Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018
અવસાન નોંધ

જુનાગઢ માનસ વિદ્યાલયના આયાર્ય ત્રિલોકભાઇ ના કાકાનું અવસાન

જુનાગઢ : શ્રીનાથ નગર માનસ વિદ્યાલયના આચાર્ય ત્રિલોકભાઇ ગોહિલના કાકા અને મહુવાના સ્વ. ભાણજીભાઇ માસ્તરના પુત્ર મગનભાઇ બી. (ઉ.વ. ૯૦) તે સ્વ. ડો.હિમતભાઇ, સ્વ મોહનભાઇ (ભાવનગર) સ્વ.ડો. હરીભાઇ (જુનાગઢ) બી. ગોહિલના લઘુબંધુ તથા ચેતના (ભાવનગર) પ્રોફે. વિજય (ગોંડલ), રાજેન્દ્ર (રાજકોટ), નિલેષ (ઓસ્ટ્રેલીયા) ના પિતા તેમજ ડો. ગોવિંદભાઇ મકવાણા (ભાવનગર) ના સસરા તા. ૧૫ ના રોજ અવસાન થયેલ છે. લોૈકિક ક્રિયા રાખેલ નથી.

સદ્ગુરૂ પરિવારના સ્વ. પ્રાગજીકાકા પોપટના ધર્મપત્નીનો દેહવિલય

રાજકોટ : શ્રી રણછોડદાસજી બાપુનાં પરમ ભકત સ્વ. પ્રાગજીભાઇ અમરશીભાઇ પોપટનાં ધર્મપત્ની ગં.સ્વ.  મંજુલાબેન (ઉ.વ.૮૮) તે નેણશીભાઇ  અમરશીભાઇ કોટકનાં દિકરી તેમજ અમૃતભાઇ, આશુતોષભાઇ, બિપીનભાઇ, કુબેરભાઇ, ઉષાબેન અને અચલાબેનનાં માતૃશ્રી તેમજ યોગેશ, ચેતન, કિશન, સાગર અને નીતિનના દાદીમાનું આજ તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ર૧ સોમવારે સાંજે પ થી પ.૩૦ પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ ખાતે રાખેલ છે.

ધીરૂભાઇ રાજાણીનું દુઃખદ અવસાનઃ આજે બેસણું

 રાજકોટઃ ધીરૂભાઇ પ્રભુદાસ રાજાણી (જય બાલાજી) તે સ્વ. ચંદુભાઇ સ્વ  મુંકુદભાઇ, સુભાષભાઇના મોટાભાઇ તથા મમતાબેનના બાપુજીનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું આજે તા.૧૯ને શનિવારે વિશ્વેશ્વર મંદીર મવડી રોડ ખાતે સાંજે ૫:૩૦ વાગે રાખેલ છે.

 રમાબેન વાઢેર

 રાજકોટઃ મુળ ગામ રાજકોટના રહીશ ગુર્જર ક્ષત્રિય કડીયા રમાબેન રતિલાલ વાઢેર (ઉ.વ.૭૮) તે અ.નીકોન્ટ્રાકટર રતિલાલ હરીલાલ વાઢેરના ધર્મપત્નિ તથા પ્રવીણભાઇ, દિલીપભાઇ (કોન્ટ્રાકટર) જગદીશભાઇ, અશોકભાઇ (બી.એ.પી.એસ કાર્યકર) અને કિરીટભાઇના માતુશ્રીનો ૧૭ના રોજ અક્ષરવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું - પ્રાર્થના સભા તા.૨૧ને સોમવારે સાંજે ૫ થી ૭ દરમિયાન એવરેસ્ટ પાર્ક પાછળ, મીરાંમાધવ એપાર્ટમેંટ સામેની શેરી સરકારી સ્કુલની સામે મોટામૌવા ગામ પાછળ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

ગોપાલભાઇ નળિયાપરા

રાજકોટઃ મુ. લાલપુર હાલ રાજકોટ શ્રી ગોપાલભાઇ દામજીભાઇ નળીયાપરા (ઉ.વ.૭૯) તે હરેશભાઇ, ધીરજભાઇ, રાજેશભાઇના પિતાશ્રી તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૧ના સોમવારે સાંજે ૫ થી ૭ સુધી દર બજરંગવાડી વરિયા વૈશ્નવ પ્રજાપતિની વાડીમાં રાખેલ છે.

