Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018
હિતુભા ચુડાસમાના માતુશ્રીનું દુઃખદ અવસાન : ગુરૂવારે રાજકોટમાં બેસણું

રાજકોટ : ધનકુંવરબા બળવંતસિંહ ચુડાસમા તે જનકસિંહ, પૂનમબા, ધર્મિષ્ઠાબા, હિતુભા, સ્વ. વિરભદ્રસિંહના માતુશ્રીનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ લીલાવંતી કોમ્યુનિટી હોલ, ૮૦ ફૂટ રોડ, ઓમકાર સ્કુલની બાજુમાં, કોઠારીયા મેઈન રોડ, રામેશ્વર પાર્ક, માલધારી ફાટક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

હરીભાઇ ભટ્ટી

 રાજકોટઃ નિવાસી વાણંદ હરીભાઇ મોહનભાઇ ભટ્ટી (ઉ.વ.૮૬) તે અરુણભાઇ ભટ્ટીના પિતાશ્રી, મનુભાઇ કનુભાઇના મોટાભાઇ, તે અરજણભાઇ તુલસીભાઇ ચુડાસમા, સ્વ. કાંતિલાલ દેવરાજભાઇ ધામેલીયાના સાળા, તેમજ પ્રફુલભાઇ તથા વિજયભાઇના મોટાબાપુ તે અમૃતલાલ હંસરાજભાઇ જોટંગીયા તથા સ્વ. સુરેશભાઇ તથા વિનોદભાઇના બનેવી તે આયુષ, કિશન, આર્યનના દાદાનું તા.૧૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું  બેસણું તા.૨૨ને ગુરુવાર સાંજના ૪ થી ૬ શ્રી વરીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ૩ શકિત સોસાયટી, સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મિતભાઇ વડગામા

રાજકોટઃ મૂળ લતીપૂર વારા હાલ રાજકોટ મિતભાઇ (ઉ.વ.ર૪) સ્વ.નરેન્દ્રભાઇ પ્રાગજીભાઇ વડગામાના પુત્ર, જયદીપભાઇ અને નિશાના ભાઇ, મિનાબેન કિશોરભાઇ ખંભાયતા, હિતેષભાઇ પ્રાગજીભાઇ વડગામા, રીટાબેન હરેશભાઇ ભારદીયાના ભત્રીજાનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી પ-૩૦, કોઠારીયા રોડ, રણુજા મંદિરે રાખેલ છે.

ભાનુબેન બોસમીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.કાંન્તીલાલ નાનજીભાઇ બોસમિયાના જયેષ્ઠ પુત્ર સ્વ.રમણીકલાલ કાંન્તીલાલ બોસમિયાના પત્ની ભાનુંબેન (ઉ.વ.૬૯) તે સ્વ.પ્રવિણભાઇ, ભૂપતભાઇ મુકેશભાઇ તથા સ્વ.કિરણભાઇ (ભાવનગર)ના ભાભી અને અલ્પેશભાઇના માતુશ્રી તેમજ હર્ષના દાદીમાં તે સ્વ.વલ્લભદાસ દયાળજીભાઇ છાંટબાર વાંકાનેર વાળાની દીકરીનું તા.૧૮ને રવિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું આજે તા.૧૯ને સોમવારે સાંજે પ-૦૦ કલાકે શીતળા માતાના મંદિરે પટેલવાડી સામે, ભાવનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિણાબેન ત્રિવેદી

રાજકોટઃ ચિભડા નિવાસી હાલ રાજકોટ ઔ. ચિ. બ્રાહ્મણ વિણાબેન ત્રિવેદી (ઉ.વ.૬૩) તે બાલકૃષ્ણભાઇ ત્રિવેદીના પત્ની તથા પરેશભાઇ, ચેતનાબેન, ભાવનાબેનના માતુશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રર ગુરૂવારે સાંજે ૪ થી ૬, ૧૦ રણુજાનગર હુડકો ચોકડી પાસે રાખેલ છે.

