અવસાન નોંધ
ગુણેન્દ્રભાઈ પ્રસાદીઆનું અવસાન : કાલે બેસણું
રાજકોટ : ભરવાડ સમાજના અગ્રણી ગુણેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ પ્રસાદીયા તે સ્વ.પ્રવિણભાઈ, રાજુભાઈના મોટાભાઇ અને હિરેનભાઈ, વિમલભાઈ, રાહુલભાઈના પિતા, ગાત્રેય, શકિતના કાકાનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન જય ગાત્રાડ, ૨/૪ કોર્નરની સામે, રામધામ સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
વિજયાબેન રૂપારેલીયા
રાજકોટઃ ધારી- દેવળા વાળા ચંપકલાલ બાબુલાલ રૂપારેલીયાના ધર્મપત્નિ સ્વ.વિજયાબેન (ઉ.વ.૭૪) તે લલ્લુભાઈ ગાંડાલાલ સેદાણી બાબરાવાળાના પુત્રી તે નિલેષભાઈ, જીતેન્દ્રભાઈ, કેતનભાઈ, સંતોષભાઈના માતુશ્રીનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૫ના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ''યમુના કુંજ'' અજંટા સોસાયટી, પેટ્રોલપંપ ધારી મુકામે રાખેલ છે.
રસીલાબેન વંડરા
રાજકોટઃ મુળ આંબરડી નિવાસી બાબુલાલ હરિભાઈ વંડરાના પુત્રવધુ તે કિશોરભાઈ બાબુભાઈ વંડરાના ધર્મપત્નિ તે ધર્મેશ વંડરાના માતુશ્રી તથા ચંદુભાઈ વંડરાના ભાભી તેમજ (મોટાભમોદ્રાવાળા) ભાનુભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, તુલશીભાઈ, હરેશભાઈના બહેન તેમજ દિપનકુમાર નરોત્તમભાઈ નાગરના સાસુ અ.નિ. રસીલાબેન વંડરા તા.૧૩ બુધવારના રોજ અક્ષરનિવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન બળીયા હનુમાન મંદિર, ૨૬ રણછોડનગર, ત્રાંસીયો રોડ, રાજકોટ તેમજ સદ્દગતની ઉતરક્રિયા તા.૧૭ રવિવારના રોજ 'ઘનશ્યામ', ૨૬, રણછોડનગર, ત્રાંસીયો રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
જીવનભાઈ ટાટમિયા
રાજકોટઃ વાણંદ સ્વ.જીવનભાઈ દેવરાજભાઈ ટાટમિયા તે નરેશભાઈ, કિશોરભાઈ ટાટમીયાના પિતાશ્રીનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
પાર્વતીબેન દેવશીભાઇ
ગોંડલ : પાર્વતીબેન દેવશીભાઇ, તે દેવશીભાઇના પત્ની તથા ભરતભાઇ, દિલીપભાઇના માતુશ્રીનું તા. ૧રના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪ ગુરૂવારે સાંજે ૪થી ૬, તેમના નિવાસ સ્થાને ભોજરાજપરા ૯/૧૦, 'જયદેવ' ખાતે રાખેલ છે.
શશીકાંતભાઇ ઉપાધ્યાય
મોરબી : શશીકાંતભાઇ અંબાલાલ ઉપાધ્યાય (ઉ.૭૦)નું તા. ૧રના અવસાન થયેલ છે. બેસણું તા. ૧પ શુક્રવારે સાંજે ૪થી ૬, શિવમ પાર્ક, ઉમૈયા પાર્કની અંદર, વાવડી રોડ, મોરબી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
મોહનભાઇ હિરપરા
ધોરાજી : મોહનભાઇ ખોડાભાઇ હિરપરા (ઉ.વ.૯૦), તે દલસુખભાઇ તથા રણછોડભાઇ અને જેન્તીભાઇ હિરપરાના પિતાશ્રીનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧પ સમય ૩ થી પ, ઠે. હિરપરા વાડી ખોડીયાર માતાજીના મંદિરે રાખેલ છે.