 ડો. પ્રવિણચંદ્ર ઠાકર

 રાજકોટઃ ડો. પ્રવિણચંદ્ર મણીશંકર ઠાકર (ઉ.વ.૬૮) મુળ સમઢીયાળા ગીર હાલ રાજકોટ તે દિવ્યાબેન , નિલેષભાઇ (પટેલ વીડીયો વીઝનવાળા) રજનીબેનના પિતાશ્રી રેખાબેન ઠાકર (નાગરીક બેંક) ના સસરાનું તા.૧૯ના શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા.૨૧ના સોમવારના રોજ ભીડભજંન મહાદેવ મંદીર પરસાણાનગર શેરી નં .૭ના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

વલુમા રાદડીયા

વાડિયા : ઢુંઢીયા પીપળીયા નિવાસી વલુમા બચુભાઇ રાદડીયા (ઉ.વ.૮૮) તે રવજીભાઇ, મનસુખભાઇ અને (સા.કુંડલા એસ.ટી. કંટ્રોલ) જેન્તીભાઇ, તેમજ સ્વ. વિનુભાઇના માતાનું તા ૧૬ ના રોજ અવસાન થયેલ છે   દશા તા. ૨૩ મી એ બુધવારે તેમજ ઉતરક્રિયા પાણી ઢોળ તા. ૨૪ ને ગુરૂવારેે રાખેલ છે.

ચિનુભાઇ ચગ

જામનગર : સ્વ. શ્રી નારણદાસ કસનજીભાઇ ચગના જયેષ્ઠ પુત્ર ચિનુભાઇ એન. ચગ (ઉ.વ.૯૦) તે પંકજભાઇ, ડો. મિલનભાઇ તથા ડો. સંજીવભાઇના પિતાશ્રી તેમજ વસંતરાય, ગોપાલદાસ, ડો. ગુણવંતભાઇ તથા ધીરેન્દ્રભાઇના જયેષ્ઠ બંધુ તથા શ્રી જગજીવનભાઇ નારણદાસ સોનપાલ કલકતાવાળાના જમાઇ, અમદાવાદ મુકામે તા. ૧૮ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું ભાઇઓ તથા બહેનો માટે જામનગર મુકામે તા. ર૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૪-૩૦ પાબારી હોલ, તળાવની પાળે રાખેલ છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છે.

 મહેશભાઇ જોષી

રાજકોટઃ ઓૈદિચ્ય ખરેડી બ્રાહ્મણ ગં.સ્વ. પુષ્પાબેન જોષીના પુત્ર મહેશભાઇ ઉમિયાશંકર જોષી (ઉ.વ.૬૨) જે જયદિપ, ધર્મેશભાઇ, શ્વેતાબેનનાં પિતા તેમજ મિહિરભાઇ ઓઝાનાં સસરા તેમજ શોભનાબેન, કલ્પનાબેન, હર્ષિદાબેનનાં ભાઇનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૧ના રોજ તેમના નિવાસ આદિનાથ એપાર્ટમેન્ટ-૨, ફલેટ નં.૫૦૨, પટેલ ચોક, નાગેશ્વર મંદીર પાસે, જામનગર રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

અનંતરાય વાઘેલા

રાજુલાઃ મચ્છુ કડિયા સઇ સુતાર સમાજના અગ્રણી  એકસ મીલ્ટ્રીમેન અનંતરાય ચકુભાઇ વાઘેલા (ઉ.વ.૭૬) તે સ્વ.રોહીતભાઇ તથા સંજયભાઇના પિતાશ્રી તથા ભગીરથ વાઘેલાના દાદા તેમજ ધીરૂભાઇ, રસીકભાઇના મોટાભાઇનું તા.૧૮ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.ર૧ સોમવારે જૈન દેરાસર હોલ બસ સ્ટેન્ડ પાસે ૪ થી ૬ રાજુલા ખાતે રાખેલ છે.

છબીબેન ગૌસ્વામી

ટંકારાઃ છબીબેન હિરાગીરી ગોસ્વામી (ઉ.વ.૭પ) તે દેવગીરી (ગુંગણ) મુકેશગીરી (ટ્રાન્સપોર્ટ વાળા), બળવંતગીરીના માતુશ્રી તથા મનિષ ગોસાઇના દાદીમાંનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને સોમવારે સાંજે પ થી ૭ તેમના નિવાસ સ્થાન ટામ ટંકારા ખાતે રાખેલ છે. સદ્દગતનું શકિતપુજન તા.ર૮ને સોમવારે ઉપરોકત તેના ગામ ખાનપર ખાતે રાખેલ છે.

