અવસાન નોંધ
રમણીકભાઇ ટાંક
રાજકોટ : મુળ કુકમા (કચ્છ) નિવાસી હાલ રાજકોટ રમણીકભાઇ વાલજીભાઇ ટાંક (ઉ.૬પ) તે બાબુભાઇ, નાનજીભાઇ, કાશીબેનના ભાઇ તેમજ અશ્વિનભાઇ, ગીરીશભાઇ તથા મયુરભાઇના પિતાશ્રીનું તા. ૧પ નાં મંગળવારે અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ ને ગુરુવારે સાંજે પ થી ૭ તેમના નિવાસસ્થાન ૧પ૦ ફુટ રીંગ રોડ, નોર્થ એંગલ સામે શ્યામ પાર્ક ૧ રાજકોટ ખાતે રાખેલ છે.
કોર્પોરેશનના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકરના કાકાનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું
રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મણ સમાજ જ્ઞાતિનાં સ્વ. ઉદયકાંતભાઈ મણીશંકર ઠાકર, (ઉ.વ.૮૦), તે સ્વ.પ્રદિપભાઈ, જાગૃતભાઈ, બહેન વર્ષાબેન, પ્રીતિબેનના પિતાશ્રી, ગીતાબેનના પતિ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, યોગેશભાઈ ઠાકરના કાકાનું તા.૧૪ના અંકલેશ્વર ખાતે અવસાન થયું છે. સરનામું સ્વ.ઉદયકાંતભાઈ મણીશંકર ઠાકર, રાજપરા ગામના વતની હાલ અંકલેશ્વર, મુકામે તે સદ્દગતનું બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન અંકલેશ્વર ગામ, ગજાનંદ સોસાયટી ખાતે રાખેલ છે.
જગદિશચંદ્ર ખખ્ખર
રાજકોટઃ રાજકોટ નિવાસી જગદિશચંદ્ર ગીરધરલાલ ખખ્ખર (ઉ.વ.૬૩) તે સ્વ. ગીરધરલાલ નરસિંહદાસ ખખ્ખર (ખખ્ખર સ્ટોર્સવાળા ગીધુકાકા) ના જયેષ્ઠ પુત્ર ચંદ્રીકાબેનના પતિ, સ્વ. ચુનિલાલ પોપટલાલ ગણાત્રાના જમાઇ, દિનેશચંદ્ર વસંતલાલ ખખ્ખરના પિત્રાઇ, સ્વ. મોહનભાઇ તથા હસમુખભાઇ જીવરાજભાઇ પોબારૂના ભાણેજ તેમજ પુજાબેન ધવલકુમાર રાડીયાના પિતાશ્રીનું તા.૧૪ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા.૧૭ને ગુરૂવારે સાંજે ૫:૩૦ વાગ્યે નાનુકાકાના નિવાસ સ્થાને ૧૧/૮ જાગનાથ પ્લોટ ''રીચા '' એપાર્ટમેન્ટ જાગનાથ મંદીર પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.
જાસીબેન છાત્રોડીયા
વેરાવળઃ કુકરાસ નિવાસી આહિર નારણભાઇ હિરાભાઇ છાત્રોડીયા (માજી સરપંચ) ના પત્ની જાસીબેન (ઉ.વ.૬૪) તે નગાજણભાઇ (અંબુજા) વિક્રમભાઇ (અંબુજા) ના માતા નું તા. ૧૪ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૧૭ મીએ ગુરુવારે નિવાસ સ્થાન કુકરાસ વાડીએ રાખેલ છે.
