Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022
જામજોધપુર સગર સમાજના પૂર્વ પ્રમુખ મોહનભાઇ નકુમના મોટાભાઇનું અવસાન

જામજોધપુરઃ કરશનભાઇ નારણભાઇ નકુમ ઉ.૭૬ તે અરજણભાઇ તથા મોહનભાઇ નકુમના મોટાભાઇ તથા જયેશના અદાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૫ને ગુરૂવારે ૪થી ૬ તિરૂપતિ સત્‍સંગ હોલ જામજોધપુર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જશુબેન માવદિયા

રાજકોટઃ (આમરણ નિવાસી) હાલ રાજકોટના વાળંદ જશુબેન મનસુખભાઇ માવદિયા (ઉ.વ.૭૭) તે મનસુખભાઇ બચુભાઇ માવદિયાના ધર્મ પત્‍ની તથા સ્‍વ. મહેન્‍દ્રભાઇ, બળવંતભાઇ, ભરતભાઇ માવદિયા, તથા રસીલાબેન કાંતીલાલ શીશાંગીયા, ટીનુબેન નીતીનકુમાર સોલંકીના માતૃશ્રી તથા સ્‍વ.પ્રાણભાઇ   બચુભાઇ, નરશીભાઇ બચુભાઇ માવદિયાના મોટાભાભીનું તા.૧૩ને મંગળવારના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું ધરમનગર મેઇન રોડ ધર્મેશ્વર મહાદેવ મંદિર ૧૫૦ રીંગ રોડ ર્સ્‍ટલીંગ હોસ્‍પિટલ પાછળ-રાજકોટ ખાતે ૧૫ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ કલાક સુધી રાખેલ છે.   

કૌશિકભાઇ નિમાવત

ગોંડલઃ મૂળ સોખડાવદરના અને હાલ ગોંડલ સ્વ.ધીરજલાલ કરશનદાસ નિમાવતના પુત્ર કૌશિકભાઇ ઉ.૪૪ તે વિનોદરાયના ભાઇનું ૧૨ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૫ને ગુરૃવાર સાંજે ૪થી ૬ સંતોષીમાંનુ મંદિર રાજકોટ હાઇવે ગોંડલ મુકામે રાખેલ છે

મોનીકાબેન શેઠ

મોરબીઃ જીતેન્દ્રભાઇ પ્રભુદાસ શેઠના ધર્મપત્ની શ્રીમતી મોનિકાબેન તે કૌશલભાઇ, દિપાલીબેન અને મોક્ષાબેનના માતૃશ્રી તથા ધારાબેન શેઠ, સંજયભાઇ શેઠ(મોરબી) અને વિશાલભાઇ શાહ (વલસાડ)ના સાસુ તથા મૈત્રી, આગમના દાદી અને લબ્ધીના નાનીનું તા. ૧૪ના અવસાન થયેલ છે. સ્મશાનયાત્રા તેઓના નિવાસસ્થાન લાભલક્ષ્મી એપાર્ટમેન્ટ, ન્યુ બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ મોરબીથી સાંજે ૫ વાગે લીલાપર સ્મશાને નિકળશે.

કિશોરભાઇ સોલંકી

ઉપલેટાઃ કિશોરભાઇ કાળુભાઇ સોલંકી ઉ.૫૭ તે જગદીશભાઇ, અનીલભાઇના મોટાભાઇ તથા દિપકભાઇના પિતાશ્રી તા.૧૨ સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૫ને ગુરૃવારે ૪થી ૬ ત્રિલોકનાથ મહાદેવ મંદિર, આદર્શ સોસાયટી, ઉપલેટા મુકામે રાખેલ છે.