જયેશભાઇ નિમાવત

માણાવદરઃ રામાનંદી બાવાજી જયેશ જમનાદાસ નિમાવત (બાપુ સોડા વાળા) (ઉ.વ.૪પ) તે વિજયભાઇ (ગોલા વાળા), રમેશભાઇ (મારૂતી બેટરી), સંજયભાઇ, દિનેશભાઇ (ભવનાથ)ના નાનાભાઇનું તા.૧૬ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૯ સોમવારે ૪ થી ૬, એસબીએસ કોલોની પાછળ, બાપુ સોડા વાળા, માણાવદર ખાતે રાખેલ છે.

ધીરજબેન ભટ્ટ

જુનાગઢઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ સરદારપુર હાલ જૂનાગઢ ધીરજબેન ભટ્ટ તે સ્વ.નૌતમલાલ ગૌરીશંકર ભટ્ટના પત્ની તથા જેન્તિલાલ, અમૃતલાલ અને ગમનલાલના ભાભી તેમજ કિશોરભાઇ અને અરવિંદકુમાર (મ.ન.પા. જૂનાગઢ), સ્વ.રમીલાબેન રમેશકુમાર (ઉપલેટા) અને રસિલાબેન દિનેશકુમાર (શાપુર)ના માતુશ્રી તેમજ શરદભાઇ, જીજ્ઞેશભાઇ, પારસભાઇ, આરતીબેન કૌશલભાઇ (રાજકોટ) અને પુજાબેન પ્રતિકભાઇ (જુનાગઢ)ના દાદીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૯ના રોજ સાંજે પ થી ૬ કલાકે ભુવનેશ્વર મંદિર, સીંધી સોસાયટી, શેરી નં.૪, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે રાખેલ છે.

જનકભાઇ જાની

વિરનગરઃ નાની લાખાવડ નિવાસી જનકભાઇ પ્રભાશંકરભાઇ જાની (ઉ.વ.૬૩) તે બળવંતભાઇ, જગદિશભાઇ, રાજુભાઇ, શૈલેષભાઇ (જસદણ) તથા નિતાબેન ઉપેન્દ્રકુમાર ઠાકર (કોટડા સાંગાણી)ના મોટાભાઇ તથા જીજ્ઞેશ, હેતલ, ભાર્ગવ, જલ્પાના પિતાશ્રીનું તા.૧૭ના રોજ વીરનગર મુકામે અવસાન થયુ છે. બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી પ, શિવાનંદ મિશન હોસ્પિટલ કવાર્ટર વીરનગર તા. જસદણ ખાતે રાખેલ છે.

મનોજભાઇ ચૌહાણ

બાબરાઃ વાવડી (જીવાપર)ના વજુભાઇ રામજીભાઇ ચૌહાણના પુત્ર મનોજભાઇ (ઉ.વ.૩૦) નું તે નિરવભાઇના મોટાભાઇનું તા. ૧પ ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ના વાવડી તેમના નિવાસે રાખેલ છે.

નુરૂદ્દીનભાઇ ભારમલ

જસદણ : દાઉદી વ્હોરા નુરૂદ્દીનભાઇ   ભારમલ (ઉ.વ.૮૦) હાલ મદ્રાસ) તે મર્હુમ અકબર અલી દાઉદભાઇ ભારમલના પુત્ર શેખ હુશેનભાઇ (જસદણ) અબ્બાસભાઇ આબીદભાઇ, ઝહેરાબેન (મદ્રાસ) સફીયાબેન, બાનુબેન (જસદણ) સારાબેન (બાંગલાદેશ) ના ભાઇ મોઇઝભાઇ અસગરભાઇ ફાતેમાબેન (મદ્રાસ) ના પિતા મુરતઝાભાઇ, મુસ્તુફાભાઇ (અકબરી સ્ટોર્સ, જસદણ) ના કાકા ફીદાહુશેન અબ્દુલકાદર, પાણકોરવાળા (રાજકોટ) ના જમાઇ તા. ૧૯ ના રોજ મદ્રાસ ખાતે વફાત થયેલ છે. મર્હુમની જીયારત ના સીપારા (કુઆર્નખ્વાની) તા. ર૦ ને મંગળવારે સાંજે મગરીબ ઇશાની નમાઝ બાદ બુરહાની મસ્જિદ સાંકડી શેરી અકબરી મહોલ્લા જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