ખંભાળીયા નિવૃત પોલીસ જમાદાર હરિભાઇ જોશીના પુત્ર નિલેશ જોશીનું અવસાન
ખંભાળીયાઃ નિવૃત પોલીસ જમાદાર સ્વ. હરિભાઇ જોશીના પુત્ર નીલેશ હરિભાઇ જોશી (ઉ.વ. ૪૭) નું હ્યદયરોગનો હુમલા બાદ અવસાન થયું છે. તેઓ બ્રહ્મ સમાજના યુવા કાર્યકર તથા જામનગર પોલીસ જમાદાર કમલેશભાઇ હરિભાઇ જોશીના નાનાભાઇ થાય છ.ે
જીતેન્દ્રભાઇ ગોટેચા
કેશોદઃ જીતેન્દ્રભાઇ વૃજલાલ ગોટેચા(ઉ.વ.૪૫) તે વૃજલાલભાઇ પરસોતમભાઇ ગોટેચાના પુત્ર. તથા પ્રવિણચંદ્ર દામોદરદાસ અનડા- જુનાગઢ વાળાના જમાઇ અને કૈલાસ કુમાર ઠકરાર (ઉપ પ્રમુખ નગરપાલિકા-કેશોદ), ભરતકુમાર રૂઘાણી-વેરાવળ, સમીર કુમાર રાજા-જુનાગઢ ના સાળા તેમજ પન્નાબેન, ધારાબેન પારૂલબેન ના ભાઇ તથા ઇશા, અપેક્ષા, વિધિ ના પિતાશ્રી નું તા. ૧૪ સોમવારના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૧૭ ગુરુવારના સાંજે ૪થી ૬ શ્રી લોહાણા મહાજન વાડી કેશોદ મુકામે રાખેલ છે.
મંજુલાબેન વડનગરા
ગોંડલઃ સ્વ. નાથાલાલ ગોકળદાસ ના નાનાભાઇ સ્વ. જમનાદાસ ગોકળદાસ વડનગરાના પત્ની મંજુલાબેન નું તા. ૧૪ના અવસાન થયેલ છે. બેસણુંતા. ૧૭ને ગુરુવારે સાંજે ૪ થી ૬, સોની વાડી સ્ટેશન પ્લોટ ગોંડલ રાખેલ છે.
અમિતભાઈ ગાંધી
રાજકોટ : મોઢ વણિક ધ્રાંગધ્રા નિવાસી ઉષા એજન્સી રાજકોટવાળા લલીતભાઈ નાનચંદભાઈ ગાંધીના પુત્ર તથા જયેશભાઈ લલીતભાઈ ગાંધી અને જીતેનભાઈ લલીતભાઈ ગાંધીના મોટાભાઈ અમિતભાઈ લલીતભાઈ ગાંધી તા.૧૬ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારના સાંજે ૫ થી ૬ શ્રી મોઢ વણિક વિદ્યાર્થી ભવન, ૫-રજપૂતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.
રશ્મિકાંતભાઈ ધોળકીયા
રાજકોટ : રશ્મીકાંતભાઈ ચંદ્રકાંતભાઈ ધોળકીયા (ઉ.વ.૭૫) તે ભદ્રવદનભાઈ, સ્વ.ઈન્દુભાઈ, કૈલાસભાઈ, નિરંજનભાઈના ભાઈ તેમજ અપૂર્વ ધોળકીયાના પિતાનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૭ને ગુરૂવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રમેશચંદ્ર મકવાણા
રાજકોટ : નિવાસી શ્રી રમેશચંદ્ર વિરમજીભાઈ મકવાણા (ઉ.વ.૭૫) તેઓ ચેતનભાઈ, મનીષભાઈ, શૈલેષભાઈ, દિપકભાઈ, અમિતભાઈ, પંકજભાઈ, વિશાલભાઈ અને નીલાબેન, નીતાબેન, તૃપ્તિબેનના પિતાશ્રીનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને જે. કે. પાર્ક, શેરી નં. ૩, આલાપ ગ્રીન સીટી પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ચીમનભાઈ સોલંકી
રાજકોટઃ સ્વ.ચિમનભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.વ.૭૦)નું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રમેશભાઈ જીવરાજભાઈ ઉમરાણીયાના નિવાસ સ્થાને કુમારવાડી મેરસમાજ પાછળ પોરબંદર મુકામે રાખેલ છે. (મો.૯૯૨૪૧ ૮૭૯૦૭)
ધનગોૈરીબેન થાનકી
જામનગરઃ ધનગોૈરી બેન બાલકૃષ્ણ થાનકી (ઉ.વ.૮૩), તે સ્વ. બાલકૃષ્ણ થાનકી ના ધર્મ પત્ની, નવીન, કોૈશિક, જયેશ તથા મધુબેન ના માતુશ્રી નંુ આજે અવસાન થયું છે અંતિમ યાત્રા આજે બપોરે ૪:૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન બી-૧, વિંગ્સ ટાવર, વાલકેશ્વર નગરી, જામનગર થી નીકળી હતી.
