Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019
મધુબેન ત્રિવેદીનું અવસાનઃ શુક્રવારે મુંજકામાં બેસણુ

રાજકોટ : શ્રી મોઢચતુર્વેદી રાજગોર સમવાય બ્રાહ્મણ મુળ દામનગર નિવાસી હાલ રાજકોટ સ્વ. પોપટલાલ જગન્નાથ ત્રિવેદીના ધર્મપત્ની મધુબેન પોપટલાલ ત્રિવેદી તે હરીશભાઇ ત્રિવેદી, રાજુભાઇ, મુકેશભાઇ (ફુડ એન્ડ ડ્રગ્સ), તથા જાગૃતિબેન મહેતાના માતુશ્રીનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. બેસણુ તા. રર ના રોજ શુક્રવારે સાંજે ૪ થી ૬ રામજી મંદિર, મુંજકા (રાજકોટ) ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ઉમેશભાઈ પરમાર

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.ઉમેશભાઈ જેસંગભાઈ પરમાર (ઉ.વ.૬૦ પેઈન્ટર પરમાર), તે મયુરભાઈના પિતાશ્રી, હસમુખભાઈના મોટાભાઈનું તા.૧૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન 'રામનાથ કૃપા', બ્લોક નં.એલ-૧/૧૪, રવિપાર્ક મેઈન રોડ, રૂરલ હાઉસીંગ બોર્ડ હાઉસીંગ બોર્ડ, એ.જી. સોસાયટી પાછળ, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.

મનજીભાઇ ગોદળકા

રાજકોટઃ મૂળ સોળીયા હાલ રાજકોટ વરીયા વંશ પ્રજાપતી સ્વ. મનજીભાઇ રવજીભાઇ ગોદળકા (ઉ.વ.૭૪) તે સુરેશભાઇ, ભરતભાઇ તથા અરવિંદભાઇના પિતાનું તા.૧૮-૩ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.ર૧-૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી ચામુંડા આશીષ નહેરૂનગર શેરી નં. ૩ નાના મૌવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

શંભુભાઇ ધામેશીયા

ખડખડઃ વડીયા તાલુકાના ખડખડ ગામના વતની શંભુભાઇ નરશીભાઇ ધામેશીયા (ઉ.વ.૧૦૦) તે અશોકભાઇ દિલીપભાઇ લાઠીયાના નાનાશ્રીનું તા.૧૭-૩ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમની ઉત્તર ક્રિયા તા. ર૭-૩ અને ર૮-૩ના રોજ ખડખડ ગામે રાખેલ છે.

મંજુલાબેન ટાંક

રાજકોટઃ જયસુખભાઈ પ્રેમજીભાઈ ટાંકના ધર્મપત્ની જયસુખભાઈ ટાંક (ઉ.વ.૬૮) તે દિપકભાઈ, જાગૃતિબેન અરૂણભાઈ કડીયા, જલ્પાબેન મુકેશભાઈ ચાવડાનાં માતુશ્રી તે ઋષભનાં દાદીનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, પુનિત સોસાયટી, મેહુલનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મહેશકુમાર જોષી

રાજકોટઃ મુળ ગામ માધાપર- શામપર હાલ રાજકોટ મહેશકુમાર નવલશંકર જોષી (રેલ્વે) (ઉ.વ.૬૩) પિતાશ્રી, હસમુખભાઈ (મોરબી) તથા દિનેશભાઈ (જેતપુર)ના ભાઈ નો કૈલાસવાસ તા.૧૮ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સત્યેશ્વર મહાદેવ મંદિર, સત્યમ, શિવમ, સુંદરમ સોસાયટી, જામનગર રોડ ખાતે રાખેલ છે.(લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.)

