Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019
એડવોકેટ હરેશભાઇ પરસૌડાના પિતાશ્રીનું અવસાન : શનિવારે બેસણું

રાજકોટ : રાજકોટ નિવાસી સ્વ. ડો. ભીખુભાઇ મોહનભાઇ પરસોડા (ઉ.વ.૬૯) તે હરેશભાઇ પરસોડા (એડવોકેટ) તથા સ્વ. શૈલેષભાઇ પરસોડા (એડવોકેટ)ના પિતાશ્રી તથા સુબોધભાઇ પરસોડાના મોટાભાઇશ્રીનું તા. ૧૪/૦ર/ર૦૧૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું/ પ્રાર્થનાસભા તા. ૧૬/૦ર/ર૦૧૯ને શનિવાર ના રોજ સાંજના ૪.૦૦ થી ૬.૦૦ કલાકે ''કિશન કનૈયા'', ભોમેશ્વર કો-ઓપ. હાઉસીંગ સોસાયટી, શેરી નં. ર, ફળેશ્વર મહાદેવ મંદિર પાસે, પ્રેસ કોલોની પાછળ, જામનગર રોડ, રાજકોટ મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

એડવોકેટ જી. એલ. રામાણીના માતુશ્રીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ રાજકોટના રેવન્યુ પ્રેકટીશનર સીનીયર એડવોકેટ જી. એલ. રામાણીના માતુશ્રી સંતોકબેન લીંબાભાઇ રામાણી (ઉ.વ.૧૦૧)નું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (સરદાર ભવન) માયાણીનગર માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી મવડી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સમાજના દાતા અને નિવૃત શિક્ષિકા અંબાબેન ધંધુકિયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ અંબાબેન લક્ષ્મણભાઈ ધંધુકિયા (ઉ.વ. ૮૫) તે રમેશભાઈ લક્ષ્મણભાઈ ધંધુકિયા તથા કિશોરભાઈ લક્ષ્મણભાઈ ધંધુકિયાના માતુશ્રી તેમજ ઋષિ, ભૌમીક તથા દેવાંગના દાદીમાનું તા. ૧૪-૨-૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૬-૨-૧૯ના શનિવારે સાંજે ૪ થી ૬ પોતાના નિવાસ સ્થાને 'આનંદી આશ્રમ' પાસે (ભકિતનગર રેલ્વે સ્ટેશન પાછળ) લક્ષ્મીનગર શેરી નં. ૧ રાજકોટ મુકામે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ ચુડાસમા

રાજકોટ : જીતેન્દ્રભાઇ પીતામ્બરભાઇ ચુડાસમા તે દીનેશભાઇના મોટાભાઇ તેમજ સંદિપ અને નૈનેશના પિતાશ્રીનું તા. ૧૫ ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૬ ના શનિવારે સાંજે ૪ થી ૬ ફળેશ્વર મંદિર, બજરંગવાડી શેરી નં.ર ખાતે રાખેલ છે.

મીનાબેન દત્તાણી

જામનગર : મીનાબેન શાંતિલાલ દત્તાણી તે સ્વ. શાંતિલાલ દેવજી દત્તાણીનાં પત્ની તથા રાજુ (ડિલેશ) શાંતિલાલ દત્તાણી તેમજ નીતા પરિમલ વસંતના માતુશ્રી, તે દયારામ જીવરાજ ચંદારાણા (વાંકાનેર)ના પુત્રી તા. ૧૪ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણુ તા. ૧પ ને શુક્રવારે ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં સાંજે ૪ થી ૪-૩૦ રાખેલ છે. 

પાર્વતીબેન કાકવાણી

જેતપુર : સિંધી બ્રહ્મખત્રી પાર્વતીબેન ગંગારામ કાકવાણી (ઉ.૯૦) તે હેમનદાસ મુરારીલાલ, ભગવાનદાસ, જગદીશ, કનૈયાલાલના માતુશ્રી તેમજ મોહનભાઇ રામનાણીના બહેનનું તા. ૧ર ના અવસાન થયેલ છે.

