Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019
અવસાન નોંધ

શ્યામભાઈ જયંતિલાલ કારીઆનું અવસાન : કાલે ઉઠમણું - સાદડી

રાજકોટ : સ્વ.જયંતિલાલ લક્ષ્મીદાસ કારીઆના પુત્ર શ્યામભાઈ જયંતિલાલ કારીઆ (ઉ.વ.૫૨) તે દિપકભાઈ કારીઆ, જીતેન્દ્રભાઈ કારીઆ (એસબીઆઈ), યોગીનીબેન કક્કડ (એલઆઈસી) અને સંગીતીબેન રાયઠઠ્ઠાના ભાઈ તથા માનવ અને વિધિના પિતા, જે કાંતિલાલ ભીમજીભાઈ ભોંડેરાના જમાઈ (બામણબોરવાળા) તા.૧૫ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનુ ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને એકતા ટાવર, કેન્સર હોસ્પિટલ પાછળ, તિરૂપતિનગર, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ રાજકોટ ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

પોરબંદરના સીન્ડીકેટ બેન્કવાળા જયંતભાઇ અડોદરાનું સાંજે ઉઠમણુ

પોરબંદર તા. ૧૬: દશા શ્રીમાળી (વૈષ્નવ) જૈન વણિક સ્વ. લલીતચંન્દ્ર છબિલદાસભાઇ અડોદરા (સેન્ટ્રલ બેન્કવાળા)ના પુત્ર જયંતભાઇ (ઉ.વ.૬૧) (સીન્ડીકેટ બેન્કવાળા)ના તા.૧૪ના રોજ અરીહંતશરણ પામેલ  છે. ઉઠમણું અને બેસણુ તા. ૧૬મીએ બુધવારે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વંડી બપોરે ૩ થી ૪ ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

નિર્મળાબેન ભટ્ટીનું અવસાનઃ શુક્રવારે બેસણુ

રાજકોટઃ. ગં.સ્વ. નિર્મળાબેન યશવંતરાય ભટ્ટી તે મેહુલ ભટ્ટી (પો. કોન્સ.) અને બીપીન ભટ્ટીના માતુશ્રી તથા રાહુલ અને વિમલના દાદીનું તા. ૧૬ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ 'પિતૃ  આશિષ' ઉદયનગર-૨, શે. નં. ૮, મવડી ચોકડીની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

ઉર્મિલાબેન કામદાર

રાજકોટ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. લલિતચંદ્ર વનેચંદભાઇ કામદારના ધર્મપત્ની ઉર્મિલાબેન લલિતચંદ્ર કામદાર (ઉ. ૭પ) તે મહાવીર ઓટોમોબાઇલવાળા નિલેશભાઇ, કલ્પેશભાઇ તથા આલોકભાઇના માતુશ્રી તથા સ્વ. ત્રંબકલાલ લાડકચંદ વોરાની સુપુત્રી તેમજ મહેન્દ્રભાઇ, મનોજભાઇના બહેનનું તા. ૧ર શનિવારના રોજ અરિહંત શરણ પામ્યા છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭ ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુમાં, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

પંકજભાઇ પારેખ

રાજકોટ : પંકજભાઇ પારેખ તે રમણીકલાલ ભાનુભાઇ પારેખના સુપુત્ર, મનુભાઇ બિન્નીવાળાના જમાઇ, નીશાબેનના પતિ, તે અ.સૌ. ચાર્મી સિદ્ધાર્થ શેઠ તથા સિદ્ધાર્થભાઇના પિતાશ્રીનું તા. ૧૬ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ કલાકે, આદિત્ય હાઇટસ, ઇ-૧૦ર કોપર હાઇટસ સામે, ગોપાલ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગરનાં અમૃતલાલ કોઠારીનું અવસાન : કાલે બેસણું

રાજકોટ : કાલાવડ નિવાસી હાલ જામનગર અમૃતલાલ છગનલાલ કોઠારી (ઉ.વ.૮પ) નું તા.૧૫ને મંગળવારે અવસાન થયેલ છે. તે ભાવેશભાઇ તથા કિરણબેન બીપીનકુમાર માટલીયા (સાવરકુંડલા) ભાવનાબેન મનીષકુમાર પારેખ (રાજકોટ)ના પિતાશ્રી થાય. તેમનંુ ઉઠમણુ તા.૧૭ને ગુરૂવારે સવારે ૯ વાગ્યે તેજ પ્રકાશ સોસાયટીમાં રાખેલ છે. તથા પ્રાર્થનાસભા સવારે ૧૦.૩૦ વાગ્યે અજરામરની જૈન વાડી જયશ્રી ટોકીઝ વાળી શેરી, નવાનગર હાઇસ્કુલની સામે રાખેલ છે.

મુકેશભાઇ અજમેરા

દામનગરઃ  માજી નગરપતિ  હસમુખરાય ત્રંબકરાય અજમેરા ના પુત્ર મુકેશભાઈ હસમુખરાય (ધોળુંભાઈ) ઉવ ૬૪ ં આફ્રિકા ના નૈરોબી ખાતે તા૧૪ ના રોજ અરિહંત ચરણ પામેલ છે સદગત ની લોંકીક પ્રથા બંધ રાખેલ છે.

લાભુબેન કુકરવાડીયા

મોરબી :મૂળ હડમતીયા હાલ રવાપર નિવાસી લાભુબેન છગનલાલ કુકરવાડીયા તે રમેશભાઇ , મનસુખભાઇ અને જગદીશભાઇના માતા તા. ૧૫ના રામ ચરણ પામેલ છે. બેસણુ તા. ૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન સરદાર પટેલ સોસાયટી શેરી નં.૦૧, પુષ્કર એપાર્ટમેન્ટ વાળી શેરી , રવાપર ગામ તા. મોરબી ખાતે  રાખેલ છે.

શાંતિલાલ પડીયા

આટકોટ-જસદણ : બ્રહ્મક્ષત્રિય શાંતિલાલ છગનલાલ પડીયા ( ઉ. વ. ૭૯ ), તે રમેશચંદ્ર, મનીષભાઈ, અનિરૂઘ્ધભાઈ તથા વિમલભાઈના પિતાશ્રીનું તા. ૧૫ ના  અવસાન થયેલ છે. ં બેસણું તા.૧૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કાપડના કારખાને , હાઈસ્કૂલ રોડ, આટકોટ ખાતે રાખેલ છે.

ધીરજલાલ દલીચા

મોરબી : ખાખરેચી નિવાસી હાલ મોરબી ધીરજલાલ ગોરધનદાસ દલીચા (ઉ.વ.૮૨) તે વિનોદભાઈ, બીપીનભાઈ, દિનેશભાઈ અને ધનસુખભાઈના ભાઈ તેમજ દીપકભાઈ, વર્ધમાનભાઈ, હીનાબેન અને નીનાબેનના પિતા તા. ૧૫ ના  અરીહંતશરણ પામેલ છે .બેસણું તા. ૧૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન મધુવન સોસાયટી, નેશનલ હાઈવે રોડ, મોરબી-૨ ખાતે રાખેલ છે

કિશોરભાઈ ચાવડા

રાજકોટઃ કિશોરભાઈ પંચાણભાઈ ચાવડા (ઉ.વ.૬૦) તે મૂળજીભાઈ ચાવડા, છોટુભાઈ ચાવડા, વિનુભાઈ ચાવડાના નાનાભાઈ તથા મહેન્દ્રભાઈ ચાવડા, મહેશભાઈ ચાવડાના મોટાભાઈ તથા પાર્થ ચાવડા તથા ચેતનાબેન ચાવડા, ધર્મિષ્ઠાબેન રાઠોડ, નેહાબેન ચાવડાના પિતાશ્રીનું તા.૧૩ રવિવાર શરદ પૂર્ણિમાના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકના પ્રાર્થના ખંડ, રાષ્ટ્રીયશાળામાં રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા, તા.૨૧ને સોમવારના રોજ રાખેલ છે.