ભરતભાઇ દતા

જુનાગઢઃ ભરતભાઇ પરસોતમભાઇ દતા (ઉ.વ.પ૮) તે વિનોદરાય ગોરધનદાસ દતાના કાકાના દિકરાનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. તેમની સાદડી તા.૧૯ના શનિવારે ૪ થી ૬, નટરાજ એપાર્ટમેન્ટ, રાધા કૃપા, બ્લોક નં.ર૦૪ ગિરીરાજ મેઇન રોડ બસ સ્ટેન્ડ પાછળ (નિવાસ સ્થાને) રાખેલ છે.

મીલનભાઇ બગથરીયા

રાજકોટઃ વાણંદ મીલનભાઇ જગજીવનભાઇ બથગરીયા (ઉ.વ.પ૩) પોરબંદર વાળા હાલ રાજકોટનું તા.૧૮ના અવસાન થયેલ છે. તે જગજીવનભાઇ વાલજીભાઇના પુત્ર તથા નિલેશભાઇ જગજીવનભાઇ બગથરીયાના મોટાભાઇ તથા અજયભાઇ તથા જયદીપભાઇના પિતાશ્રી તથા અક્ષયભાઇ નિલેશભાઇના મોટાબાપુ તથા જામનગર વાળા ધીરજભાઇ લાલજીભાઇ ઝાલાના મોટા જમાઇનું બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪ થી ૬, કોઠારીયા રોડ રણુજા મંદીર પાછળ સોમનાથ પાર્ક શેરી - ૩ ખાતે રાખેલ છે.

રજનીબેન સંઘવી

રાજકોટઃ જયોતિન્દ્ર લક્ષ્મીચંદ સંઘવી (નિવૃત સેલ્સટેક્ષ અધિકારી)ના ધર્મપત્ની રજનીબેન (રમાબેન) (ઉ.વ.૭ર) તે અંકુર સંઘવી અને અર્પિતા પરેશકુમાર શાપરીયાના માતુશ્રી તે વિનોદભાઇ લક્ષ્મીચંદ સંઘવીના લધુબંધુના પત્ની તે સ્વ.મોહનલાલ ભગવાનલાલ કામદાર (ગોંડલ વાળા)ના પુત્રી તે નિશીબેન અને પરેશકુમાર શાપરીયાના સાસુ તે મોક્ષ અને ભવ્યાના દાદીશ્રી તા.૧૮ના અરિહંત શરણ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું સવારે ૧૦ કલાકે અને પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ કલાકે તા.ર૧ સોમવારના જૈન ભૂવન ર૧ ન્યુ જાગનાથ પ્લોટ ભાગ્યવંતાબાઇ મ. ચોક ખાતે રાખેલ છે.

જગદીશભાઈ ભટ્ટ

મોરબીઃ જગદીશભાઈ દલપતરામભાઈ ભટ્ટ તે હર્ષદભાઈ અને સરોજબેનના ભાઈ તેમજ મિલનના કાકા તથા સંદીપના મામાનું તા. ૧૭ના રોજ અવસાન થયું છે. બેસણુ તથા પિયર પક્ષનું બેસણુ તા. ૨૧ને સોમવારે સાંજે ૫ થી ૬ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

સંગીતાબેન વનરા

ઉના :.. સંગીતાબેન ગીરીશભાઇ વનરા (ઉ.૪૦) તે કિશોરભાઇ વનરાના ભાભી તેમજ કિશોરભાઇ, હસુભાઇ, રાજુભાઇના બહેનનું તા. ૧૭ ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ ને શનીવારે તેમના નિવાસ સ્થાને ૪ થી ૬, રાખેલ છે. દેલવાડા રોડ નવ હજાર હુડકો સોસાયટી, વિદ્યાનગર, ઉના રાખેલ છે.

પ્રતિકકુમાર ઉનડકટ

ઉના :. પ્રતિકકુમાર અશોકભાઇ ઉનડકટ (ધાવાગીરવાળા) તે બાબુભાઇ સીદીભાઇ ગંગદેવ ત્થા રમેશભાઇ, બીપીનભાઇ (કાણકીયાવાળા) ના ભાણેજનું વડોદરામાં અવસાન થયું છે. પીયર પક્ષની સાદડી તા. ૧૯ શનીવારના રોજ જલાવાડી વરસીંગપુર રોડ ઉના ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લાભુબેન હિરપરા