આબિદાબાનુ કાઝી
ભાવનગરઃ મુસ્લીમ કાઝી મરણ સાજીદભાઇ મકબુલભાઇ કાઝી (એડવોકેટ-કોંગ્રેસના આગેવાન)ના ઔરત આબિદાબાનુ (ઉ.વ.૪૪)તે ફરહાન કાઝી (સીન્ડીકેટ બેન્ક), ડો.શીશએહમદ કાઝીના વાલીદા (માતા), મર્હુમ મકબુલહુસેન કાઝી (એડવોકેટ)ના પુત્ર વધુ મર્હુમ હુસેનઝહીર કાઝી, ફઝલભાઇ કાઝી, મર્હુમ જાહીદભાિ કાઝી, રઇશભાઇ (રાજુભાઇ કાઝી રીક્ષા વાળા)ના ભાભી, મહેતાબ કાઝી, સોહેબ કાઝી, પરજીમ કાઝીના કાકી, મર્હુમ ફરીદખાન દિલાવરખાન પઠાણ (હાલ સુરત પુર્ણિમા હોટલ વાળા)ની દિકરી, અનવરખાન, શબ્બીરભાઇ ખોખર (ગેરેજવાળા-પાલીતાણા)ની ભાણેજ જન્નત નસ્ત થયેલ છે. જીયારત તા.૧૫ને શુક્રવારે સવારે ૮-૩૦ કલાકે કાઝીવાડ મસ્જીદમાં અને ઔરતો માટેની બેઠી જીયારત તેમના નિવાસ સ્થઆને કાઝીવાડ લોહાણા જ્ઞાતીની વાડી પાસે,ભાવનગર રાખેલ છે. તથા હિન્દુ ભાઇઓ માટેનું બેસણું તા.૧૫ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
પ્રતાપરાય દવે
રાજકોટ : ઓૈદીચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય સ્વ. પ્રતાપરાય લક્ષમીશંકર દવે કેશોદ, તે મહેશભાઇ તથા સ્વ. કમલેશભાઇ તથા પ્રીતીબેન ના પિતાશ્રી તથા હિરેનકુમાર એમ. વ્યાસ (મોદી સ્કૂલ રાજકોટ) ના સસરાનું અવસાન તા. ૧૩ ના થયેલ છે. બેસણું તા. ૧૫ શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૬, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમ નગર મેઇન રોડ સ્ટર્લીગ હોસ્પીટલ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ રાખેલ છે
શારદાબેન વાજા
દામનગરઃ શારદાબેન કિશોરભાઇ વાજા (ઉ.વ.૫૧) તે કિશોરભાઇ બચુભાઇ વાજાના પત્ની તેમજ કોૈશલભાઇ, ધર્મેશભાઇ તથા કેતનાબેન ભાવેશકુમાર પરમાર (બરવાળા), મીનાબેન હરેશકુમાર ચૌહાણ (રાજકોટ)ના માતુશ્રી તથા દિનેશભાઇ, રાજુભાઇ મોહનભાઇ વાજા (ભાવનગર) રંજનબેન પ્રતાપભાઇ ભટ્ટી (અડતાણા) જયશ્રીબેન સુરેશભાઇ વાઘેલા (ધોરાજી) દેવીબેન મુકેશભાઇ હિરાણી (સણોસરા)ના ભાભી તથા રમેશભાઇ મુળજીભાઇ બગથરીયા (સાંણથલી), વિનુભાઇ બટુકભાઇ તથા પ્રવિણભાઇના બેનનું અવસાન થયેલ છે. તેમનું બેસણું (સાદડી) તા. ૧૫ શુક્રવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ તેમની ઉત્તરક્રિયા તા. ૨૦-૨૧ (બુધ-ગુરૂ) ના રોજ નિવાસ સ્થાને રાખેલ છે.
