Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018
જસદણના જયાબેન ડાભીનું અવસાનઃ કાલે બેસણુ

જસદણ : ઝાલાવાડી સઇ સુથાર દરજી જયાબેન નરશીભાઇ ડાભી (ઉ.૮પ) તે ઘનશ્યામભાઇ, ભરતભાઇ, વસંતભાઇના માતુશ્રી તા. ર૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. રર મીએ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ લોહાણા મહાજનવાડી જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

આરઆરએસના અગ્રણી અનિલભાઈ ત્રિવેદીના પિતાશ્રીનું કાલે રાજકોટમાં બેસણું

રાજકોટ : ઔ. સ. ચિભડીયા બ્રહ્મ સમાજના ર્ંદુર્ગાપ્રસાદ રેવાશંકર ત્રિવેદી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમના અંતેવાસી અને ગાંધી આશ્રમ પુરાતત્વ વિભાગમાં ૫૮ વર્ષથી સેવા આપનાર અધિકારી તેમજ ગુજરાત ગૌશાળા અને પાંજરાપોળ સંદ્યના માનદ ટ્રસ્ટી (ઉ.વ. ૯૩) તે સ્વ. તારાબેન ડી. ત્રિવેદી (નિવૃત્ત્। શિક્ષિકા શાળા નં. ૫૫ રાજકોટ)ના પતિ, યોગેશભાઈ ડી. ત્રિવેદી (એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, જુનાગઢ), અનિલભાઈ ડી. ત્રિવેદી મોબાઈલ ૯૪૨૬૯  ૦૦૫૧૯ (ડેપો મેનેજર નાગરિક પુરવઠા નિગમ પડધરી અને ય્લ્લ્ સેવા કાર્યકર્તા), રાજેશભાઈ ડી. ત્રિવેદી (નિવૃત્ત્। પીએસઆઈ રાજકોટ), રોહિતભાઈ ડી. ત્રિવેદીના પિતાશ્રી,વિવેક ત્રિવેદી (એડવોકેટ) દર્શન ત્રિવેદી ના દાદાજી , નયનાબેન રમેશકુમાર રાવલ તથા હર્ષિદાબેન દિનેશભાઈ જોષી લીંબડીના પિતાશ્રી, સ્વ. જયકૃષ્ણભાઈ, અશોકભાઈ, અનંતભાઈ દવે, અરૂણાબેન સી. જોષીના બનેવી,  તા.૧૯ને સોમવારની રાત્રે કૈલાશવાસી થયેલા છે. સદગતનું બેસણું તા.૨૨ને ગુરૂવાર બપોરે ૪-૩૦થી ૬-૩૦ શબરી આશ્રમ, ૩, બોમ્બે હાઉસિંગ સોસાયટી, ધોળકિયા સ્કૂલની સામે, નવદુર્ગા હોલ વાળી શેરી, યુની.  રોડ રાજકોટ.

તપોવન આશ્રમ - મોરા ટેકરાવાળા ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ.રામાનંદદાસબાપુનો સ્વર્ગવાસ

રાજકોટ : પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી રામદાસબાપુ (તપોવન આશ્રમ) મોરા ટેકરાનો ગઈકાલે હસમુખા હનુમાનજીના પવિત્ર દિવસે મંગળવારે સ્વર્ગવાસ થયો હતો. પૂ.બાપુના અંતિમ દર્શન તેઓના આશ્રમ ખાતે રાખવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પૂ.બાપુના દર્શનનો લાભ લીધો હતો. આજે પૂ.બાપુની અંતિમયાત્રામાં પણ સેંકડોની સંખ્યામાં ભકતજનો જોડાયા હતા. પૂ. સંતશ્રી રામાનંદબાપુ દેવલોક થતાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ છે.

અવસાન નોંધ

હંસાબેન કામદાર

રાજકોટ : સ્વ. હિંમતલાલ ગીરધરલાલ કામદાર, સ્વ. ચંપાબેન હિંમતલાલ કામદારની સુપુત્રી, સ્વ. પ્રેમલતાબેન શેઠ, હર્ષિદાબેન કામદારના મોટાબેન, મુકેશભાઈ શેઠના મોટા સાળી, કિંજલના મોટા માસી હંસાબેન કામદારનું તા.૨૦ને મંગળવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૨ને ગુરૂવારે વિરાણી પૌષધશાળા કોઠારીયા નાકે રાખેલ છે. સમય સવારે ૧૦:૩૦ કલાકે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સુધાદેવી ઔધીયા

રાજકોટ : સુધાદેવી જગદીશચંદ્ર ઔધિયા તે મગનલાલ નારણજી પોપટ (નાગપુર) મુળ ચિત્રાવડની દિકરી નિવૃત વેચાણવેરા અધિકારી જગદીશચંદ્ર આર. ઔધિયાના ધર્મપત્નિ, પંકજભાઈ જે. ઔધિયા ડે. કમિ. (બરોડા) ભાવેશ (જાનવીપોલી) મીનળબેન (સનસાઈન સ્કુલ), રાજેશ્રીબેન હિરેનભાઈ ભટ્ટ, જોલીબેન રાજેશભાઈ પૂજારાના માતુશ્રી તથા મીતાબેન સોનલબેનના સાસુ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૨ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સુશીલાબેન સાવલાણી

રાજકોટ : સુશીલાબેન હરીભાઈ સાવલાણી (ઉ.વ.૮૩) જે સ્વ. કુમાર તથા જયેશભાઈ હરીશભાઈ સાવલાણી (જે. કુમાર પ્રિન્ટવાળા)ના માતુશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ના સાંજે ૫ કલાકે, રાધા કિશન, સિંધી બ્રહ્મક્ષત્રિયની વાડી, ૭ ગાયકવાડી, જંકશન તા.૨૧ને સાંજે ૫ કલાકે રાધા કિશન, સિંધી બ્રહ્મક્ષત્રિયની વાડી, ૭ ગાયકવાડી, જંકશન રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઈ વસંત

ગોંડલ : રમેશભાઈ નાથાલાલ વસંત (ઉ.વ.૬૮) તે સ્વ. બટુકભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. શાંતિભાઈ, જગદીશભાઈ, સતીષભાઈ વસંતના ભાઈ તેમજ જતીનભાઈ, વિમલભાઈ (ફેનીલભાઈ)ના પિતાશ્રી તથા વાંકાનેર નિવાસી ગીરધરલાલ ગોબરશી નાગ્રેચાના જમાઈ તથા ધીરૂભાઈ, હર્ષદભાઈ, નરેન્દ્રભાઈ તથા ચંદુભાઈના બનેવી તા.૧૯ને સોમવારે સાંજે ૫ થી ૬ લોહાણા વિદ્યાર્થી ભવન, ૨૨ ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે. સ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ચંપાબેન માંડાણી

ખંભાળીયા : દશા સોરઠીયા વાણીયા સ્વ. ચીમનલાલ પોપટલાલ માંડાણી (નિવૃત સર્કલ ઇન્સ.) ના ધર્મપત્ની ચંપાબેન (ઉ.વ.૮૪) તે સ્વર્ગસ્થ સુરેશભાઇ તથા પ્રવિણભાઇ (નિવૃત તલાટી), દીલીપભાઇ, જેન્તીભાઇ, રમેશભાઇ (વકીલ), અશ્વિનભાઇ, નીલેષભાઇના માતુશ્રીનું અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા આવતીકાલે ગુરૂવાર તા. રરના રોજ ૪:૩૦ થી પઃ૦૦ વાગ્યા સુધી શરણેશ્વર મહાદેવના (ખંભાળીયા) મંદિર પાસે રાખેલ છે.

