Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019
ભાવનગરમાં ભાંખલવાળા પાલીવાલ બ્રહ્મસમાજના આગેવાન કલ્યાણભાઇ નું અવસાન

ભાવનગર : ભાંખલવાળા પાલીવાલ બ્રહ્મસમાજના વયોવૃધ્ધ સેેવાભાવી કલ્યાણભાઇ વનમાળીભાઇ જાની (ઉ.વ. ૯૧) તે  અલંગના વેપારી આગેવાન મુળશંકરભાઇ કલ્યાણભાઇ જાની, તેમજ અખીલ ભારતીય પાલીવાલ બ્રાહ્મણ સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઇ કલ્યાણભાઇ જાનીના પિતાશ્રીનું અવસાન થયું છે. ભાવનગર શહેર પાલીવાલ બ્રહ્મ સમાજ સમસ્ત  જોડાયેલ. સદ્ગત સાદગી, પરોપકાર અને ઋખાલસ સ્વભાવથી સમગ્ર વિસ્તાર અને સમાજના લોક ચાહના ધરાવતા હતો છેલ્લા વર્ષોથી પશુને ચણ અને ગાયોનેનિરણ અને દવાખાનામાં દર્દીઓની સેવા સહિતની ધાર્મિક લાગણી ધરાવતા હતા. સમગ્ર શહેર જીલ્લા ભરના આગેવાનો દ્વારા ભાવાંજલી અર્પણ કરવામાં આવેલ છે.

જૈન શ્રેષ્ઠી હસમુખભાઈ મહેતાનું દુઃખદ અવસાનઃ કાલે રાજકોટમાં પ્રાર્થનાસભા

રાજકોટઃ મહિકા નિવાસી મણીકુવરબેન ત્રંબકલાલ નરભેરામ મહેતાના પુત્ર હસમુખલાલ (જૈન શ્રેષ્ઠી દાતા) (ઉ.વ.૮૪) તે સ્વ.મંજુલાબેનના પતિ, સ્વ.ધનલક્ષ્મીબહેન મનસુખલાલ ગોડા, સ્વ.હિરાબેન પ્રવિણચંદ્ર ટોળિયા, સ્વ.મંજુબેન ગુણવંતરાય મહેતા તથા લંડન નિવસાી જશવંતભાઈ ત્રંબકલાલ મહેતાના મોટાભાઈ, સ્વ.હરિલાલ જશવીરભાઈ સંઘાણીના જમાઈ મુંબઈ મુકામે અરિહંત શરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનસભા તા.૨૧ને ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૭ ગોલ્ડન લીફ હોલ, હોટલ પંચવટી, બોમ્બે પેટ્રોલ પંપ રોડ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતે સ્કીન દાન કરેલ છે.(૩૦.૫)

અવસાન નોંધ

ગીતાબેન વિનોદચંદ્ર નરસાણાનું દુઃખદ અવસાનઃ કાલે ગુરૂવારે બેસણું

રાજકોટઃ સ્વ.ગીતાબેન વિનોદચંદ્ર નરશાણા (રાજકોટ સ્થિત, મૂળ માંગરોળ) તે નિશિત, ઓમ, ક્રીશ્વી, બિરવા, ધ્રુવી, રિયાન, ક્રિષ્ના, શ્યામના દાદી તા.૧૯ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે. સ્વ.વિનોદચંદ્ર, હર્ષદભાઈ, નિર્મળાબેન, સ્વ.રાજેન્દ્રભાઈ, ભારતીબેન તથા સુભાષભાઈ લીલાધર નરશાણા, ફાલ્ગુનીબેન, મેહુલભાઈ, હિરેનભાઈ, મિલિબેન, શીતલબેન, ચિરાગભાઈ, દેવેશભાઈ, કેયુરભાઈ, કૃણાલભાઈ, પૂર્વીબેન, નીતાબેન, પારૂલબેન, સ્વાતિબેન, કૃપાબેન, મીરાલીબેન તથા પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ છે.