વિનોદભાઇ સૌમેયા
કાલાવડઃ ટેલરામભાઇ વેરસીમલ સૌમેયાના પુત્ર વિનોદ (ઉ.વ.૪૦) તે દિલીપભાઇ તથા પ્રકાશભાઇના ભાઇનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા. ૧૪ને ગુરૂવારે સાંજે પ થી ૬ ગીતા મીલ પાછળ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
રમેશભાઇ મોરજરીયા
રાજકોટઃ સ્વ. મણીલાલ લક્ષ્મીચંદ મોરજરીયાના પુત્ર રમેશભાઇ મણીલાલ મોરજરીયા (ઉ.વ.૬૧) તે મહેશભાઇ, અશ્વીનભાઇના મોટાભાઇ, તે સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. જયંતિભાઇ,નંદલાલભાઇ, રતિભાઇના ભત્રીજા તે શ્રી બળવંતરાય જમનાદાસ વસાણીના જમાઇનું તા. ૧૧ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી શ્રી ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ પાસે તા. ૧૫ના સાંજે ૪ થી પ રાખેલ છે.
ચંદુભાઇ દવે
ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રા નિવાસ ચંદુભાઇ હિરાલાલ દવે તે દીપકભાઇ શાંતિલાલ દવે, દિનેશભાઇ એસ. દવે અને દેવેન્દ્ર રમણીકલાલ દવેના કાકાનું તા. ૧૨ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લખધીરવાસ મોરબી મુકામે રાખેલ છે. તેમજ તા. ૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રીમાળી બ્રાહ્મણ વાડી, ફુલગલી ધ્રાંગધ્રા મુકામે રાખેલ છે.
હસમુખભઈ પોમલ
જૂનાગઢઃ મારૂ કંસારા હસમુખભાઈ પરષોતમભાઈ પોમલ (ઉ.વ. ૫૪) (પેન્ટર રાધે આર્ટ) તે અરવિંદભાઈ પી. પોમલ યુનિયન બેંકવાળા, નલીનભાઈ પી. પોમલ (ઉકાભાઈ) મહાનગરપાલિકાવાળા હેમંતભાઈ પોમલના નાના ભાઈ તેમજ અમીત અને રિદ્ધિના પિતાશ્રી તા. ૧૨ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણુ ગુરૂવારને તા. ૧૪ના સાંજે ૪ થી ૫ માલીવાડા રોડ, સલાટવાડા, સોની ચકલા જૂનાગઢ ખાતે રાખેલ છે.
હેમલતાબેન ધડુક
ગોંડલઃ હેમલતાબેન પોપટભાઇ ધડુક (ઉ.વ.૪૮) તે પોપટભાઇ રાવજીભાઇ ધડુકના પત્ની હિરેનભાઇના માતાનું તા. ૧૨ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૫ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન અલખ વાટિકા કોમ્પલેક્ષ, ચબુતરા પાસે, ભોજરાજપરા, ગોંડલ મુકામે રાખેલ છે.
વિજયાબેન રૂપારેલીયા
ધારી-દેવળા વાળા ચંપકલાલ બાબુલાલ રૂપારેલીયાના ધર્મપત્ની સ્વ. વિજયાબેન (ઉ.૭૪) તે લલ્લુભાઇ ગાંડાલાલ સેદાણી (બાબરાવાળા)ના પુત્રી તેમજ નિલેશભાઇ, જીતેન્દ્રભાઇ, કેતનભાઇ, સંતોષભાઇના માતુશ્રીનું તા. ૧૧ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧૫ના શુક્રવારે સાંજના ૪ થી ૬ તેમના નિવાસસ્થાન 'યમુના કુંજ', અજંટા સોસાયટી, પેટ્રોલ પંપ પાછળ, ધારી ખાતે રાખેલ છે.(
લક્ષ્મીબેન રામવાણી
રાજકોટઃ રવિભાઇ નાથાલાલ રામવાણી તથા રાજેષભાઇ નાથાલાલ રામવાણીના માતુશ્રી લક્ષ્મીબેન નાથાલાલ રામવાણી તા.૧૩ના નિજધામ પધાર્યા છે. સદ્દગતની પ્રાર્થનાસભા (ઉઠમણું) તા.૧૪ને ગુરૂવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦, અમી કો.ઓપ. હા. સોસાયટી શેરી નં.૧, યુનિર્વસીટી રોડ, યુનિર્વસીટી કર્મચારી સોસાયટી પાછળ, અમી. કો. ઓપ. હા. સોસાયટીના કોમન પ્લોટમાં મુકામે રાખેલ છે.
સુનિલભાઇ પટેલ
રાજકોટઃ સુનિલભાઇ ડાહયાભાઇ પટેલ, તે જીતેન્દ્રભાઇ તથા વસંતભાઇના ભાઇ, તથા આનંદભાઇના પિતાશ્રી તા.૯ના અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૪ના સાંજે ૪-૩૦ થી પ-૩૦, યોગી સભાગૃહ, બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.
હાતિમભાઇ ભારમલ
રાજકોટઃ હાતિમભાઇ એમ. ભારમલ (પરોણા વાળા) તે યાસ્મીનબેન ફકરૂદીનભાઇ ધોરાજીવાળાના શોહર મુ. યુસુફભાઇ, હુસામુદ્દીનભાઇ, અમીનાબેન (મુંબઇ)ના ભાઇ, મોઇઝભાઇ ભારમલના પપ્પા તા.૧૩ના ગુજરી ગયા છે. તા.૧પના તેમના ઝયારતના સીપારા (ખાનપરા) બદરી મસ્જીદમાં રાખેલ છે. (
મૃદુલાબેન સેલારકા
રાજકોટઃ દશા સોરઠીયા વણિક મૃદુલાબેન કિર્તીકુમાર સેલારકા તે મિતેશભાઇ અને સોનલ સંદિપકુમાર ધ્રુવના માતુશ્રી અને સ્વ.ખીમચંદભાઇ જીવરાજભાઇ ગગલાણીના પુત્રી અને પ્રફુલભાઇ ખીમચંદભાઇ ગગલાણી (પા.પુ.બોર્ડ) હેમ-પ્રભા અને જીતુબાળા મહેન્દ્રકુમાર ધ્રુવના બહેન તેમજ સ્વ.મુગટભાઇ, સ્વ.હિંમતભાઇ, ડો.હરસુખભાઇ (થાનગઢ) સ્વ.મહેન્દ્રભાઇના ભત્રીજી અને નવીનભાઇ, મહેશભાઇ, પ્રફુલભાઇ, હર્ષદભાઇ સેલારકાના ભાભીજીનું તા.૬ના જામનગર ખાતે અવસાન થયેલ છે. તેમની સાદડી તા.૧પના શુક્રવારે સાંજે પ થી ૬, શ્રી નીલકંઠ મહાદેવ મંદીર, આફ્રીકા-કોલોની શે. નં.૩ પાસે રાખવામાં આવેલ છે.
ચંદુલાલ દવે
મોરબીઃ ધ્રાંગધ્રા નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ચંદુલાલ હિરાલાલ દવે (ઉ.વ.૭૮) તે દિપક શાંતિલાલ દવે અને દિનેશ શાંતિલાલ દવે તેમજ દેવેન્દ્ર રમણીકલાલ દવેના કાકા તા.૧રના રોજ મોરબી મુકામે કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ લક્ષ્મીનારાયણ મંદિર, લખધીરવાસ મોરબી ખાતે તેમજ તા.૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ફુલગલી ધ્રાંગધ્રા મુકામે રાખેલ છે.