રાજેશભાઇ ખંધાર
ચોટીલા : અગ્રણી વેપારી સ્વ. પ્રેમચંદ મોહનલાલના પુત્ર તેમજ સ્વ. અરવિંદભાઇ ખંધારના નાનાભાઇ તથા જય, માર્ગી અને અમિના પિતાશ્રી તેમજ જીગ્નેશભાઇ પારસભાઇ અને જતીનભાઇના કાકા અને પુષ્પાબેન સરલાબેન, રેખાબેન અને ગીતાબેનના નાનાભાઇ રાજેશભાઇ પી. ખંધાર (ઉ.વ.પ૯) તા. ૧૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે, પ્રાર્થના સભા તા. ૧૯ના રોજ સવારે ૯ થી ૧૧ સ્થા. જૈન ભોજન શાળા, આંબલી ચોક ચોટીલા ખાતે રાખેલ છે.
જયેશભાઇ પાટડીયા
મોરબી : પાટડીયા જયેશભાઇ નટવરલાલ (હક્કાભાઇ) મોરબી તે ઉમેદભાઇ (ટંકારા) તથા ચંદ્રકાંતભાઇ (મોરબી)ના નાનાભાઇ તેમજ ડો. બિમલભાઇ, રાજેશભાઇ પાટડીયા એડવોકેટ તથા પિન્ટુ અને ચિન્ટુના કાકાનું તા. ૧પ ના રોજ અવસાન થયેલ છે. બેસણું મોરબીમાં દેશળદેવ હોલ ઝુલતા પુલ પાસે કાલે તા. ૧૭ સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ રાખેલ છે. લોકિક પ્રથા બંધ છે.
પ્રતાપભાઇ ઠરેશા
ગોંડલ : પ્રતાપભાઇ મોહનભાઇ ઠરેશા, તે શૈલેષભાઇ તથા નિકુંજભાઇ ના પિતા તેમજ ભીખુભાઇના ભત્રીજાનું તા ૧૩ ના અવસાન થયેલ છે બેસણું તા ૧૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન સ્ટેશન પ્લોટ-ર૧ મામલતદાર ઓફીસ સામે, ગોંડલ ખાતે રાખેલ છે.
વસંતબેન લાલજતી ગોસાઇ
જામનગરઃ ધ્રોલ નિવાસી (હાલ જામનગર) ના વસંતબેન લાલજનતી ગોસાઇ (ઉ.વ.૭૬) તે નિલોત્ના (નિરૂ બેન), કિર્તીબેન તથા વિજયજતીના માતાનું તા ૧૫ ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા ૧૭ ના ગુરૂવારે તેમના નિવાસસ્થાન ખોડીયાર કોલોની, ૮૦ ફૂટ રોડ જૈન દેરાસર પાસે, જામનગર ખાતે અને શકિતપુજન તા ૨૫ ના રોજ તેમના નિવાસ્થાને રાખેલ છે.
વિજયબેન
ગોંડલ ગોંડલ (નિવાસી સુખડીયા કંદોઇ હસમુખલાલ પોપટલાલ ખીલોસીયા નાધર્મ પત્ની વિજયાબેન (ઉ.વ.૬૫) નું તા. ૧૪/૫ નારોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા ૧૭/૫ ના રોજ સાંજે પ થી ૭ કલાકેે બેનાણીવાડી નાની બજાર ગોંડલ ખાતે રાખેલ છે.