ઉકાભાઇ વોરા

ગોંડલ : દેવચડી નિવાસી ઉકાભાઇ નરસીભાઇ વોરા (ઉ.વ.૮૬) તેઓ ભગવાનજીભાઇ, દામજીભાઇ તથા વલ્લભભાઇના પિતા ભાવેશભાઇ, આશિષભાઇ, નિકુંજભાઇ તથા ધવલભાઇના દાદાનું તારીખ ર૦ ના અવસાન થયેલ છે. બેસણુ તા. રર ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે ગાયત્રી મંદિર, ગાયત્રીનગર મેઇન રોડ, બસ સ્ટેન્ડ સોસાયટી ગોંડલ ખાતે રાખેલ છે.

સંતોકબેન વડાલિયા

કેશોદ : સંતોકબેન પ્રેમજીભાઇ વડાલીયા (ઉ.૯પ) તે ભરતભાઇ વડાલિયા (ઉપપ્રમુખ, જુનાગઢ જિલ્લા ભાજપ) ના માતુશ્રીનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. બેસણુ તા. રર મીએ ગુરૂવારના સવારે ૮ થી સાંજે પ કલાક સુધી કડવા પટેલ સમાજ, આંબાવાડી, કેશોદ રાખેલ છે.

અમૃતલાલ ભટ્ટ

જૂનાગઢઃ બોરવાવ (ગીર) નિવાસી અમૃતલાલ માધવજીભાઇ ભટ્ટ તે દુર્ગાશંકર રણછોડભાઇ જોષી (કડાયા)ના જમાઇ તથા નલીનકુમાર, રસીકકુમાર, દિલીપકુમાર અને મનોજકુમારના સસરાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સાદડી તા.૨૩ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ ખાતે રાખેલ છે.

નયનાબેન કારીયા

જૂનાગઢઃ નયનાબેન કારીઆ તે અનિલભાઇના પત્નિ તથા કૌશલભાઇ અને ચેતનાબેનના માતૃશ્રી તેમજ પ્રતિકભાઇના કાકી તથા જયેશકુમાર પોપટના સાસુનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે.

ધીરૂભાઈ ગજ્જર

રાજકોટ : ઉપલેટાની પેઢી મનજી મુળજી એન્ડ સન્સ તથા મારૂતિ ટીમ્બર અને મારૂતિ પ્લાયવુડ રાજકોટવાળા ધીરૂભાઈ જીવરાજભાઈ ગજ્જર તે જમનભાઈ, જેન્તીભાઈ, કિશોરભાઈ અને સ્વ. રમેશભાઈ જીવરાજભાઈ ગજ્જરના મોટાભાઈ અને રાજુભાઈ અને ધર્મેશભાઈના પિતાનું ૮૨ વર્ષની વયે તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઈન રોડ, શેરી નં. ૩, યુનિવર્સિટી રોડ, ઈન્દીરા સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

ઠા. મનસુખલાલ કાથરાણી

મોરબીઃ વાંકડાના ઠા. મનસુખલાલ સંઘજીભાઇ કાથરાણી (ઉ.વ.૭૬) તે સ્વ.લીલાધરભાઇ અને સ્વ.શાંતીલાલભાઇનાં ભાઇ તથા ચંદ્રકાંતભાઇ, ભારતીબેન, જયોત્સનાબેનના પિતાશ્રી તથા દહીંસરાવાળા કેશવલાલ ઓધવજીભાઇ પોપટનાં જમાઇનું તા.૧૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.ર૩ને શુક્રવારે સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાન વાંકડા ગામે રાખેલ છે.

અમૃતલાલ ગામી

મોરબીઃ અમૃતલાલ રાઘવજીભાઇ ગામી (ઉ.વ.પર) તે રાઘવજીભાઇ નરશીભાઇના પુત્ર તથા ચતુરભાઇ, પ્રાગજીભાઇ, હરીભાઇ, દુર્લભજીભાઇના ભાઇ તથા નિકલુના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. બેસણું તા.રરને ગુરૂવારે સાંજે ૮ થી ૧૦ તેમના નિવાસસ્થાન વિરપરડા (તા. જી. મોરબી) ખાતે રાખેલ છે.

