Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019
અવસાન નોંધ

કંચનબેન છોટાલાલ દોશીનું ૧૦૪ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ મોટા ઉજળા વાળા હાલ બગસરા કંચનબેન છોટાલાલ દોશી (ઉ.વ.૧૦૪) તે સ્વ.છોટાલાલ જેચંદ દોશીનાં ધર્મપત્ની, તે સ્વ.જયંતીલાલ, વિનોદભાઈ, નવીનભાઈ તથા સ્વ.રાજુભાઈ તેમજ સ્વ.વસંતાબેન મણીલાલ પારેખ, મંજુલાબેન અનંતરાય દોશી, સ્વ.અનસુયાબેન રસિકલાલ વોરા, સ્વ.પુષ્પાબેન અનીલભાઈ દોશી, હર્ષાબેન રાજેષકુમાર દોશીનાં માતુશ્રી અને સ્વ.તારાચંદભાઈ વડાલીયાનાં દિકરી તેમજ કામીનભાઈ, કામેષભાઈ, ફાલ્ગુની અને ધારાબેનનાં દાદીશ્રી તા.૨૧ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હીરાબેન ગોહેલ

રાજકોટઃ દરજી મચ્છુ કાઠિયા સઈ સુથાર ભુપત નાગજીભાઈ ગોહેલના ધર્મપત્ની હીરાબેન ગોહેલ (ઉ.વ.૭૮) તે અવિચળભાઈ શામજીભાઈ પીઠડીયાની પુત્રી તે પ્રાણજીવનભાઈ, જયંતિલાલ, ચંદ્રકાંતભાઈ, ઈન્દુબેનના બહેનનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમની પિયર પક્ષની સાદડી તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન પરમાર

રાજકોટઃ હંસાબેન વસંતભાઈ પરમાર (વાણંદ) (ઉ.વ.૬૮) તે રાજકોટ નિવાસી જુના પોરબંદર વાળા તથા અમરભાઈ પરમારના માતુશ્રી તથા પરેશભાઈ પરમારના ભાભુ તા.૨૦ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ ગુરૂવારના રોજ ભકિતનગર સર્કલ ધારેશ્વર મંદીર ખાતે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

દામોદરભાઇ વિઠલાણી

જામખંભાળીયા : દામોદર લક્ષ્મીદાસ વિઠલાણી ઉ.વ.૮પ તે પ્રેમજીભાઇ શશીકાન્ત તથા હરેશભાઇના પિતાશ્રી તથા સ્વ. રવજીભાઇ, સ્વ. ત્રિભુવનભાઇ, સ્વ. મુળજીભાઇ (અમિ ડેરી ઓખા) તથા સ્વ. શામજીભાઇ લક્ષ્મીદાસ વિઠલાણીના ભાઇ તેમજ સ્વ. તુલસીદાસ ઘેલાભાઇ બારાઇ દ્વારકાવાળાના જમાઇ તા. ર૧ ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા શ્વસુર પક્ષની સાદડી તા. ર૩ ને બુધવારે જલારામ મંદિર ૪ થી ૪-૩૦ કલાકે બહેનો તથા ભાઇઓ માટે રાખેલ છે.

વિજયભાઇ સામાણી

મીઠાપુર : વિજયભાઇ ભાઇલાલભાઇ સામાણી તે ભાઇલાલભાઇ ગોકલદાસ સામાણીના પુત્ર તથા નરોત્તમભાઇ, ઇશ્વરભાઇ, મહેન્દ્રભાઇ, દિલીપભાઇ, બીપીનભાઇ અને સાવિત્રીબેનના ભાઇ તથા તુષારભાઇના પિતા  અને પરેશભાઇ કિશોરભાઇ વિઠલાણીના સસરાનું તા. ર૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૩ ને બુધવારે ઉદ્યોગનગર ખાતે આવેલા શંકર ભગવાનના મંદિરે સાંજે ૪ થી પ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.

મંજુલાબેન માંડવિયા

ગોંડલઃ ગુર્જર સુથાર મંજુલાબેન ભરતભાઇ માંડવિયા (ઉ.વ.૬૨), તે અમર નગરવાળા ભરતભાઇ વલ્લભભાઇ માંડવિયાના પત્ની, વિમલભાઇ, હર્ષિદાબેનના માતાનું તા.૨૦ ના અવસાન થયેલ છે, બેસણું તા. ૨૪ ગુરૂવાર સાંજે ૪ થી ૬ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ગોંડલ ખાતે રાખેલ છે.

કિશોરભાઇ -વ્રજદાસભાઇ

મોરબઃ નવગામ ભાટીયા કિશોરભાઇ વ્રજદાસભાઇ રાયગગલા (ઉ.વ.૭પ) તે સ્વ.ચત્રભુજભાઇ સ્વ.ભરતભાઇ, શશીકાંતભાઇ, મનુભાઇ, નવીનભાઇ અને મહેન્દ્રભાઇના ભાઇનું તેમજ હરિદાસ લાલજીભાઇ સંપટ (મુંબઇ) ના બનેવી તેમજ કાશ્મીરાબેનના પિતા તથા જીતુભાઇ મકનદાસ ઉદેશી (જામનગરવાળા) ના સસરાનું તા.૨૧ના રોજ અવસાન થયું છે ઉઠમણું તા.૨૪ને ગુરુવારના રોજ સાંજે પ કલાકે નિવાસસ્થાન 'વ્રજ નિવાસ' વસંત પ્લોટ શેરી નં.૧પ મોરબી રાખેલ છે.

મુકેશભાઇ સાદીકોટ

બગસરાઃ મુર્તુઝાભાઇ બદરૂદીન જોડીયાવાલા તે નફીસાબેન શરફઅલીના શૌહર તથા મોહસીનભાઇ, ઇકબાલભાઇ, શિરાઝભાઇ તેમજ શીરીનબેન (રાજકોટ), અસમાબેન (ધ્રોલ), નફીસાબેન (મોરબી), નસીમબેન (અમરેલી)ના ભાઇ તેમજ અલીઅસગર અને મોબીનાબેન અલીઅસગરભાઇ રાજકોટના બાવાજી અને ફખરૂભાઇ હિરાણી (બગસરા)ના બનેવી તા.૨૧ને સોમવારે જ વફાત થયા છે.તેમના ઝીયારતના સીપારા તેમજ ચહેલુમના ફાતેહા તા.૨૩ને બુધવારે ૧૧ વાગ્યે બગસરા નવી મસ્જીદમાં રાખેલ છે.

ચંદુભાઇ પરમાર

રૂપાવટી : મચ્છુકડીયા સઇ-સુતાર ચંદુભાઇ ભાણજીભાઇ પરમાર (ઉ.વ. ૬૪) તે ેરમણીકભાઇ (ફતેપરવાળા) તથા જેન્તીભાઇ ના નાનાભાઇ તથા સ્વ. નટવરલાલ તથા ભરતભાઇ ના મોટાભાઇ તથા  હિતેષભાઇ તથા દિપકભાઇ ના પિતાશ્રીનું  તા. ૨૧ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૪ ને ગુરૂવારે સાંજ  ે૪ થી ૫ મું. રૂપાવટી (તા.પડધરી) ખાતે રાખેલ છે.

જયાબેન ઠક્કર

વિસાવદરઃ લોહાણા જયાબેન વનમાળીદાસ ઠક્કર (ઉ.વ.૮૪) તે 'ઠક્કર પાન વાળા' જગદીશભાઇ, ભરતભાઇ, ભાવેશભાઇના માતુશ્રીનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે.