Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017
મોરબીના હરપાલસિંહ ઝાલાનું દુઃખદ અવસાનઃ ૨૦મીએ બેસણું

રાજકોટઃ મુળ ધ્રાંગધ્રાના જેસડાના વતની અને હાલ મોરબી રહેતાં હરપાલસિંહ ભીખુભા ઝાલા તે પ્રવિણસિંહ સુરૂભા જાડેજા, ઘનશ્યામસિંહ સુરૂભા જાડેજા તથા સુખદેવસિંહ સુરૂભા જાડેજાના જમાઇ તથા કિરીટસિંહ બાલુભા જાડેજા, દિગ્વીજસિંહ બાલુભા જાડેજા (હેડકોન્સ. ભકિતનગર-રાજકોટ), હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, અજયસિંહ પ્રવિણસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ સુખદેવસિંહ જાડેજા તથા જયદિપસિંહ ઇન્દુભા જાડેજાના બનેવીસાહેબનું તા. ૧૭/૧૧ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૦ના સાંજે ૪ થી ૬, મોરબી સામા કાંઠે ગુ.હા. બોર્ડ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

 

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક નુરમહમદભાઇ સાલાણીની વફાતઃ સોમવારે ઝીયારત

રાજકોટ : નુરમહમદભાઇ સુલેમાનભાઇ સાલાણી (ઉ.વ.૮૩) તે ઇકબાલભાઇ સાલાણીના વાલીદ તેમજ રમીઝ તથા રીઝવાનના દાદા તા. ૧૮-૧૧ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. મર્હુમની ઝીયારત પુરૂષો માટે તા.૨૦-૧૧ના સોમવારના રોજ સવારે ૯.૩૦ કલાકે મસ્જિદ-એ-ફાતેમા, ઢેબર કોલોની ખાતે તેમજ બૈરાઓ માટે તેમના ઘરે 'રીઝવાન', ૧૩- નારાયણ નગર, ઢેબર રોડ (સાઉથ) ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

અમરેલી નૂતન મિડલ સ્કુલના નિવૃત  શિક્ષક શિવશંકરભાઇ દવેનું અવસાન

રાજકોટ :.. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ શ્રી શિવશંકરભાઇ ગીરધરલાલ દવે ઉ.૭૪ (નિવૃત પ્રા. શિક્ષક, નૂતન મિડલ સ્કુલ -અમરેલી), તે દેવાંગ (લાલો) તથા મિનળબેન ચંદ્રેશભાઇ દવે (રાજકોટ) નાં પિતાશ્રી તથા પારૂલબેન અમીતકુમાર દવે, ઘનશ્યામભાઇ (શૈલેષભાઇ), રાકેશભાના કાકા તેમજ શારદાબેન છેલશંકર દવેના ભાઇનું તા. ૧૭ ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું (પિયર પક્ષ સાથે) તા. ૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર હોલ, બ્રાહ્મણ સોસાયટી અમરેલી ખાતે રાખેલ છે.

ભગવાનજીભાઇ દેવચંદભાઇ ચૌહાણનું દુઃખદ અવસાનઃ સોમવારે ઉઠમણું

રાજકોટઃ ધોબી પ્રેમચંદભાઇ પાનાચંદભાઇ મોડાશીયાના સાળા ભગવાનજીભાઇ દેવચંદભાઇ ચૌહાણનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૦ના સોમવારે સાંજે  ૪ થી ૫ કેસરી હિન્દ પુલ બેડીપરા રોડ નીચે, ખોડીયાર મંદિરે રાખેલ છે.