નરેશભાઇ ભટ્ટ
રાજકોટઃ નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ મૂળ ગોપાલગ્રામ નિવાસી હાલ મુંબઇસ્વ.રતીલાલ કામેશ્વરભાઇભટ્ટના પુત્ર નરેશભાઇ રતીલાલ ભટ્ટ (પંપુભાઇ) તે સ્વ.ગુણવંતરાય ભટ્ટ, સ્વ.દિનેશચંદ્ર ભટ્ટ, યશવંતરાય ભટ્ટ, સ્વ. કુંદનભાઇ ભટ્ટ, નલીનભાઇ ભટ્ટ, લલીતભાઇ ભટ્ટ, સ્વ.ભરતભાઇ ભટ્ટના ભાઇ તથા રોહિણીબેનના પતિ અને ગૌરાંગભાઇ તથા ગ્રીષ્માબેનના પિતાશ્રી તા.૧૩ના સ્વર્ગવાસી થયેલ છે. તેમનું બેસણું જાગનાથ મંદિર હોલ ઉપર તા.૧૭ને ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે.
કિશોરભાઇ ઝવેરી
રાજકોટઃ વાંકાનેર વાળા હાલ રાજકોટ ઝવેરી ગંગારામભાઇ પોપટલાલના પુત્ર કિશોરભાઇ ઝવેરી (ઉ.વ.૭૮) તે અનિ. ચમનલાલ અનિ. લાલલજીભાઇ અનિ. જશુભાઇ અનિ. હિરાલાલભાઇ અમુભાઇ તથા કનુભાઇના નાનાભાઇ તથા નિલેષભાઇ, પદમીનીબહેન તથા દિવ્યાબેનના પિતાજી તે રાજ, વિધાતાના દાદા તથા પરસોતમભાઇ અમરશીભાઇ પાટડીયાના જમાઇ તથા સ્વ.ધીરજલાલ તથા જયંતીલાલના બનેવી તા.૧પના શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦ સોની સમાજની વાડી યુનિટ નંબર-ર કોઠારીયા નાકા પાસે રાખેલ છે.
પરબતભાઇ વિરડીયા
રાજકોટઃ દિનેશભાઇ પરબતભાઇ વિરડીયાના પિતાશ્રી પરબતભાઇ રત્નાભાઇ વિરડીયા (ઉ.વ.૮૮)નું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ બ્રાહ્મણ વાડી, ચંદન પાર્ક, કર્મચારી સોસા. મેઇન રોડ (રૈયા ચોકડી) ખાતે રાખેલ છે.
હસમુખલાલ મહેતા
રાજકોટઃ સ્વ.છોટાલાલ કાનજીભાઇ મહેતાના પુત્ર હસમુખલાલ (ઉ.વ.૭૮) તે ચંપકભાઇ, નવનીતભાઇ, વિનુભાઇ, હિરાબેન, સુરેખાબેનનાં ભાઇ તથા નિલેશભાઇ, પુત્રવધુ હીના, સંધ્યાબેન રાજેશભાઇ અવલાણી, અલ્પાબેન રાકેશભાઇ કોઠારી, બીનાબેન નિલેશભાઇ શાહના પિતાશ્રી તેમજ અમૃતલાલ વિઠ્ઠલજી મીઠાણીના જમાઇ તથા યાશિકા, બીનીતા, ડિનલના દાદાશ્રીનું તા.૧પના અવસાન થયુ છે. ઉઠમણું તા.૧૭ને ગુરૂવારે સવારે ૧૦-૦૦ કલાકે સંઘાણી ઉપાશ્રય દિવાનપરા ખિજડાવાડી શેરીમાં રાખ્યું છે. મૃતકના ચક્ષુઓનું દાન કરાયું છે.
આરતીબેન જોષી
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ અશ્વિનભાઇ વૃજલાલ જોષીના ધર્મપત્ની આરતીબેન (ઉ.વ.પ૩) તે જયના માતુશ્રી તથા સ્વ.મનસુખલાલ હિંમતલાલ દવેના પુત્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે પ થી ૬, ગંગનાથ મહાદેવ મંદિર, ૭,યોગી પાર્ક, રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.
પ્રકાશભાઇ પટેલ
રાજકોટઃ ભોવાનભાઇ લક્ષ્મણભાઇ પાંચાણીના જમાઇ, મનસુખભાઇ, અને નાનાલાલ પાંચાણીના બનેવી તેમજ મંજુલાબેન ભુવા (લંડન)ના પતિ, પ્રકાશભાઇ જીવનભાઇ પટેલ (ભુવા) (ઉ.વ.૬૭)નું તા.૧૭ના લંડન મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના ગુરૂવારે સવારે ૮-૩૦ થી ૧૦-૦૦ અમી રેસીડેન્સી, અંબીકા ટાઉનશીપ, કસ્તુરી રેસીડેન્સીની બાજુમાં, મવડી, મુકામે રાખેલ છે.