પુષ્કરરાય ઝવેરી

રાજકોટઃ કુમારભાઈ તથા વિરેનભાઈ ઝવેરીના પિતાશ્રી પુષ્કરાય ઝવેરચંદ ઝવેરીનું અવસાન તા.૧૫ના રોજ થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ 'અંબર' સત્ય સાંઈ હોસ્પિટલની બાજુમાં કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રમણીકલાલ શેઠ

રાજકોટઃ મુળ મોરબીવાળા હાલ રાજકોટ નિવાસી રમણીકલાલ છોટાલાલ શેઠ- કંસારા (ઉ.વ.૮૬) તે અશ્વીન રમણીકલાલ શેઠ (નિવૃત શિક્ષક વીસી હાઈસ્કૂલ મોરબી) તથા લલીત રમણીકલાલ શેઠ (ટાઉનપ્લાનીંગ ઓફીસર ગોંડલ), રક્ષા ગીરીશભાઈ કંસારા, નીતા જયેશભાઈ ગોરડીયાના પિતાશ્રી તથા ભૌમિક, દિશાંત, ઋતિવક, મેઘાવીના દાદાજી તા.૧૫ના રોજ ઠાકોરજી શરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસ સ્થાને 'જયોતી' ૯૮- નારાયણનગર, સત્ય સાંઈ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઉષાબેન બગડાઈ

રાજકોટઃ સ્વ.અ.સૌ.ઉષાબેન મધુસુદન બગડાઈ ઠકકર મધુસુદન પિતાંબરભાઈ બગડાઈના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ.૭૫) તે સુભાષ ઈન્ડસ્ટ્રીઝ રાજકોટવાળા રાજુભાઈ, પરેશભાઈ બગડાઈ અને સોનલબેન રાજેશકુમાર ખીમાણીના માતુશ્રી ધ્રુમિલ, અભય, યશ્વી, ક્રિષાના દાદીમા તથા મોહનલાલ નારણજીભાઈ દક્ષિણીના દીકરી (મોહનલાલમ એન્ડ સન્સ વાળા) જયંતિભાઈ, જયસુખભાઈ દીલીપભાઈના બહેન તા.૧૫ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

રીંકલબેન પોકાર

રાજકોટઃ ચેતનભાઈ દેવચંદભાઈ પોકાર (જીનીયસ કોમ્પ્યુટરવાળા)ના ધર્મપત્ની રીંકલબેન ચેતનભાઈ પોકાર (મુળ કચ્છ- મેરાઉ) (ઉ.વ.૩૧)નું તા.૧૨ શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ ગુરૂવાર સવારે ૮:૩૦ થી ૧૦ કલાકે જાનકી પ્લાઝા, ગોવિંદ રત્ન ગ્રીન સીટી, શેરી નં.૩, ન્યુ ૮૦ ફુટ રોડ, પુનિતનગરની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૭૧૪૨ ૦૨૩૧૪)

મુકુંદભાઇ ગઢીયા

જામખંભાળિયા : દામોદર મુળજી ગઢીયા (દામાભાઇ ધોડા ગાડી વારા)ના પુત્ર મુકુંદભાઇ (ઉ.વ.પ૮) તે રાજુભાઇના પિતાશ્રી તથા હરીશભાઇના મોટાભાઇ, હાર્દિકભાઇના અદા, તે હંસાબેન, મધુબેન, રેણુબેન, જાગુબેનના ભાઇ તેમજ ક્રિષ્ના પ્રો. સ્ટોર સ્વં. કાંતિલાલ કુરજી દતાણીના જમાઇ તથા  સુરેશભાઇ તથા નિલેષભાઇના બનેવીું તા.૧પના  અવસાન થયેલ  છે. સદગતની પ્રાર્થનાસભા તથા સાસરા પક્ષની સાદડી તા.૧૭ ગુરૂવારે જલારામ મંદિરે સાંજે ૪ થી ૪.૩૦ ભાઇઓ તથા બહેનો માટે સંયુકત રાખેલ છે.

