Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019
ધોરાજીના 'અકિલા'ના પત્રકાર કિશોરભાઇ રાઠોડના માતુશ્રીનુ અવસાનઃ કાલે બેસણું

ધોરાજીઃઅકિલા ના વરિષ્ઠ પત્રકાર અને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ના માતુશ્રી નું દુઃખદ અવસાન થયેલ છે

લુહાર ભીખાલાલ છગનભાઈ રાઠોડ ના ધર્મપત્ની મંજુલાબેન (ઉંમર વર્ષ ૭૩) તે મહેશભાઈ રાઠોડ. લુહાર સમાજ ના રાષ્ટ્રીય અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ રાઠોડ. તેમજ શૈલેષભાઈ રાઠોડ. પ્રેસ ફોટોગ્રાફર હિતેશભાઈ રાઠોડ. તેમજ ગીતાબેન મુકેશભાઈ પિત્રોડા ગોંડલ ના માતુશ્રી તેમજ પ્રવીણભાઈ છગનભાઈ રાઠોડ તથા મનસુખભાઈ રાઠોડ મિસ્ત્રી ના ભાભી તેમજ રવિભાઈ રાઠોડ, નિતીનભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, ડો.હેમાંગ રાઠોડ, જયદીપ ,વત્સલ, પ્રિયાંશી, આદિત્ય, અક્ષર, સાક્ષી.ના દાદીમાનું તારીખ ૧૭ને મંગળવારના રોજ વિશ્વકર્મા પૂજન ના દિવસે શ્રીજીચરણ પામેલ છે સદ્ગત નું બેસણું તા.૧૯ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ જૈન સમાજની ગાંધી વાડી સ્ટેશન પ્લોટ ધોરાજી રાખેલ છે

એસ.ટી.કર્મચારી રાજુભાઇ મહેતાના માતુશ્રીનુ અવસાનઃ કાલે બેસણુ

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ અમરાપુર (ધાનાણી) હાલ રાજકોટ હંસાબેન રમણીકલાલ મહેતા ઉ.વર્ષ ૭૦ તે રમણીકલાલ કાંતીલાલ મહેતાના ધર્મપત્નિ તથા રોહિતભાઇ (રાજુભાઇ મહેતા-એસ.ટી- કર્મચારી-રાજકોટ) તથા દક્ષાબેન પરેશભાઇ જોશી તથા ધર્મિષ્ઠાબેન તુષારભાઇ મહેતાના માતુશ્રી તથા મનસુખભાઇ કાંતીલાલ મહેતાના ભાભીનું તા.૧૭-૯-૨૦૧૯ (મંગળવાર)ના રોજ અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થનુ બેસણુ કાલે તા.૧૯ને (ગુરૂવારે) ધુમકેતુ હોલ, ૪,૯ રોયલ પાર્ક, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સુત્રાપાડાના લોઢવાના સેવાભાવી હેલ્પર હરજીભાઇ સુદ્રાનું અવસાન

પ્રભાસપાટણ તા ૧૮ : સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામના સેવાભાવી હેલ્પર હરજીભાઇ સુદ્રા વર્ષોથી લોઢવા ગામમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે અને તેઓ નિવૃતિબાદ પણ પોતાની સેવા ચાલુ રાખેલ અને તેઓના તા.૧૭/૯/૧૯ ના રોજ ૭૪ વર્ષની ઉંમરે અવસાન પામેલ છે. તેમની ખુબજ સારી સેવાને કારણે લોઢવા ગામનાં લોકો તેમને કાયમી યાદ રાખશે અને તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેલ હતા. સ્વ. હરજીભાઇ વૈશ સુધાર છે અને તેમના પરીવારમાં ત્રણ પુત્રો છે. નિતીનભાઇ, સુભાષભાઇ અને વિજયભાઇ. તેમનું બેસણું તા.૨૦/૯/૧૯ ના રોજ શુક્રવારે લોઢવા મુકામે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