નટવરલાલભાઇ ચોરેરા

ધોરાજી :  ધોરાજી નિવાસી ઠા. હરિદાસ માધવજીના પુત્ર નટવરલાલભાઇ હરિલાલ ચોરેરા, (ઉ.વ.૭૪) વર્ષ તે સ્વ. જેઠાભાઇ, સ્વ. છોટુભાઇ, વૃજલાલ (વેરાવળ), સ્વ. કાકુભાઇ (રાજકોટ) તેમજ વસંતભાઇ, ચંદુભાઇ તથા રંજનબેનના ભાઇ તથા આનંદ, કશ્યપ, નિતિન, પારૂલબેનના પિતા, તેમજ નગીનભાઇ અભાણી, વિનુભાઇ અભાણી (જુનાગઢ)ના બનેવી ભાણવડ નિવાસી હિમાંશુ રાડીયાના સસરા તા. ૧૮ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા. ૧૯ ને સોમવારે સાંજના ૪.૦૦ થી પ.૦૦ કડિયાવાડ સ્વામિનારાયણ મંદિરની પાસે, જુની લોહાણા મહાજનવાડીમાં રાખેલ છે.

જયાબેન નડીયાપરા

રાજકોટ : જયાબેન વશરામભાઈ નડીયાપરા (મુળ ગામ ચાવડા વાશ હાલ રાજકોટ શ્રી હરી સોસાયટી જીથરીયા હનુમાન મંદિરની પાછળ મવડી મેઈન રોડ) તે જેન્તીભાઈના માતુશ્રી તથા મયુરભાઈ ગીરીરાજ ફરસાણવાળાના દાદીમા શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

પ્રેમજીભાઈ સુરાણી

રાજકોટ : મુળ ડાંગરવાડા હાલ રાજકોટ નિવાસી સ્વ. આણંદભાઈ કાબાભાઈ સુરાણીના પુત્ર પ્રેમજીભાઈ આણંદભાઈ સુરાણી (ઉ.વ.૭૫) તે મનોજભાઈ, રમેશભાઈના મોટાભાઈ તથા પરેશભાઈ, રાજેશભાઈ, મીનાબેનના પિતા તથા બીપીન, રવિના અદા તેમજ નટુભાઈ ગોહેલના સસરા તેમજ ઉમંગ, વિરેન, હર્ષ, નશીતના દાદાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રામેશ્વર મંદિર, સુભાષનગર શેરી નં. ૪, રામેશ્વર ચોક, આમ્રપાલી સિનેમા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનોજભાઈ મહેતા

રાજકોટ : જામનગર નિવાસી મોઢ વણીક મનોજભાઈ કૃષ્ણકાંતભાઈ મહેતા (નવાનગર બેન્ક) (ઉ.વ.૪૮) તે સ્વ.મધુબેન તથા સ્વ. કૃષ્ણકાંત ચુનીલાલ મહેતાના પુત્રી રશ્મિબેન શાહ (લંડન) અને સુનિલભાઈ મહેતાના નાનાભાઈનું તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે તા.૧૯ને સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમિયાન પાબારી હોલ (સેલર) તળાવની પાળ જામનગર ખાતે રાખેલ છે.

ગુણવંતભાઈ ગલચર

રાજકોટ : ગુણવંતભાઈ કાથળભાઈ ગલચરનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાજારામ નગર ૦૮નો ખૂણો, શ્યામનગર મેઈન રોડ, સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બકુલબેન દાઉદભાઇ

જુનાગઢ : બતુલબેન દાઉદભાઇ ધોરાજીવાલા તે મ. અબ્દુલહુસેન મુસાજી મેંદરડાવાલાના બૈરો, શબ્બીરભાઇ, મુર્તુજાભાઇ, ફરીદાબેન (માંડવી) શમીનાબેન (જુનાગઢ), તસ્નીમબેન (ચિત્તલ)ના માં તથા અઝહરભાઇ, આદમભાઇ, અસગરભાઇના સાસુ જૂનાગઢમાં તા. ૧૮ ન ેરવિવારના રોજ વફાત થયેલ છે. જીયારત તથા સીયુમના સીપારા તા. ર૦મીએ મંગળવારે સવારે ૧૧-૩૦ કલાકે બુરહાની મસ્જીદ જૂનાગઢ રાખેલ છે.

ધીરજબેન ભટ્ટ

જુનાગઢ : શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ સરદારપુર હાલ જૂનાગઢ ધીરજબેન ભટ્ટ તે સ્વ. નૌતમલમલ ગૌરીશંકર ભટ્ટના પત્ની તથા સ્વ. પ્રાણશંકરભાઇ માધવજીભાઇ દવેના પુત્રી તેમજ સ્વ. રમણીકલાલ અને સ્વ. બાબુભાઇના બહેનનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. સાદડી તા. ૧૯ના રોજ સાંજે પ થી ૬ કલાકે ભુવનેશ્વર મહાદેવ મંદિર, શેરી નં.૪, ભુવનેશ્વરનગર, સીંધી સોસાયટી, ગાંધીગ્રામ, જુનાગઢ રાખેલ છે.

જીવનભાઇ વાજા

કેશોદ : જીવનભાઇ રવજીભાઇ વાજા (ઉ.વ.૮૧) રહે. કેશોદવાળા તે મેહુલભાઇ વાજા (વોડાફોન)ના પિતાશ્રી, હસુભાઇ મારૂ (જુનાગઢ પ્રેસવાળા), દિનેશભાઇ મોડાસીયા તથા યશવંતભાઇ મોડાસીયા (લંડનવાળા)ના સસરાનું તા. ૧૭મીએ અવસાન થયેલ છે. ઉઠમણું આજે તા. ૧૯મીએ સોમવાર બપોરે ૪ થી ૬ કલાકે શ્રી રામેશ્વર મંદિર એરપોર્ટ રોડ, કેશોદ રાખેલ છે.

નાગજીભાઇ સુરેલીયા

મોરબી : ગુ. સુતાર નાગજીભાઈ મેઘજીભાઈ સુરેલીયા (ખાનપરવાળા) તે મહેશભાઈના પિતા, જશવંતીબેન મુકેશકુમાર પીલોજપરા, દુર્ગાબેન વિજયકુમાર પીલોજપરા, ભાવનાબેન મહેન્દ્રકુમાર પીલોજપરા, તરલાબેન ઉમેશકુમાર ખારેચાના પિતા તા. ૧૭ ના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૨૨ને ગુરૂવારે બપોરે ૩.૩૦ થી ૫.૩૦ ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી, યુનિટ-૦૧, ભવાની ચોક, લખધીરવાસ મોરબી મુકામે રાખેલ છે.

રંજનબેન ગાંધી

મોરબી : ગો.વા. રંજનબેન ગાંધી તે બકાભાઈ વનેચંદભાઈ ગાંધીના પત્ની તથા કૌશિકભાઈ અને ભદ્રેશભાઈના માતા તેમજ હિમાં, ક્રીના, ક્રેશા અને પૂજનના દાદીમાં તા. ૧૬ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૧૯ ને સોમવારે સવારે ૧૦ થી ૧૧.૩૦  નિવાસસ્થાન પ્રાણનગર-૨, નીલકંઠ સ્કૂલ પાસે, રવાપર રોડ મોરબી મુકામે રાખેલ છે.

પ્રભુદાસભાઇ હદાણી

બાબરાઃ ઠા. સ્વ. રણછોડદાસભાઇ વેલજીભાઇ હદાણીના પુત્ર પ્રભુદાસભાઇ (બાબુભાઇ) (ઉ.વ.૮૦) તે મયુરભાઇ (લંડન) સ્વ. રજનીકાંતભાઇ, ચંદ્રકાંતભાઇના ભાઇ તથા રઘુવીરવાળા અશોકભાઇ, જગદીશભાઇ, રમેશભાઇ, રમાબેન, ભરતકુમાર ખખ્ખરના પિતાશ્રી તથા દામનગરવાળા ઠા. બાબુલાલ મણીલાલ ગણાત્રાના જમાઇનું તા.૧૬ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૯ના ૪ થી ૬ બાબરા લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

મનોજભાઇ ચૌહાણ

બાબરાઃ વાવડી (જીવાપર)ના વજુભાઇ રામજીભાઇ ચૌહાણના પુત્ર મનોજભાઇ (ઉ.વ.૩૦) નું તે નિરવભાઇના મોટાભાઇનું તા. ૧પ ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ના વાવડી તેમના નિવાસે રાખેલ છે.