Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019
અવસાન નોંધ

રમાબેન ત્રેટિયા

જસદણ : ગુર્જર સુથાર રમાબેન પ્રવીણભાઇ (બટુકભાઇ) ત્રેટિયા (ઉ.વ.૫૩) તે સ્વ. લવજીભાઇ ગીગાભાઇ ત્રેટિયાના પુત્રવધુ, ચંદુભાઇ, સ્વ. રમણીકભાઇ કાંતિભાઇના નાનાભાઇ ના પત્નિ, પ્રદીપભાઇ ચિરાગભાઇ એડવોકેટના માતા નું તા.૧૮ ના રોજ નિધન થયેલ છે. બેસણું તા. ૨૧  ના સાંજે   ૪ થી ૬ ગુર્જર સુથારવાડી, લાતીપ્લોટ, ઉત્તરક્રિયા તા.૨૮ એ જસદણ રાખેલ છે.

હીરાબેન ગોહેલ

સરધારઃ દરજી મચ્છુ કઠીયા સંઇ સુતાર ભુપતલાલ નાગજીભાઇ ગોહેલના પત્ની હીરાબેન ભુપતલાલ ગોહેલ (ઉ.વ.૭૮) તે દિપકભાઇ, શૈલેષભાઇ, ગિરીશભાઇ, સંજયભાઇ તથા ભારતીબેનના માતુશ્રી તે સૌરભ, હર્ષ, હેમાંગ, મયુરીબેનના દાદીનું દુઃખદ અવસાન તા. ૧૮-૧-૧૯ના થયેલ છે. સદ્દગતનું બેસણું સોમવાર તા.૨૧-૧-૧૯ના રોજ દેરાસરી શેરી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મધુસુદનભાઇ પંડયા

મોરબીઃ મધુસુદનભાઇ બી. પંડયા (ઉ.વ.૭૮) (નિવૃત એસટી કર્મચારી) તે કલ્પેશભાઇ તથા દક્ષેશભાઇના પિતા અને રાજુભાઇ પંડયાના કાકા તા. ૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૯-૧ ને શનિવારના રોજ સાંજે ૪ થી પ.૩૦ કલાકે રામેશ્વર મંદિર, હાઉસીંગ બોર્ડ, મોરબી-ર ખાતે રાખેલ છે

પુષ્પાબેન ચાવડા

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતીના પુષ્પાબેન ગોવિંદજી ચાવડા (પાપડ વાળા) (ઉ.વ.૬૭) તે સ્વ.ગોવિંદજીભાઇ અરજણભાઇ ચાવડાની પુત્રી તથા સ્વ.ચમનભાઇ, સ્વ.સરલાબેન તથા રમેશભાઇના બહેન તથા નિલેષ, ભાવેશ, નયન તથા કલ્પેશના ફઇબાનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ને સોમવારે ૮-૩૦ થી ૧૦-૦૦ તથા શાંતિ હવન આઇ શ્રી કુવાવાળી ખોડીયાર મંદીર, લક્ષ્મીવાડી કવાર્ટર ખાતે રાખેલ છે.

જયશ્રીબેન પરમાર

રાજકોટઃ જયશ્રીબેન વિજયભાઇ પરમાર (ધોબી) તે જાદવભાઇ નારણભાઇ પરમારના પુત્રવધુ અને નવિનભાઇ કરસનભાઇ જેઠવાના દિકરીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૯ના શનીવારે સાંજે ૪ થી પ, બિગબઝાર વાળો રોડ, અમરનાથ મહાદેવનું મંદિર ખાતે રાખેલ છે.

છગનલાલભાઇ ગોકળગાંધી

રાજકોટઃ છગનલાલ રણછોડદાસ ગોકળગાંધી (ધુન ધોરાજી વાળા) (હાલ સુરત) તે હસમુખભાઇ, દિલીપભાઇ, વિજયભાઇ તથા પરેશભાઇના પિતાશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૧ને સોમવારે સાંજે પ થી ૭ વાગ્યે સુરત ખાતે રાખેલ છે.