ગુણવંતરાય ઠાકર

મોરબીઃ ગુણવંતરાય કરૂણાશંકર ઠાકર (ઉ.વ.૮૧) તે જયેશભાઇ તથા રાજુભાઇ (જીમ્મી ટાયરવાળા)ના પિતાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.રરમીએ ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦, મધુવન સોસાયટી બ્લોક નં.૩૩, ૮-એ નેશનલ હાઇવે મોરબી-ર (સામાકાંઠે) રાખેલ છે.

સુર્યકાંતભાઇ ઉનડકટ

જુનાગઢઃ કુમુન્દબહેનના પતિ તેમજ સ્વ.ગીરધરલાલ નંદલાલ નિર્મળ અને સ્વ.ચંપાબહેન ગીરધરલાલ નિર્મળનાં જમાઇ તેમજ સ્વ.નવનીતભાઇ તેમજ અરવિંદભાઇ, પંકજભાઇ, હર્ષિદાબહેન, દક્ષાબહેનનાં બનેવી સૂર્યકાંત ગીરધરલાલ ઉનડકટ (ઉ.વ.૭૧ સુરત)નું તા.૧૪ને બુધવારે અવસાન થયેલ છે. સાદડી તા.રરના સાંજે પ થી ૬ સિધ્ધનાથ મહાદેવ મંદિરનાં પટાંગણ / હોલમાં ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

કાંતાબેન મકવાણા

રાજકોટઃ આદ્રિવાળા (હાલ રાજકોટ) નરસિંહભાઇ હેમરાજભાઇ મકવાણાના ધર્મપત્ની તેમજ જમનભાઇ તથા હરસુખભાઇના માતુશ્રી કાન્તાબેન નરસિંહભાઇ મકવાણા (ઉ.વ.૭૪)નું તા.૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રરના ગુરૂવારે ૪ થી ૬, અમરનાથ મંદિર હસનવાળી ગાયત્રીનગર મેઇન રોડના છેડે અમરનાથ હોલની બાજુમાં રાખેલ છે.

ગીરધરભાઇ પરમાર

રાજકોટઃ નિવાસી કડિયા ગીરધરભાઇ પોપટલાલ પરમાર (ઉ.વ.૮૧) તે સ્વ.લલીતાબેન ગીરધરભાઇના પતિ તે હરેશભાઇ, મધુબેન ભરતકુમાર ચાવડા, વિણાબેન ચંદ્રેશકુમાર રાઠોડ, જાગૃતિબેન પ્રદિપકુમાર ટાંક, ભાવનાબેન અતુલકુમાર પોરીયાના પિતાશ્રી તથા સ્વ.શીવાભાઇ, સ્વ.રજનીભાઇ અને કાનાભાઇ, લાલાભાઇ, મનસુખભાઇ, બકુલબેન, રમાબેનના મોટાભાઇનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ના શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે.

લલીતાબેચ કાચા

રાજકોટઃ મુળ ગામ જામવંથલી હાલ રાજકોટ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના અક્ષર નિવાસી લલીતાબેન મનસુખલાલ કાચા તે રમેશભાઇ, ભરતભાઇ તથા બાલકૃષ્ણભાઇના માતુશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા.રર ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર-ર, ખાતે રાખવામાં આવેલ છે.

નિતીનભાઇ હિરાણી

રાજકોટઃ વાણંદ નિતિનભાઇ રામજીભાઇ હિરાણી (ઉ.વ.૬૧) (રૂબી હેર આર્ટ વાળા) તે વિશાલના પપ્પા તથા વલ્લભભાઇ તથા સ્વ.રાજુભાઇના મોટાભાઇ તથા અજય અને વિપુલના ભાઇજીનું તા.૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬, મહેશ્વરી સોસાયટી મેઇન રોડ (કોર્નર) રૂબી હેર આર્ટની બાજુમાં કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