મુકતાગૌરી મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ કોટડાપીઠા હાલ જબલપુર (એમ.પી.) મુકતાગૌરી ભગવાનજી મહેતા (ઉ.૯૪) તે ભાયલાલભાઇ મહેતા (કોટડાપીઠા), કંચનબેન બી.મહેતા (હાલ-જબલપુર) રમાબેન બી. મહેતા, (અમરેલી) ના બહેન અને દીપકભાઇ બાબુભાઇ મહેતાના ફૈબાનું તા.૧પના જબલપુર (એમ.પી.) ખાતે અવાસન થયેલ છે. બેસણું તા.૧૭ ને ગુરૂવારે સાંજે ૪ કલાકે દીપક બી.મહેતાના નિવાસ સ્થાને જબલપુર(એમ.પી.) ખાતે રાખેલ છે.

લક્ષ્મીબેન ચાવડા

જુનાગઢઃ સ્વ. લક્ષ્મીબેન મગનભાઇ ચાવડા (ઉ.૮પ) તે કિશોરભાઇ મગનભાઇ ચાવડાના માતુશ્રી (જુનાગઢ-સુરત રોડવેઝ) તેમજ પ્રશાંત કિશોરભાઇ ચાવડા (ગાયત્રી કલર) તથા વરૂણ કિશોરભાઇ ચાવડા (મહાપુજા ડેવલોપર્સ)ના દાદીમાંનુ તા.૧૪ ના અવસાન થયેલ છે તેમનું બેસણુ તા.૧૭ ના ગુરૂવારના રોજ ૪ થી ૬ શ્યામવાડી જુનાગઢ ખાતે રાખેલ છે.

જેન્તીભાઇ ચૌહાણ

ગોંડલઃ લીલાખાના સવજીભાઇ પરસોતમભાઇ ચૌહાણના પુત્ર જેન્તીભાઇ તે રીનાબેન, પ્રતિકભાઇ, સાહિલભાઇના પિતા તથા નરશીભાઇ, અશોકભાઇ, રાજેશભાઇ, ધીરજભાઇના ભાઇ અશ્વિનકુમાર પ્રાણજીવનભાઇ બજાણીયાના સસરાનું તા.૧પ ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પટેલ સમાજ લીલાખા મુકામે રાખેલ છે.

હસમુખભાઇ નિરંજન

ગોંડલઃ મોવિયાના રામાનંદી સાધુ હસમુખભાઇ (ભીખુભાઇ) ત્રંબકદાસ નિરંજન પ્રમુખ રામાનંદી સમાજ (ઉ.૬૩) તે ગોરધનદાસબાપુ (મહંત શ્રી રાંદલ મંદિર ગોંડલ)ના ભાઇ તથા કૌશિકભાઇ, હિતેશભાઇના મોટાબાપુજી તથા સમીરભાઇના (જમાઇ) ભગીરથભાઇ તથા જાગૃતિબેન, રશ્મિતાબેન, જીંકલબેનના પિતાશ્રીનું તા.૧પ ના રોજ અવસાન થયેલ છે બેસણુ તા.૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, મોવિયા ગામ મુકામે રાખેલ છે.

નિલાબેન મહેતા

ગોંડલ  : નિલાબેન  વિશાલભાઇ મહેતા (ઉ.વ.૪૦) તે વિનોદભાઇ શાંતિલાલ મહેતાના પુત્રવધુ તે અરહમ ગ્રુપના મેમ્બર અજયભાઇ (પોસ્ટ ઓફિસ), તથા કેતનભાઇ (બેંગલોર) નાનાભાઇ વિશાલભાઇના ધર્મપત્નિનું તા. ૧૫ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૭ને ગુરૂવારે શ્રી પુજાણી ઉપાશ્રય, સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે સાંજે ૪ કલાકે રાખેલ છે.