પારસભાઇ સોની

રાજકોટઃ સોની પ્રવિણચંદ્ર હરજીવનદાસ રાણપરાનાં પૌત્ર તે પ્રજ્ઞેશભાઇના પુત્ર પારસભાઇ (ઉ.વ.ર૦) તથા પ્રેમચંદભાઇ મણીલાલ આડેસરા (અળાવવારા)નાં ભાણેજનું તા.૧૮ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૯ના શનિવારે બપોરે ૩-૩૦ થી પ-૦૦ જાગનાથ મંદીર યાજ્ઞીક રોડ ખાતે રાખેલ છે. સદ્દગતનો લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.

કમલેશભાઇ શેઠ

રાજકોટઃ વડીયા નિવાસી સ્વ.વિનોદરાય રામજીભાઇ શેઠના પુત્ર કમલેશભાઇ (ઉ.વ.૪૬) તે હેતલબેનના પતિ, શિતલબેનના દિયર, ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. પુ. સુમતીબાઇ મ. તથા ભદ્રાબાઇ મ.ના ભાણેજ, વિજયભાઇ, ડીલાક્ષીબેન, સ્વ.ગુણવંતીબેન, પલ્લવીબેન તથા ડો.સુજીતાબાઇ મ. અંજીતાબાઇ મ. સંજીતાબાઇમ. તથા અજીતાબાઇ મ.ના સંસારી ભાઇ, રાજુભાઇ, જીગુભાઇ, શરદભાઇના કાકાજીભાઇ તથા નેહાલી, કૃપાલી, ધ્યેયના પિતાશ્રી, હાર્દિક, ધર્મેશ, ધનરાજ, ભવ્ય, ઉત્સવના મામા તથા છાયાબેન જીતેન્દ્રભાઇ ઝાટકીયાના જમાઇ તા.૧૮ના અરીહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.ર૧ના સોમવારે વિતરાગ-નેમીનાથ સ્થા. જૈન ઉપાશ્રયે રાખેલ છે. નેમીનાથ-વિતરાગ સોસાયટી ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. ઉઠમણું સમય ૧૦ થી ૧૧ પ્રાર્થનાસભા ૧૧ થી ૧ર રાખેલ છે.

કિરીટભાઈ પંડ્યા

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ કોટડાનાયાણી હાલ રાજકોટ નિવાસી કિરીટભાઈ હરીલાલ પંડ્યા (ઉ.વ.૬૨) તે સ્વ.હરીલાલ વજેશંકર પંડ્યાના પુત્ર અને કિશોરભાઈ તથા હર્ષદભાઈ તથા કુંદનબેન તથા મીનાબેનના ભાઈ તથા કિશન, રેખાબેન તથા પ્રિતીબેનના પિતાશ્રી તથા સ્વ.દુર્લભજી જીવરામ પંડ્યા (કાગદડી)ના જમાઈનું તા.૧૮ના શુક્રાવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના સોમવારે સાંજે ૪ થી ૫ રંગીલા હનુમાન મંદિર વિવેકાનંદનગર ૧૪ / ૫ના ખુણે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનહરલાલ ગોહેલ

મોરબીઃ મનહરલાલ મોહનરાજા ગોહેલ (ઉ.૭૦) તે મોહનરાજાના પુત્ર, બચુભાઇ મોહનરાજાના નાના ભાઇ તેમજ ગં. સ્વ. નિરૂપમાબેનના પતિ, વૈશાલી, અમિત તથા જતીનના પિતાજીનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૧ના સોમવારે સાંજે ૫ થી ૬, શાંતા સ્મૃતિ હોલ, કડીયા જ્ઞાતિની વાડી, જેલ રોડ મોરબી ખાતે રાખેલ છે.

કિરીટભાઇ પંડયા

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ કોટડાનાયાણી હાલ રાજકોટ નિવાસી કિરીટભાઇ હરીલાલ પંડયા (ઉ.વ.૬૨) તે સ્વ. હરીલાલ વજેશંકર પંડયાના પુત્ર અને કિશોરભાઇ તથા હર્ષદભાઇ તથા કંુદનબેન તથા મીનાબેનના ભાઇ તથા કિશન, રેખાબેન તથા પ્રીતિબેનના પિતાશ્રી તથા સ્વ. દુલર્ભજી જીવરામ પંડયા (કાગદડી)ના જમાઇનું તા. ૧૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૧ ને સોમવારે સાંજે ૪ થી પ રંગીલા હનુમાન મંદિર વિવેકાનંદનગર ૧૪ / પ ના ખુણે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.