Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018
પો. હેડકવાર્ટરના એએસઆઇ એસ.એન. ગોસ્વામીના ધર્મપત્નિ હંસાબેનનું અવસાન

રાજકોટઃ જામનગર રોડ પર પરસાણાનગર-૯માં રહેતાં અને રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં એએસઆઇ સુરેશવન ન્યાલવન ગોસ્વામીના ધર્મપત્નિ હંસાબેન (ઉ.૫૪)નું તા.૧૯/૮ના સાંજે અવસાન થયું છે. હંસાબેનને કેન્સરની બિમારી હતી. ગત સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જે પરિણીત છે. સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો, પોલીસ કર્મચારીઓ જોડાયા હતાં.

અમરેલીના કવિ પરેશભાઇ મહેતાના માતુશ્રીનુ અવસાનઃ સાંજે બેસણુ

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ લાઠી હાલ અમરેલી ધીરજબેન નટવરલાલ મહેતા (ઉ.વ.૭૯) તે પરેશભાઇ એન મહેતા (જીલ્લા પંચાયત અમરેલી-કવિ)ના માતુશ્રી તથા શીલાબેન પી-મહેતાના સાસુ તેમજ નિકેત મહેતા અને નિયતી મહેતાના દાદી તથા વિપુલ કે-મહેતા (કલેકટર કચેરી-અમરેલી) અને ડો.ભાવેશ કે.મહેતા (આયુર્વેદ હોસ્પિટલ-અમરેલી)ના કાકીનુ તા.૧૮ના અવસાન થયેલ છે. બેસણુ આજે તા.૨૦ને સોમવારે સાંજે ૪ થી ૬ મહાજન પાર્ટી પ્લોટ, સ્ટેશન રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

નરેન્દ્રભાઇ ભટ્ટ

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.ભોગીલાલ શંકરલાલ ભટ્ટ અને સ્વ.મનોરમાબેન ભોગીલાલ ભટ્ટનાં પુત્ર ે જીતેન્દ્ર ભોગીલાલ ભટ્ટ તેમજ ગીતાબેન ચેતનકુમાર ભટ્ટ અને શોભાબેન કૈલાશકુમાર મહેતાનાં નાનાભાઇ તેમજ બ્રીજેશ તથા પ્રતીકનાં કાકા નરેન્દ્રભાઇ ભોગીલાલ ભટ્ટ (ઉ.વ.૬૩)નું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.ર૦ના સોમવારે સાંજે પ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

લક્ષ્મીબેન ખટાણા

રાજકોટઃ સ્વ.લક્ષ્મીબેન સગરામભાઇ ખટાણા (ઉ.વ.૭પ) તે સગ્રામભાઇના પત્ની તથા સાતાભાઇ, ધોહાભાઇના માતુશ્રી તેમજ સંજય, રાહુલભાઇ, ગોપાલભાઇ, પારસભાઇના મોટાબા તથા સામતભાઇ લવતુકા તેજાભાઇ લવતુકાના બહેન તા.૧પના રોજ રામશરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા તા.રપના રોજ નિવાસ સ્થાને રાખેલ છે.

વલ્લભભાઇ રાઠોડ

રાજકોટઃ કડિયા વલ્લભભાઇ ભાણજીભાઇ રાઠોડ તે ભાણજીભાઇ રાઠોડના નાનાભાઇ તે ડો.દિનેશ રાઠોડ તથા અશ્વિન રાઠોડના પિતાશ્રી તા.૧૮ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.ર૦ના સોમવારે કોઠારીયા રોડ નિલકંઠ હોલ નિલકંઠ સિનેમા પાછળ ૪ થી ૬ રાખેલ છે.

પરેશભાઇ ટાંક

રાજકોટઃ સ્વ.ગીરીશભાઇ વૃજલાલભાઇ ટાંકના પુત્ર તથા મગનભાઇ નરશીભાઇ ગેડીયાના જમાઇ પરેશભાઇ ગિરીશભાઇ ટાંક (ઉ.વ.૪૦) તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬, ધર્મભકિત, દ્વારકાધિશ સોસાયટી શેરી નં.ર, ગોકુલધામ પાછળ રાખેલ છે.

મંજુલાબેન યાદવ

રાજકોટઃ મંજુલાબેન ધીરૂભાઈ યાદવ (ઉ.વ.૬૪)નું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તેઓના નિવાસ્થાન જૈનમ અપાર્ટમેન્ટ નાગેશ્વર મંદિરની સામે માધાપર ચોકડી જામનગર રોડ ખાતે તા.૨૩ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે.

સવિતાબેન અરીલા

રાજકોટઃ મેઘજીભાઈ જેઠાલાલ અરીલાના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૮૫) તે ધનજીભાઈ, અમરશીભાઈ (અમુભાઈ) અને મુકેશભાઈના માતુશ્રી તે અમિતભાઈ અને કશ્યપભાઈના દાદીમાનું તા.૧૯મીએ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૦ને સોમવારે  સાંજે ૫ થી ૬ 'દ્વારકેશ' ત્રિવેણી સોસાયટી શેરી નંબર-૨, સવગુણ કન્યા છાત્રાલયની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

જયંતિલાલ પારેખ

રાજકોટઃ મોઢવણિક ધ્રોલ નિવાસી, હાલ રાજકોટ જયંતિલાલ કાનજીભાઈ પારેખ તે નરેન્દ્રભાઈ, કેતનભાઈ તથા કમલેશભાઈના પિતાશ્રીનું તા.૧૮ શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬, મોઢવણિક વિદ્યાર્થી ભવન, રજપૂતપરા શેરી નં.૫, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

જયંતીલાલ પારેખ

રાજકોટઃ મોઢ વણિક ધ્રોલ નિવાસી હાલ રાજકોટ જયંતિલાલ કાનજીભાઇ પારેખ તે નરેન્દ્રભાઇ, કેતનભાઇ અને કમલેશભાઇના પિતાશ્રીનું તા. ૧૮ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ર૦ને સોમવારે સાંજે પ થી ૬ મોઢ વણિક વિદ્યાર્થી ભવન, રજપુતપરા શેરી નં. પ રાજકોટ ખાતે રાખેલ છે.

દુધીબેન સોજીત્રા

પાટણવાવઃ સ્વ. દુધીબેન ટપુભાઇ સોજીત્રા તે સ્વ. ટપુભાઇ વાલજીભાઇ સોજીત્રાના ધર્મપત્ની, તે ચંદુભાઇ ટપુભાઇ સોજીત્રા ત્થા વલ્લભદાસ ટપુભાઇ સોજીત્રા વિજયાબેન ત્થા મંજુબેનના માતુશ્રીનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે.