Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018
વિસાવદરના નાની મોણપરીના જમનામાનું ૧૦૭ વર્ષની વયે નિધન

વિસાવદરઃ તાલુકાના નાની મોણપરી ગામના વતની હાલ મુંબઇ, મલાડ નિવાસી જમનાબેન ગોવિંદજી ચુડાસમા (ઉ.વ.૧૦૭) તે સ્વ. ગોવિંદભાઇ દામજીભાઇ ચુડાસમાના પત્ની, તે દયાળભાઇ, શાંતિભાઇ, ચીમનભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. મનહરભાઇ, સ્વ. જીવતીબેન, સ્વ. સવિતાબેનના માતુશ્રી તે સ્વ. કાંતાબેન, પુષ્પાબેન, દક્ષાબેન, રંજનબેન, શિલ્પાબેનના સાસુ, તે અશોક, નીતિન, સતીશ, દીપક, પિયુષ, સારંગ, જુગલ, અંજુબેન, રિનાબેન, જયશ્રી, હીના, ભાવના, સ્વ. પ્રિયંકાના દાદી તા. ૧૫ ના અવસાન પામેલ છે. તેમની સાદડી શુક્રવાર તા. ૧૭ ના રોજ ૪ થી ૬ લક્ષ્મીનારાયણ મંદિર કાઠિયાવાડી ચોક, મલાડ ઇસ્ટ, મુંબઇ ખાતે રાખેલ છે.

ઘનશ્યામભાઈ કોટેચાનું દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણું

રાજકોટઃ સ્વ.ઘનશ્યામભાઈ પ્રાણજીવનદાસ કોટેચા (ઉ.વ.૭૩) તે સ્વ.મનસુખલાલ કોટેચા તથા કેશવલાલ કોટેચાનાં નાનાભાઈ તથા ડો.તુષારભાઈ કોટેચા તથા અરવિંદભાઈ કોટેચા તથા મહેન્દ્રભાઈ કોટેચાના મોટાભાઈ તથા અલ્પેશભાઈ અને ઉમંગભાઈ કોટેચાના પિતાશ્રી તથા સ્વ.ગીરધરલાલ પ્રેમજીભાઈ ભીંડોરાનાં જમાઈ તા.૧૬ને ગુરૂવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૮ને શનિવારે સાંજે ૫ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન નજીક ઓમ કાલેશ્વર મહાદેવ મંદીર, શ્રીજીનગર મેઈન રોડ, રામેશ્વર હોલ પાસે, રૈયા રોડ મુકામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

અવસાન નોંધ

નટવરલાલ વાઢેર

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા નટવરલાલ વિઠ્ઠલદાસ વાઢેર (રીટાર્ડ, એકા. ઓફિસર, પીજીવીસીએલ) (ઉ.વ.૮ર) તા.૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. તે ઉપેન્દ્રભાઇ નિતીનભાઇ (જેટકો), યોગેશભાઇ (પીજીવીસીએલ)નાં પિતાશ્રી, હર્ષાબેન, કિર્તીબેન, હેતલબેનના સસરાશ્રી, વસંતરાય, જમનાદાસ, વિનોદભાઇ, દિપકભાઇના મોટાભાઇ, ધૈર્ય, સુરભી, વૃષ્ટિ, આર્ના, મહિમા, મિતાલીના દાદાશ્રીનું બેસણું તા.૧૮ને શનિવારે સાંજે ૪ થી પ, નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઇસ્કૂલની બાજુમાં, ૮૦ ફુટ રોડ ખાતે રાખેલ છે.

મણીભાઇ સોલંકી

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના અમદાવાદ વાળા મણીભાઇ છગનભાઇ સોલંકીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તે ગીરધરભાઇ નાગજીભાઇ ચૌહાણ તથા લલિતભાઇ નાગજીભાઇ ચૌહાણના બનેવીનું સાસરી પક્ષનું બેસણું શનિવાર તા.૧૮ના સાંજે પ થી ૬, 'સહયોગ', ૧પ,ભકિતનગર સોસાયટી, ઢેબર રોડ ખાતે રાખેલ છે.

શારદાબેન ગોહીલ

રાજકોટઃ સ્વ.મગનલાલ રાઘવજીભાઇ ગોહીલના ધર્મપત્ની, શારદાબેન તે પ્રતાપભાઇ, બકુલભાઇ, ભાવેશભાઇ, રાજુભાઇ, મંજુબેન (અનિલભાઇ રાઠોડ - ખેડા જમાઇ), શીલાબેન (કિશોરભાઇ વાળા-ગોંડલ જમાઇ)નાં માતુશ્રીનું તા.૧૬ના સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. તા.૧૮ના ૪ થી ૬, બિલેશ્વર મહાદેવ મંદીર, શિવ સીઝન સ્ટોર સામે, ફુલછાબ ચોક, સદર બજાર, ખાતે રાખવામાં આવેલ છે. (

મધુબેન કારેલીયા

રાજકોટઃ મુળ ગામ શામપર (માધાપર) હાલ રાજકોટ લુહાર ભગવાનજીભાઇ નરસીભાઇના ધર્મપત્ની મધુબેન ભગવાનજી કારેલીયા (ઉ.વ.૭૦) તે મનોજભાઇ, જીતેશભાઇ, નિલેશભાઇ, અસ્મિતાબેનના માતુશ્રી તા.૧૬ના શ્રીરામ ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.ર૦ને સોમવારે ૪ થી ૬, ગુણેશ્વર મહાદેવ શ્રીનગર શે. પ, સહકાર મેઇન રોડ ખાતે રાખેલ છે.

હાજાભાઇ ચાવડા

કોડીનાર,: સાંઢણીધાર નિવાસી કારડીયા રાજપૂત ચાવડા હાજાભાઇ પીઠાભાઇ (ઉ.વ.૯ર) તે કાનાભાઇ (માજી સરપંચ - સાંઢણીધાર), ભગવાનભાઇ (શિક્ષક પ્રા. શાળા) તથા સવદાસભાઇના પિતા તેમજ જયદિપસિંહ, વનરાજસિંહ, રાહુલભાઇ, મેહુલભાઇ અને પ્રભાતસિંહના દાદાનું તા.૧૪ના રોજ અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

માનસિંહ બારૈયા

ગોંડલઃ કારડીયા રાજપૂત માનસિંહ હરિસિંહ બારૈયા (ઉ.વ.૭૦) તે અભેસિંહ, હેમંતસિંહના ભાઇ કિરીટસિંહના કાકાનું તા. ૧૫ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન સંધાણીના ડેલામાં ગોંડલ ખાતે રાખેલ છે.

હરજીવનદાસ નિમાવત

રાજકોટઃ મુળ થાણા પીપળી નિવાસી હાલ રાજકોટ રહેવાસી હરજીવનદાસ હિરાદાસ નિમાવત (ઉ.વ.૮૪) તે જયોત્સનાબેન (રાજકોટ), શારદાબેન (માણાવદર) તથા નાનાલાલ (રાજકોટ)નાં પિતાશ્રી તથા મયુરનાં દાદાનું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને શનિવારનાં રોજ સાંજે ૪ થી ૫ સ્થળ- તિરૂપતિ મેઈન રોડ, ભીડભંજન મહાદેવનું મંદિર, હનુમાન મઢી પાસે, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સોનલબેન વ્યાસ

રાજકોટઃ બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ.મુકુંદરાય વ્યાસ તથા સુધાબેન વ્યાસની પુત્રી સોનલબેન તે હિરલ રૂપેશભાઈ ઉપાધ્યાયના મોટાબેનનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને શનિવારના રોજ, સાંજે ૪ થી ૬ કલાકે, ૪, રોયલ પાર્ક, ધુમકેતું હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હરસનકુમાર જીવરાજાણી

હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્‍વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર અને યોગેશભાઇ, સંદીપભાઈ જીવરાજાણી, અને પુનીતાબેન ગણાત્રાના ભાઇ ભરતભાઇ, સુભાષભાઈ જીવરાજાણીના ભત્રીજા, તેમજ સ્‍વ. બાબુલાલ કેશવજીભાઇ સોમૈયા (આટકોટવાળા) ના ભાણેજ તા.૧૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તેમજ સાદડી તા. ૧૭ને શુકવારના રોજ સાંજે ૪ થી ૫ નિલકંઠ મહાદેવ મંદિર, વિષ્‍ણુનગર ૨, નવલખીરોડ, મોરબી ખાતે રાખેલ છે

ચંદ્રિકાબેન શાહ

રાજકોટ : ચંદ્રિકાબેન અરૂણભાઈ શાહ (ઉ.વ.૮૪) તે શરદભાઈ (અંકલેશ્વર), બકુલેશભાઈ (નાગરીક બેંક) તથા મિતેશભાઈ (નીશીતા એન્ટરપ્રાઈઝ)ના માતુશ્રી તા.૧૭ના વહેલી સવારે અરિહંત શરણ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૦મીના સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ થી ૧૨ જૈન ભુવન, ૨૧ જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

હિંમતલાલ દોશી

રાજકોટ : વાંકાનેર નિવાસી હાલ રાજકોટ હિંમતલાલ કાનજીભાઈ દોશી (ઉ.વ.૮૪) તે શૈલેષભાઈ એચ. દોશી, જીઈબી - વણાંકબારી, ઈલાબેન જયેશકુમાર મહેતા - જૂનાગઢ, પ્રકાશભાઈ એચ. દોશી - કેનેડા તેમજ રીટાબેન એચ. દોશી મોદી સ્કુલ - રાજકોટના પિતાશ્રી તા.૧૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભુપતભાઈ બારડ

રાજકોટ : ચોટીલા નિવાસી ભુપતભાઈ મુળુભાઈ બારડ તે દિનેશભાઈ, અશોકભાઈ, ધર્મેન્દ્રભાઈના  પિતાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખેલ છે.

ભરતકુમાર છગ

વેરાવળ : ભરતકુમાર ગોકળદાસ છગ (ઉ.વ.૫૨) તે સ્વ. મનસુખલાલ ધરમશી અઢીયાના જમાઇ, હિતેનકુમાર મનસુખલાલ અઢીયા, વિજયભાઇ, ગીરીશના બનેવીનું તા. ૧૪ના અવસાન થયેલ છે. સાદડી તા. ૧૭ને શુક્રવારે બપોરે ૪ થી ૫ શ્રીનાથજી કૃપા, સાંઇનાથ એપાર્ટમેન્ટ પાછળ, એસ.બી.એસ. કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.