Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020
નાથીબેન સાગરનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટ,તા.૧૪: વનમાળીદાસ પરસોત્તમ સાગરના ધર્મપત્નિ નાથીબેન વનમાળીદાસ સાગર (ઉ.વ.૮૭) તે સ્વ.પ્રકાશભાઈ, દિનેશભાઈ, અરૂણાબેન મુકુંદરાય ધકાણ તથા ભારતીબેન નરેન્દ્રભાઈ દીવેચા (દુબઈ)ના માતુશ્રી તથા સંદીપભાઈ, દિપેશભાઈ તથા કરણભાઈના દાદી, મોહનભાઈ લક્ષ્મણભાઈ ધકાણના દીકરી તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૬ને સોમવારના રોજ અંબિકાપાર્ક, રૈયા રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

રાજયના વકફ બોર્ડના ચેરમેન શેખ સજ્જાદભાઇ હીરાના પત્નીનું નિધન : કાલે રાજકોટમાં બેસણું

જસદણ : દાઉદી વ્હોરા મરિયમબહેન હીરા (ઉ.વ.૬૯) તે તાહેરઅલી ભારમલના સુપુત્રી ગુજરાત રાજયના વકફ બોર્ડના ચેરમેન શેખ સજ્જાદભાઇ ફઝલેહુસેનભાઇ હીરાના ધર્મપત્ની, શબ્બીરભાઇ (એડવોકેટ)ના ભાભી તાહેરભાઇ, ફાતેમાબેનના માતા તા. ૧ર માર્ચ ગુરૂવારના રોજ અમદાવાદ મુકામે અવસાન પામેલ છે.

સદ્ગતનું બેસણું તા. ૧પ ને રવિવારના રોજ બ્રહ્મપુરીની વાડી, સુચક સ્વરાજ કરીયાણાવાળી  શેરી દીવાનપરા મેઇન રોડ સવારે ૧૦-૩૦થી ૧૧-૩૦ સુધી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

જોષનાબેન ચૌહાણ

રાજકોટ : લુહાર સવજીભાઈ રતનશીભાઈ ચૌહાણ (રાણપુર સોરઠવાળા)ના ધર્મપત્નિ જોષનાબેન તે રાજેશભાઈ, ગોપાલભાઈ, ગીતાબેન, જયોતિબેન, રેખાબેનના માતુશ્રી તેમજ પ્રવિણભાઈ પરમારના બહેનનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૬ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસ સ્થાને ૯/૪ શ્રમજીવી સોસાયટી, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ત્રિભોવનદાસ જુઠાણી

રાજકોટ : માળીયા હાટીના નિવાસી હાલ રાજકોટ ત્રિભોવનદાસ ગોરધનદાસ જુઠાણી (ઉ.વ.૭૪) (ગુજરાત મશીનરી કોર્પોરેશન / જશવંત ટ્રેડર્સવાળા) તે સ્વ.જશવંતભાઈ, મહેશભાઈ, ચિતરંજનભાઈના ભાઈ તેમજ રંજનબેનના પતિ, નિલેશ, મિલનના કાકા, શિલ્પા, ક્રિષ્ના, અર્પિતાના પિતા તથા રીતેશભાઈ, પંકજભાઈ, જીગરભાઈના સસરા તથા નડીયાદવાળા જીવણભાઈ અમૃતભાઈ દેસાઈના જમાઈ તા.૧૩ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના સોમવારે સવારે ૧૦ થી ૧૦:૩૦ અને પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ભગવાન ભુવનવાડી, ૧૮ - પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

સવિતાબેન લાખાણી

રાજકોટઃ તરવડા (અમરેલી) હાલ રાજકોટના રહીશ શ્રી ભાવિનભાઇ મનુભાઇ લાખાણી તથા આશીષભાઇ મનુભાઇ લાખાણીના માતુશ્રી સવિતાબેન મનુભાઇ લાખાણીનું (ઉ.વ.૮૦) તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું હરીહર સોસાયટી કોમ્યુનીટી હોલ શેરી નં.૩,  જલારામ પેટ્રોલ પંપ પાછળ કાલાવડરોડ, રાજકોટ ખાતે તા.૧૬ને સોમવારે  સવારે ૮ થી ૧૦ કલાકે રાખવામાં આવેલ છે. તરવડા (અમરેલી) તેમના નિવાસ સ્થાને સોમવારે તા.૧૬ના બપોરના ૩ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે.

પુષ્પાબેન વાઘેલા

રાજકોટઃ સ્વ.લાલજીભાઈ ધનજીભાઈ વાઘેલાના પત્નિ પુષ્પાબેન (ઉ.વ.૭૩) તે અશોકભાઈ, મયુરભાઈના માતુશ્રીનું તા.૧૩ના રોજ અવસાન પામેલ છે. તેમનુ બેસણું તા.૧૬ને સોમવારના રોજ નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ હસનવાડી-૩ 'વાઘેલા ભુવન' રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઈ વાસાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.રમેશભાઈ મનસુખભાઈ વાસાણી (ઉ.વ.૬૦) વિકીભાઈ તેમજ ધર્મેશભાઈ (જેકી)ના પિતાશ્રી તથા કિશોરભાઈ તથા બાબુભાઈના ભાઈનું દુઃખદ અવસાન તા.૧૩ને શુક્રવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ શેરી નં.૨/બી રાજકોટ મુકામે રાખેલ છે.

અનસુયાબેન મહેતા

રાજકોટઃ ખંઢેરા નિવાસી સ્વ.મનસુખલાલ મુળજીભાઈ મહેતાના ધર્મપત્નિ અનસુયાબેન (હિરાબેન) (ઉ.વ.૭૮) તે મુકેશભાઈ (કાલાવડ નગરપાલીકા ઉપ પ્રમુખ) તેમજ હિતેષભાઈ, શૈલેષભાઈ (નેમીનાથ વિતરાગ જૈન સંઘના ઉપપ્રમુખ) તેમજ મનીષભાઈ તથા દિપકભાઈના માતુશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ના સવારે ૯:૩૦ કલાકે નેમીનાથ વિતરાગ જૈન ઉપાશ્રય ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. તેમજ બેસણું તા.૧૬ના બપોરે ૪ વાગ્યે કાલાવડ ખાતે ટાઉન હોલ નગરપાલિકામાં રાખેલ છે.

હીરાભાઇ રામાણી

 જેતપુરઃ ધારેશ્વર વિસ્તારમાં જોશીબાપાના વૃદ્ધાશ્રમમાં રહેતા હીરાભાઇ રાઘવજીભાઇ રામાણી (ઉ.વ.૮૦) મસીતાવાળા તા. ૧૧ના રોજ અવસાન પામેલ છે.

છોટાલાલ પોબારી

રાજકોટઃ શ્રી ત્રિભોવનદાસ ડાયાભાઇ કારીયાના જમાઇ તેમજ વ્રજલાલ ત્રિભોવનદાસ કારીયાના બનેવી મુંબઇ નિવાસી છોટાલાલ માધવજીભાઇ પોબારી (ઉ.વ.૮૬) તા.૧૨ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની સાદડી તા.૧૬ના સોમવારના રોજ શ્રી વ્રજલાલ ત્રિભોવનભાઇ કારીયાના નિવાસ સ્થાને ૫ થી ૬ ધ ગાર્ડન સીટી, ડી- તુલીપ કોમન હોલ, સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રામજીભાઇ સાટોડીયા

ગોંડલ : રામજીભાઇ લાખાભાઇ સાટોડીયા (ઉ.વ.૮૨) તે કિશોરભાઇ, મનસુખભાઇ, રતિલાલ, શૈલેષભાઇના પિતા રોહિત, અજય, પ્રફુલ, દર્શન, કેવલ, કેશવી, યસ્વીના દાદાનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૬ને સોમવારે સાંજે ૪ થી ૬ પટેલ વાડી, જેલ ચોક, ગોંડલ મુકામે રાખેલ છે.

સાવિત્રીબેન સખરાણી

રાજકોટ : સ્વ. સાવિત્રીબેન મેઘરાજમલ સખરાણી તે લચ્છુભાઇ સખરાણી, શ્યામભાઇ સખરાણી, કિશોરભાઇ સખરાણીના માતુશ્રી, રાજુભાઇ સખરાણી (એડવોકેટ), ચંદનભાઇ સખરાણી, અજીતભાઇ સખરાણી, મુકેશભાઇ સખરાણી, નિતીનભાઇ સખરાણી (એડવોકેટ), ચિરાગભાઇ સખરાણીના દાદીમાનું તા. ૧૨ના અવસાન થયેલ છે. તેમનું પઘડીયું (ઉઠમણુ) તા. ૧૫ના રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, સેન્ચુરી હોસ્પિટલવાળી શેરી, રૈયા ટેલીફોન એકસચેન્જ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

ગોકળભાઇ લુણાગરીયા

રાજકોટઃ ગોકળભાઇ ખીમાભાઇ લુણાગરીયા તે ખોડીયાર ડેરી વાળા ખોડાભાઇ ના પિતાશ્રી તથા ગોરધનભાઇ, મનસુખભાઇ અને પરસોતભાઈ (જીલ્લા પંચાયત સદસ્ય રાજકોટ) ના કાકા નું તા.૧૩  ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનાં મોક્ષાર્થ બેસણું તા.૧૬  સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, ક્રિષ્ના પાર્ક, ત્રિલોક રામજી મંદિર, પુસ્કરધામ પાસે, યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રીતીબેન પાટડીયા

રાજકોટઃ સોની ઝવેરી પોપટલાલ પ્રાગજીભાઇ વાળા અ.ની. શીવલાલ પોપટલાલભાઇ પાટડીયાના પુત્રવધુ પ્રીતીબેન (ઉ.વ.૫૬) તે જયવંતભાઇના ધર્મપત્નિ તે હિમાંશુ, શશાંક, હેમાંગીના માતુશ્રી તે સ્મીત, મીત, મિશ્વાના દાદી તથા વાંકાનેર વારા સ્વ. જમનાદાસ વીરચંદભાઇ પારેખની દીકરીનું દુઃખદ અવસાન તા.૧૩ને શુક્રવારના રોજ થયેલ છે. જેમનું બંને પક્ષનું બેસણું સોમવાર તા.૧૬ના સવારે ૧૦ થી ૧૧:૩૦ વાઘેશ્વરીની વાડી યુનિટ નં.૩, રામનાથ પરા, રાજકોટ ખાતે રાખેલ છે.