દિનેશભાઈ માધાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રભુદાસભાઈ (બાબુભાઈ) હકમીચંદ માધાણી (શેઠ)ના પુત્ર દિનેશભાઈ પ્રભુદાસભાઈ માધાણી (શેઠ) તે ગં.સ્વ.મીનાબેનના પતિ તથા જય, ચિરાગના પિતાશ્રી તેમજ નરેશભાઈ, ભરતભાઈ, સુધીરભાઈ, પ્રફુલ્લાબેન મહેશભાઈ કોઠારી, જયશ્રીબેનના મોટાભાઈ તથા સ્વ.દિનેશભાઈ પ્રાણલાલ પારેખના જમાઈનું તા.૧૮ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે વિરાણી વાડી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઈ રાણપરા

રાજકોટઃ સોની રમેશભાઈ જયંતિલાલ રાણપરા (ઉ.વ.૬૦) તે જયંતિલાલ રાણપરા (ઉ.વ.૬૦) તે જયંતિલાલ નરશીદાસ રાણપરાના પુત્ર તેમજ રાજુભાઈ તથા અશ્વિનભાઈના મોટાભાઈ તેમજ ઘનશ્યામભાઈના પિતાજી તેમજ અમર, વૈદેહીના દાદા તથા મણીલાલ પરસોતમભાઈ આડેસરા (અળાવવાળા)ના જમાઈનું તા.૧૮ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૨૧ ગુરૂવાર બપોરે ૩:૩૦ થી ૫, સોની સમાજની વાડી, યુનિટ નં.૧, કોઠારીયા નાકા, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.(લૌકિક વ્યવહાર બંધ છે.)

લીલાવંતીબેન ગાંગડીયા

રાજકોટઃ મોઢવણીક બરવાળાવાળા, હાલ રાજકોટ સ્વ.દામોદરદાસ કેશવલાલ ગાંગડીયાના  ધર્મપત્ની લીલાવંતીબેન (ઉ.વ.૯૫) તે પ્રફુલચંદ્ર, ચંદ્રકાન્તભાઈ (સિંચાઈ) તથા હસમુખભાઈ, શૈલેષભાઈ, રાજુભાઈના માતુશ્રી તેમજ જયંતિલાલ શિવલાલ કલ્યાણી, સ્વ.વસંતરાય શિવલાલ કલ્યાણીના મામીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૨૧ગુરૂવાર સાંજે ૫ થી ૬, મોઢબોર્ડીંગ, ૫- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન ડોડીયા

રાજકોટઃ સ્વ.ચંદ્રીકાબેન જીવરાજભાઈ ડોડીયા મુળ ગારીયાધર (ચીતલ) હાલ રાજકોટ નિવસી મગનભાઈ નરશીભાઈ કારેલીયા (ચીતલ)ના દીકરી તથા સ્વ.જીવરાજભાઈ મોહનભાઈ ડોડીયાના ધર્મપત્ની અને નેહલબેનના માતાશ્રી તથા જયકીશનભાઈ ઈશ્વરલાલ ડોડીયાના સાસુ તા.૧૭ના રામચરણ પામેલ છે. બેસણું તા.૨૨ને શુક્રવાર સાંજે ૪ થી ૬ નર્મદેશ્વર મહાદેવ મંદીર ટ્રસ્ટ કડિયાનગર ગોકુલધામ પાસે, અંકુર વિદ્યાલય પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

શરદભાઇ જોશી

ઉના : અમરેલી જીલ્લાના ચલાલા ગામના ઓૈદિત્ય ઝાલાવાડી બ્રમહ્મણ  શરદભાઇ પ્રતાપભાઇ જોષી (ઉ.વ.૫૨) તે દર્પણભાઇ, રિધ્ધીબેન રોહનભાઇ જોશી (ભાવનગર), નીતીનભાઇ જોષી (રાજકોટ) ના નાનાભાઇ તથા સ્વ. જશવંતભાઇ લાભશંકર જોષી (ગીતાનગર) રાજકોટના જમાઇ તા. ૧૮ ના ચલાલા મુકામે અવસાન પામેલ છે. બંને પક્ષનું બેસણું/સાદડી તા. ૨૧ ને ગુરૂવારેસાંજે ૪ થી ૬ બ્રહ્મ સમાજની વાડી, સ્ટેશન રોડ, ચલાલા મુકામે રાખેલ છે.

નસીમબેેન શબ્બીરભાઇ

ચોટીલા : નસીમબેન (તરનીમબેન) શબ્બીરભાઇ, તેઓ  શબ્બીરભાઇ આદમઅલી તરવાડીના પત્ની, હોઝેફાભાઇ, ફરીદાબેન, ના મમ્મી, ઇસ્માઇલભાઇ જૈનુદીનભાઇના ભાભી તેમજ મુરતુઝાભાઇ કાસીમભાઇ કાચવાલા રાજકોટના સાસુ નું અવસાન થયું છે. જયાર તના સપારા તા. ૨૦ બુધવારે મગરીબની નમાજબાદ ચોટીલા મસ્જીદ ખાતે રાખેલ છે. બેસણું તા. ૧૯ મંગળવારે સાંજે ૪ થી ૬ કલાકે ગરાસીયા વાડના ખુંણા ઉપર વ્હોરા મસ્જીદ ખાતે રાખેલ છે.

ધર્મેન્દ્રભાઇ પંડિત

વાંકાનેર :  ભાવસાર કન્તિલાલ હેમંતલાલ પંડિત (ભાવસાર રેડીમેઇડવાળા) ના પુત્ર ધર્મેન્દ્રભાઇ કાન્તિલાલ પંડિત (ઉ.વ.૪૩) તા. ૧૮ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૯ ના રોજ સાંજે ૪.૦૦ થી  ૬.૦૦ કલાકે વાણંદ જ્ઞાતીની વાડી, દેનાબેંક  સામે, વાંકાનેર રાખેલ છે.

ભગવાનજીભાઇ પાણખાણીયા

ખંભાળીયા : ભગવાનજીભાઇ રાઘવજીભાઇ પાણખાણીયા તે દિલીપભાઇના પિતાશ્રી તેમજ સ્વ. બાબુભાઇના નાનાભાઇ તેમજ દેવજીભાઇના મોટાભાઇ (જૂનાગઢ) તા. ૧૭ના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ખામનાથ મહાદેવના મંદિરે તા. ૧૮ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ રાખેલ છે.

મંગળાબેન પુરોહીત

ઉપલેટા :  શ્રી સોરઠીય શ્રી ગોૈડ માળવીય બ્રાહ્મણ ઇસરા નિવાસી પુરોહીત ચંદુલાલ જીવનલાલના ધર્મ પત્ની મંગળાબેન (ઉ.વ.૮૨) તે સ્વ. નાનાલાલ, સ્વ. હરીલાલ અને રમણીકભાઇના પત્ની તથા પ્રફુલભાઇ (રાણપુર), દિપકભાઇ (રાજકોટ), સંજયભાઇ (ઇસરા) તથા મધુબેન, જયશ્રીબેન, અને કિરણબેનના માતુશ્રી તથા ખોરાણા નિવાસી હાલ રાજકોટ સ્વ. છગનલાલ પ્રભાશંકર ભટ્ટ ના પુત્રી અને રસીકલાલ (રાજકોટ), ભરતકુમાર, દિલીપકુમાર (અમેરીકા) ના મોટા બેનનું તા. ૧૩/૩ શનિવારે અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૧ ના ગુરૂવારે  સાંજે ૪ થી પ પટેલ સમાજ ઇસરા રાખેલ છે.

હંસાબેન ભટ્ટ

ઉપલેટા : સમસ્ત બ્રહમ સમાજના પ્રમુખ પ્રિદપભાઇ જોશી, જેન્તીલાલ એચ. જોશી, તથા હિતેશ એમ. જોશીના મોટા બહેન હંસાબેન ડી. ભટ્ટ ભાવનગર મુકામે તા. ૧૭ રવિવારે કૈલાશવાસી થયેલ છે. બેસણું તા. ૨૨ ના શુક્રવારે ૪ થી ૬ બ્રહમ સમાજની વાડી, બડા બજરંગરોડ, ઉપલેટા રાખેલ છે.