બાઢડાઃ રામબાઈબેન દેવજીભાઈ સોલંકીનું ૧૧૫ વર્ષની વયે નિધન

રાજકોટઃ બાઢડા ન્વિાસી વાણંદ રામબાઈબેન દેવજીભાઈ સોલંકી (ઉ.વ.૧૧૫) તે ડો.બાબુભાઈ, ઉકાભાઈ અને જીવનભાઈના માતુશ્રી તા.૧૬ના રોજ અક્ષરવાસ થયેલ છે. બેસણું તા.૨૦ના રોજ તેમજ ઉત્તરક્રિયા તા.૨૬ના રોજ તેમના નિવાસસ્થાન, બાઢડા, તા.સા. કુંડલા, જી.અમરેલી ખાતે રાખવામાં આવેલ છે.

નલિનીબેન મહેશભાઇ કોટકનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ સ્વ. ધીરજલાલ જાદવજી કોટકના પુત્રવધુ નલિનીબેન મહેશભાઇ કોટક (ઉ.વ. ૬ર) તે મહેશભાઇ (એ.જી. ઓફિસ નિવૃત સી.એકા.)ના ધર્મપત્નિ, ભાવિનભાઇ (શિક્ષક, આર.એમ.સી. સ્કુલ નં. ૩ર) અને કેતનભાઇ (આસી. મેનેજર, જીઆઇપીએલ)ના માતૃશ્રી તે ખુશાલભાઇ, ભાઇલાલભાઇ, દિનેશભાઇના નાનાભાઇના ધર્મપત્નિ તે સ્વ. મનસુખભાઇ વનમાળીદાસ પુજારા (મોરબી) ના સુપુત્રી તે ચંદ્રકાંતભાઇ, રજનીભાઇ, રમેશભાઇ તથા ગં. સ્વ. દમયંતીબેન રતિલાલ સેજપાલ (રાજકોટ)ના બેનનું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે.  સદગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તા. ૧૯ ગુરૂવારે સાંજે પ થી ૬ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, પુનિત હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.

કસ્તુરબેન વિરમગામા

રાજકોટ : ગુર્જર સુથાર કસ્તુરબેન ગીરધરભાઈ વિરમગામા (ગામ દળવીવાળા હાલ રાજકોટ) તે સ્વ.વિનોદભાઈ, જમનભાઈ, ઘનશ્યામભાઈ, સ્વ.વલ્લભભાઈ મોહનભાઈ વિરગામાના ભાભી તે રમાબેન અનિલકુમાર સોલગામા, ચંદ્રિકાબેન ગીરીશકુમાર જાલાપરા, રસીલાબેન મોરારજીભાઈ બકરાણીયાના માતુશ્રીનંુ તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને ગુરૂવારે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કમલેશ ઓઝા

રાજકોટઃ વાંકાનેરવાળા સ્વ.પુષ્પાબેન તથા સ્વ.જસવંતરાય દામોદરદાસ ઓઝાના પુત્ર કમલેશ ઓઝા (ઉ.વ.૬૨) (રિટાયર્ડ ડિવિઝનલ મેનેજર, ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કુ.)નો સ્વર્ગવાસ તા.૧૬ને સોમવારના રોજ થયેલ છે. જે વર્ષાબેનના પતિ તથા કૌશલભાઈ, ચિંતનભાઈના પિતા, પૂર્વીબેન કૌશલભાઈ ઓઝાના સસરા, ચી.વિવાનના દાદા, ભદ્રેશભાઈ (રિટાયર્ડ ન્યાય કોર્ટ), મૃદુલાબેન તથા જાગૃતિબેનના ભાઈ, સાધનાબેનના જેઠ, કુંજન સુબીરભાઈ ઓઝા, જિગીષાબેન અખિલભાઈના કાકા, સ્વ.હિંમતલાલ રવિશંકર ત્રિવેદી તથા ચંદ્રાબેનના જમાઈ ચેતનભાઈ ત્રિવેદી (એસ.બી.આઈ. ભાવનગર)ના બનેવીની બંને પક્ષની પ્રાર્થના સભા (સાદડી) તા.૧૯ને ગુરૂવાર સમય સાંજે ૪ થી૬ વૃજ વિહાર હોલ, હરજીભાઈ બારૈયાની નર્સરીની બાજુમાં, ઘોઘા સર્કલ, ભાવનગર મુકામે રાખેલ છે.