પોરબંદર એસબીઆઇના ચીફ મેનેજર ઝાહીદ ખોખરના માતાજીની વફાત

રાજકોટ : ઠોયાણા દરબાર મર્હુમ બુઢુ ખોખર શાહ ખોખર (કુતિયાણા)ના પુત્ર મર્હુમ ફૈઝ ખોખર બુઢુભાઇના ધર્મપત્ની અને પોરબંદર એસ.બી.આઇ.ના ચીફ મેનેજર જનાબ ઝાહીદ ખોખર તથા સાજીદ ખોખર (રાજુભાઇ)ના માતાજી સાઇરાબેન (ઉ.વ.૮ર) તા. ર૯ના વફાત પામ્યા છે. મર્હુમાની ઝીયારત તા. ર૧ના આવતીકાલે ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે સંજરી મસ્જીદ ખાતે તથા મહીલાઓ માટે તેઓના નિવાસ સ્થાન જાગૃતિ સોસાયટી શેરી નં. પ, ભોમેશ્વર, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મધ્યપ્રદેશના રીટાયર્ડ ચીફ એન્જનિયર કિશોરચંદ્ર ધ્રુવનુ દુઃખદ અવસાન

રાજકોટઃ કિશોરચંદ્ર કેશવલાલ ધ્રુવ (રીટાયર્ડ ચીફ એન્જીનીયર મધ્યપ્રદેશ) તે ભાસ્કર કેશવલાલ ધ્રુવના મોટાભાઈ તથા સ્વ.મનુભાઈ ધ્રુવ (અમદાવાદ) અને હસ્વંતરાય કેશવલાલ ધ્રુવના નાનાભાઈનું તા.૧૯ મંગળવારના રોજ, ઈંદોર મુકામે દુઃખદ અવસાન થયેલ છે.

ભગવતીબેન રાઠોડ

રાજકોટઃ ગુ.ક્ષ.કડિયા, મૂળગામ-ભેંસદડ, હાલ-રાજકોટ સ્વ. હરિલાલ બેચરભાઇ રાઠોડના પત્ની ભગવતીબેન રાઠોડ (ઉ.વ.૮૪) તે રાજેશભાઇ હરિલાલ રાઠોડના માતા, સ્વ. ચંદ્રેશ, યોગેશ તથા મિતલ ધર્મેશભાઇ ચાવડાના દાદીનું તા. ૧૮ના અવસાન થયું છે. બેસણું તા. ૨૨ને શુક્રવારના શ્રી નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કૂલ પાસે, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જીતેન્દ્રભાઇ ભટ્ટી

રાજકોટઃ જીતેન્દ્ર (લાલો) પ્રવિણભાઇ ભટ્ટી (ઉ.વ.૩૮) તે કેતનભાઇ ભટ્ટીના મોટાભાઇ તે રોનકભાઇ ભટ્ટી તથા હિરલબેન ભટ્ટીના પિતાશ્રીનું અવસાન તા. ૧૯ને મંગળવારે થયેલ છે. બેસણું  તા. ૨૧ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ માં આશાપુરા મંદિર કોઠારીયા મેઇન રોડ હુડકો બસ સ્ટોપની પાછળ-નવનીત ડેરી વાળી શેરી રાજકોટ પીયર પક્ષનું બેસણું સાાથે રાખેલ છે.

ભરતભાઇ ઓઝા

રાજકોટઃ ભરતભાઇ (યોગેન્દ્ર) માણેકલાલ ઓઝા (ઉ.વ.૭૫) તે સ્વ. હંસાબેન હીન્ડોચાના પતિ સચીનના પિતા તે શૈલેષભાઇ હીંડોચા (જોનીભાઇ)ના બનેવી તથા દિપકભાઇ,રાજુભાઇ, આનંદભાઇ, બ્રિજેશ, અલ્પેશના કાકા તે નલીનીબેન ઇન્દ્રજીત ઓઝાના દીયર તથા સ્વ. હસુબેન ત્રિવેદી તથા સ્વ. ચંદનબેનના ભાઇનું તા. ૧૯ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ના ગુરૂવારે સાંજે પ થી૬ રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, નવયુગ સોસા. પાસે રાખેલ છે

જયંતિલાલ શાહ

રાજકોટઃ મોઢવણીક જયંતિલાલ દેવચંદભાઇ શાહ (ઉ.વ.૭૫) તે દીપુભાઇ જયંતિલાલ શાહ, તુષારભાઇ જયંતિલાલ શાહ, હીનાબેન તુષારભાઇ કોઠારી, સ્વીટુબેન રવિભાઇ ધોળકિયાના પિતાશ્રીનું તા. ૧૬ને શનિવારે બિલખામાં અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૨૨ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, જીમખાના હોલ, જીમખાના મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષાબેન સંઘવી

રાજકોટઃ હર્ષાબેન કિરીટભાઇ સંઘવી (ઉ.વ.૮૨) નવિનભાઇ અમરચંદ મહેતા તથા ચંદ્રકાન્ત અમરચંદ મહેતા તેમજ ચંદ્રિકાબેન દફતરીના બહેન તેમજ ચેતનાબેન વિરાણી અને શિતલબેન રિનેશભાઇ કોઠારીના માતુશ્રી જે શ્રેયા, શ્રેયાંસ, પૃષ્ટીના નાનીબા અને શશીભાઇ રેવાશંકર સંઘવી તથા સરોજબેન ચંદુલાલ પારેખનાં ભાભીનું  તા. ૧૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૧ ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાકે ઇન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, હેમુ ગઢવી હોલની પાછળ, પંચવટી હોલની સામેની શેરીમાં રાખેલ છે.

શાંતાબેન વાઘેલા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુળગામ સામપર માધાપર સ્વ.પરસોતમભાઈ મેઘજીભાઈ વાઘેલાના ધર્મપત્ની સ્વ.શાંતાબેન પરસોત્તમભાઈ વાઘેલા (ઉ.વ.૮૨) તેઓ ગોદાવરીબેન ધનજીભાઈ પરમાર તથા રસીલાબેન ભરતભાઈ માકડિયાના માતુશ્રી તા.૬ના રામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૧ના ગુરૂવારે, સાંજે ૫ થી ૬, ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરી નં.૫, સાધના સોસાયટીની પાછળ, સહકાર મેઈન રોડ, રાખેલ છે.

મંછાબા ઝાલા

રાજકોટઃ વનાળા હાલ રાજકોટ સ્વ.જયવીરસિંહ નટવરસિંહ ઝાલાના ધર્મપત્નિ સ્વ.મંછાબા જયવીરસિંહ ઝાલા (ઉ.વ.૮૬) તેઓ સ્વ.જયદેવસિંહ, પૃથ્વીરાજસિંહ, નિર્મળસિંહ તથા ગીતાબા બી જાડેજાના માતુશ્રી તેમજ ખુમાનસિંહ, સ્વ.ગુલાબસિંહ, મહાવીરસિંહના ભાભીશ્રી તેમજ રામરાજસિંહ, વાસુદેવસિંહ, અભયરાજસિંહ, રૂદ્રરાજસિંહ, જયજીતસિંહ, કૃપાબાના દાદીમાં દેવલોક પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના શુક્રવાર  સાંજે ૪ થી ૬ તેમજ ઉતરક્રિયા તા.૧માર્ચના શુક્રવાર લક્ષ્મીનગર- ૫, રાજકોટ ખાતે રાખેલ છે.

કનુભા રાયજાદા

રાજકોટઃ કનુભા ઉમેદસિંહ રાયજાદા તે ઈન્દુભા (એસ.ટી.વાળા), પ્રદ્યુમનસિંહ અને મનોહરસિંહના પિતાશ્રીનું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૨૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ઉદ્યોગનગર કોલોની, કવા.નં-૪૭, લોહાનગર મેઈન રોડ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કિર્તીભાઈ અંબાલીયા

