Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018
સુરેન્દ્રનગરમાં સાંઇબાબા મંદિરના સેવક બળવંતરાયભાઇનું અવસાન

વઢવાણ : સુરેન્દ્રનગર સુભાષ સોસાયટી બ્લોક નં.૪માં રહેતા અને સાંઇબાબાના સેવક અને કોર્ટમાં ફરજ બજાવી નિવૃતી બાદમાં પોતે સાંઇબાબાનું ઘર મંદિર બનાવ્યા બાદ લોકોને દર્શન અને પ્રસાદ વહેચી-લોકોમાં લોકચાહના પામેલા બળવંતરાયભાઇ નાથાલાલ રાવલ (ઉ.વ.૮૪)નું ગુરૂવારના રોજ અવસાન થવા પામેલ હતું.સ્મશાનયાત્રા નિકળેલ જેમાં સાંઇબાબાના ભાવિકો અનેક લોકો એમની સ્મશાન યાત્રામાં જોડાયા હતાં. તેમના પરિવારમાં એક પુત્ર છે. પુત્રનું નામ પણ સાંઇરામ રાખ્યું હતું. સદ્ગત તેમની પાછળ પત્નિ ભાનુમતીબેન, પુત્ર સાંઇરામ, પુત્રી યોગીનીબેન સહિત પરિવારજનોને  વિલાપ કરતા છોડી ગયેલ છે.

બેસણુ : રવિવારે બ્રહ્મસમાજ વાડીમાં સવારના ૯થી ૧૧ રાખેલ છે.

ગોંડલના શ્રીનાથગઢ દુધ ડેરીના પ્રમુખ જેન્તીભાઇ ખાખરીયાના માતુશ્રીનુ અવસાન

શ્રીનાથગઢ : વલભભાઇ કરશનભાઇ ખાખરીયા પ્રવિણભાઇ અને જેન્તીભાઇના માતુશ્રી રાણીબેન કરશનભાઇ ખાખરીયા (ઉ.૮૭) શ્રીનાથગઢમાં તા.રરને ગુરૂવારે અવાસન થયેલ છે.

રાત્રીના તેમના નિવાસ સ્થાને શોકસભા ગોપીમંડળના બહેનોએ હાજરી આપેલ હતી. મંતોચ્ચાર સાથે શ્રદ્ધાંજલી આપી ધુન બોલવામાં આવેલ હતી.

સીટી સર્વેના નિવૃત કર્મચારી ઉમિયાશંકરભાઈ જોશીનું નિધન

ગોંડલઃ રાજકોટ નિવાસી શ્રી સતોદડ મેળતવાડ શ્રીગૌડ બ્રાહ્મણ ઉમિયાશંકરભાઈ ભવાનીશંકરભાઈ જોશી (ઉ.વ.૮૭) (નિવૃત સીટી સર્વે ઓફિસ) તે નરેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, મુકેશભાઈ (મુકેશ સિલ્વર), હંસાબેન, દક્ષાબેનના પિતાશ્રી તથા નિરવભાઈ, મહેશભાઈ, રૂતીકા અને રૂદ્રના દાદા તેમજ સ્વ. હીરાલાલ ભગવાનજી શુકલના જમાઈનું તા. ૨૩ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૪ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે પટેલવાડી, વાણીયાવાડી, જલારામ ચોક, રાજકોટ રાખેલ છે (બન્ને પક્ષનું બેસણુ સાથે રાખેલ છે)

અવસાન નોંધ

વિરેન્દ્રભાઈ ઉપાધ્યાય

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ વિરેન્દ્રભાઈ મગનલાલ ઉપાધ્યાય (ઉ.વ.૭૦) તે જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય, હિમાંશુભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ ઉપાધ્યાયના વડીલ બંધું તથા વિરલભાઈ ઉપાધ્યાય, ધવલભાઈ ઉપાધ્યાયના પિતાશ્રી તેમજ જેન્તીભાઈ શુકલ (આર.કાંન્તટાયર)ના જમાઈનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે તા.૨૪ના રોજ બાપાસીતારામ મંદિરે બાપા સીતારામ ચોક, રૈયારોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રામશંકરભાઈ પંડ્યા

