Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018
ટીવી-૯ રાજકોટના મોહિત ભટ્ટના દાદાનું દુઃખદ અવસાનઃ આજે સાંજે કાલાવડ (શીતલા)માં બેસણું

રાજકોટઃ કાલાવડ (શીતલા) નિવાસી શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ કાલાવડ નિવાસી સ્વ.પ્રભાશંકરભાઈ વાસનજી ભટ્ટ (ઉ.વ.૮૬) તે જયેશભાઈ તથા નિલેશભાઈ તેમજ ગુણવંતીબેન જાની (વેરાવળા, સુષ્માબેન ઓઝા (મુંબઈ) અને સારીકાબેન ત્રિવેદી (રાજકોટ)ના પિતાશ્રી તથા નિરવભાઈ, મોહિતભાઈ (ટીવી ૯ રાજકોટ) (મો.૯૦૯૯૯ ૩૪૯૬૩), ધવલભાઈ (આઝાદ સંદેશ રાજકોટ) અને પલકભાઈના દાદાનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે સોમવાર તા.૨૩ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને કંસારા શેરી, મેઈન બજાર, કાલવાડ (શીતલા) ખાતે રાખવામાં આવ્યું છે.

રૂબી મિલ્સ વાળા મનુભાઇ શાહનું દુઃખદ નિધનઃ આવતી કાલે મુંબઇમાં પ્રાર્થનાસભા

રાજકોટ તા.૨૩: જૈન સમાજના શેઠશ્રી ચુનીલાલ નરભેરામ શાહના પુત્ર અને શ્રી મનુભાઇ શાહ-વેકરીવાળાના નામે ઓળખાતા તેમજ જૈન સમાજને લઘુમતીનો  દરજજો અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા, ઉદ્યોગપતિ અને ગોંડલ સંપ્રદાયના જૂનીપેઢીના શ્રાવક શ્રી મનહરલાલ ચુનીલાલ શાહ (ઉ.વ.૮૩) તા. ૨૧ ના સાંજે ૮ કલાકે અરિહંત શરણ પામતાં જૈન સમાજ શોકગ્રસ્ત બની ગયો હતો.

તાજેતરમાં તા. ૧૫ ના પૂ. શ્રી ધીરગુરૂદેવ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં માંગલિક અર્થે પધાર્યા હતા. રૂબી મિલ્સના માલિક તેમજ દક્ષિણ મુંબઇને ર અને પરાની અક એમ ૩ હોસ્પિટલના ચેરમેન અને દશાશ્રીમાળી સેવા સંઘ, ભોજનાલય, કાંદાવાડી સંઘના પ્રમુખ અને સ્થા. જૈન કોન્ફરન્સના ટ્રસ્ટી તેમજ અનેક સંસ્થાઓમાં સદ્દગતની સેવાએ ચિર સ્મરણીય રહેશે. રાજકોટ જૈન ભોજનાલય, ઓમાનવાલા ઉપાશ્રય, ગીતગુર્જરી ઉપાશ્રય વગેરેમાં તેઓશ્રી દ્વારા અનુદાન પ્રાપ્ય થયેલ.

જૈન સમાજે એક અણનમ, અડીખમ, સેવાભાવી યોૈદ્ધા ગુમાવ્યો છે. સદ્દગતની પ્રાર્થનાસભા આવતી કાલે તા. ૨૪ ને મંગળવારે સાંજે પ થી ૭ કલાકે રૂબી મિલ્સમાં યોજાયેલ છે. આ પ્રસંગે પૂ. શ્રી ધીરગુરૂદેવ પધારશે. તેમ યાદીમાં જણાવાયું છે.

અવસાન નોંધ

ઓતમબેન કારસરીયા

જામનગરઃ નાના થાવરીયા નિવાસી ઓતમબેન ગોરધનભાઇ કારસરીયા તે ધામવાસી દેવસીભાઇ કારસરીયા (વકીલ) ના માતુશ્રી, વકીલ જયેશ કારસરીયાના દાદીમાં નું તા. ૨૧ ને શનિવારે અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા નિમિતે તા. ૨૮-૭-૧૮ ના શનિવારે સવારે ૮:૩૦ કલાકે નાના થાવરીયા, તા.જી. જામનગર મુકામે ગોટા પારાયણ રાખેલ છે.