જુનાગઢ : મુળ વડાલ નિવાસી હાલ જુનાગઢ લાભુબેન હિરપરા ઉ.વ. ૮૦ તે સ્વ. ચીમનભાઇના પત્ની તથા મુકેશભાઇ હિરપરા (અર્જુન પેકેજીંગ) ના માતુશ્રી અને રવિ તેમજ બિરદાના દાદીનું તા ૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ને સોમવારે સવારે ૯ થી ૧૧ ભુતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ કોલેજ રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

નિતીનભાઇ જોશી

વેરાવળઃ સ્વ. દલપતભાઇ પોપટભાઇ જોશી ના પુત્ર નિતીનભાઇ ઉ.૫૪ તે કીરીટભાઇના નાનાભાઇ તથા દેવેનભાઇ ના પિતા તેમજ ધીરજલાલ નાનજીભાઇ પુરોહિત (કોડીનાર વાળા)ના જમાઇનું તા. ૧૮ ના અવસાન થયેલ છે.

હાજીયાણી મરીયમમાં

વેરાવળ ના મર્હુમ હાજી ઈસ્માઈલ અલારખા નાખવા(મૌલાના) ના પત્ની હાજીયાણી મરીયમમાં ઉ.૭ર તે હાજી ફારૂકભાઈ મૌલાના(પુર્વ પ્રમુખ ગીરસોમનાથ જીલ્લા મુસ્લીમ સમાજ), હાજીસફીભાઈ,આરીફભાઈ,રફીકભાઈ(પ્રમુખ વેરાવળ ફ્રેશ ફીશ એસો.),શાહીદભાઈ ના માતા તા.૧૭ ને ગુરૂવારે ખુદાની રહમતે પહોચી ગયેલ છે જીયારત તા.૧૯ ને શનિવારે ર થી ૩ વાગ્યે મસ્જીદે જમાલે મુસ્તફા લાબેલા પટણી સમાજ સામે રાખવામાં આવેલ છે. તથા બેસણું બપોરે ૪ થી ૬ હાજી ફારૂકભાઈ મૌલાના નિવાસ સ્થાન બહારકોટ વેરાવળ ખાતે રાખેલ છે.

ગોકળદાસ પડીયા

નવાગઢઃ બ્રહ્મક્ષત્રિય સ્વ. વશરામભાઈ ઓધવજીભાઈ પડીયા (ધુતારપુરવાળા)ના પુત્ર ગોકળદાસ વશરામભાઈ પડીયા તે દલપતભાઈ (બાબુભાઈ)ના નાના ભાઈ, તેમજ દિપકભાઈ તેમજ સંજયભાઈના પિતાશ્રી તા. ૧૯મીએ શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧મીએ સોમવારે સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. લૌકીકક્રિયા બંધ રાખેલ છે.

વિજયાબેન જીવરાજાની

 રાજકોટઃ સ્વ.શ્રી રતિલાલ વેલજીભાઇ જીવરાજાનીના પત્નિ વિજયાબેન (ઉ.વ.૮૩) તે હિતેષભાઇ અને સંજયભાઇ જીવરાજાની તથા મીનાબેન અને સોનલબેનના માતુશ્રી તથા નિતિનકુમાર જમનાદાસ સેતા અને સંજયકુમાર લક્ષ્મીદાસ તન્નાના સાસુ, તથા કેતનકુમાર સુરેશભાઇ રૂપારેલના મોટાસાસુ અને જયંતિભાઇ વેલજી જીવરાજાનીના ભાભી તથા સ્વ. બાબુલાલ શામજીભાઇ ચગ અને ચંદુલાલ શામજી ચગ, (જોડીયાવાળા)ના બહેન શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૧ને સોમવારના રોજ સાંજે ૫ થી ૫:૩૦ કલાકે શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદીર, ધરમનગર ચોક, પરફેકટ શો રૂમ વાળી શેરી ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

ગોકુળદાસભાઇ પડીયા

 રાજકોટઃ જેતપુર નિવાસી હાલ રાજકોટ બ્રહ્મક્ષત્રિય સ્વ. વશરામભાઇ ઓધવજીભાઇ પડીયા (ધુતારપુરવાળા)ના પુત્ર શ્રી ગોકળદાસભાઇ તથા વશરામભાઇ પડીયા તે દલપતભાઇ (બાબુભાઇ) ના નાનાભાઇ તે દિપકભાઇ તેમજ સંજયભાઇના પિતાશ્રી તા.૧૯ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૧ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ દરમિયાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, જેતપુર ખાતે રાખેલ છે. તેમની લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.