Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019
સુરેન્દ્રનગર-જોરાવરનગરના રાજેશભાઇ કંસારાનું અવસાન

વઢવાણ : જોરાવરનગર ખાતે તાંબા પિતળના બેડાનું ઘડાઇ કામ કરતા રાજેશભાઇ નટવરલાલ કંસારાનું ટુંકી માંદગી બાદ અવસાન થયેલ છે. રાજેશભાઇ મહાકાળી ગેસ સર્વિસનું પણ કામ કરતા હતા. તા.૧૮/૯/૧૯ ના રોજ એમની સ્મશાન યાત્રા એમના નિવાસ સ્થાન ખાતેથી નિકળેલ જેમાં જોરાવરનગરના સમસ્ત જ્ઞાતિજનો જોડાયા હતા.

આજે ગુરૂવારે જોરાવરનગર બાલકૃષ્ણ કંસારા જ્ઞાતીની વાડી ખાતે સાંજના ૪ થી ૬ બેસણું રાખેલ છે. તેમના બહોળા પરિવારમાં માતુશ્રી  મધુબા, તેમજ પત્ની ભાવનાબેન, પુત્ર મયુર, બે પુત્રીઓ તેમજ ભાઇ લલીતભાઇ, ભાભી ભાવનાબેન, ભત્રિજો અંકિત, ભત્રીજી સહિતના બહોળા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

અવસાન નોંધ

રાજકોટ નાગરીક સહકારીના જગદીશભાઈ દવેના પિતાશ્રીનું અવસાન : ઉઠમણુ - બેસણું

રાજકોટ : ચા.મ. મોઢ બ્રાહ્મણ મુળ હડાળા હાલ રાજકોટ ભાઈશંકરભાઈ છબીલભાઈ દવે (ઉ.વ.૮૩), તે ગુણવંતભાઈ (જામનગર), હેમશંકરભાઈ, જયસુખભાઈ, પ્રભાબેન વસંતરાય દવેના મોટાભાઈ તથા જગદીશભાઈ (રાજકોટ નાગરીક સહકારી બેંક લી.), લીવેષભાઈ, સ્વ.જયશ્રીબેન અશોકભાઈ ભટ્ટ, મધુબેન રજનીકાંત પંડ્યા, જયોતિબેન ડાયાલાલ પંડ્યા, જાગૃતિબેન દિલીપકુમાર ભટ્ટ, સ્વ.મીનાક્ષીબેન પંડ્યાના પિતાશ્રી તથા કોમલબેન નિસર્ગભાઈના દાદા તેમજ ફુલશંકર પ્રભાશંકર ત્રિવેદી (ફલ્લા)ના જમાઈનું તા.૧૮ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ઉઠમણું/ બેસણુ તા. ૨૦ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર, ટાગોર નગર મેઈન રોડ, સૌરાષ્ટ્ર હાઈસ્કુલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

નંદુબેન પાદરિયા

ગોંડલ : નંદુબેન કડવાભાઇ પાદરીયા (ઉ.વ.૯ર) તે સ્વ. અનિલભાઇ, સુરેશભાઇ, મંજુલાબેન, ભાવનાબેનના માતુશ્રી તેમજ યશ, પ્રિયક, નેહલના મોટા દાદીનું તા. ૧૬ના અવસાન થયું છે. બેસણું તા. ર૦ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ભવનાથ-૧, શેરી નં. ૬, ગોંડલ રાખેલ છે.

મથુરભાઇ પોપટભાઇ મારૂ

ગોંડલ : કોડવાવ નિવાસી હાલ ગોંડલ શ્રી રાજેન્દ્રભાઇ,મનોજભાઇ, નિલેશભાઇ મારૂના પિતાશ્રી મથુરભાઇ પોપટભાઇ મારૂ (ઉ.વ.૮૦) નું અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૯ ગુરૂવારના રોજ બપોરે ૨ થી પ કલાકે વાણંદ સમાજની વાડી, પુનીતનગર મેઇન રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

મુળીબેન મોરી

રાજકોટ : ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટના કર્મચારી મેરામણભાઇ મોરી (રબારી)ના માતુશ્રી મુળીબેન મુરૂભાઇ મોરી (ઉ.વ.૮૯)નું તા.૧૮ ના રોજ અવસાન થયેલ છે. તા.૨૭ ના શુક્રવારે ઉતરક્રિયા ભોમેશ્વર પ્લોટ શેરી નં.૫ી.ડબલ્યુ.ડી. ના કવાટર નંબર-૧, પોરબંદર ખાતે રાખેલ છે.