રાજકોટઃ વાંકાનેર નિવાસી કિર્તીભાઈ હીરાભાઈ અંબાલીયા (ઉ.વ.૫૦) તે સ્વ.હિરાભાઈ કાળાભાઈ અંબાલીયાના પુત્ર તથા પ્રકાશભાઈ, પાવર્તીબેન, ગીતાબેનના મોટા ભાઈ  તથા વિણાબેનના લઘુબંધુ તથા વિનોદભાઈ પરમાર (આરપીએફ), જીતેન્દ્ર પરમાર (માહિતી ખાતુ), નવિનચંદ્ર જાદવ (આરએમસી)ના સાળા તથા કિરણભાઈ ડાભીના જીજાજી તેમજ કેતન, આશા, હેતલના પિતાશ્રીનું તા.૧૮ને સોમવારના અવસાન થયેલ છે. તેમનું કારજ તા.૨૨ને શુક્રવારના રોજ બપોરે રાખેલ છે.

શ્રેયસ વાયા

રાજકોટઃ જામજોધપુરવાળા મગનલાલ પ્રાગજીભાઈ વાયાના પુત્ર જયદેવભાઈના પુત્ર શ્રેયસ (ઉ.વ.૧૦)નું દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૧ ગુરૂવારે સાંજે ૪ થી ૫ વાગ્યે રાજકોટ મુકામે પંચનાથ મહાદેવ મંદિરમાં રાખેલ છે.

વસંતરાય સેદાણી

રાજકોટઃ વસંતરાય કેશવલાલ સેદાણી તે વિનોદભાઈ, નિલેષભાઈ (ઠકકર પ્રોવિઝન સ્ટોર)ના પિતાશ્રીનું તા.૧૮ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૨૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે દિલીપભાઈ સંઘાણી ઓડીટોરીયમ હોલ, રાજકમલ ચોક, અમરેલી ખાતે રાખેલ છે.

પુષ્પાબેન મહેમદાવાદીયા

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ.રણછોડભાઈ કરશનભાઈ ખંભાયતાના પુત્રી પુષ્પાબેન લાલજીભાઈ મહેમદાવાદીયા (ઉ.વ.૮૯) તે નરેન્દ્રભાઈ, સ્વ.જગદીશભાઈ અને જીતેશ અને નીતાબેન પ્રવીણભાઈ ગજજર, વર્ષાબેન ચેતનકુમાર સંચાણિયા અને સુધા વિજયકુમાર અખીયાણીયા (મોરબી)ના માતુશ્રીનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ દરમ્યાન રણુજા મંદિર (પાર્કિંગ વિભાગ), કોઠારીયા રોડ, ખાતે રાખેલ છે.

પ્રતાપભાઇ ડોડીયા

રાજકોટઃ કારડીયા રાજપૂત પ્રતાપભાઇ હિરજીભાઇ ડોડીયા (ઉ.વ.૭૩) તે (પાર્થ ટ્રાવેલ્સ વાળા) તથા મહેશભાઇ ડોડીયા તથા મિલનભાઇ ડોડીયાના પિતાશ્રી તથા રાજ તથા દેવાંશના દાદાનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, નહેરૂનગર સોસાયટીના હોલમાં  નહેરૂનગર કો.ઓ. હા. સોસા. મારવાડી બીલ્ડીંગ સામે નાના મૌવા રોડ ખાતે રાખેલ છે.

મંગળાબેન ગૌસ્વામી

રાજકોટઃ મંગળાબેન નવલભારથી ગૌસ્વામી તે ભરતભારથી રાજકોટ રૂરલ પોલીસ તથા રમાબેન તથા નૌનાબેન તથા હેમાબેન તથા રેખાબેનનાં માતુશ્રી અર્જુન તથા પુજાબેન (ભકતીનગર પોલીસ સ્ટેશન રાજકોટ)નાં દાદીમાં તથા બળદેવભારથી તથા ચમનભારથીનાં ભાભી વિવેકાનંદ યુવક મંડળ રાજકોટનાં પ્રમુખ પ્રવીણભારથી પ્રતાપભારથીનાં કાકીનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નટેશ્વર મંદીર શેઠ હાઇસ્કુલની બાજુમાં ૮૦ ફુટ રોડ, ખાતે રાખેલ છે.