મૂળ અડબાલકા હાલ જામનગર નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. કાંતિલાલ રાજારામ પંડ્યાના પુત્ર રામશંકરભાઈ પંડ્યા(ઉ.૭૫) (નિવૃત -પોસ્ટલ કર્મચારી) તે સ્વ.હસમુખભાઈ, સ્વ. રમણિકભાઈ , જશુમતીબેન ચંદ્રવંદનભાઈ જોષીના ભાઈ તથા સરોજબેન હિતેશકુમાર ત્રિવેદી, કવિતાબેન રાજેશકુમાર જાની,(બંને -રાજકોટ), અતુલભાઈ, દીપકભાઈ ના પિતાનું તા.૨૨ મીએ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તા.૨૪ને શનિવારે સાંજે ૪ થી ૪-૩૦ પાબારી હોલ , તળાવની પાળે, જામનગર ખાતે ભાઈઓ- બહેનો માટે સાથે રાખ્યું છે.

શાંતાબેન ચાંદ્રાણી

કેશોદ : ગં. સ્વ. શાંતાબેન (ઉ.વ.૯પ) તે સ્વ. મથુરાદાસ રવજીભાઇ ચાંદ્રાણીના ધર્મપત્ની તેમજ રમેશભાઇ મનસુખભાઇ અરવિંદભાઇના માતુશ્રી આકાશ હાર્દિક, અભિ, જય, હેમના દાદીમાંનુ તા. રર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ મીએ ના શનિવારના સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર, એરપોર્ટ રોડ, કેશોદ રાખેલ છે.  

ઉર્મિલાબેન ઘોરેચા

રાજકોટ : ગુર્જર સુથાર હાલ રાજકોટ (લીલાપરવાળા) ઉર્મિલાબેન મહેશભાઈ રામજીભાઈ ઘોરેચાના ધર્મપત્નિ તે અનિલભાઈ, અશોકભાઈ, પરેશભાઈ તથા કુસુમબેન હેમંતલાલ વાલંભીયાના ભાભી તેમજ બીપીનભાઈ ડાયાભાઈ અનોવાડીયાના મોટાબેનનું તા.૨૨ના ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શનિવારે સાંજે ૪ થી ૬ ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ગોંડલ રોડ, જકાતનાકા પાછળ ખાતે રાખેલ છે. (બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

ભરતભારથી ગોસ્વામી

રાજકોટઃ ભરતભારથી ચકુભારથી ગોસ્વામી તે હિરેનભારથી ભરતભારથી ગોસ્વામીના પિતા, તે ચંદ્રીકાબેન ભરતભારથી ગોસ્વામીના પતિ, તે હરેશભારથી પ્રવિણભારથી ગોસ્વામીના કાકા તા.ર૧ના કૈલાશવાસ થયેલ છે. જેનું બેસણું તા.ર૪ના શનિવારે સાંજે ૪ થી ૬, ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક ૬૧, ભગતસિંહ ગાર્ડન પાછળ, યુનિવર્સિટી રોડ ખાતે રાખેલ છે.

પ્રદિપભાઇ ખરચલીયા

ગોંડલઃ વાણંદ સ્વ.કાનજીભાઇ ગોવિંદભાઇ ખરચલીયા, સ્વ.બાબુલાલ તથા ભાઇચંદભાઇ, અને શાંતિભાઇના નાનાભાઇ સવજીભાઇ (જી.ઇ.બી. ગોંડલ)ના પુત્ર પ્રદિપભાઇ (ઉ.વ.રપ) તે જીજ્ઞેશભાઇ (શિવ હેર આર્ટ ગોંડલ), મિનલબેન ભટ્ટીના નાનાભાઇતથા અરવિંદ છગનભાઇ બગથળીયા (ભારત હેર આર્ટ રાજકોટ)ના ભાણેજનું તા.રરના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા.ર૪ને શનિવારે સાંજે ૪ થી ૬, સર્વેશ્વર મહાદેવ મંદિર, સહજાનંદનગર રેલ્વે સ્ટેશન પાછળ ગોંડલ ખાતે રાખેલ છે.

