Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018
અવસાન નોંધ

ભુપતરાય પંડ્યા

રાજકોટઃ નિવાસી ગુર્જરપુષ્કરણા બ્રાહ્મણ ભુપતરાય રામેશ્વર પંડ્યા, (ઉ.વ.૭૭) તે નિતીનભાઈ, રાજુભાઈ, રેખાબેન તથા નૂતનબેનના પિતાશ્રી તા.૧૪ના રોજ અવસાાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે, ''ઉદય હોલ'' ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

સરોજબેન જાદવાણી

રાજકોટઃ જાદવાણી ગુર્જર સુતાર સ્વ.હર્ષદભાઈ માવજીભાઈ જુના દેવળીયા વાળા હાલ રાજકોટ (ગ્રીફટ ડાયસ એન્ડ મોલ્ડ વાળા) નિવાસીના ધર્મ પત્ની સરોજબેન હર્ષદભાઈ જાદવાણી (ઉ.વ.૬૦) તે જગદીશભાઈના નાનાભાઈના ધર્મપત્ની તથા ચંદ્રેશભાઈ, જીતુભાઈના ભાભી, સુભાષભાઇ, કિશનભાઈ તથા ધાર્મિષ્ઠાબેનના માતુશ્રી તે ભવિનકુમારના સાસુનુ તા.૧૩ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું (બંને પક્ષ) બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ પુનીતનગર સોમનાથ મહાદેવના મંદિરે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. ખંભાયતા મગનભાઈ લાલજીભાઈની દીકરી પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ભરતદાસબાપુ દેવમુરારી

રાજકોટઃ દેવમુરારી ભરતદાસબાપુ પ્રભુદાસજી (ઉ.વ.૬૮) તે નિલેશભાઇના પિતાશ્રી તા.૧૩ના રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, માનસરોવર મંદિર આજી ડેમ ચોકડી, માનસરોવર-ર, પિતૃ પાન વાળી શેરી, ખાતે રાખેલ છે.

રંજનબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના કેશોદ નિવાસી હાલ રાજકોટ રંજનબેન ભાનુશંકર વ્યાસ (ઉ.વ.૬પ) તે સ્વ.ભાનુશંકર મુકુંદરાય વ્યાસના ધર્મપત્ની, તેમજ મનીષભાઇ, નરેન્દ્રભાઇના માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન હરિઓમ પાર્ક-૧, ખોખડદડી નદીની બાજુમાં, હુડકો ચોકડી પાસે, રાખેલ છે.

લાભશંકરભાઇ ત્રિવેદી

ઉનાઃ લુવારી મોલી ગામના શ્રી ગોડ મેડતવાળ બ્રાહ્મણ લાભશંકરભાઇ ગીગાભાઇ ત્રિવેદી ઉ.વ. ૯૨ને રમણીકભાઇ, અરવિંદભાઇ, જયસુખભાઇ, દિનેશભાઇ તથા શારદાબેન, ગીતાબેન ના પિતાશ્રી ૧૩ના કૈલાસવાસી થયા છે. ઉઠમણું સાદડી તા. ૧૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને લુવારી મોલી ગામે રાખેલ છે.

ભરતદાસબાપુ દેવમુરારી

રાજકોટ : દેવમુરારી ભરતદાસબાપુ પ્રભુદાસજી ઉ.વ. ૬૮ તે નિલેશભાઇના પિતાશ્રીનું તા. ૧૩ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૧૭ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે માનસરોવર મંદિર (આજીડેમ ચોકડી, માનસરોવર -૨, પિતૃ પાન વાળી શેરી) માં રાખેલ છે.

સામુબેન રૈયાાણી

ગોંડલ : સામુબેન બચુભાઇ રૈયાણી ઉ.૮૫ તે વિનોદભાઇ, રમેશભાઇ ના માતા સાગર, ઋષિલ ના દાદીમાં નું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે બેસણું : તા. ૧૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ પટેલ વાડી જેલચોક, ગોંડલ રાખેલ છે.

હિતેષભાઇ રાઠોડ

મોરબીઃ હિતેશભાઇ ગીરધરભાઇ રાઠોડ તે રસીલાબેન ગીરધરભાઇ રાઠોડના પુત્ર તથા સ્વ. પ્રકાશભાઇ રાઠોડના નાનાભાઇનું તા. ૧૨ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૭ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે કુલીનગર બ્લોક નં ૩૪, વીસીફાટક રોડ મોરબી ખાતે રાખેલ છે.

હેમકુંવરબેન ટાંક

ગોંડલ : હેમકુંવરબેન શિવલાલભાઇ ટાંક ઉ.૭૩ તે દિલીપભાઇ, ભરતભાઇ, રમેશભાઇના માતા, મનીષભાઇ તથા કાલવનના દાદીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે બેસણું તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર, સહજાનંદ નગર ગોંડલ ખાતે રાખેલ છે.