ભરતભાઈ પાટડીયા

રાજકોટ : નિવાસી સોની કાનજીભાઈ પરસોતમભાઈ પાટડીયાના પુત્ર ભરતભાઈ કાનજીભાઈ પાટડીયા તે ગોરધનભાઈ હીરજીભાઈ રાણપરા (ટંકારાવાળા)ના જમાઈ તથા સ્વ.પ્રફુલભાઈ, ભરતભાઈના બનેવી તથા શશીભાઈ, દિનેશભાઈ વિરેનભાઈના મોટાભાઈ તેમજ મિલન, હાર્ર્દિકના પિતા તા.૧૭ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૯ના રોજ ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ વાગ્યે રામ જરૂખા મંદિર, કોઠારીયા નાકા પાસે રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

મંજુલાબેન ચુડાસમા

રાજકોટ : મેવાડા સુથાર માણેકવાડાવાળા હાલ રાજકોટ મંજુલાબેન હેમતભાઈ ચુડાસમા (ઉ.વ.૭૪) તે અશ્વિનભાઈ, મુકેશભાઈના માતુશ્રીનું તા.૧૭ના મંગળવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ શ્રી કાઠીયાવાડ મેવાડા સુથાર જ્ઞાતિની વાડીએ, મવડી મેઈન રોડ, ઈન્દ્રપ્રસ્થ હોલ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૧૨૮૮ ૬૯૨૫૭.

પ્રફુલાબેન વાસાણી

રાજકોટ : વાસાણી પ્રફુલાબેન મનસુખભાઈ હાલ રાજકોટ (ઉ.વ.૫૪) તે વાસાણી મનસુખભાઈ દેવજીભાઈના ધર્મપત્નિનું તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી સિયાણીનગર મેઈન રોડ, ભવાની ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૭૩૭૭ ૭૭૧૩૩.

સુધાબેન સીતાપરા

રાજકોટ : શ્રી વરિયાવંશ પ્રજાપતિ રસીકભાઈ જેઠાભાઈ સીતાપરાના ધર્મપત્નિ સ્વ.સુધાબેન (ઉ.વ.૪૮) તે સ્વ.ગોપાલભાઈ તથા કિશોરભાઈ, હરેશભાઈના નાનાભાઈના ધર્મપત્નિ તેમજ હસમુખભાઈ હરજીભાઈ લાઠીયાના બહેન તા.૧૭ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ૩ સ્વામીનારાયણ પાર્ક, 'પિતૃ કૃપા', મવડી ગુરૂકુળ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

ત્રિભોવનભાઇ

વેરાવળ  : સ્વ. જમનાદાસ ગિરધરભાઇ માળીયાવાળાના પુત્ર ત્રિભોવનભાઇ ઉ.વ.૭૩, તે ડો વિજયભાઇ (અમરેલી), દીનુભાઇ (વેરાવળ), હરસુખભાઇ (જામનગર), ચંદુભાઇ (રાજકોટ), નટુભાઇ (રાજકોટ) ના મોટાભાઇ તેમજ શૈલેષભાઇ, મનીષભાઇ ના પિતાશ્રી તેમજ હાર્દિકભાઇના મોટા બાપુજી તા.૧૫ ના અવસાન થયેલ છે. સાદડી તા. ૧૯ ને સાંજે ૬ જૈન દેરાસર હોલ, શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.

ઉર્મીલાબેન ચંદવાણીયા

વેરાવળ  : ગુર્જર સુથાર સ્વ. રતીલાલ વગનલાલ ચંદવાણીયા ના પત્ની ઉર્મિલાબેન ઉ.૭૨, તે અશોકભાઇ, દીપકભાઇ, નીતીનભાઇ, દિનેશભાઇના માતુશ્રી તા.૧૬ ના અવસાન થયેલ છે. બેસણું તા ૧૯ ને બપોરે ૪ થી ૬ કામનાથ મંદિર, ઘનશ્યામ પ્લોટ, વેરાવળ ખાતે રાખેલ છે.