જતીનભાઇ રાઠોડ

રાજકોટ : મુ.ગામ ભાડલા વજુભાઇ મોહનભાઇ રાઠોડના પુત્ર જતીનભાઇ રાઠોડ (ઉ.વ.૪૨) તે નરેશભાઇ અને અલ્કાબેનના ભાઇ તેમજ રસિકભાઇ ગાંડાલાલ ભટ્ટીના ભાણેજનું તા. ૧૨ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૬ ના સાંજે ૪ થી પ પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

દિનેશચંદ્ર મહેતા

રાજકોટઃ શાં.ડાયાલાલ ચત્રભુજ મહેતાના સુપુત્ર શા.દિનેશચંદ્ર ડાયાલાલ મહેતા(ઉ.૭૪) તે પ્રભુદાસ નેમચંદ દોશી માણાવદર વાળાના જમાઇ તેમજ મધુબેન, વિનોદભાઇ, નયનાબેના ભાઇ તેમજ ડિમ્‍પલ, પારસ, ચંદ્રેશના પિતાશ્રી, તથા રોહીતકુમાર, ખ્‍યાતિબેન, ડોલીબેનના સસરા તથા માનસી, ચાર્મી, એંજલ, મંથનના નાના તેમજ પાવન, અક્ષત જૈનીના દાદા તા.૧૩ના રોજ મંગળવાર સવારે ૮ કલાકે અરીહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૫ ગુરૂવારે સવારે ૯થી ૧૦ કલાકે તેમજ પ્રાર્થના સભા સવારે ૧૦.૩૦ કલાકે રાખેલ છે. સ્‍થળઃ સુરજવાડી બગીચા સામે ઉપલેટા પારસઃ ૯૪૨૮૨ ૧૨૬૧૦, ચંદ્રેશઃ ૯૪૨૮૨ ૭૯૧૩૬

જયશ્રીબેન મહેમદાવાદીયા

રાજકોટઃ મૂળગામ મોરબી હાલ રાજકોટ સ્‍વ. જયશ્રીબેન કાંતિલાલ (કનુભાઇ) મહેમદાવાદીયા, (ઉ.૫૧) તે કાંતિલાલ મોહનલાલ મહેમદાવાદીયાના ધર્મપત્‍ની તેમજ ચાંદનીબેન નિશીતકુમાર અઘેરા, સમીરભાઇ કાંતિલાલ મહેમદાવાદીયાના માતૃશ્રીનું તા.૧૨ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ રામજી મંદિર, રામનગર મેઇનરોડ, પી.ડી.માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયભાઇ રાવલ

રાજકોટઃ વિજયભાઇ માણેકલાલ (ઉ.૫૮) નિવૃત કર્મચારી, ગેરી, રાજકોટનું તા.૧૩/૦૯/૨૦૨૨ અને મંગળવારેના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫/૦૯/૨૦૨૨ અને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૫ તીર્થ ૪-કૈલાશવાડી, તેજાભાઇ મીઠાઇવાળાની બાજુમાં, જંકશન પ્‍લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન પોપટ

રાજકોટઃ ભારતીબેન પોપટ (મધુ) (ઉ.૬૨) હાલગોદીયા તે ભુપેન્‍દ્રકુમાર પોપટના પત્‍ની, રાજકોટ સ્‍વ.કાન્‍તીલાલ એમ રાજવીર લીલાવંતીબેન કે રાજવીના પુત્રી, પ્રદિપભાઇ રાજવીર, ભાવેશભાઇ રાજવીર, જયશ્રીબેન માણેક, ભુમીકાબેન તન્ના ક્રિષ્‍નાબેન કાનાબારના બહેન પ્રશાંત પી. રાજવીર મીહીર પી.રાજવીરના ફઇબાનું તા.૧૩ ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા પીયર પક્ષની સાદડી તા.૧૫ના સાંજે ૪થી ૫, રાજકોટ નટેશ્વર મંદીરે રાખેલ છે.

ચેતનભાઇ રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપુત ચેતનભાઇ વિજયસિંહ રાઠોડ (જીઇબી વાળા) તે વિજયસિંહ રાઠોડ (જીઇબા વાળા) ના પુત્ર તેમજ ડો.કલ્‍યાણજીભાઇ રાઠોડના ભત્રીજા તેમજ મનુભાઇ દેવજીભાઇ પરમારના જમાઇ તે વિજયભાઇ વિમલભાઇ, કલ્‍પેશભાઇનાં બનેવીનું તા.૧૨ના અવસાન થયેલ છે. બેસણું ગુરૂવારને તા.૧૫નાં સાંજે ૪થી ૬ કારડીયા રાજપુત સમાજની વાળીએ (મવડીચોકડી) રાખેલ છે.