લાલજીભાઇ નસીત

ત્રંબાઃ કસ્તુરબાધામ (ત્રંબા) નિવાસી પંકજભાઇ, જીતુભાઇ તથા અશોકભાઇના પિતા લાલજીભાઇ હરજીભાઇ નસીતનું તા.૧૯ મંગળવારના અવસાન થયેલ છે. જેનું તા.ર૧ને ગુરૂવારે બેસણું ૪ થી ૬ કસ્તુરબાધામ (ત્રંબા) મુકામે નિવાસ સ્થાને રાખેલ છે.

વસંતભાઇ મર્થક

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.મુલચંદ વલ્લભજી મર્થક જેતપુર વાળાના દિકરા વસંતભાઇ (ઉ.વ.૭૯) તે સ્વ.છગનભાઇ, સ્વ.બાબુભાઇ, જસવંતીબેન (ધોરાજી)ના નાનાભાઇ અને મંજુબેન (જેતપુર)ના મોટાભાઇ, યોગેશભાઇ, અશોકભાઇ, જયશ્રીબેન છાટબાર (અમરેલી), કપિલાબેન છાટબાર (જેતપુર) સંગીતાબેન છાટબાર (રાજકોટ), ભાવનાબેન છાટબાર (સુરત)ના પિતાશ્રી તેમજ સ્વ.જમનાદાસ નરોતમદાસ ભૂત (જામનગર)ના જમાઇનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.ર૧ના ગુરૂવારે સવારે ૧૦-૦૦ વાગ્યે શિતળા માતાજીના મંદિરે, ભાવનગર રોડ, પટેલ વાડી સામે રાખેલ છે.

કલ્યાણજીભાઇ પરમાર

મોરબીઃ કલ્યાણજીભાઇ ધનજીભાઇ પરમાર (ઉ.વ.૬૯) તે જયેશભાઇ અને સમીરભાઇના પિતા તેમજ પરષોતમભાઇ અમુભાઇના ભાઇનું તા.૧૮ના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા.૨૧ને ગુરુવારે સાંજે ૪થી૬ કલાકે જડેશ્વર મંદિર, સ્ટેશનરોડ મોરબી ખાતે રાખેલ છે.

શારદાબેન ભરાડ

જામનગરઃ મૂળ ખારસિયા નિવાસી હાલ ભાવનગર પિયુષભાઇ બાબુભાઇ ભરાડના માતુશ્રી સ્વ. શારદાબેન બાબુભાઇ ભરાડ (ઉ.વ.૭૦)તે ગીતાબેન ભરાડ (કાઠીગોર મહિલા પ્રમુખ)ના સાસુનું અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ કલાકે તેઓના નિવાસ સ્થાને ૮૨/ એ ભોળાનાથ સોસાયટી, બેંક કોલોની પાછળ સુભાષનગર ભાવનગર રાખેલ છે

રંજનબેન ઉપાધ્યાય

રાજકોટ : સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ અ.સૌ. રંજનબેન નટવરલાલ ઉપાધ્યાય (ઉદય મશીન ટુલ્સ) (ઉ.વ.૮૦) તે નટવરલાલ મણીશંકર ઉપાધ્યાયના ધર્મપત્ની તેમજ ઉર્મિલભાઇ (રાજુભાઇ) અને જયશ્રીબેન ઉપાધ્યાય (ટાઉન પ્લાનીંગ) ના માતુશ્રી તેમજ ગુંજનબેન (નાગરીક બેંક) ના દાદીમાંનું તા. ૧૯ ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૧ ના ગુરૂવારે સાંજે પ થી ૬ રાધાકૃષ્ણ સોસાયટી કોમ્યુનીટી હોલ, બોલબાલા માર્ગ ખાતે રાખેલ છે.

