Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019
એએનઆઈ ન્યુઝના કેમરામેન અશોક સોલંકીના માતુશ્રીનું અવસાનઃ કાલે પ્રાર્થના સભા

રાજકોટઃ મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ.નૂતનબેન જયંતીલાલ સોલંકીઝવાણંદ ) તે સ્વ, જયંતીલાલ ચુનીલાલ સોલંકીના ધર્મપત્ની, વિનય, અશોક (એએનઆઈ ન્યૂઝ ) , રવિન તથા મીરા ધર્મેશ કારેલીયાના માતુશ્રી , તેમજ સ્વં.કિશોરભાઈ, સ્વ,જીતેન્દ્રભાઈ, સ્વ.કિરીટભાઈ, ભુપેન્દ્રભાઈના ભાભી , સ્વ.મનસુખભાઇ જીવરાજભાઈ ભટ્ટી જામનગરવાળા ના પુત્રી તા.૧૮ ના રોજ ગુરૂવારે સાંજના શ્રીજી ચરણ પામ્યા છે , સદ્દગતનું બેસણું  કાલે તા.૨૦ના રોજ શનિવારે સાંજે ૫ વાગ્યાથી સાંજે ૬:૩૦ કલાક સુધી વાણંદ સમાજની વળી, લક્ષ્મીનગર શેરી નંબર ૨ , ભકિતનગર સ્ટેશન પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

દિપકભાઇ ગજજર

રાજકોટઃ ગુર્જર સુતાર અરવિંદભાઇ દામજીભાઇ વઘાડીયા (ઉ.વ.૬૯) તે રાજેષ તથા કેયુરના પિતાશ્રી તા.૧૮ના રામચરણ પામેલ છે. સોમવારે સાંજે ૪ થી ૬ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતીલાલભાઇ શેઠ

રાજકોટઃ સ્વ.પ્રભુલાલ જેઠાલાલ પટેલ (પડધરીવાળા)ના જમાઇ કાંતીલાલ ગુલાબચંદ શેઠ (ઉ.વ.૭પ) (હાલ હૈદ્રાબાદ), તે સ્વ.નવીનભાઇ, સુભાષભાઇ, સતીશભાઇ તથા મુકેશભાઇનાં બનેવી તા.૧૬ના અરિહંતશરણ પામેલ છે. તેમની સાદડી શનિવાર તા.ર૦ના સવારે ૧૦ થી ૧ર, સ્વ.નવીનભાઇના ઘરે, 'સમકિત' ર,મોહનનગર બંધ શેરી ન્યુ એરા સ્કુલ સામે, લીંબુડી વાડી રોડ ખાતે રાખેલ છે.

રમીલાબેન પારેખ

મોટી કુંકાવાવઃ દશા સોરઠીયા વણિક સ્વ.ચંદુલાલ રાઘવજીભાઇ વિરાણી, સ્વ.અનિલચંદ્ર રાઘવજીભાઇ વિરાણી તેમજ  શાંતિલાલ રઘવજીભાઇ વિરાણીના બહેન ઉપલેટા નિવાસી રમીલાબેન સુરેશભાઇ પારેખ (ઉ.વ.૬૮) તા.૧૭ના અવસાન થયેલ છે. તેમની સાદડી તા.ર૦ શનિવારે મોટી કુંકાવાવ ખાતે નિવાસ સ્થાને સાંજના ૪ થી ૬ રાખેલ છે.

નિતીનભાઇ ચરાડવા

જૂનાગઢઃ નીતીનભાઇ પ્રભુદાસભાઇ ચરાડવા  (ઉ.વ.૫૧) તે ભરતભાઇ તથા પ્રફુલભાઇ ચરાડવા ના નાનાભાઇ અને અંકુરના પિતાશ્રીનું તા. ૧૮ને ગુરૂવારે અવશાન થયેલ છે.બેસણું તા. ૧૯ને શુક્રવારે તેઓના નિવાસ સ્થાન અમર જ્યોત એપાર્ટમેન્ટ, નાગર રોડ, ગણેશ ફળિયા પાસે સાંજે ૫ થી ૬ કલાક રાખેલ છે.

ધનલક્ષ્મીબેન કોટેચા

ઉનાઃ ધનલક્ષ્મીબેન તે ગૌ.વા. લક્ષ્મીદાસ કોટેચાના ધર્મપત્ની તથા અશોકભાઈ, મનીષભાઈ, રાકેશભાઈના માતુશ્રીનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે.