જીવીબેન બચુભાઈ કથીરીયા (ઉ.વ.૮૦) તે ધનજીભાઈ બચુભાઈ કથીરીયાના માતુશ્રીનું તા.૨૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૩:૩૦ થી ૫ કલાકે, અમારા નિવાસસ્થાન ૨૬, ગુંદાવાડી, પલંગ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

લક્ષ્મણભાઈ નાતુ

રાજકોટઃ સ્વ. લક્ષ્મણ નારાયણ નાતુ (રેલ્વે) (મહારાષ્ટ્રીયન) (ઉ.વ. ૮૧) જે અતુલભાઈ નાતુ, અનીતાબેન વાઘ (વડોદરા) તથા અર્ચનાબેન ઠાકુર (અમદાવાદ)ના પિતાશ્રીનું તા. ૨૨ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૩ના ગુરૂવારે કોપરસીટી, જૂના જકાતનાકા પાસે જામનગર   રોડ  ખાતે     સાંજે  ૪ થી ૬ રાખેલ છે.

ગોકળભાઈ ચૌહાણ

રાજકોટઃ ગોકળભાઈ લાલજીભાઈ ચૌહાણ તા. ૨૨ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણુ તા. ૨૧ના સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે.

નરેન્દ્રભાઈ વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ સ્વ. અનંતરાય જગન્નાથ વ્યાસના પુત્ર નરેન્દ્રભાઈ (હકુભાઈ) (ઉ.વ.૬૭) તેઓ હેમંતભાઈના મોટાભાઈ તથા કુ. દક્ષાબેન, કુ. હર્ષાબેનના મોટા ભાઈ તથા કૃતિકા તથા ફોરમના પિતાશ્રીનું તા. ૨૨ના રોજ ગૌલોકવાસી થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૪ના શુક્રવારના સાંજે ૪ થી ૫ અન્નપૂર્ણેશ્વર મહાદેવના મંદિર, પપૈયાવાડી, ગુરૂપ્રસાદ ચોક, એચ.જે. દોશી હોસ્પીટલ રોડ ખાતે રાખેલ છે.

મંજુલાબેન ગોહેલ

રાજકોટઃ મંજુલાબેન બાબુલાલ ગોહેલ (જામનગર) તે સ્વ. નાગજીભાઈ વિઠ્ઠલભાઈ પીઠડીયાના પુત્રી અને સ્વ. પ્રભુદાસભાઈ તથા કીરીટભાઈ (કીલુભાઈ)ના બહેન તથા વીરલભાઈ, અમીતભાઈ, આશિષભાઈના ફૈબાનું તા. ૨૨ના બુધવારના જામનગર મુકામે અવસાન થયેલ છે. સદગતની સાદડી તા. ૨૫ને શનિવારે બપોરે ૪ થી ૬ કીરીટભાઈના નિવાસસ્થાન ૧૮-ભોજરાજપરા,  ગોંડલ  મુકામે રાખેલ છે.

મંજુલાબેન દેવાણી

અમરેલીઃ મંજુલાબેન વિરજીભાઈ દેવાણી (ઉ.વ.૭૫) તે નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી વિરજીભાઈ ભીમજીભાઈ દેવાણીના ધર્મપત્નિ તેમજ કમલ ફ્રિજવાળા કમલેશભાઈ, લીનાબેન અને ભાવનાબેનના માતુશ્રીનું અવસાન તા. ૧૯મીએ રવિવારના રોજ થયેલ છે. ઉતરક્રિયા તા. ૨૫મીએ શનિવારે   તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ઠા. જયંતિલાલ ભીંડોરા

વાંકાનેર : ઠા. જયંતિલાલ મોહનલાલ ભીંડોરા (મોરથરાવાળા), (ઉ.૭૯) તે ઉષાબેન હસમુખરાય પુજારા, મીનાબેન દિનેશકુમાર અખાણી, દક્ષાબેન મહેશકુમાર સાયતા, જયોત્સનાબેન સંજયકુમાર રવેશીયા, માલતીબેન (માનસી), મીતેશકુમાર ખખ્ખર તથા ગીરીશભાઇ (કાળુભાઇ)ના પિતાશ્રી તથા ધવલ અને વિવેકના દાદા તેમજ સ્વ. લાભુભાઇ, ઇન્દુભાઇ તથા ચંદુભાઇના કાકાનું તા. રર મીએ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા. ર૪ મીએ શુક્રવારે સાંજે ૪ થી પ શ્રી વિશ્વકર્મા મંદિર જીનપરા ચોક ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

કુસુમબેન બદાણી

મેંદરડા : સ્વ. મણીલાલ નાથાલાલ બદાણીના ધર્મપત્ની ગં. સ્વ. કુસુમબેન (ઉ.વ. ૯૦) તે સ્વ. પ્રફુલભાઇ ત્થા નરેન્દ્રભાઇના માતુશ્રી તા. રર મીએ અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું  ગુરૂવાર ર૩ મીએ સાંજે ૪ થી પ કલાકે જૈન ઉપાશ્રયે રાખેલ છે.

ગીરધરભાઈ સોનીગરા

રાજકોટ : સડક પીપળીયા (ગોંડલ હાઈવે) નિવાસી સુથાર ગીરધરભાઈ મનજીભાઈ સોનીગરા (ઉ.વ.૬૫)નું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૨૪ને શુક્રવારે બપોરે ૩ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ગોબરભાઇ પરમાર

દાળીયાઃ ખાંટ ગોબરભાઇ કાબાભાઇ પરમાર તે વિનયભાઇ, સ્વ. રાજુભાઇના પિતાશ્રી તથા સ્વ. નરશીભાઇ, સ્વ. મેપાભાઇ તથા છગનભાઇના ભાઇનું તા. ર૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૩૦-૧૧-ર૦૧૭ ગુરૂવાર દાળીયા મુકામે રાખેલ છે.

પ્રભુદાસભાઇ વ્યાસ

રાજકોટ : સલડી ગામના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ્ય સલડી નિવાસી પ્રભુદાસભાઇ ઓધવજીભાઇ વ્યાસ (ઉ.૮૦) વર્ષ તે મુખ્યાજી ઓધવજીભાઇ કાનજીભાઇના પુત્ર તેમજ સ્વ. રમણીકભાઇ, સ્વ. વલભજીભાઇ અને લાભશંકર ભાઇના લઘુબંધુ, મનહરભાઇ અને ઇશ્વરભાઇના મોટાભાઇ તા. રર રોજ ગૌલોકવાસી થયેલ છે. બેસણું તા. ર૭ સોમવારે (હવેલી) સલડી મુકામે સવારે ૯ થી સાંજે પ સુધી રાખેલ છે.

મનસુખલાલ પાબારી

દ્વારકાઃ મનસુખલાલ મથુરાદાસ પાબારી (મનુભાઇ ઉ.વ.૪પ) તે પુરવેશના પિતાશ્રી (હોટલ નંદનવન) તથા પ્રાણજીવનભાઇ તથા બીપીનભાઇ (એલઆરવાળા)ના કુટુંબી તથા દ્વારકાદાસ ધરમશી સુતરીયા મીઠાપુર વાળાના જમાઇ તથા અનીલ કાંતીલાલ માવાલીના સાળાનું અવસાન તા.ર૧ના થયેલ છે. સાદડી તા.ર૩ એ ગુરૂવારે માતુશ્રી માંધાબેન ટાઉનશોલમાં ૪.૩૦ થી પ સાસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.