ધીરૂભાઇ ગજ્જર

રાજકોટઃ ઉપલેટાની પેઢી મનજી મુળજી એન્ડ સન્સ તથા મારૂતિ ટીમ્બર અને મારૂતિ પ્લાઇવુડ રાજકોટ વાળા ધીરૂભાઇ જીવરાજભાઇ ગજ્જર તે જમનભાઇ, જેન્તિભાઇ, કિશોરભાઇ અને સ્વ.રમેશભાઇ જીવરાજભાઇ ગજજરના મોટાભાઇ અને રાજુભાઇ અને ધર્મેશભાઇના પિતાનું ૮ર વર્ષની વયે તા.૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રરને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઇન રોડ, શેરી નં.૩, યુનીવર્સીટી રોડ, ઇંદિરા સર્કલ પાસે રાખેલ છે.

વિનોદપરી ગોસાઇ

શાપર-વેરાવળઃ કાનપર નિવાસી વિનોદપરી સામપરી ગોસાઇ (ઉ.વ.પર) હાલ શાપર-વેરાવળ (સર્વોદય), રામેશ્વર મહાદેવના પુજારી તે જીજ્ઞેશપરી તથા ધર્મેશપરીના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રરને ગુરૂવારે રામેશ્વર મહાદેવ (સર્વોદય) સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. તથા શકિત પુજન તા.૩ને શનિવારે રાખેલ છે.

નાથાલાલ પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિના નાથાલાલ દામજીભાઇ પીઠડીયા (લોયેજ વાળા) (ઉ.વ.૬પ) તે રાજુભાઇ પીઠડીયાના પિતાશ્રી તેમજ રમેશભાઇ પીઠડીયા, કાન્તીભાઇ પીઠડીયાના મોટાભાઇનું તા.ર૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રરને ગુરૂવારે સાંજે પ થી ૬, શ્રી રાજકોટ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિની વાડી, રામનાથપરા મેઇન રોડ, ખાતે રાખેલ છે.

નિર્મળાબા ચુડાસમા

રાજકોટ : કારડીયા રાજપૂત નિર્મળાબા કનકસિંહ ચુડાસમા તે ખોડુભા, નવલસિંહ, ગોવિંદભાઈના નાનાભાઈના પત્નિ તેમજ ભુપતસિંહ, રંજનબેનના ભાભી ધ્રુવપાલસિંહ પરફેકટ ઓટો રાજકોટના માતુશ્રી સંજયસિંહ, ઘનશ્યામસિંહ, ભવદીપસિંહ, ભગીરથસિંહ, સિદ્ધાર્થસિંહના કાકી તા.૧૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને શુક્રવારે ભવનાથ - ૨, શેરી નં. ૪, ગોંડલ. સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

પોરબંદર રામબા ગ્રેજ્યુએટ ટીચર કોલેજના નિવૃત પ્રિન્સીપાલના પિતાનું અવસાન

પોરબંદરઃ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગરના નિવૃત પ્રિન્સીપાલ, નવસારી, સુરતના પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી એન.જે. મકવાણાના પિતાશ્રી જેરામભાઈ દેવશીભાઈ મકવાણા (ઉ.વ.૯૫)નું તા. ૧૮મીને રવિવારના રોજ માણાવદરમાં નિધન થયું છે. પોરબંદરની રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ તથા ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના તાલીમાર્થી ભાઈ-બહેનો દ્વારા સર્વધર્મ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. સદ્ગતનું બેસણુ માણાવદરની સહજાનંદ સોસાયટી, શ્રી મહાદેવ મંદિર પાછળ તથા 'આનંદ' જલારામ-૩ શેરી નં. ૪, ઈન્દીરા સર્કલ યુનિવર્સિટી રોડ રાજકોટ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નર્મદાબેન કંસારા