ભારતીબેન ઝિઝુવાડીયા

રાજકોટઃ સ્વ.અમૃતલાલ લક્ષ્મીચંદ ઝિંઝુવાડીયાના પુત્ર ઘનશ્યામભાઇના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ.૬૩) તે સ્વ.રાજેન્દ્રભાઇના ભાભી તથા ચેતનભાઇ, મેહુલભાઇ તથા સોનલબેન યોગેશકુમાર ચરાડવાના માતુશ્રી તથા જામનગર નિવાસી સ્વ.કિશોરભાઇ ઠાકરશીભાઇ ચોકસી તથા દિનેશભાઇ અને ભરતભાઇના બેન તા.૧પના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારે બપોરે ૩-૩૦ થી પ-૩૦ કલાકે પારેખ વાડી, ખત્રીવાડ, ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે જ રાખેલ છે.

પ્રદિપભાઇ ભટ્ટ

રાજકોટઃ ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ પ્રદીપભાઇ જેઠાલાલ ભટ્ટ (ઉ.વ.૬૦) (ધ્રાફાવાળા) તે રશ્મિબેનના પતિ તથા સોનલ, રૂપલ, અર્જુનના પિતાશ્રી તથા ભરતભાઇ જેઠાલાલ ભટ્ટના મોટાભાઇનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ કલાકે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ગાંધીગ્રામ ૩/૧૧નો ખુણા, ખાતે રાખેલ છે.

વીણાબેન રાજાણી

રાજકોટઃ વીણાબેન હિંમતલાલ રાજાણી (ઉ.વ.૮૪) તે અતુલભાઇ (ડાલસ), સુનીલભાઇ (ન્યુજર્સી), સુધીરભાઇ, બીનાબેન (લંડન), સાધનાબેન, સોનલબેનનાં માતુશ્રીનું તા.૧પના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧૭ના સાંજે પ થી ૬ હરિહર સોસાયટી કમ્યુનિટી હોલ કાલાવાડ રોડ ખાતે રાખેલ છે.

ઓધવજીભાઇ સોની

રાજકોટઃ શ્રી ગીરનારા સોની જ્ઞાતિ રાજકોટ સોની ઓધવજીભાઇ સવજીભાઇ લુંભાણી (ભાવનગર વાળા) (ઉ.વ.૯પ)નું તા.૧પના અવસાન થયેલ છે. તે જીજ્ઞેશભાઇ (સ્વાગત રીફાઇનરી) વાળા તથા પંકજભાઇના પિતા અને ધૃવભાઇના દાદા થતા હતા. સ્વ.નું બેસણું તા.૧૭ના ગુરૂવારે ૪ થી ૬, રાણીંગાવાડી, કાંતા વિકાસ ગૃહ રોડ મીલપરા ખાતે રાખેલ છે.

મનહરલાલભાઇ વાગડીયા

રાજકોટઃ ટંકારાવાળા સોની ત્રિકમજીભાઇ કુકડાભાઇ પારેખના જમાઇ મોરબી નિવાસી મનહરલાલ મુળજીભાઇ વાગડીયા (ઉ.વ.૭૩) તા.૧૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે ધીરૂભાઇ, હસુભાઇ, સ્વ.મણીલાલ, પ્રવિણભાઇ, ભરતભાઇ, જયેશભાઇના બનેવીનું બેસણું પંચનાથ મહાદેવ મંદિરે તા.૧૭ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે.