જેસીંગજી ડાભી
રાજકોટઃ ગુર્જર રાજપુત જેસીંગજી રૂપસિંહજી ડાભી (ઉ.વ.૭પ) તે જયદિપસિંહના પિતાશ્રી તથા કરણસિંહ રૂપસિંહજી ડાભીના મોટાભાઇનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે પ થી ૭, શ્રી ગુર્જર રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી, ર વિદ્યાનગર ખાતે રાખેલ છે.
પ્રવિણચંદ્ર રાવલ
રાજકોટઃ માંગરોળ નિવાસી સ્વ.પ્રવિણચંદ્ર દુર્ગાશંકર રાવલ (શ્રી રાવલ) (ઉ.વ.૭૪) નર્મદા એગ્રો કેમિકલ્સ પ્રા.લી.માંગરોળવાળા, તે ભવનીશભાઈ, ચેતનભાઈ, મનિષાબેનના પિતાશ્રી, ભાર્ગવીબેન, પ્રેમલબેન, ડો.હિતેશભાઈ જોશી (રાણાવાવ)ના સસરા તથા દિવ્યા, હર્ષવર્ધન, નિધિ તથા જયવર્ધનના દાદા તા.૧૫ મંગળવારના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા / બેસણું તા.૧૭ ગુરૂવારે, સાંજે ૫ કલાકે, ઠે.તેમના નિવાસ સ્થાને છાપરા સોસાયટી, માંગરોળ ખાતે રાખેલ છે.
દેવીદાસભાઈ કથ્રેચા
રાજકોટઃ દેવીદાસભાઈ લક્ષ્મીદાસભાઈ કથ્રેચા (ઉ.વ.૮૨) તે સ્વ.ભરતભાઈ અને ચેતનભાઈના પિતા, કરણ, સુભમ, વિશાખાના દાદાનું તા.૧૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ સુધી રામજીમંદીર રામનગર મેઈનરોડ ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
સુરેશભાઈ ટાંક
રાજકોટઃ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડીયા અ.નિ.નાથાલાલ કાળાભાઈ ટાંકના પુત્ર સુરેશભાઇ (ઉ.વ.૫૬) તે રાધાબેન, અ.નિ.નવિનભાઈ, નરેન્દ્રભાઈ (શંભુભાઈ), દિપકભાઈ, કિશોરભાઈ, અશોકભાઈના ભાઈનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ ગુરૂવાર સાંજે ૫ થી ૭, તેમના નિવાસસ્થાન ૩/૧૨ લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.
ગોદાવરીબેન ધોરેચા
રાજકોટઃ ધોરેચા ગુર્જર સુતાર સ્વ.વાઘજીભાઈ પીતામ્બંરભાઈના ધર્મપત્ની ગોદાવરીબેન (ઉ.વ.૮૫), તે નરેન્દ્રભાઈ, નીલાબેન અનીલકુમાર પંચાસરાના માતુશ્રી તેમજ લતાબેનના સાસુ, ગોરવ, તથા શીવાલીના દાદી રચનાના દાદીજી સાસુનું તા.૧૪ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ સુધી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.
મધુબહેન ભદ્રેશા
વડિયા દેવળીઃ વાંઝા દરજી મધુબહેન ભદ્રેશા (ઉ.વ. ૬૫) તેઓ ચુનીલાલ દલપતભાઈ ભદ્રેશાના ધર્મપત્ની તેમજ પ્રતીક ભદ્રેશા (ભોલો), પારૂલ વિસાવડીયા (ગુડ્ડી), હીના ગોહેલ તથા અમી (ચકુ)ના માતુશ્રીનું તા. ૧૫ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાને કંથનનાથજી મંદિર પાસે સુરગપરા, જી.ઈ.બી. રોડ ખાતે રાખેલ છે.