રાજકોટ : કંસારા કાન્તિલાલ કલ્યાણજીભાઈના ધર્મપત્નિ નર્મદાબેન, તે હિતેષભાઈ, કાંતિલાલ તથા રાજેશભાઈ કાંતિલાલના માતુશ્રીનું તા.૧૯ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કંસારા મહાજનવાડી, લુહાણાપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખભાઈ મકવાણા

રાજકોટઃ મનસુખભાઈ ચનાભાઈ મકવાણા (ઉ.વ.૬૦) તે હસમુખભાઈ, સ્વ.ભરતભાઈ અને રમેશભાઈ અને મંજુબેન મેઘજીભાઈ માંડાણીના ભાઈ અને રાકેશભાઈ, અજયભાઈ અને પ્રિતીબેન હિતેશભાઈ મુલીયાણાના પિતા તા.૧૮ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન, તેમના નિવાસસ્થાન, શાસ્ત્રી મેદાન સામે, કુંડલીયા કોલેજની બાજુમાં, સુચક રોડ, જુનો લીંબડીનો ઉતારો, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રભાઈ ગીડા

રાજકોટઃ કાઠી દરબાર જસદણ નિવાસી હાલ રાજકોટ રહેતા મહાવીરભાઈ ગીડાના પિતાશ્રી ચંદ્રભાઈ ભાણભાઈ ગીડા, નિવૃત્ત આર્મી ઓફિસરનું તા.૧૭ તે શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૨ ગુરૂવારના રોજ બપોરના ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસસ્થાન ''સૂર્યદીપ'' કોઠારીયા કોલોની, કવાર્ટર નં.૨૮૫, ચાવડા પાનની બાજુમાં, ૮૦ફુટનો રોડ, સોરઠીયા વાડી સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન જીવરાજાની

રાજકોટઃ કોઠારીયા વાળા હાલ રાજકોટ સ્વ.ચંદુલાલ કેશવલાલ જીવરાજાનીના ધર્મપત્ની મંજુલાબેન જીવરાજાની (ઉ.વ.૮૧) તે ગીરીશભાઈ, સુભાષભાઈ, રાજુભાઈ (બી.ઓ.બી.ના કર્મચારી), સુનિલભાઈના માતુશ્રી તથા સ્વ.જયંતિલાલ, સુરેશભાઈ, સ્વ.હેમભાઈનાં ભાભી તેમજ સ્વ.મોરારજી દેવજીભાઈ કારીયાની પુત્રીનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ઉઠમણું તેમજ સાદડી બંને પક્ષનું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે ધારેશ્વર મહાદેવના મંદિરે, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન પરમાર

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા કાંતાબેન હરીલાલ પરમાર (ઉ.વ.૮૧) તે યશ વિડીયો કેમેરા રીપેર દિલીપભાઈ પરમાર તથા રસીકભાઈ પરમારના માતુશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

લિટલબેન દેસાઈ

રાજકોટઃ નિલેશભાઈ અનંતરાય દેસાઈના ધર્મપત્નિ લિટલબેન તે મધુબેન અનંતરાય દેસાઈનાં પુત્રવધુ તથા સ્વ.રસિકલાલ ભુરાભાઈ કામદાર (સુરત)ના પુત્રી શનિવાર તા.૧૭ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૨૨નાં રોજ સવારે ૯:૩૦ કલાકે, જૈનભુવન, હિરાપન્ના કોમ્પલેક્ષની પાછળ, યાજ્ઞિક રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

અમરશીભાઇ ચોૈહાણ

રાજકોટઃ ઢોલરા નિવાસી હાલ રાજકોટ અમરશીભાઇ કાનજીભાઇ ચોૈહાણ (ઉ.૬૮) તે સંજયભાઇ તથા નવનીતભાઇના પિતાશ્રી અને પ્રિન્સ તેમજ હેનિલના દાદાશ્રીનું તા. ૧૯/૨ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૨ના સાંજે ૪ થી ૬, શ્રી પુરૂષાર્થ મહાદેવ મંદિર, હરિ ધવા રોડના છેડે ડી-માર્ટ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.