નિર્મળાબેન રાયચુરા

પોરબંદરઃ નિર્મળાબેન (ઉ.૭૯) તે સ્વ. ગોપાલજીભાઇ લાલજીભાઇ રાયચુરાના પત્ની, બચુભાઇ (પાલિકા) રમણીકભાઇ, હેમલતાબેન, વનીતાબેન તથા હર્ષાબેનના માતુશ્રી તેમજ સ્વ. સુંદરજીભાઇ નાનજીભાઇ ગોકાણી (દ્વારકા) ની દીકરીનૂં તા.૧પમીએ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.૧૬મીએ શનિવારે બપોર ૩-૩૦ થી ૪ લોહાણા મહાજન વંડી પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.

અનિલભાઈ રાણપરા

રાજકોટઃ અનિલભાઈ જેન્તીલાલ રાણપરા (ઉ.વ.૬૩) તે સોની જેન્તિલાલ શાન્તિલાલ રાણપરા (ટંકારાવાળા)નાં પુત્ર તેમજ શિતલબેન, દિપાલીબેન, ચાંદનીબેન, સીમાબેન, બ્રિજેશના પિતાશ્રી તેમજ કિશોરભાઈ, અશ્વિનભાઈ, પ્રકાશભાઈના મોટાભાઈ તથા સ્વ.દુર્લભજીભાઈ નાગરદાસભાઈ આડેસરાનાં જમાઈ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૫નાં બપોરે ૪:૩૦ થી ૬ પારેખવાડી ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યહવાર બંધ છે.

હર્ષદકુમાર રાણપરા

રાજકોટઃ સોની ધરમશીભાઈ ગોકળભાઈ વાગડીયાના જમાઈ તે રામજીભાઈ, અનિલભાઈ, કાન્તિભાઈ, કિશોરભાઈ, વસંતભાઈના બનેવી સોની હર્ષદકુમાર ઉજમશીભાઈ રાણપરા (ખરેડાવાળા) ચરાડવા મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમના સસરા પક્ષનું બેસણુ તા.૧૬ શનિવારે સાંજે ૫ થી ૬ નટેશ્વર મહાદેવ મંદિરે ૮૦ ફુટનો રોડ, શેઠ હાઈસ્કુલની બાજુમાં રાજકોટ મુકામે રાખેલ છે.

વાલજીભાઈ ગોહેલ

રાજકોટઃ મૂળ કાંગશીયાળીવાળા વાણંદ વાલજીભાઈ પરસોતમભાઈ ગોહેલ તે સુંદરજીભાઈના નાનાભાઈ તેમજ સ્વ.વલ્લભભાઈ, બટુકભાઈ, જગદીશભાઈના મોટાભાઈ તેમજ પંકજભાઈ અને મહેશભાઈના પિતાશ્રી તેમજ પ્રતિક, વિરલ તથા આર્યનના દાદા તેમજ પ્રકાશભાઈ કેશુભાઈ સોલંકીના સસરા તેમજ સાજડીયાળીવાળા કેશુભાઈ માધવજીભાઈ ગોંડલીયાના બનેવીનું તા.૧૪ના ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના શનિવારે સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મંદિર, મવડી પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેશચંદ્ર દોશી

રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ રાજકોટ સુરેશચંદ્ર મોહનલાલ દોશી (ઉ.વ.૭૯) તે સુલોચનાબેનનાં પતિ તથા રોશનભાઈ દોશીના મોટાભાઈ, પરેશભાઈ (રાજકોટ), જયેશભાઈ (જુનાગઢ), ગૌતમભાઈ (મુંબઈ)નાં પિતા તથા જીનેશ, આદિત્ય, ધ્રુમીલનાં દાદાનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્મશાનયાત્રા તા.૧૫ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૬ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૧:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

રશ્મીબેન પાઠક

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા રશ્મિબેન પ્રવિણભાઇ પાઠક (ઉ.વ.૬૬) તે સ્વ.પ્રવિણભાઇ ચુનીભાઇ પાઠકના પત્ની અને ધવલભાઇ તથા નેહલબેનના માતુશ્રી તથા જતીનભાઇ પ્રફુલ્લભાઇ શુકલના સાસુ તથા પોરબંદરવાળા અશોકકુમાર ધીરજલાલ પંડયાના બહેનનું અવસાન થતાં તેમનું બેસણું તા.૧૬ના શનીવારે સાંજે ૪ થી પ, પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

