Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021
કેશોદના જુની પેઢીના પત્રકાર શામજીભાઇ મહેતાનું અવસાન

કેશોદઃ ત્રણ પેઢીથી અખબારી આલમ સાથે જોડાયેલા શામજીભાઇ મહેતા પરિવારના મોભી પત્રકાર પ્રેમશંકર શામજીભાઇ મહેતા ઉ.૮પ) તે લલિતાબેનના પતિ તથા અશ્વિનભાઇ (રાજકોટ), મનીષભાઇ (પત્રકાર કેશોદ), કેતનભાઇ (મુંબઇ), બ્રિજેશભાઇ(જેતપુર), મધુબેન નરેન્દ્ર વ્યાસ (ગાંધીનગર) કિરણબેન જયેશ જોષી (લાલપુર), જલ્પાબેન રાજેશ વ્યાસ (કેશોદ)ના પિતાજી અને સ્વ. વસંતભાઇ, જયસુખભાઇ, મગનભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. લાભુબેન જેન્તીલાલ વ્યાસ સ્વ.શાંતાબેન રમેશકુમાર વ્યાસ, સ્વ. રમાબેન ધીરજલાલ પંડયાના ભાઇનું તા.૧પને સોમવારે અવસાન થયું છે બેસણું તા.૧૮ ને ગુરૂવારે  સાંજે ૩ થી પ વાગ્યા સુધી કુતનાથ મહાદેવ મંદિર સામે માંગરોળ રોડ, કેશોદ ખાતેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે કેશોદના અખબારી આલમ સાથે વર્ષો સુધી જોડાયેલા પ્રેમશંકર શામજીભાઇ મહેતાના અવસાનથી કેશોદના મીડીયા કર્મીઓએ એક પીઢ વડીલ ગુમાવ્યા છે.સદ્દગતને ભાવભરી શ્રદ્ધાંજલી આપી હતી.

પોલીસ કોન્સ્ટેબલ ઓસમાણભાઇ સુમરાના માતુશ્રી હવાબેન સુમરાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ હવાબેન અભરામભાઇ સુમરા (ઉ.વ.૧૦૦) તે પોલીસ કોન્સ્ટેબલ ઓસમાણભાઇ અભરામભાઇ સુમરાના માતુશ્રીનું તા. ૧૪/૧૧ના અવસાન થયું છે. તેમનું બેસણું ૧૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૫, તેમના નિવાસ સ્થાન પોલીસ હેડકવાર્ટર બ્લુ ચાર માળીયા બ્લોક નં. ૨/૧૮ ખાતે રાખેલ છે.

 (ઓસમાણભાઇ-૯૮૨૪૦ ૯૫૬૮૨)

અવસાન નોંધ

ચોટીલાના સીનીયર એડવોકેટ મુગટલાલ શાહનું અવસાન

રાજકોટઃ મુગટલાલ ભનુલાલ શાહ (એડવોકેટ) (ઉ.વ.૯૬) તે ભાનુમતીબેનના પતિ તથા સંજયભાઇ, ભારતીબેન, પ્રદીપભાઇ મહેતા, જાગૃતિબેન ભરતભાઇ ગાંધી, રાજશ્રીબેન શૈલેષભાઇ મહેતા તથા સ્વાતીબેન પીયુષભાઇ ગાંધીના પિતાશ્રી તા.૧૫ના અરિંહત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઇ મો.૯૪૨૭૨૭૧૨૧૧

રમેશચંદ્ર હરિયાણી

રાજકોટઃ લોહાણા સ્વ. જીવરાજભાઇ બેચરદાસ હરિયાણી (ગાંડાલાલ ઓધવજીભાઇ વાળા) ના પુત્ર રમેશચંદ્ર જીવરાજભાઇ હરિયાણી તે ભાવીનભાઇ તથા કાવ્યાબેન તુષારકુમાર કકકડના પિતાશ્રી શુભમ તેમજ ધરમના દાદા તથા સ્વ.વિનેદરાય, સ્વ. નટુભાઇ, સ્વ. તનસુખભાઇ તથા જીતેન્દ્રભાઇ અને સ્વ. પ્રવિણાબેન કાથરાણી અરૂણાબેન ઠકરાર, અનંતાબેન મોંઢાના ભાઇ તેમજ ભારતીબેનના સસરા તા.૧૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી૭ દિપકહોલ સંસ્કાર મંડળ ખાતે રાખેલ છે. તથા પિયરપક્ષ ધ્રાંગધ્રાવાળા નાગરદાસ મગનલાલ પુજારાનું સાથે રાખેલ છે.

ડો.સુરેશભાઈ ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ, હાલ બજરંગપુર નિવાસી સ્વ.ડો.સુરેશભાઈ શાંતિલાલ ઠાકર તે જીતુભાઈ શાંતિલાલ ઠાકર તથા કિશોરભાઈ શાંતિલાલ ઠાકરના મોટાભાઈ તેમજ ચંદ્રિકાબેનના નાનાભાઈ તથા ધિરજલાલ વેણિશંકર ઠાકરના (સાળા) તા.૧૪ને રવિવારના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેણસું તા.૧૮ને ગુરૂવારે સવારે ૯ થી ૧૧ રાખેલ છે. સ્થળઃ બજરંગપુર, જીતુભાઈ મો.૯૯૨૫૪ ૭૬૫૫૮, કિશોરભાઈ મો.૯૯૧૩૭ ૯૦૮૧૮, જયશ્રીબેન મો.૯૩૧૬૨ ૬૭૦૮૧, ધિરજલાલ ઠાકર મો.૯૯૨૫૦ ૮૦૬૧૩

ભગવતીબેન શુકલ

રાજકોટઃ સ્વ.ભગવતીબેન પ્રદિપભાઈ શુકલ (ઉ.વ.૭૩) મુળ હળવદ હાલ રાજકોટ નિવાસી તે પ્રદિપભાઈ મુગટલાલ શુકલ (બીએસએનએલ)નાં ધર્મપત્નિ, બીનાબેન વ્યાસ, મનોજભાઈ શુકલ, નિકુંજભાઈ શુકલનાં માતુશ્રીનું તા.૧૫ સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬, શ્રી ધરમેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભદ્રાબેન શાહ

રાજકોટઃ સોનગઢ નિવાસી બ્ર.ભદ્રાબેન શાંતિલાલ શાહ તે સ્વ.મહેશભાઈ (કુમાર પ્રીન્ટર) તથા નવીનભાઈ (લંડન)ના બહેન તથા દિલીપ, ભદ્રેશ, તેજસના ફૈબાનું તા.૧૪ના દેહપરિવર્તન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દિલીપભાઈ એમ. શાહ મો.૯૪૦૯૨ ૫૭૦૧૧