Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020
ભુજ તા. પં. ના શાસક પક્ષના નેતા અને ક્ષત્રિય આગેવાન સજુભા જાડેજાનું અવસાન

ભૂજ, તા. ર૧ : ભુજ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સજુભા મનુભા જાડેજાનું આજે સવારે દુઃખદ નિધન થયું છે. તેઓ ક્ષત્રિય સમાજ કચ્છના પણ અગ્રણી હતા. મૂળ ભુજ તાલુકાના બંદરા ગામના રહેવાસી એવા સજુભા અગાઉ કોંગ્રેસમાં હતા. બન્ને રાજકીય પક્ષોમાં પોતાના ટેકેદાર અને મિત્રો ધરાવતા સજુભા જાડેજાના દુઃખદ નિધનથી કચ્છમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકનું મોજું ફરી વળ્યું છે.

અવસાન નોંધ

રમેશભાઈ ચાવડા

રાજકોટઃ રમેશભાઈ કેશુભાઈ ચાવડા (કારડીયા રાજપુત) તે હસમુખભાઈના મોટાભાઈ તથા મોહિતભાઈના પિતા તથા નવદિપના મોટાબાપુનું તા.૨૦ શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ સોમવારે સાંજે ૪ થી ૬ રજપુતપરા, રામ મંદિર રાખેલ છે. (મો.૯૭૨૪૨ ૧૨૮૮૨)

નિર્મળાબેન પંડ્યા

રાજકોટઃ નવાગામના રહેવાસી જસવંતરાય મોનીજી પંડ્યાના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૭૩) તે કિરીટભાઇ, પરેશભાઇ, અલ્કેશભાઇના માતુશ્રી અને રવિ, સુનિલ, પારસના દાદીમાનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૩ના સોમવારે સાંજે ૪ થી ૬, આનંદ સોસાયટી-૨, નવાગામ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નિર્મળાબેન બગથરીયા

રાજકોટઃ માણાવદર નિવાસી સ્વ.રમેશભાઈ રામજીભાઈ બગથરીયાના ધર્મપત્ની નિર્મળાબેન (ઉ.વ.૬૩) તે આશીષભાઈ તથા આનંદભાઈ (ચેમ્પીયન હેર ડ્રેસરવાળા)ના માતુશ્રી તા.૨૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને સોમવારના રોજ બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

હરજીવનભાઇ ચૌહાણ

વેરાવળ : વાણંદ હરજીવનભાઇ જેરામભાઇ ચૌહાણ (ઉ.૭પ) તે પ્રકાશભાઇ, દીપુભાઇ, ઇન્દુબેનના પિતાશ્રી તથા કનુભાઇ, કાળાભાઇ, રમેશભાઇના ભાઇનું તા. ૧૮ ના રોજ અવસાન પામેલ છે.

દમયંતીબેન પરમાર

પોરબંદરઃ બ્રહ્મક્ષત્રીય દમયંતીબેન મહેશભાઇ મણીયાર (ઉ.વ.૬૦) તે મહેશભાઇ તુલશીદાસના પત્ની તેમજ વ્યોમેશના માતુશ્રી અને શરદભાઇ હરિલાલભાઇ ચિત્રલવાળાના બહેનનું તા.૧૮મીએ અવસાન થયુ છે.

ધન્વિબેન શાહ

રાજકોટઃ ધન્વિ રવિભાઇ શાહનું તા.૧૯ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા.ર૧ના ૪ થી ૬, હુડકો કવાટર નં. બી-૧૬૮, શેરીનં.૬, કોઠારીયા મેઇન રોડ ફાયર બ્રિગેડ પાસે રાખેલ છે.

હંસાબેન કનેરીયા

રાજકોટઃ હંસાબેન બાબુભાઇ કનેરીયાનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને શનિવારે સવારે ૮ થી પ, કડવા પટેલ સમાજ, સાજળીયારી (સુકીર), ખાતે રાખવામાં આવેલ છે.

હિંમતલાલ ધતુરીયા

રાણા કંડોરણાઃ સારસ્વત બ્રાહ્મણ હિંમતલાલ રામકૃષ્ણ ધતુરીયા તે રાજુભાઇના પિતા તથા સ્વ.ધતુરીયાભાઇ કોડીનાર, સ્વ.વિશ્નુ અદા, તથા બાબુભાઇ (જી.ઇ.બી. વાળા), પ્રવિણભાઇ (જી.ઇ.બી. વાળા)ના મોટાભાઇ તથા નકુલભાઇના દાદાનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા.ર૩ સોમવારે ૪ થી પ સમસ્ત બ્રહ્મસમાજ રાણાકંડોરણા ખાતે રાખેલ છે.

મધુબેન ગોહેલ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મુળગામ બાલંભા હાલ રાજકોટ મધુબેન બટુકભાઈ ગોહેલ તે બટુકભાઇ પ્રાગજીભાઈ ગોહેલના પત્નિ તથા રાહુલ બટુકભાઈ ગોહેલના માતુશ્રીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૨૩ તેમના નિવાસસ્થાને પુજા પાર્ક શેરી નં.૨, હુડકો, રાજકોટ ખાતે રાખેલ છે.

બાબુલાલ પંડયા

રાજકોટઃ શ્રી ગુર્જર પુષ્કરણા બ્રાહ્મણ બાબુલાલ વ્રજલાલ પંડયા (ઉ.વ.૮૮) તેઓ સ્વ.વિજયભાઈ, બિપીનભાઈ, મનોજભાઈ, સંજયભાઈ તથા રેખાબેન જયેશકુમાર ખેતીયાના પિતાશ્રીનું તા.૧૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૧ શનિવારે સાંજે ૪ થી ૫, તેમના નિવાસસ્થાન 'ચામુંડા કૃપા' કનકનગર-૪, સંતકબીર રોડ, ગોકુલ પાન વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.