લાલજતી ગોસાઇ
જામનગર : મુળ ગામ ધ્રોલ હાલ જામનગર નિવાસી લાલજતી કુવરજતી ગોસાઇ (માસ્તર) તે વિજયજતી, નિરૂબેન, તથા કિર્તીબેન ના પીતાશ્રી તથા શાંતિજતી તથા નગીનજતીના વડીલ બંધુ, તથા મોહનગીરીના બનેવી તા. ૧૩ ના રોજ કૈલાશવાસી થયેલ છે. બેસણું તા. ૧૪ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન જામનગર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
નારણભાઈ સાગર (કાચા)
રાજકોટ : મુળ ગામ જામ-વણથલી, હાલ રાજકોટ નિવાસી નારણભાઈ પ્રેમજીભાઈ સાગર (કાચા) (ઉ.વ.૮૩) તે ચમનભાઈ સાગર તથા પ્રકાશભાઈ સાગરના પિતાનું તા.૧૧ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મહેશ્વરી સોસાયટી-૩, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
અનિલભાઈ રાણપરા
રાજકોટ : અનિલભાઈ જેન્તીલાલ રાણપરા (ઉ.વ.૬૩) તે સોની જેન્તીલાલ શાંતિલાલ રાણપરા (ટંકારાવાળા)ના પુત્ર તેમજ શિતલબેન, દિપાલીબેન, ચાંદનીબેન, સીમાબેન, બ્રિજેશના પિતા તેમજ કિશોરભાઈ, અશ્વિનભાઈ, પ્રકાશભાઈના મોટાભાઈ તેમજ સ્વ.દુર્લભજીભાઈ નાગરદાસભાઈ આડેસરાના જમાઈ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૫ના સાંજે ૪:૩૦ થી ૬ પારેખ વાડી ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
અભિષેક આડેસરા
રાજકોટ : આણંદ નિવાસી સોની લાલજીભાઈ અમૃતલાલ આડેસરાના પૌત્ર અભિષેક મનોજભાઈ તે રાજકોટ નિવાસી શામજીભાઈ રામજીભાઈ પાટડીયાના પુત્ર હસમુખલાલ શામજીભાઈના દિકરી સોનલબેનના પુત્ર ડરબન (સાઉથ આફ્રિકા) મુકામે તા.૯ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું મોસાળ પક્ષનું બેસણું તા.૧૬ના શનિવારના રોજ સાંજે ૪ થી ૫ સોની સમાજની વાડી, યુનિટ નં.૨ ખીજડા શેરી, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.
ભાનુબેન જોટાંગીયા
રાજકોટઃ હાલ વાણંદ સ્વ.ભાનુબેન છગનભાઈ જોટાંગીયા (ઉ.વ.૮૦) (મૂળ મકાજી મેઘપર) તે સ્વ.છગનભાઈ ગોવિંદભાઈના પત્ની તથા સ્વ.ભૂરાભાઈ, પોપટભાઈના નાનાભાઈના પત્ની તેમજ સ્વ.મોહનભાઈ, નટુભાઈના ભાભી તેમજ પ્રવિણભાઈ, યોગેશભાઈ, અનિલભાઈના માતુશ્રી તથા લાલજીભાઈ, જેઠાભાઈ ધામેલીયાના બહેનનું અવસાન તા.૧૩ બુધવારના રોજ થયેલ છે. તેમજ બન્ને પક્ષનું બેસણું તા.૧૫ને શુક્રવાર સાંજે ૪:૩૦ થી ૬ વાણંદ સમાજ વાડી, લક્ષ્મીનગર-૨ ખાતે રાખેલ છે.
પન્નાબેન મહેતા
રાજકોટઃ અ.સૌ.પન્નાબેન ભુપેન્દ્રભાઈ મહેતા તે ભુપેન્દ્રભાઈ ચંદુલાલ મહેતા (વેસ્ટન વાલ્વ વાળા)ના ધર્મપત્નિ સ્વ.સુરેશભાઈ તથા ભદ્રેશભાઈના ભાભી, હેમાંગ તથા કૃણાલના માતુશ્રી ઓમ તથા નક્ષત્રના દાદી તથા લોહાણા મહિલા અગ્રણી ઈન્દુબેન વિઠ્ઠલદાસ શીંગાળાના બહેન તા.૧૪ના રોજ અરિહંત શરણ થયેલ છે. સ્વ.નું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૧૬ને શનીવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોયલપાર્ક ઉપાશ્રયે રાખેલ છે.