ધરમશીભાઇ પરમાર

ટંકારા : મૂળ ઓટાળા હાલ ટંકારા, મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી ધરમશીભાઇ (બચુભાઇ) ચકુભાઇ પરમાર (ઉ.વ.૯પ) તે હસમુખભાઇ પરમાર (મહામંત્રી-ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા, ટ્રસ્ટી-મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ (ભૂ.પૂ. આચાર્ય એમ.પી. દોશી વિદ્યાલય), સૂર્યકાંતભાઇ પરમાર (અશોક ટેઇલર-ટંકારા), અશોકભાઇ પરમાર, મીનાબેન વાઘેલા (જામનગર), મધુબેન મિસ્ત્રી (અમેરિકા)ના પિતાશ્રી, તેમજ વિજ્ઞેશભાઇ (યુનાઇટેડ ફાર્માસ્યુકલ્સ-લજાઇ), ચિંતનભાઇ (ઇન્ફીબ્રેઇન ટેકનોલોજીસ-રાજકોટ)ના દાદાનું તા. ૧૮ના રોજ દેહાવસાન થયેલ છે. શાંતિયજ્ઞ અને શ્રદ્ધાંજલી સભા (બેસણું) તા. ર૪ રવિવારના રોજ સાંજે ૩ થી ૬, મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ (મહાલય)  યોગ ભવન  ટંકારા ખાતે રાખવામાં આવેલ છે.

હર્ષાબેન સંઘવી

રાજકોટઃ હર્ષાબેન કિરીટભાઇ સંઘવી (ઉ.વ.૮ર)  અરિહંત શરણ પામેલ છે. જે નવિનભાઇ અમરચંદ મહેતા તથા ચંદ્રકાન્ત અમરચંદ મહેતા તેમજ ચંદ્રીકાબેન દફતરીના બહેન તેમજ ચેતનાબેન ચેતનભાઇ વિરાણી અને શિતલબેન રિનેશભાઇ કોઠારીના માતુશ્રી જે શ્રેયા-શ્રયાંસ, પૃષ્ટીના નાનીબા અને શશીભાઇ રેવાશંકર સંઘવીતથા સરોજબેન ચંદુલાલ પારેખના ભાભી થાય. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

હરકિશનદાસ શેઠ

જૂનાગઢઃ મોઢવણિક હરકિશનદાસ નરોતમદાસ શેઠ તે (શેઠ નરોતમદાસ કરશનદાસ પેઢીવાળા) (ઉ.વ.૮ર) તે સ્વ.ભાવનાબેનના પતિ અન ે સ્વ.બચુભાઇ, સ્વ.દેવીદાસના નાનાભાઇ તથા દિપકભાઇ, શ્યામલભાઇના કાકા તથા દર્શનભાઇ (હોટલ પેટલ્સ)ના પિતાશ્રી તા.૧૯ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.ર૧ ગુરૂવારે બપોરે ૪ થી ૬ ભુતનાથ મંદિર, સત્સંગ હોલ, જુનાગઢ ખાતે રાખેલ છે.

મીનાબેન પારેખ

રાજકોટઃ રીબડાવાળા ગો.વા. સોની લવજીભાઇ રૂગનાથભાઇ પારેખનાં પુત્રવધુ ગો.વા. મીનાબેન ચન્દ્રકાન્તભાઇ પારેખ (ઉ.વ.૬૬) તે ચંન્દ્રકાન્તભાઇ લવજીભાઇ પારેખનાં ધર્મપત્ની તે સંજયભાઇ, કિર્તીભાઇ (અમી જવેલર્સ) તથા નિશા નિમિષકુમાર ઝીંઝુવાડીયાનાં માતુશ્રી તે ગો.વા. સોની હરિલાલ ડોસાભાઇ આડેસરા (ધ્રોલવાળા)નાં દિકરી તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું (પ્રાર્થનાસભા) તા.ર૧ને ગુરૂવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦, રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ ખંડ ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ દેવાણી

કેશોદઃ સ્વ. મોહનલાલ પરસોતમભાઇ દેવાણી (પાડોદરવાળા)ના પુત્ર ચંદ્રકાંતભાઇ (ઉ.વ.૫૮) તે સ્વ. કાંતિભાઇના નાનાભાઇ તેમજ હરેશભાઇ, રાજુભાઇ, અનિલભાઇના મોટાભાઇનું તા. ૧૯ને મંગળવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી પ કલાક સુધી શ્રી લોહાણા મહાજન સુંદરવાડી, કેશોદ રાખેલ છે.

