Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020
ઉના તાલુકા ગરાસીયા રાજપૂત સમાજના પ્રમુખ પ્રવિણસિંહનું અવસાન

ઉના તા. ૧૯: ઉના તાલુકા ગરાસિયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ સરપંચ તથા સહકારી અગ્રણી રાજપૂત રાજપરા નિવાસી પ્રવિણસિંહ રામસિંહ રાઠોડ (ઉ. ૭૦) નું તા. ૧૮મીએ અવસાન થયું છે. અંતિમ યાત્રામાં તાલુકાના આગેવાનો સહિત લોકો જોડાઇને સદ્દગતને અંજલી અર્પી હતી.

અવસાન નોંધ

કોર્પોરેટર રૂપાબેન શીલુના સાસુમા પૂનબાઈબેનનું દુઃખદ અવસાન

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ મૂળ પાળીયાદ હાલ રાજકોટ નિવાસી પુનબાઈબેન દેવશંકરભાઈ શીલુ (ઉ.વ.૯૦) તે ભવસુખભાઈ શીલુ (જામનગર), હસમુખભાઈ શીલુ, ડો.નવલકુમાર શીલુ (રાજકોટ), પદ્માબેન ચંદ્રકાંતભાઈ રવિયા, લતાબેન શીલુ તથા મીનાબેન રમેશકુમાર વેગડાના માતુશ્રી તથા જયોતિબેન શીલુ અને વોર્ડ નં.૯ના કોર્પોરેટર રૂપાબેન શીલુના સાસુમાંનું તા.૧૯ મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને લઈ સ્નેહીજનોએ ટેલીફોનીક સાંત્વના માટે ભવસુખભાઈ મો.૯૪૨૬૨ ૫૭૨૯૬, હસમુખભાઈ મો.૯૪૦૮૬ ૬૪૭૫૦, ડો.એન.ડી.શીલુ મો.૯૮૨૫૨ ૮૯૬૩૯, રૂપાબેન શીલુ મો.૯૪૨૭૨ ૫૩૪૫૩

અંબાબેન લીંબાણી

મોવિયા : અંબાબેન હંસરાજભાઈ લીંબાણી (ઉ.વ. ૭૯) તે હંસરાજભાઈ લીંબાણી (નિવૃત આચાર્ય મોવિયા તાલુકા શાળા) ના પત્ની, રજનીકાંતભાઈ (ટેલિફોન એકસચેન્જ ગોંડલ) તથા દિનેશભાઇના માતા નું તા. ૧૭ ના અવસાન થયું છે.

જીતુભાઇ બામટા

બગસરા : નટવરનગર નિવાસી રાજગોર બ્રાહ્મણ સ્વ.ભવાનીશંકર ગિરધરભાઈ બામટાના પુત્ર જીતુભાઈ (ઉં.વ.૭૨) તે હર્ષદભાઈ તથા રાજુભાઇ(પત્રકાર)ના ભાઈ તેમજ તેજસભાઈ તથા ભાવિતાબેનના પિતાનું તેમજ હિતેશભાઈ, રામભાઈના કાકા તથા હાર્દિકભાઈ (સદગુરુ ન્યુઝ એજન્સી બગસરા)ના મોટા બાપુજી નું તારીખ ૧૮ ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ બેસણું રાખેલ નથી.

રસીલાબેન ચાવડા

રાજકોટઃ રાજકોટ નિવાસી ગુ. ક્ષ. કડિયા અ.નિ. રસીલાબેન જગદીશભાઇ ચાવડા તે જગદીશભાઇ રણછોડભાઇના પત્ની, પરેશભાઇનાં માતુશ્રી તથા અરવિંદભાઇ અને અંકિતભાઇનાં સાસુ તથા દિનેશભાઇનાં બહેન તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા.ર૧ને ગુરૂવારનાં ૪ થી ૬ રાખેલ છે.

વિનોદભાઈ દવે

રાજકોટઃ મૂળ જલાલપુર માંડવા હાલ બરોડા સ્થિત સ્વ.ઈશ્વરલાલ નરભેરામ દવેના પુત્ર વિનોદભાઈ દવે તે સ્વ.રમણીકભાઈ, સ્વ.દીલીપભાઈ, સ્વ.નવલભાઈ તથા બિપીનભાઈ, પ્રકાશભાઈ, અનીલભાઈ, સ્વ.શોભનાબેન મહેતા, મંજુબેન મહેતા, બિંદુબેન વ્યાસ, શીલાબેન દવે તથા ઈલાબેન પાઠકના મોટાભાઈ તથા રક્ષિત દવે, હિરલબેન અધ્વર્યુના પિતાશ્રીનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હીરાબેન ગોહેલ

રાજકોટઃ વાણંદ હીરાબેન દેવકરણભાઈ ગોહેલ(ઉ.વ.૭૦) તે સ્વ.દેવકરણભાઈ પ્રેમજીભાઈ ગોહેલ ના ધર્મ પત્ની તથા હસુભાઈ, રાજુભાઈ, મિતેશભાઇ, માતૃશ્રી તે જામનગર નિવાસી બટુકભાઈ ઠાકરશીભાઈ નવલભાઇ ઝાલાના બેન તથા જયેન્દ્રભાઈ વાલજીભાઈ ગોંડલીયાના સાસુનું આજરોજ તા.૧૮નાં અવસાન થયેલ છે. સમય અને સંજોગો વસાદ સદ્ગતનું બેસણું રાખેલ નથી.હસુભાઈ- ૯૯૨૪૪૨૫૯૪૪, રાજુભાઈ- ૭૦૪૩૩૨૧૨૭૫, મિતેશભાઇ- ૯૭૧૪૨૦૧૧૪૨.