નર્મદાબેન ધ્રાંગધરિયા

રાજકોટઃ નાની અમરેલી વાળા હાલ રાજકોટ ગુર્જર સુથાર નર્મદાબેન જાદવજીભાઇ ધ્રાંગધરિયા (ઉ.વ.૮ર) તે મગનભાઇ, નવિનભાઇ, હરીભાઇ તથા ભાનુબેન, મંછાબેન, કાંતાબેન, ચંદાબેનના માતુશ્રી તથા ગીરધરભાઇના ભાભી નારણભાઇ બાંગાવારાના દીકરી તેઓ તા.રરના શ્રી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના શનિવારે ૪ થી ૬, તથા પીયર પક્ષનું બેસણું મનહર સોસા. આર.ટી.ઓ. ઓફીસ પાસે માર્કેટીંગ યાર્ડ રોડ શેરી નં.૮ ખાતે રાખેલ છે.

ભરતભાઇ રાજદેવ

ગોંડલ : ચંદુલાલભાઇ મોહનલાલભાઇ રાજદેવના પુત્ર ભરતભાઇ (ઉ.પ૭) તે સ્વ. વિનુભાઇ તથા હરેશભાઇના નાનાભાઇનું તા. રર ને ગુરૂવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૩ મીને શુક્રવારના રોજ સાંજના ૪ થી પ લોહાણા મહાજનવાડી, મહાદેવવાડી-૬ ગોંડલ ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

પ્રેમજીભાઇ કાકડીયા

ચલાલા : પ્રેમજીભાઇ શામજીભાઇ કાકડીયા (ઉ.૬૮) (વૃંદાવન લેમન ફાર્મવાળા) તેઓ પ્રફુલભાઇ કાકડીયા અને પ્રકાશભાઇ કાકડીયાના પિતાશ્રી તેમજ કરશનભાઇ કાકડીયા ના ભાઇનું અવસાન  તા. રર ને ગુરૂવારના થયેલ છે.

કૈલાસબેન પંડયા

જસદણ : કોઠી નિવાસી કૈલાશબેન નટવરલાલ પંડયા (ઉ.૬૦) તે નટવરલાલ દામજીભાઇ પંડયાના ધર્મપત્ની તથા જગદીશભાઇ, દીલીપભાઇ, હર્ષાબેન, ઉર્મીલાબેન, નયનાબેનના માતુશ્રી તેમજ મફતલાલ તથા શાંતીલાલ (હેબતપુર) તથા લલીતકુમાર (લાલાવદર) નાં સાસુનું તા. રર મીએ અવસાન થયું છે.

રવજીભાઇ જાગાણી

ધોરાજી : સ્વ. રવજીભાઇ ભાણાભાઇ જાગાણી તે કાંતિભાઇ જેન્તીભાઇ અને વિનુભાઇનાં પિતાનું તા. રર નાં રોજ અવસાન થયું છે. બેસણું તા. ર૪ મીએ શનિવારે સાંજે ૪ થી ૬ લેઉઆ પટેલ સમાજ જમનાવડ રોડ, વિભાગ-ર ધોરાજી, રાખેલ છે.