રતીલાલ રૂપારેલીયા

જૂનાગઢઃ રતીલાલ ચુનીલાલ રૂપારેલીયા (ઉ.વ.૬૮) તે હરેશભાઇના ભાઇ તથા અશ્વિનભાઇ અને વિકેશભાઇના પિતાશ્રી તેમજ પ્રભુદાસ ગીરધરલાલ (વિરપુર)ના જમાઇનું તા. ૧૭ને શુક્રવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૮ને શનિવારે સાંજે ૪ થી ૫ કલાકે, ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ખીરૈયા

વેરાવળ : ખીરૈયા પ્રવિણચંદ્ર છોટાલાલ (ઉ.વ.૬૬) તે સ્વ. સુરેશભાઇ, દિનેશભાઇના ભાઇ તથા હસમુખભાઇ, ધર્મેશભાઇ (લાલાભાઇ), દિપકભાઇ, ભારતીબેન, ચેતનકુમાર પોપટના પિતાશ્રીનું તા. ૧૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૮ને શનિવારે સાંજે ૪ વાગ્યે કામનાથ મહાદેવ મંદિર ઘનશ્યામ પ્લોટ વેરાવળ ખાતે રાખેલ છે.

જસવંતીબેન વોરા

રાજકોટ : જસવંતીબેન કાંતિલાલ વોરા (ઉ.વ.૮૪) તે સ્વ.કાંતિલાલ જયંતિલાલ વોરાના ધર્મપત્ની તે સ્વ.નલીનભાઇના ભાભી તેમજ રાજેષભાઇ તથા પ્રશાંતભાઇના માતુશ્રી તેમજ આરતીબેન તથા દર્શીબેનના સાસુનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૦ના સોમવારે બપોરે ૮:૩૦ કલાકે કાઠીયાવાડ જીમખાના કોમ્યુનીટી હોલ, જીમખાના રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચૈતન્યભાઇ ત્રિવેદી

રાજકોટઃ ચૈતન્ય મનુભાઇ ત્રિવેદી (ઉ.વ.૬પ) તે દિવ્યાબેનના પતિ તેમજ અભિષેક / ચિન્મય (અમેરીકા)ના પિતા, સ્વ.મનુભાઇ ત્રિવેદી અને સ્વ.સવિતાબેનના પુત્ર, કૌશિકભાઇ (અમદાવાદ), કાર્તિકભાઇ (સુરત)ના ભાઇ તથા ડો.શર્મિષ્ઠા કે. વ્યાસ (રિટાયર્ડ પ્રિ. બી.એડ. કોલેજ રાજકોટ) તેમજ સ્વ.પુષ્કરભાઇ વ્યાસ (પીજીવીસીએલ)ના બનેવીનું તા.૧૬ના અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તેમના નિવાસસ્થાન - સુરસાગર એપાર્ટમેન્ટ, જોધપુર વિલેજ પાસે, આર્યવ્રત બંગલા સામે, અમદાવાદ મુકામે તા.ર૩ના સવારે ૮-૩૦ થી ૧૦ કલાકે રાખેલ છે.

પ્રબોધભાઇ ચૌહાણ

રાજકોટઃ પ્રબોધભાઇ કલ્યાણજીભાઇ ચૌહાણ (જુનાગઢ વાળા) રીટાયર્ડ સુપ્રિ. સેન્ટ્રલ એકસાઇઝ એન્ડ કસ્ટમ તે નિમિષભાઇ ચૌહાણના પિતાશ્રી અને ચંદ્રેશ મકવાણાના સસરા, તથા સંદિપ, અજય, કેતનના ભાઇ તા.૧૬ના અક્ષર નિવાસી થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ના અમરનાથ મંદિર જગન્નાથ પ્લોટ મેઇન રોડ આઇનગર સોસાયટી બીગ બઝાર પાછળ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રતીલાલભાઇ રૂપારેલીયા

જુનાગઢઃ રતીલાલભાઇ ચુનીલાલભાઇ રૂપારેલીયા (ઉ.વ.૬૮) (ચુનીલાલ જેરામભાઇ વાળા) તે હરેશભાઇના ભાઇ તથા અશ્વિનભાઇ અને વિકેશભાઇના પિતાશ્રી તેમજ પ્રભુદાસ ગીરધરલાલ (વિરપુર)ના જમાઇનું તા.૧૭મીને શુક્રવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૮ને શનિવારના રોજ સાંજે ૪ થી પ કલાકે, ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ, કોલેજ રોડ ખાતે રાખેલ છે.

વૃજલાલભાઇ મકવાણા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા વૃજલાલ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.૬૬)નું તા.૧૬ના અવસાન થયેલ છે. તે મહેશભાઇ વૃજલાલ મકવાણા, મનોજભાઇ વૃજલાલ મકવાણા, તથા સાગર વૃજલાલ મકવાણાના પિતાશ્રીનું બેસણું તા.ર૦ના જુનું ખોડીયાર સોસાયટી, શેરી નં.૪, સહકાર મેઇન રોડ પાછળ, સાંજના ૪ થી ૬ રાખેલ છે.

દિનેશભાઈ આસોડીયા

રાજકોટ : દિનેશભાઈ મોહનભાઈ આસોડીયા (ઉ.વ.૫૬) તે કાંતિભાઈ મોહનભાઈ આસોડિયા નાનાનાભાઈ તથા સુરેશભાઈ ઓસોડિયાના મોટાભાઈ તથા ભાવેશભાઈ, કલ્પેશભાઈ તથા વિલાશબેનના પિતાશ્રીનું તા.૧૭ ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ મચ્છુ કઠીયા લુહારની વાડી શાળાનં૧૫ પાસે રણછોડનગર ખાતે રાખેલ છ

વેલજીભાઇ અઘેરા

મોરબીઃ મુળ સખપર ટંકારા હાલ મોરબી નિવાસી વેલજીભાઇ આંબાભાઇ અઘેરા (ઉ.વ.૮૯) તે મનસુખભાઇ અને બાબુભાઇના પિતાશ્રીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ સોમવારે સાંજે ૩ થી પ ઓમ પાર્ક સોસાયટી નાની કેનાલ પાસે પંચાસર રોડ મોરબી ખાતે રાખેલ છે.

કસ્તુરબેન પરમાર

રાજુલાઃ ગં. સ્વ. કસ્તુરબેન ખીમજીભાઇ પરમાર (ફુલ વાળા) (ઉ.વ.૧૦૮) તે પ્રવિણભાઇના માતુશ્રી તેમજ કમલેશભાઇ તથા હેમલભાઇના મોટાબા તા.૧૭ના રોજ અવસાન પામેલ છે.

શિવશંકરભાઇ દવે

અમરેલીઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ શિવશંકરભાઇ ગિરધરલાલ દવે (ઉ.વ.૭૪) (નિવૃત પ્રા. શિક્ષક, નૂતન મિડલ સ્કૂલ-અમરેલી), તે દેવાંગ (લાલો) તથા મિનળબેન ચંન્દ્રેશભાઇ દવે (રાજકોટ)ના પિતા તથા પારૂલબેન અમીતકુમાર દવે, ઘનશયામભાઇ (શૈલેષભાઇ), રાકેશભાઇના કાકા તેમજ શારદાબેન છેલશંકર દવેના ભાઇનું તા.૧૭ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું (પિયર પક્ષ સાથે) તા.૧૮, શનિવાર સાંજના ૪ થી ૬, બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર હોલ, બ્રાહ્મણ સોસાયટી, અમરેલી ખાતે રાખેલ છે.

મંછાબેન કારેલીયા

રાજકોટઃ સ્વ.નરોતમદાસ છગનલાલ કારેલીયાના ધર્મપત્ની ગં. સ્વ. મંછાબેન નરોતમભાઇ કારેલીયા (ઉ.વ.૭૭) તે હિરેનભાઇ કુસુમબેન ઉર્મીલાબેન પ્રવિણાબેન જયોતિબેન ભારતીબેન ધર્મીસ્ટાબેનના માતુશ્રીનું તા.૧૭મીએ અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન પ્રહલાદ પ્લોટ ૩૯, રંગોલી એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

ગીરીશભાઇ જોબનપુત્રા

રાજકોટઃ ગીરીશભાઇ કેશવલાલ જોબનપુત્રા તે સ્વ.સુરેશભાઇ જોબનપુત્રાના નાનાભાઇ ચિરાગ તથા મેહુલના પિતાશ્રી તથા સંજયાઇ, રિતેષભાઇના કાકા તથા કેતનભાઇ, પરેશભાઇ તન્નાના બનેવીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણંુ સોમવાર તા.ર૦ના સાંજે પ વાગ્યે ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે. પિયર ક્ષની સાદડી સાથે રાખેલ છે.