ગોપાલભાઇ શુકલ

રાજકોટઃ શ્રીગોળ સાતુદળ મેડતવાડ બ્રાહ્મણ રાજકોટ નિવાસી કલ્પેશભાઇ ભાનુભાઇ શુકલના પુત્ર ગોપાલ કલ્પેશભાઇ શુકલનું તા.૧૫ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારે ગીતા મંદીર જંકશન પ્લોટ મેઇન રોડ ખાતે સાંજે ૪-૩૦ થી પ-૩૦ રાખેલ છે.

ચમનભાઇ વાઘેલા

રાજકોટઃ વાણંદ મુળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ ચમનભાઇ ભીખુભાઇ વાઘેલા તે રાજેશભાઇ તથા હિતેષભાઇના પિતા, તથા મનુભાઇ ભીખુભાઇ તથા રમણીકભાઇ તથા કિશોરભાઇ વાઘેલાના મોટાભાઇ તથા પોરબંદર નિવાસી વિનુભાઇ લવજીભાઇ તથા લલિતભાઇ તથા અશોકભાઇ વાઘેલા તથા મેંગણી નિવાસી દિનેશભાઇ તથા સુરેશભાઇ બચુભાઇ વાઘેલાના મોટાભાઇ તથા મહેશકુમાર પનારા તથા ધર્મેન્દ્રકુમાર હિરાણીના સસરા તથા સ્વ.ધીરજલાલ પ્રેમજીભાઇ ગોહેલના બનેવીનું તા.૧પના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું બન્ને પક્ષોનું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, વાણંદ સેવા સમાજની વાડી, લક્ષ્મીનગર-ર ખાતે સાથે રાખેલ છે.

ધનસુખભાઇ સાદરાણી

જેતપુરઃ હરજીવનદાસ ભુટાભાઇ સાદરાણી (તમાકુવાળા) ના પૌત્ર ધનસુખભાઇ લક્ષ્મીદાસ સાદરાણી (ઉ.૬પ) તે તરૂલતાબેન લલીતકુમાર માખેચા (કેશોદ) કિરણબેન રાજેન્દ્રકુમાર માધવાણી (સા.કુંડલા) ઇન્દુબેન કિરીટકુમાર સુચક (રાજકોટ) ના ભાઇ તેમજ દુર્લભજી ભીમજી (જુનાગઢ) ના ભાણેજનું તા. ૧પ ના અવસાન થયેલ ઉઠમણું તા.૧૭ને ગુરૂવારે સાંજે  ૪ થી પ શામનાથ મહાદેવ મંદિર, દેશાઇવાડી  જેતપુર ખાતે રાખેલ છે.

દક્ષાબેન પાટડીયા

રાજકોટ : મોરબીવાળા હિરાલાલ રેવાશંકર વાગડીયાના દિકરી સુબોધભાઇ નરેન્દ્રભાઇના બહેન, દેવેન્દ્રભાઇ, ઘનશ્યામભાઇના ફઇબા દક્ષાબેન હરેન્દ્રભાઇ પાટડીયા તા. ૧૩ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું પિયર પક્ષનું બેસણું તા. ૧૭ બપોરે ગુરૂવારે ૩-૩૦થી પ-૦૦ કોઠારીયા નાકા ખીજડાવાળી યુનિટ નં. ર, રાજકોટ રાખેલ છે. (મો. ૯પ૧૦ર ૦૪પ૪૭, ઘનશ્યામભાઇ)

પ્રવિણાબેન બલદેવ

રાજકોટ : મગનલાલ ભવાનભાઈ બલદેવના પુત્રવધુ પ્રવિણાબેન તે જગદીશભાઈ બલદેવના ધર્મપત્નિ, તે રીમાબેન, અંકિતાબેન તથા હર્ષના માતુશ્રી તેમજ તપનકુમાર ભુપેશભાઈ સોઢાના સાસુ તેમજ સ્વ.હરીલાલ વીરજીભાઈ પાબારી (ગોંડલ)ના પુત્રીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે ભવનાથ મહાદેવનું મંદિર, શિવમ પાર્ક, રૈયા ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, અમૃતા હોસ્પિટલની બાજુની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાસ્કરભાઈ સેવક