હિરાબેન જોષી

રાજકોટઃ મોરબીઃ મચ્છુ કાઠિયા મોઢબ્રાહ્મણ સ્વ.જયસુખલાલ નાનાલાલ જોષીના ધર્મપત્ની ગં. સ્વ. હિરાબેન જયસુખલાલ જોષી (ઉ.વ.૮ર) તે તુલસી ગૃપ મોરબીના પુષ્કરભાઇ અને યોગેશભાઇના માતુશ્રી તથા અમીત, પ્રતિક, પ્રસિધ્ધના દાદીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯મીએ સાંજે ૪ થી ૬ એ. કે. કોમ્યુનીટી હોલ, ન્યુ. ગુ. હા. બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

ભાવનાબેન ખિરૈયા

વાંકાનેરઃ સ્વ.રમણીકલાલ ત્રીભોવનદાસ ખિરૈયાના પુત્રવધુ ભાવનાબેન (ઉ.વ.પર) તે અશોકભાઇના પત્ની તથા સ્વ.શીવાભાઇ અને કાનાના માતુશ્રી તેમજ રાજુભાઇના નાનાભાઇના પત્ની તથા કમલેશભાઇ, જયેશભાઇ, નિતીનભાઇના ભાભી તેમજ બાબુભાઇ નારણદાસ જસાણી (જસદણ) વાળાના દિકરી અને ભીખુભાઇના બહેનનું તા.૧૬ના અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.ર૦ને શુક્રવારે સાંજે પ-૦૦ વાગ્યે શ્રી લોહાણા મહાજનવાડી, દિવાનપરા, વાંકાનેર રાખેલ છે.

મંછાબેન સાદરાણી

વીરપુર (જલારામ) : વીરપુર (જલારામ)ના સ્વ. કાંતિલાલ નાનાલાલ સાદરાણી (નાની મોણપરી વાળા)ના પત્ની ગં.સ્વ. મંછાબેન (ઉ.વ.૮પ) તે સ્વ. ગુણવંતભાઇ, રસિકભાઇ, ઘનશ્યામભાઇ, જનકભાઇ સાદરાણી તથા મધુબેન પ્રતાપરાય નથવાણીના માતુશ્રી તા. ૧૭ના રોજ વીરપુર (જલારામ)માં અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું ૧૯ના રોજ લોહાણા મહાજન વાડી વીરપુર સાંજના ૪થી ૬ રાખેલ છે.

નારાયણભાઇ દાવડા

ધોરાજી : ભાયાવદર નિવાસી સ્વ. કેશવલાલ મોહનલાલ દાવડાના પુત્ર નારાયણભાઇ દાવડા (ઉ.વ.પપ) તે જયેશભાઇ દાવડા એલઆઇસી ઓફીસર-ધોરાજી, તેમજ મહેશભાઇ તથા રંજનબેનના ભાઇ તેમજ નાનાલાલ ઉનડકટના જમાઇનું તા. ૧પના રોજ પુના મુકામે અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ર૦ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી પ, લોહાણા મહાજન વાડી ભાયાવદર ખાતે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

લીલાવંતીબેના કરેલીયા

ગોંડલ : સ્વ. નટવરલાલ ગીરધરલાલ કરેલિયાના ધર્મ પત્ની સ્વ. લીલાવંતીબેન, તે મુકુંદભાઇ, કિશોરભાઇ, રમેશભાઇ, જેન્તીભાઇ, દિલીપભાઇ ના માતુશ્રી તથા સ્વ. ધરમશીભાઇ રામજીભાઇ પિત્રોડાની દીકરીનું તા. ૧૬ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ૨૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ લુહારની જ્ઞાતીની વાડી, ૧૫ સ્ટેશન પ્લોટ, ગોંડલ રાખેલ છે.