ચંપાબેન બોસમીયા

જેતપુરઃ બ્રહ્મક્ષત્રિય સુરેશચંદ્ર પ્રભુદાસ બોસમીયાના ધર્મપત્ની ચંપાબેન (ઉ.વ.૭૧) તે ધૃતિબેન, રૂપાબેન, નિશાબેન, કૃપાબેન સ્વ. નિમીષાબેનના માતુશ્રી તેમજ સ્વ. રતીલાલ જાદવજીભાઇ સોનેજી(કાલાવડ)ના પુત્રી તા. ૧૯ના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થના સભા તા. ૨૧ ગુરૂવાર સાંજે ૪.૩૦ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી,વિભાગ નં.૧, જેતપુર રાખેલ છે.

દિપકભાઇ સાંગાણી

જેતપુરઃ અમૃતલાલ તુલસીદાસ સાંગાણીના પુત્ર દિપકભાઇ હરેશભાઇના ભાઇ તા. ૧૭ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૨૧ ગુરૂવાર સાંજે ૪ થી પ.૩૦ કલાકે શામનાથ મંદિર, દેસાઇ વાડી,જેતપુર રાખેલ છે.

જેન્તીગીરી મેઘનાથી

જેતપુરઃ સુરત નિવાસી જેન્તીગીરી પ્રાણગીરી મેઘનાથી (બટુકભાઈ) તે દિપકભાઇના પિતાશ્રી તા. ૧૬ના રોજ અવસાન પામેલ છે.

હરકિશનદાસ શેઠ

જૂનાગઢઃ મોઢવણિક હરકિશનદાસ નરોતમદાસ શેઠ તે (શેઠ નરોતમદાસ કરશનદાસ પેઢીવાળા) (ઉ.વ.૮૨) તે શ્રી સ્વ.ભાવનાબેનના પતિ અને સ્વ.બચુભાઇ, સ્વ.દેવીદાસના નાનાભાઇ તથા દિપકભાઇ, શ્યામલભાઇના કાકા તથા દર્શનભાઇ (ધી લોટસ હોટલ) મંગળવારના શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૧ ગુરૂવાર બપોરે ૪ થી ૬ ભુતનાથ મંદિર, સત્સંગ હોલ, જુનાગઢ ખાતે રાખેલ છે.

રમાબેન રાડીયા

રાજકોટઃ સ્વ. રમાબેન કિશોરભાઇ રાડીયા (ઉ.વ.૬૭) તે કિશોરભાઇ રાડીયાના  (સેન્ટ્રલ બેંક વાળા) ધર્મપત્નિ તે નિલેશભાઇ રાડીયાના માતુશ્રી તે અમૃતલાલ વ્રજલાલ સુચક બિલખાની દિકરી તે ઇલાબેન તથા ચકુબેનના મોટા બહેન, તે ભરતભાઇ છોટાલાલ સુચક બિલખાના બહેન તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૨ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ અન્નપુર્ણેશ્વર મહાદેવ મંદિર જુની પયૈયાવાડી શેરી નં.૨ એચ.જે.દોશી હોસ્પિટલથી આગળ રાજકોટ ખાતે રાખેલ છે.

ગજેન્દ્રસિંહ રેવર

રાજકોટઃ ગુર્જર રાજપુત ગજેન્દ્રસિંહ રાજમલજી રેવર (ગુર્જરભાઈ- નિવૃત સેલ્ટેક્ષ ઈન્સ્પેકટર) (ઉ.વ.૭૪) તે વિરેન્દ્રસિંહના પિતાશ્રી તથા વિક્રાંતસિંહના દાદા તેમજ સંપિદસિંહ ચંદ્રસિંહના મોટાબાપુ તા.૧૯ને મંગળવારનાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ડો.આંબેડકર હોલ લક્ષ્મી કો.ઓપ.હાઉસિંગ સોસાયટી, રાજનગર પાછળ, ધરતી હોન્ડાવાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે. તમામ લૌકીકપ્રથા બંધ રાખેલ છે.