નંદુબેન સીતાપરા

રાજકોટઃ ખરેડા નિવાસી હાલ રાજકોટ નાગજીભાઈ તથા નરોતમભાઈ તથા વિઠ્ઠલભાઈના માતુશ્રી નંદુબેન કાનજીભાઈ સીતાપરાનું તા.૨૨ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ૧- ઉદયનગર, શેરીનં-૧૪, મવડી પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

 

જગદીશભાઈ પડીયા

રાજકોટઃ ઓધવજી હીરાલાલ પડીયાના પુત્ર જગદીશભાઈ ઓધવજીભાઈ પડીયા તે અશોકભાઈ, ભરતભાઈ, દિપકભાઈના નાનાભાઈ અને સાગરના પિતાશ્રીતા.૨૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

અંબાબેન ઉપાધ્યાય

પ્રાંસલી (ગિર): નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ પીપળવાવાળા હાલ પ્રાંસલી ગં.સ્વ. અંબાબેન ઉમિયાશંકર ઉપાધ્યાય (ઉ.વ.૧૦૦) તે રમણિકભાઇનાં માતુશ્રીનું તા. ૨૨ ને રવિવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૬ ને ગુરૂવારે પ્રાંસલી મુકામે બપોરનાં ૨ થી પ કલાકે રાખેલ છે.

રૂપાબેન ઠકકર

રાજકોટઃ મુ. ખોડા પીરવાળા હાલ રાજકોટ મુકુંદરાય ત્રિભોવન કોટકની સુપુત્રી રૂપાબેન હરીલાલ ઠકકર તે દિપકભાઇ તથા હસુભાઇ ઘુઘરાવાળાના બહેનનું તા.ર૧ના અવસાન થયું છે. સ્વ.નું ઉઠમણું આજે તા.ર૩ના સોમવારે સાંજે પ કલાકે જીલ્લા ગાર્ડન બાપુનગર ખાતે રાખેલ છે.

લાભુબેન કોટક

રાજકોટઃ સ્વ.ચંદુલાલ રતિલાલ કોટક (રાજપરા વાળા)ના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ.૯૭) તે સ્વ.ઇન્દુભાઇ, જયોતિબેન, મધુબેન, ઇલાબેન, નયનાબેન, કિરણબેન રીટાબેન અને મનિષાબેનના માતુશ્રી તથા  પિનાકીન, કોમલ, જાનકી અને તેજલના દાદીમાં શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષ (મોહનદાસ અરજણદાસ ગણાત્રા)ની સાદડી આજે તા.ર૩ના સોમવારે સાંજે પ કલાકે પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર રાવલ

રાજકોટઃ જુનાગઢ, ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ બંધડા નિવાસી હાલ જુનાગઢ પ્રવિણચંદ્ર પ્રાણશંકર રાવલ (ઉ.વ.૭ર) જે રાકેશભાઇ રાવલના પિતાશ્રી તેમજ દિગ્નેશભાઇ રાવલના કાકા તથા મયુરભાઇ વોરા, રાજકોટ, જીજ્ઞેશ પંડયા, ચિરાગભાઇ મહેતાના સસરાનું તા.ર૧ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.ર૩ના સોમવારે સાંજે ૪ થી ૬, કડીયા મંદિર, શાકમાર્કેટ રોડ, કડીયાવાડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

અરવિંદભાઇ જાની

રાજકોટઃ શ્રી મોઢ ચા. (ચુ.થા) સમવાય બ્રાહ્મણ, હિરાણા નિવાસી હાલ અમરેલી , અરવિંદભાઇ ગીરજાશંકર જાની (ગોકુળભાઇ) ઉ.વ. ૬૬ તે સ્વ. ગુણવંતરાય જી. જાની , ચંદ્રકાંતભાઇ જી. જાની, નિર્મળાબેન બિપીનચંદ્ર શુકલ, કુસુમબેન વામનરાય ત્રિવેદી, સ્વ. રંજનબેન જીતેન્દ્રકુમાર પાઠકના ભાઇ રજનીકાંત જી. જાની, મનીષ જી. જાની ના કાકા તેમજ નમ્રતાબેન  એમ. પાઠક , હર્ષ તથા વૈદેહીના પિતાશ્રી તથા રવિશંકર ઉમીયાશંકર દવેના જમાઇ, અરવિંદભાઇ , કિશોરભાઇ તથા મુન્નાભાઇના બનેવી તા. ૨૧ ના કૈલાસવાસી થયા છે. સાદડી તા. ૨૩ ને સોમવારે ૩ થી ૬ દશા શ્રીમાળી જૈન વાડી યુનિટ નં.-૨ લાઇબ્રેરી રોડ અમરેલી રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. (

રામજીભાઈ રાણપરીયા

ગોંડલઃ રામજીભાઈ શામજીભાઈ રાણપરીયા (ઉ.વ. ૮૪) તે પ્રવિણભાઈ અશોકભાઈના પિતાનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૩ને સોમવારે સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર બસ સ્ટેન્ડ પાસે ગોંડલ મુકામે રાખેલ છે.

દિનેશભાઈ ચૌહાણ

ગોંડલઃ દિનેશભાઈ કેશુભાઈ ચૌહાણ-ડી.ભાઈ રીક્ષાવાળા તે સુરેશભાઈ, પંકજભાઈના ભાઈ તથા વિપુલભાઈ, મિલનભાઈના પિતાનું તા. ૨૧ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૩ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રાંદલ માતાજીના મંદિરે નવા માર્કેટયાર્ડ સામે ગોંડલ મુકામે રાખેલ છે.