રાજકોટ : સારસ્વત બ્રાહ્મણ ભાસ્કરભાઈ કલ્યાણજી સેવક (ઉ.વ.૭૭) તેઓ શ્રી રામેશ્વર સેવકના નાનાભાઈ તથા મધુભાઈ અને નરેન્દ્રભાઈ સેવકના મોટાભાઈ તેમજ નમ્રતાબેન અને કવિતાબેનના પિતા તેમજ જોડીયાવાળા આનંદભાઈ જોષીના બનેવીનું તા.૧૫ના કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ ધરમેશ્વર મહાદેવ મંદિરે, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ, ધરમેશ્વર સોસાયટી - રાજકોટ ખાતે રાખેલ છે.

રમણીકલાલ મહેતા

રાજકોટ : ચા. મ. મોઢ બ્રાહ્મણ મુળ દેરાળા હા. રાજકોટ સ્વ.લક્ષ્મીશંકર મહેતા, સ્વ.હરજીવન મહેતા, સ્વ.રેવાશંકર મહેતા (મહેતા સ્વીટ માર્ટ) સ્વ. વજેશંકર મહેતાના પુત્ર રમણીકલાલ વજેશંકર મહેતા (ઉ.વ.૬૫) તેઓ સ્વ.શરદભાઈ, બાલુભાઈ, કાનાભાઈ, અવંતિકાબેન, તરૂલતાબેન, નાનીબેન કુંદનબેનના ભાઈ તેમજ ભાવેશ (નીલેશ), સંજયભાઈ, સંગીતાબેન જાનીના પિતા તેમજ સ્વ.ભાઈશંકરભાઈ નરશીરામ જોષી (ધુનડા ખા)ના જમાઈનું તા.૧૫ના મંગળવારે થયેલ છે. સદ્દગતનું ઉઠમણું - બેસણું તા.૧૭ના ગુરૂવારના સાંજે ૪ થી ૫ મીલપરા રોડ, મોઢ બ્રાહ્મણની વાડી, રાજકોટ ખાતે વિભાગ-૨માં રાખેલ છે.

તળસીભાઈ સગપરીયા

રાજકોટ : મુળ ગામ ભંડારીયા - ભાડલા હાલ રાજકોટ નિવાસી સગપરીયા તળશીભાઈ ખોડાભાઈ (ઉ.વ.૮૮) તે અરવિંદભાઈ, મનીષભાઈ, મંજુબેન રણછોડભાઈ ઠુંમર સરધાર, રમાબેન બાબુલાલ કચ્છી સુલતાનપુર, શોભનાબેન ઈશ્વરભાઈ પાટડીયા, ખાંભડા, જયોત્સનાબેન વિનુભાઈ ટીંબડીયા, રીબડા, કિરણબેન મનસુખભાઈ બારંભીયા હડમતાળાના પિતાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ સુધી લક્ષ્મીનગર શેરી નં.૨/૭ કોર્નર, ખોડીયાર મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

દેવજીભાઇ ધોળકીયા

રાજકોટઃ રેલ્વે રીટાયર્ડ ડ્રાઇવર દેવજીભાઇ સીદીભાઇ ધોળકીયા, તે ભીમજીભાઇ ક્રિષ્ના ગાર્ડન જુલાવાળા,  નરશીભાઇ રેલ્વે રીટાયર્ડ તેમજ જેન્તીભાઇ ક્રિષ્ના ફર્નીચરવાળાના મોટાભાઇ તેમજ પ્રફુલ તથા જયેશભાઇના પીતાશ્રીનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.૨૦ના તેમના નિવાસ સ્થાને રેલનગર-૨, પોપટપરા પાસે શેરી નં.૩ ખાતે રાખેલ છે.