કંચનબેન સુરેલીયા

રાજકોટઃ ગુર્જર સુતાર ભીખાલાલ મોહનભાઇ સુરેલીયાના ધર્મપત્નિ કંચનબેન (ઉ.વ.૬૦) તે હિતેષભાઇ તથા ભકિતબેન જયેશકુમાર વિશરોલીયાનાં માતુશ્રીનું તા.૧૮ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું તથા લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

ઘનશ્યામસિંહ પરમાર

રાજકોટઃ ઘનશ્યામસિંહ છનુભા પરમાર (મુળી) (૩-લક્ષ્મીવાડી, રાજકોટ) તે નવુભા તથા દશરથસિંહના ભાઇ, ધર્મેન્દ્રસિંહ તથા કુલદીપસિંહના પિતાશ્રીનું તા.૧૮ને સોમવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  લૌકીક ક્રિયા તથા બેસણું તા.૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૮૨ ૨૭૭૦૮, ૯૨૨૭૫ ૯૩૧૬૧

જયંતભાઇ રાઠોડ

રાજકોટઃ જયંતભાઇ વેલજીભાઇ રાઠોડ (ભીલ) (ઉ.વ.૭૨) તે જયેશભાઇ (જીલ્લા પંચાયત) ના પિતાનું તા.૧૫ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

મધુબેન વોરા

રાજકોટઃ માંડલ નિવાસી હાલ અમદાવાદ અ.સૌ. મધુબેન (ઉ.વ.૮૫) તે બિમલ (કેનેડા) જયેષ (યુ.એસ.એ)ના માતુશ્રી તે સ્વ. મણિલાલ અભેચંદ મણિઆરના પુત્રી તે સ્વ. શાંતિલાલ, સ્વ. જયંતિબેન તથા સ્વ. બળવંતરાય, સ્વ. કમળાબેન, સ્વ. વિદ્યાબેન તથા વસુબેનના બહેન તા.૧૬ને શનિવારના અમદાવાદ મુકામે અરિહંત શરણ પામેલ છે. પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી લૌકીક વ્યવહાર રાખેલ નથી.

વિનુભાઇ દવે

રાજકોટઃ વિનુભાઇ ઇશ્વરલાલ દવે (હાલ વડોદર) તે રક્ષિત દવે તથા હેતલબેનના પિતાશ્રી અને રમણિકભાઇ, દિલીપભાઇ તથા પ્રકાશભાઇ તેમજ અનિલભાઇના ભાઇનું ૧૭/૫ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું હાલની કોરોનાની પરિસ્થિતિને કારણે બંધ રખાયું છે. ટેલિફોનીક બેસણા માટે મો. ૯૩૭૬૭ ૩૩૩૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શિલ્પાબેન બગડાઈ

રાજકોટઃ શિલ્પાબેન યશવંતભાઈ બગડાઈ (ઉ.વ.૫૨) તે હરજીવનભાઈ જસરાજભાઈના પુત્રવધુ તેમજ યશવંતભાઈના ધર્મપત્ની તેમજ મેંદરડા નિવાસી વલ્લભદાસ પોપટલાલ ચાંદ્રાણી દીકરી તેમજ પ્રફુલભાઈ અને હરેશભાઈના બહેનનું તા.૧૭ના રવિવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ અન્ય વિધિ- વિધાન બંધ રાખી ટેલીફોનીક ઉઠમણું તા.૨૧ના રાખેલ છે. હરેશભાઈ ચાંદ્રાણી મો.૯૮૭૯૮ ૮૦૯૦૪, પ્રફુલભાઈ ચાંદ્રાણી મો.૯૨૬૫૫ ૬૬૦૨૬, વિનુભાઈ બગડાઈ મો.૯૭૨૩૮ ૯૨૭૩૩

છગનભાઈ વેકરીયા

રાજકોટઃ છગનભાઈ કેશુભાઈ વેકરીયા (ઉ.વ.૬૭) તે મનસુખભાઈના મોટાભાઈ તથા પરેશભાઈ અને પંકજભાઈના પિતાશ્રીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિકવ્યવહાર હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બંધ રાખેલ છે. ટેલીફોનિક / વ્હોટસએપ દ્વારા દિલસોજી પાઠવવા મનસુખભાઈ મો.૯૮૨૪૨ ૮૮૩૧૦, પરેશભાઈ મો.૯૯૨૫૧ ૧૯૯૭૭ , જયદિપભાઈ મો.૯૪૨૮૨ ૭૧૨૮૮, પંકજભાઈ મો.૯૭૧૨૧ ૫૮૩૪૦, સિધ્ધાર્થભાઈ મો.૮૧૨૮૮ ૮૧૭૧૦નો સંપર્ક કરી શકાશે.

દક્ષાબેન શાહ

રાજકોટઃ ઉના નિવાસી હાલ રાજકોટ મોઢવણિક સ્વ. દક્ષાબેન ચંદ્રકાંત શાહ (ઉ. ૬૬) તે ચંદ્રકાંત શાહ (દેના બેંક) ના પત્ની તથા ચેતન શાહ (વર્ટેક્ષ) રાજકોટ, નિલેશ શાહ (ડુડલ એન્ડ હબ) અમદાવાદ તથા અમી જય મજમુદાર (મુંબઇ)ના માતુશ્રી તા. ૧૯નાં શ્રીજીચરણ પામેલ છે. કોરોના મહામારીને હિસાબે તમામ લૌકિક ક્રિયા મોકુફ રાખેલ છે.