જયાબેન રાચ્છ

ગોંડલઃ સ્વ. ગોરધનદાસ પરમાણંદભાઈ રાચ્છ (ખાખીજાળીયાવાળા)ના પત્નિ જયાબેન (ઉ.વ.૯૫) તે હસમુખભાઈ (રેલ્વે. વિરપુર), સરોજબેન, મંજુબેન નવલકુમાર રાયચુરાના માતા તથા રામજીભાઈ હંસરાજભાઈ કાનાબાર (જામનગર)ના બહેન તથા ભાવેશભાઈના દાદીમાંનુ તા. ૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણુ તા. ૨૩ને સોમવારે સાંજે ૪ થી ૫ લોહાણા મહાજનવાડી, ૬-મહાદેવવાડી, ગોંડલ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કલ્યાણજીભાઇ શીંગાળા

રાજકોટઃ ખીમજીભાઇ કલ્યાણજીભાઇ શીંગાળા (ભાયાભાઇ ફ્રુટવાળા) (ઉ.વ.૮૫) તે સ્વ. હરગોવિંદભાઇ, સ્વ. રમણીકભાઇ તથા નલિનભાઇના મોટાભાઇ તથા સ્વ. નરેન્દ્રભાઇ, કિરીટભાઇ, હિતેષભાઇ, હર્ષદભાઇના પિતાશ્રી તથા કિક્ષ શીંગાળા, કરણ શીંગાળા કેતનભાઇ તથા સ્મિત શીંગાળાના દાદા તથા જુનાગઢ નિવાસી સ્વ. છગનલાલ સુંદરજીભાઇ નથવાણીના જમાઇ તથા સ્વ. જયંતિલાલ છગનલાલ તથા સ્વ. હસમુખલાલ  છગનલાલના બનેવીનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૨૩ના રોજ સાંજના ૪ થી ૫ કોઠારીયા રોડ પાસે હરીધવા રોડ પુરૂષાર્થ મહાદેવના મંદીર ડી. માર્ટની બાજુમાં રાજકોટ મુકામે રાખેલ છે.

અરૂણભાઇ ઈન્દ્રોડિયા

બાબરા : ચરખા નિવાસી સ્વ. રતીભાઇ મકનજીભાઇ ઈન્દ્રોડિયાના પુત્ર અરૂણભાઇ (ઉ.વ. ૫૬) તે સ્વ. વજુભાઇ, ધનસુખભાઇ, પ્રકાશભાઇ , પ્રભાબેન કૈલાશબેન ના ભાઇનુ તા. ૨૨ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૬ના સાંજના ૪ થી ૬ ખોજા સમાજની વાડી ઉમીયાનગર ચીતલરોડ બાબરામાં રાખેલ છે.

ધનજીભાઇ ચૌહાણ

ગોંડલ : સ્વ. દાનજીભાઇ ચનાભાઇ ચૌહાણ તે ચંદુભાઇ બેકરીવાળા , હિતેષભાઇ ડીશવાળા તેમજ દિપકભાઇના પિતાશ્રીનુ તા. ૨૦ના અવસાન થયેલ છે. ક્રિયા તા. ૨૪ને મંગળવારે સવારે ૧૦/૩૦ કલાકે રાધે શ્યામવાડી દિપક મંડપની બાજુમાં યોગી નગર  મેઇન રોડ ગોંડલમાં રાખેલ છે.

મનસુખભાઇ ગોહેલ

 ગોંડલઃ મનસુખભાઇ હરજીવનભાઇ ગોહેલ (ઉ.વ.૬૦) તે શાંતીભાઇ, સ્વ. દિનેશભાઇના ભાઇ ધર્મેશના પિતાનું તા. રરના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરજી જ્ઞાતિની વાડી, બ્રહ્મસમાજ ચોક પાસે રૈયા રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

વિનોદભાઇ હરીયાણી

ગોંડલઃ વિનોદભાઇ રામસુંદરદાસ હરીયાણી (ઉ.વ.૭૦) તે ભરતભાઇ, મનીષભાઇ, દર્પણભાઇના પિતાનું  તા.રર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ મણીબેન કારાનગર સોસાયટી, વોરા કોટડા રોડ, ગોંડલ મુકામે રાખેલ છે.

અરૂણભાઇ ઈન્દ્રોડિયા

બાબરા : ચરખા નિવાસી સ્વ. રતીભાઇ મકનજીભાઇ ઈન્દ્રોડિયાના પુત્ર અરૂણભાઇ (ઉ.વ. ૫૬) તે સ્વ. વજુભાઇ, ધનસુખભાઇ, પ્રકાશભાઇ , પ્રભાબેન કૈલાશબેન ના ભાઇનુ તા. ૨૨ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૬ના સાંજના ૪ થી ૬ ખોજા સમાજની વાડી ઉમીયાનગર ચીતલરોડ બાબરામાં રાખેલ છે.