હર્ષદરાય જાની

ગોંડલ : હર્ષદરાય પ્રભાશંકર જાની (જાની સ્ટુડીઓ વાળા) તે આશિષ ના પિતાશ્રીનું તા. ૧૭ ને મંગળવારના અવસાન થયેલ છે.તેમનું ઉઠમણું તા. ૨૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર., કોલેજ ચોક પાસે, પંચનાથ પ્લોટ, ગોંડલ મુકામે રાખેલ છે.

રસીલાબેન પારેખ

જેતપુર : દશા મોઢ માંડલીયા વણીક સ્વ. રમેશચંદ્ર રણછોડદાસ પારેખના  ધર્મ પત્ની રસીલાબેન (ઉ.વ.૭૫) તે રાજુભાઇ, રાકેશભાઇ, વિનોદભાઇ ના માતુશ્રી તથા સ્વ. મનસુખભાઇના લઘબંધુના ધર્મ પત્ની  તેમજ બાલકૃષ્ણભાઇ, નીરંજનભાઇ ના ભાભી તા. ૧૭ ના રોજ અવસાન થયેલ છે. તેનું બેસણું તા. ૧૯ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી૧૧ જૈન દેરાસર વાડી, ઉજ્જડવા મંગલ મહાદેવની બાજુમાં જેતપુર ખાતે રાખેલ છે

મહેશકુમાર પંડિત

જેતપુર : ઓૈદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મહેશકુમાર મુળશંકર પંડિત (ઉ.વ.૭૮) તે અતુલભાઇ, પિયુષભાઇ ના પિતાશ્રી, ચંપકભાઇ (ગોંડલ), કિશોરભાઇ, ભરતભાઇ (ગોંડલ) ના વડીલ બંધુ તા. ૧૮ ના અવસાન પામેલ છે. તેનું બેસણું તા. ૨૦ શુક્રવાર ના બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ચાંપરાજપુર રેલ્વે સ્ટેશન ખાતે રાખેલ છે.

અશોકભાઇ દવે

ભાવનગરઃ મચ્છુ કઠીયા મૌઢ બ્રાહ્મણ રાજકોટના અશોકભાઇ નૌતમલાલ દવે (ઉ.વ.૭૧) તે ગીતાબહેનના પતિ જય દવે અને શ્રીમતી નેહાબહેનના પિતાશ્રી ગંગા સ્વરૂપ કપીલાબહેન એન. મહેતા, જયોતીબહેન આર. કોઠારી (મુંબઇ) તેમજ રાજકોટ પી.ડી.એમ. કોલેજના નિવૃત પ્રો. ધ્રુવકુમાર એન. દવેના નાનાભાઇ અને ધોરાજીના નર્મદાશંકર કેશવજી ત્રીવેદીના જમાઇ, દીનેશભાઇ, અનીલભાઇ, ભાસ્કરભાઇના બનેવી તેમજ પ્રણવ ડી. દવેના કાકા અને જયેન્દ્રકુમાર જે. ધાણકના સસરા તા. ૧૮-૯-ર૦૧૯ના રોજ કૈલાસવાસી થયા છે. પ્રાર્થના સભા તા. ર૧ને શનિવારે સાંજે ૪ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ મુળ મોટી ખાખરી હાલ રાજકોટ સ્વ.જાડેજા જામભા જીવુભાના પુત્ર રાજેન્દ્રસિંહ તે જીતેન્દ્રસિંહ તથા જયપાલસિંહનાં પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૧૮ના બુધવારનાં રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ના શુક્રવારના સાંજના ૪ થી ૬, ઉત્તરક્રિયા તા.૨૮ના શનિવારના રોજ નિવાસસ્થાન આનંદનગર કોલોની, કાળા પથ્થરના કવાર્ટર કવા.નં.૮૪, શુભમ સ્કુલની પાસે- રાજકોટ ખાતે રાખેલ છે.