શાંતાબેન સોલંકી

રાજકોટઃ વાણંદ મુળ હડમતીયા જંકશનવાળા હાલ રાજકોટ નિવાસી શાંતાબેન જયરામભાઇ સોલંકી (ઉ.વ.૮૮) તે બળવંતભાઇ, કનુભાઇ, કાંતિભાઇ તથા વિનોદભાઇ કુંદનબેન ચુડાસમા, હંસાબેન મરદનીયાના માતુશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના શનીવારે તુલશીબાગ રૈયા ટેલીફોન એકસચેન્જ વાળોરોડ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

મનિષકુમાર કોઠારી

મોરબીઃ ધ્રોલ નિવાસી હાલ રાજકોટ સ્વ. મનહરલાલ ગુલાબચંદ કોઠારીના નાના પુત્ર મનિષકુમાર મનહરલાલ કોઠારી તે સ્વ. ચંદ્રકાંતભાઈ રૂપચંદ શેઠ-મોરબીના જમાઈ, વિભૂતિબેનના પતિ તથા જયેશકુમાર કોઠારી, સુધાબેન અશોકકુમાર ગાંઠાણી, નીલાબેન મુકેશકુમાર વોરા, બીનાબેન એમ. કોઠારીના નાના ભાઈ અને અપૂર્વ તથા જીનાલીના પિતાશ્રી અને કેયુરભાઈ શેઠ, તન્મયભાઈ શેઠ (મોરબી)ના બનેવી તા. ૧૪ના ગુરૂવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ઉઠમણુ તા. ૧૬ને શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે શ્રી ગોંડલ રોડ (વેસ્ટ) ઉપાશ્રય, શિવાનંદ આંખની હોસ્પીટલ પાછળ, જયંત સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

રૂપાબેન જાની

વાંકાનેરઃ ગીરીશભાઈ નાનાલાલ જાનીના પત્ની રૂપાબેન (ઉ.વ. ૪૦)નું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬ ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી, રામચોક - વાંકાનેર રાખેલ છે.

રેખાબેન કંસારા

મોરબીઃ ગો.વા. કંસારા નટવરલાલ મણીલાલના પુત્રવધુ ગં.સ્વ. રેખાબેન રાજેશભાઈ કંસારાનું તા. ૧૪ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૫ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કંસારા શેરી ગ્રીન ચોક મોરબી રાખેલ છે.

ગોકળભાઈ રીબડીયા

ચલાલાઃ ચલાલા પટેલ સમાજના આગેવાન અને પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીના સસરા તથા મનુભાઈ રીબડીયાના નાના ભાઈ ગોકળભાઈ રણછોડભાઈ રીબડીયા (ઉ.વ. ૬૮) તે ચતુરભાઈ રીબડીયાના મોટાભાઈ તેમજ ગુણવંતભાઈ અને રોેનકભાઈના પિતાશ્રીનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે.

નરસિંહદાસ ઠકરાર

રાજકોટઃ નરસિંહ દાસ કરશનદાસ ઠકરાર (ઉ.વ.૬ર) (નાગપુર) તે પ્રભુદાસ કરસનદાસ ઠકરાર, સ્વ. ધનસુખભાઇ કરસનદાસ ઠકરાર, સ્વ. મનુભાઇ કરસનદાસ ઠકરાર (જામનગર) તથા સુરેશભાઇના ભાઇ તેમજ પ્રિતેશ અને કુમારના પિતા તથા વિમલભાઇ, ભાવીનભાઇ, હિરેનભાઇ અને જયંતભાઇના કાકાનું અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૬ને શનીવારે સાંજે ૪ થી પ વિશ્વેશ્વર મંદિર, મવડી પ્લોટ રાજકોટમાં રાખેલ છે.

ભરતભાઇ સુરાણી

રાજકોટઃ સ્વ. વાણંદ ભરતભાઇ શામજીભાઇ સુરાણી (ઉ.વ.૫૫) મુળ સતિયા હાલ ખોખડદળ તે સ્વ. જેન્તીભાઇ શામજીભાઇ સુરાણી તથા બાબુભાઇ તથા રમેશભાઇ તથા દિનેશભાઇ તથા મુકેશભાઇ તેમના ભાઇ તથા નિતિનભાઇ તથા કેતનભાઇના પિતાશ્રી તથા વાગુદળ સ્વ. ગોવિંદભાઇ જસાભાઇ રાઠોડના જમાઇનું તા.૧૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણું શનિવારને તા.૧૬ના  સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ખોખળદળ રાખેલ છે.

પુષ્પાબેન ઝાંઝમરીયા

રાજકોટઃ સ્વ. સોની પુષ્પાબેન વૃજલાલ ઝાંઝમરીયા (કલકતાવાળા) (ઉ.વ.૯૦) તે ગૌ.વા. સોની પ્રભુદાસ મુલચંદ રાજપરા ગૌ.વા. હરગોવિંદ મુલચંદ રાજપરા, ગૌ.વા.પ્રાણજીવન મુલચંદ રાજપરા તથા અક્ષય સુરેશભાઇ રાજપરાના ફઇબા તા.૧૧ના સોમવારે શ્રીજી ચરણ પામેલ  છે. તેમની પિયરપક્ષની સાદડી તા.૧૬નેે શનિવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. શ્યામકુવરબાઇ વાડી દરબાર ગઢ ચોક પાસે રાખેલ છે.

નિલાબેન પારેખ

રાજકોટઃ ચિ. નિલાબેન કનૈયાલાલ પારેખ (ઉ.વ. ૫૫) તે સુનિલ પારેખ (સીટીઝન્સ બેન્ક) તથા રાજીવ પારેખ (આઈઓબી)ના બહેન તા. ૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૧૫-૨-૧૯ના સવારે ૮.૧૫ કલાકે ૭-વૈશાલીનગર, 'શ્રીજી' ગાયત્રી મંદિર પાસે રૈયા રોડ રાજકોટ ખાતેથી નીકળી હતી. સદ્ગતનું ઉઠમણુ શનિવાર તા. ૧૬-૨-૧૯ સાંજે ૫.૩૦ મોઢવણિક બોર્ડિંગ, ૫-રજપુતપરા રાજકોટ ખાતે રાખેલ છે.

સાવરકુંડલામાં દાદાબાપુના ભત્રીજાનું દુઃખદ અવસાન

સાવરકુંડલાઃ પીર સૈયદ મહમુદબાપુ પીર સૈયદ ગુલામઅલીબાપુ કાદરી ફાતમીના સાહેબઝાદા સૈયદ 'મુહમદ હસનપીર બાપુ' જે પીરે તરીકત અલ્હાજ સૈયદ દાદાબાપુ કાદરીના ભત્રીજા અને પીર સૈયદ શાહ નવાઝબાપુ તથા સૈયદ જાવેદબાપુ તેમજ સૈયદ પીરબાપુના વાલીદ સાહેબ (પિતા) આજ રોજ તા. ૧૫-૨-૧૯ને શુક્રવારના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેમની જીયારત તા. ૧૭-૨-૧૯ને રવિવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી મસ્જીદે ઉસ્માન, નવા કબ્રસ્તાન ખાતે રાખેલ છે.

વિઝન ગ્રાફિકસવાળા દિલીપભાઈ હિરપરાના બનેવીશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ મુળ મોટી વાવડી નિવાસી, હાલ અમદાવાદ શામજીભાઈ રવજીભાઈ અજુડીયા (ઉ.વ.૬૫) તે જતિન તેમજ નિરજાના પિતારી તથા દર્શીના દાદાશ્રી અને શિલ્પાબેન તથા હિતેષભાઈ અડાલજાના સસરા તેમજ પ્રવિણભાઈ હિરપરા- ધોરાજી, સુરેશભાઈ- અરણી તથા દિલીપભાઈ- વિઝન ગ્રાફિકસ રાજકોટવાળાના બનેવીશ્રીનું મંગળવારના રોજ તેમના વતન મુ.મોટી વાવડી, તા.કાલાવડ (શીતલા), પોપટભાઈ રવજીભાઈ અજુડીયાના નિવાસ સ્થાને રાખેલ છે.