વિમળાબેન મહેતા

રાજકોટઃ મનહરલાલ ભાઇચંદભાઇ મહેતાનાં ધર્મપત્ની વિમળાબેન મનહરલાલ મહેતા (ઉ.વ.૮૭) તે ડો.રાજેષ મહેતા (યુ.એસ.એ.)નાં માતુશ્રી તથા મીના મહેતાના સાસુ, તથા રવિ-નેહાના દાદીમાં, તે સ્વ.મયાબેન તથા સ્વ.નિમુબેનનાં ભાભી તથા સ્વ.નિમચંદભાઇનાં પુત્રી, તે સ્વ.જયવંતભાઇ, તથા રજનીભાઇ અને નિતિનભાઇ તથા નિરંજનાબેનનાં મોટાબહેન તા.૧૧ના પીટર્સબર્ગ (યુ.એસ.એ.) મુકામે અરિહંત શરણ થયેલ છે. તેમની સાદડી તા.૧૯ના ગુરૂવારે સાંજે ૪ થી પ, મણીયાર દેરાસર, ચૌધરી હાઇસ્કુલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

દુધીબેન વ્યાસ

રાજકોટઃ મુ. ગઢકા, હાલ રાજકોટ દુધીબેન વ્યાસ (ઉ.વ.૮૬) તે સ્વ.મણીલાલ સુંદરજી દેત્રોજાના પત્ની, રાજુભાઇના માતુશ્રી તથા સ્વ.પ્રાણલાલ, સ્વ.બાબુભાઇ, સ્વ.કનૈયાલાલના ભાભી તેમજ ભાઇશંકરભાઇ (રાજપરા)ના બહેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૧૯ના ગુરૂવારે લીંબાસીયા હોલ, સીતારામ સોસાયટી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા રેલ્વે સ્ટેશન આગળ, સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

ભાનુબેન રાણીંગા

ઉપલેટાઃ ભાનુબેન નરોતમભાઇ રાણીંગા (ઉ.વ.૯પ) (ચૌટાવાળા) તે અશોકભાઇ જગદીશભાઇ દિલીપભાઇ તથા પટોડીભાઇના માતુશ્રીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ લોઠીયાવાડી ઉપલેટા તથા તા.ર૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ બીરલા હોલ ઉપલેટા ખાતે રાખેલ છે.

સવિતાબેન તન્ના

આમરણઃ બેલા નિવાસી સવિતાબેન ગોરધનભાઇ તન્ના (ઉ.વ.૧૦૪) તે હેમરાજભાઇ, લીલાધરભાઇ, ભગવાનજીભાઇના માતુશ્રી તા.૧૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.ર૦ શુક્રવારે સાંજે ૪ થી પ નિવાસસ્થાને બેલા (આમરણ) ખાતે રાખેલ છે.

મધુબેન વ્યાસ

રાજકોટઃ દવે વ્યાસ એન્ડ કાું. વાળા સ્વ.માર્કન્ડભાઈ વ્યાસના ધર્મપત્નિ મધુબેન (ઉ.વ.૯૪) તે પાર્થીવીબેન પ્રદીપભાઈ પંડ્યા તથા ચૌલાબેન ઠાકરના માતુશ્રીનું અવસાન તા.૧૬ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ મેસોનિક હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેષકુમાર લાઠીગરા

રાજકોટઃ ગોંડલ નિવાસી હિતેષકુમાર લલીતભાઈ લાઠીગરા તે સોની કનુભાઈ (નરેન્દ્રકુમાર) જમનાદાસ વડનગરા (કેશોદવાળા)ના જમાઈ તથા મનિષભાઈ, સંજયભાઈના બનેવીનું તા.૧૫ને રવિવારના રોજ ગોંડલ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડી  તા.૧૯ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે પુરીબાઈ હોલ, જીલ્લા ગાર્ડન પાસે, કેનાલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંછાબેન સાદરાણી

વીરપુર (જલારામ) : સ્વ. કાંતિલાલ નાનાલાલ સાદરાણી (નાની મોણપરી વાળા)ના ધર્મપત્ની ગં.સ્વ. મંછાબેન (ઉ.વ.૮પ) તે સ્વ. ગુણવંતભાઇ, રસિકભાઇ, ઘનશ્યામભાઇ, જનકભાઇ સાદરાણી તથા મધુબેન પ્રતાપરાય નથવાણીના માતુશ્રી તેમજ રવિ, સંદીપ, નિખિલ, કાનો તથા અમિષાબેન ગઢીયા (અમરેલી)ના દાદીમાં તેમજ બીલખા નિવાસી બુદ્ધિલાલ ગોવિંદજીભાઇ ગણાત્રાના બહેનનું તા. ૧૭ના રોજ વીરપુર (જલારામ) મુકામે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૯ના રોજ લોહાણા મહાજન વાડી વીરપુર સાંજના ૪થી ૬ રાખેલ છે.

હીરાબેન જોશી

મોરબી ફ મચછુ કાઠીયા મોઢ બ્રાહ્મણ સ્વ. જયસુખલાલ નાનાલાલ જોશીના ધર્મપત્ની ગં.સ્વ. હીરાબેન જયસુખલાલ જોશી (ઉ.વ.૮ર), તે તુલશી ગ્રુપ (મોરબી)ના પુષ્કરભાઇ, યોગેશભાઇના માતુશ્રી તથા અમીત, પ્રતિક, પ્રસિદ્ધના દાદીનું તા. ૧૭મીએ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું ૧૯મીએ સાંજે ૪ થી ૬, એ.કે. કોમ્યુ. હોલ, ન્યુ.ગુ.હા. બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી-સનાળા રોડ ખાતે રાખેલ છે.

રેખાબેન જોષી

ગોંડલઃ ગુજરાતી શ્રી ગૌડ માળવિય બ્રાહ્મણ ખાંડાધાર વાળા હાલ ગોંડલ સ્વ. હિંમતલાલ હરિલાલ જોષીના પુત્રવધુ તે વિમલભાઇ એચ. જોષીના ધર્મપત્ની રેખાબેન (ઉ.વ. પ૦) તે પ્રદીપભાઇ એચ. જોષીના નાનાં ભાઇના ધર્મપત્ની તથા ભરતભાઇ જોષી તથા હંસાબેન ડી. જોષી (જુનાગઢ) સ્વ. ઇલાબેન કે. પંડયા (રાજકોટ) સુધાબેન પી. જોષી (જેતપુર) સર્મિલાબેન પી. ભટ્ટ (રાજકોટ)ના ભાભી તથા વિવેકના કાકી અને કૃપલના ભાભુ તેમજ જીથુડીવાળા સ્વ. જયંતીલાલ અવલરામ પંડયાના પુત્રી તથા હર્ષદરાય જે. પંડયા તથા ચંદ્રિકાબેન જે. જોષી (સુરેન્દ્રનગર) તથા ગીતાબેન ભટ્ટ (સરધાર)ના નાનાં બહેનનું તા. ૧૭ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તથા ઉઠમણું તા. ૧૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ''હેમવાડી'' સ્ટેશન પ્લોટ એસ.પી. ઓફિસની સામે ગોંડલ મુકામે રાખેલ છે.

બટુકભાઈ માનસાતા

રાજકોટઃ મૂળ ન્યારાવાળા હાલ રાજકોટ સ્વ.ભગવાનજી માધવજી માનસાતાના પુત્ર બટુકભાઈ માનસાતા તે સ્વ.મણીભાઈ, સ્વ.કાન્તીભાઈના નાનાભાઈ તેમજ રમેશભાઈના મોટાભાઈ તેમજ ધ્રોલ નિવાસી સ્વ.કાનજીભાઈ રવજીભાઈ કોટેચાના જમાઈનું તા.૧૭ના મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ ગીતામંદિર, જંકશન પોલીસ ચોકી પાસે રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.