જીવનભાઈ પોપટ

રાજકોટઃ સ્વ.જીવનભાઈ ઓધવજી પોપટ (ઉ.વ.૭૩) તે સ્વ.ઓધવજી ભીમજી પોપટ જુનાગઢવાળાના પુત્રને ચંદ્રાબેનના પતિ, પ્રફુલભાઈ (મુંબઈ), દિલીપભાઈ (મુંબઈ), ગૌતમભાઈ (જુનાગઢ)ના મોટાભાઈ તથા સમીર, વિમલને અમરના પિતાશ્રી નીયા જીતેન્દ્રકુમાર કારીયા, મનીષા જયેન્દ્રકુમાર વિઠલાણીના પિતાશ્રી તા.૨૦ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિરમેશ્વર મહાદેવ મંદિર, રેસકોર્ષ પાર્ક,  એરર્પોટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયાબેન માણેક

રાજકોટઃ સ્વ.વિજયાબેન નટવરલાલ માણેક (ઉ.વ.૯૩) તે સ્વ.નટવરલાલ વશનજી માણેકના ધર્મપત્ની તે સ્વ.મનુભાઈ માણેક, દિનેશભાઈ માણેક, સ્વ.જીતેન્દ્રભાઈ માણેક, બકુલભાઈ માણેક, સુરેશભાઈ માણેક, અશોકભાઈ માણેકના માતુશ્રી તેમજ રજનીકાંત જીવરાજાની (જલગાંવ), નટુભાઈ રૂવાલા, કૌશિકભાઈ રૂવાલાના સાસુનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૧ના સાંજે ૫ કલાકે શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, જલારામ- ૨ પાછળ, આફ્રિકા કોલોની શેરીનં.૩, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મિનાક્ષીબા જેઠવા

ખંભાળિયા : મુળ બારાવાળા અમરસંગ ભગવાનજી જેઠવાના પુત્રવધુ મિનાક્ષીબા ઉ.વ.૨૩, તે ભુપેન્દ્રસિંહ અમરસંગ જેઠવાના પત્નીનું તા. ૧૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ યોગેશ્વરનગર ખંભાળિયા તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.

રમણીકલાલ બારાઇ

ખંભાળિયા : રમણીકલાલ રૂગનાથભાઇ બારાઇ (રમણભાઇ) (ઉ.વ. ૭૩) તે દિપેનભાઇ, અજીતભાઇ, જયેશભાઇ તેમજ ુજયશ્રીબેન શૈલેષકુમાર બથીયાના પિતાશ્રી, જે સુંદરજીભાઇ, મનસુખભાઇ, હરેશભાઇ તેમજ ભરતભાઇના ભાઇ તા. ૧૯ ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા ભાઇઓ તેમજ બહેનો માટે તા. ૨૧ ગુરૂવારે સાંજે ૪ થી ૪.૩૦, જલારામ મંદિર ખંભાળીયા ખાતે રાખેલ છે.

જેન્તીગીરી મેઘનાથી

જેતપુરઃ સુરત નિવાસી જેન્તીગીરી પ્રાગગીરી મેઘનાથી તે દિપકભાઇના પિતાશ્રીનું અવસાન થયું છે. પુજનવિધિ તથા શંખઢોળ તા.ર૧ ગુરૂવારે નાજાવાળા પરા વાંજા વાડી પાસે નાનુભાઇ રીક્ષાવાળાના ઘરે જેતપુર રાખેલ છે.

નરેશભાઈ પરમાર

રાજકોટઃ નરેશભાઈ ભીખાલાલ વૈષ્ણવ પરમારનું તા.૧૭ને રવિવાર દુઃખ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તથા પાણી ઢોળ (ઉતરક્રિયા) તા.૨૫ને સોમવારે હાથીખાના મેઈન રોડ, શેરી નં.૩, ગોપના મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

મનિષભાઈ ઝીંઝુવાડીયા

રાજકોટઃ સ્વ.મંજુલાબેન રામસિંગભાઈ ઝીંઝુવાડીયાના પુત્ર તેમજ ભરતભાઈ, મહેશભાઈના ભાઈ સ્વ.મનિષભાઈ રામસિંગભાઈ ઝીંઝુવાડીયાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.