નટુભાઈ દોશી

રાજકોટઃ સ્વ.સૌભાગ્યચંદ માણેકચંદ દોશીના પુત્ર નટુભાઈ (હાલ વલસાડ) (ઉ.વ.૮૯) તે ચંપાબેનના પતિ, સ્વ.રસિકભાઈ દોશી, સ્વ.ગટુભાઈ દોશી તથા સ્વ.રમેશચંદ્ર (કાકુભાઈ) દોશીના નાનાભાઈ તથા ભરત, ભાવેશ, બિન્દુ કીર્તિભાઈ દોશી (સિંગાપોર), હર્ષા ક્ષેણીકભાઈ શાહ (વલસાડ), સુજાતા જયદીપભાઈ પારેખ (મુંબઈ)ના પિતાશ્રી, કેતકી ભરત દોશી તથા મનોરમા ભાવેશ દોશીના સસરા, સ્વ.શિવલાલ કપુરચંદ ગાંધી (પડધરી)ના જમાઈનું શનિવાર તા.૧૭ રોજ વલસાડ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

મંછાબેન સોલંકી

રાજકોટઃ અંબર પાનવાળા રમણીકભાઈ લાભુભાઈ સોલંકીના ધર્મપત્ની મંછાબેન (ઉ.વ.૭૫) તે બીપીનભાઈ, મુકેશભાઈ, રાકેશભાઈ, અશોકભાઈના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૨૨ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શનિવાર ૪ થી ૬  સિધ્ધ કોલવા હનુમાન મંદિર ઢેબર કોલોની ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ ઠાકર

રાજકોટઃ નથુતુલસી જ્ઞાતિ સમાજના પ્રવિણભાઈ રેવાશંકર ઠાકર (ઉ.વ.૭૫) તે  (નીવૃત બી.એસ.એન.એલ., ગાયત્રી પરિવાર) તે જીજ્ઞેશભાઈ તથા હિરેનભાઈ તેમજ જીજ્ઞા તારક જોષીના પિતાશ્રીનું તથા કમલેશભાઈ પી.ભટ્ટના મામાશ્રી તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વિ.કા. મહેતા બોર્ડીંગ, ૯- ગોપાલનગર, ડો.રાજાણીના દવાખાનાની બાજુમા, રાખવામાં આવેલ છે.

નારણભાઇ વિસાવડીયા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળ આમરણ હાલ રાજકોટના નારણભાઇ ભવાનભાઇ વિસાવાડિયા (ઉ.વ.૬પ) તે દિપેશભાઇ, ચિરાગભાઇ અને અ.સૌ. નિશાબેન દિપકકુમાર અંબાસણાના પિતાશ્રી અને વસંતજીભાઇ ભવાનભાઇ વિસાવાડિયાના લધુબંધુનું તા.રરના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના શનિવારે સાંજે ૪ થી પ-૩૦, ગુર્જર સુથાર પ્રગીત મંડળ, કન્યા છાત્રાલય પાસે, ગોંડલ રોડ, ખાતે રાખેલ છે.

 જેઠાલાલ થાનકી

 રાજકોટઃ  જામકલ્યાણપુર નિવાસી જેઠાલાલ કાનજીભાઇ  થાનકી તે રતિલાલ ભાઇ, પરશોતમભાઇ, નરભેરામભાઇ, પ્રેમજીભાઇના ભાઇ તેમજ પ્રવિણભાઇ, વેણીલાલ, હસમુખભાઇના પિતાશ્રીનું તા.૨૨ના રોજ નારણપુર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે, આહિર સમાજ, નારણપુર, તા.જામકલ્યાણપુર ખાતે રાખેલ છે.

વૃજલાલ ધામેચા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ-સુતાર વૃજલાલ પ્રેમજીભાઈ ધામેચા (નાંદરખીવાળા) (ઉ.વ. ૭૨) તે સ્વ. મગનભાઈ દુર્લભજીભાઈ, ગોવિંદભાઈ તથા દિલીપભાઈના ભાઈ તથા શીવ સાઉન્ડવાળા રાજેશભાઈ અને આશિષભાઈના પિતાશ્રીનું તા. ૨૨-૨-૨૦૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૨૪-૨-૨૦૧૮ના શનિવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ૩-લક્ષ્મીનગર, શિવકૃપા, પ્રજાપતિની વાડી યુનિટ-૨ સામે રાજકોટ ખાતે રાખેલ છે તથા સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.