મંગળાબેન ત્રિવેદી

રાજકોટઃ સોરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના મંગળાબેન એમ. ત્રિવેદી (ઉ.વ.૮૮)તે શાંતિલાલ એચ. ત્રિવેદીના ભાભી અને વિનોદરાય, તથા શરદકુમારના માતુશ્રીનું તા.૧૭ ને  શુક્રવારના રોજ કૈલાસ વાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને શનિવારના સાંજે ૫ થી ૬ હરિહર કોમ્યુનીટી હોલ-કાલાવડ રોડ રાજકોટ મુકામે  રાખેલ છે.

સુસીલાબેન શયકુંડલીયા

રાજકોટઃ (લંડન) લેસ્ટર નિવાસી નરેન્દ્રકુમાર શયકુંડલીયા તે સ્વ. વનમાળીદાસ દયાળજીભાઇ વસંતના સુપુત્રી તથા મનસુખભાઇ, હસુભાઇ અને રાજુભાઇના બહેન તેમજ પરાગભાઇ અને મેહુલભાઇના ફઇ તા.૧૪ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે.  તેમની પિયર પક્ષની સાદડી તા.૨૦ ને સોમવારના રોજ મનસુખભાઇના ઘરે ગુ.હા.બાર્ડ, એચ.જે.સ્ટીલ સામે, સાગર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

થોભણભાઇ ટોળીયા

રાજકોટઃ થોભણભાઇ પોલાભાઇ ટોળીયા(ઉ.વ.૭૫) તે હિરાભાઇ, રઘાભાઇ, મુકેશભાઇ તથા કાળુભાઇના પિતાશ્રી તે જીવણભાઇ પોલાભાઇ ટોળીયાના મોટાભાઇનું તા.૧૭ને શુક્રવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા.૨૦ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન નિવાસ સ્થાનઃ માલધારી સોસાયટી, આંનદનગરની બાજુમાં, કોઠારીયા મેઇન રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

દિનેશભાઇ પોપટ

રાજકોટઃ દિનેશભાઇ અમુતભાઇ પોપટ(ઉ.વ.૬૪) તે શ્રી અમુતલાલ ઠાકરશીભાઇ પોપટના પુત્ર તે શ્રી નરભેરામ કેશવજી સોૈમેયાના જમાઇ તથા તે શ્રી અમિતભાઇ, નીશીતભાઇ તથા વિરલભાઇના પિતાશ્રી તા.૧૭ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું  ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૫ વાગ્યે પંચનાથ મંદિર, લીમડા ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

વનરાજભાઇ ભૂટક

આટકોટ :.. રાજગોર બ્રાહ્મણ મુળ વતન જુના વાઘણીયા હાલ જેતપુર ગૌરીશંકર વશરામભાઇ ભુટકના મોટા દિકરા વનરાજભાઇ ગૌરીશંકરભાઇ ભુટક (ઉ.૩૦) તે જીલુભાઇ ત્થા બાવુભાઇ ત્થા કમલેશભાઇ તથા દિલીપભાઇ ના મોટાભાઇ, સોનલબેન ત્થા રેખાબેન ના ભાઇ ચંદુભાઇ વશરામભાઇના નાનાભાઇનાં દિકરા ત્થા ચંદુભાઇ જુનાગઢ, વાળાનાં ભાઇના દિકરા ત્થા છોટુભાઇ ટેક્ષીવાળાનાં ભાઇનાં દિકરા ત્થા રણછોડભાઇ રામભાઇ શિલુના જમાઇ તથા મહાવીર ત્થા હર્ષિધીનાં પપ્પાનું અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ ને શનીવાર બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કેનાલ કાંઠે, જુનાગઢ રોડ રોયલ એપાર્ટમેન્ટ પહેલા માળે જેતપુર રાખેલ છે.