જસવંતીબેન પારેખ

રાજકોટઃ મોઢ વણીક મુળ બેરમો હાલ રાજકોટ નિવાસી અ.સૌ. જસવંતીબેન પારેખ તે ડાહ્યાલાલ પારેખના ધર્મપત્ની તથા હીમાંશુ તથા રેખાબેનના માતુશ્રી તથા પડધરી વાળા સ્વર્ગસ્થ હીરાલાલ ગુલાબચંદ પારેખના પુત્રી (ઉ.વ.૮૧) તા.૧૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની તથા પીયરપક્ષની પ્રાર્થનાસભા શુક્રવારે તા.રરના સાંજે પ થી ૬, પ-રજપુતપરા મોઢ બોર્ડીંગ ખાતે રાખેલ છે.

શરદભાઇ જોષી

ચલાલાઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ શરદભાઇ પ્રતાપભાઇ જોષી તે બીપીનભાઇ જોષી (ભાવનગર), નિતિનભાઇ જોષી (રાજકોટ)ના લધુબંધુ તથા દર્પણભાઇ તથા રિધ્ધિબેન રોહનભાઇ જોષી (ભાવનગર)ના પિતાશ્રી તથા સ્વ.જશવંતભાઇ લાભશંકરભાઇ જોષી (ગીતાનગર-રાજકોટ)ના જમાઇનું અવસાન તા.૧૮ના થયેલ છે. બંને પક્ષનું બેસણું-સાદડી તા.ર૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, બ્રહ્મસમાજ વાડી, સ્ટેશન રોડ - ચલાલા ખાતે રાખેલ છે.

જયોતિબેન ચંદારાણા

ચલાલાઃ હર્ષદભાઇ મણીભાઇ ચંદારાણાના પત્ની જયોતીબેન (ઉ.વ.પ૦) તે ચંદ્રેશભાઇના ભાભી તેમજ અંકિતભાઇ અને વિવેકના માતુશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું આજે સાંજે પ-૦૦ કલાકે લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

મનસુખલાલ ઠાકર

રાજકોટ : કાનાવડાળા ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.મનસુખલાલ શાંતિલાલ ઠાકર (ઉ.વ.૬૩) તે ઉમિયાશંકર શાંતિલાલ ઠાકરના નાનાભાઈ તથા રસીકલાલ શાંતિલાલ ઠાકરના મોટાભાઈ તેમજ વિજયભાઈ ઠાકર અને યોગેશભાઈ ઠાકરના પિતાશ્રી તા.૧૮ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવારે બપોરે ૩ થી ૫ કાનાવડાળા ખાતે રાખેલ છે.

ગોવિંદભાઇ મહેતા

જસદણઃ રાજુલાઃ રૂખડભગતની વાવડી નિવાસી રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર), ગોવિંદભાઇ ખોડાભાઇ મહેતા (ઉ.વ.૯૫) તે નંદલાલભાઇ અને બાબુભાઇના પિતા તેમજ ગુણવંતભાઇ, મેહુલભાઇ, ચેતનાબેન, મીરાબેનના દાદાનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે.

ડો. ઘનશ્યામભાઇ જોષી

જેતપુર : પ્રશ્નોરાનાનર ચીનુભાઇ મગનલાલ જોષીના પુત્ર ડો. ઘનશ્યામભાઇ (ઉ.વ.૬પ) તે પુષ્પાબેનના પુત્ર તેમજ ઉષાબેનના પતિ, રવિભાઇ, હર્ષભાઇ (અમેરીકા)ના પિતાશ્રી તથા માધવીબેન, કાજલબેનના સસરા, નિષ્કા,ન્યારા, શિવેષ, રેહાંસ, અયોસના દાદા તેમજ ભગવાનદાસ જે. સોલંકીના જમાઇ તથા ડો. પ્રિયવ્રત જોષી (જેતપુર) પ્રો. સત્યવ્રત જોષી (વાંકાનેર), રઘુવર જોષી (જામનગર)ના લઘુબંધુ, પ્રકાશભાઇ, મેહુલભાઇ, વર્ષાબેનના બનેવીનું તા. ૧૬ના અમેરિકામાં અવસાન થયેલ છે.